રાજસ્થાન સ્કૂલને ડીઈઓનો આદેશ વર્ગ તો બંધ નહીં જ થાય પ્રવેશ આપો

શિક્ષકોની ભરતી બંધ થતાં સંચાલકોનો વર્ગ બંધનો કીમિયોશિક્ષક ન હોવાનું બહાનું કાઢતાં સંચાલકોને ડીઈઓ દ્વારા જ્ઞાન સહાયક આપવાની પણ તૈયારી છેલ્લી ઘડીએ ધોરણ.9નો વર્ગ બંધ કરવાનો કારસો સંચાલકોએ ઘડી દીધો અમદાવાદ શહેરના શાહીબાગ વિસ્તારમાં આવેલી લઘુમતિ ગ્રાન્ટેડ રાજસ્થાન શાળાના સંચાલકોને DEO દ્વારા સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યો છે કે, તમે વર્ગ બંધ નહી કરી શકો. ધોરણ.8માં અભ્યાસ કરતાં પૈકી જે વિદ્યાર્થીઓએ ધો.9માં પ્રવેશ મેળવવો હોય તે તમામને પ્રવેશ આપવો પડશે. શિક્ષક ન હોવાનું બહાનું કાઢતાં સંચાલકોને ડીઈઓ દ્વારા જ્ઞાન સહાયક આપવાની પણ તૈયારી દર્શાવી છે. શાહીબાગની રાજસ્થાન શાળામાં હિન્દી માધ્યમના વર્ગો ચાલતા હતા. આ લઘુમતિ શાળા હોવાથી શિક્ષકો ભરવાની તમામ સત્તા મંડળ પાસે હતી. સરકાર દ્વારા શિક્ષકોની ભરતીની સત્તા છીનવી લેવામાં આવી છે. એ પછી સંચાલકોએ હિન્દી માધ્યમના વર્ગો બંધ કરી એજ બિલ્ડીંગમાં અંગ્રેજી માધ્યમના વર્ગોની મંજુરી માગી. હાલમાં ધો.9થી 12માં કુલ ચાર-ચાર વર્ગો છે, જેમાં અંગ્રેજી માધ્યમના 3 જ્યારે હિન્દી માધ્યમનો માત્ર 1 જ વર્ગ છે. આ શાળા પાસે શિક્ષક નહોતો છતાં જ્ઞાન સહાયક લેવાની પણ તૈયારી દર્શાવી નહોતી. હવે છેલ્લી ઘડીએ ધોરણ.9નો વર્ગ બંધ કરવાનો કારસો સંચાલકોએ ઘડી દીધો હતો. પરંતુ વાલીઓની રજૂઆતના આધારે અમદાવાદ શહેરના જિલ્લા શિક્ષણાધિકારી રોહિત ચૌધરી દ્વારા સંચાલકોને રૂબરૂમાં બોલાની સ્પષ્ટ સુચના આપી છે કે, તમે વર્ગ બંધ નહી કરી શકો તમામ બાળકોને પ્રવેશ આપવા પડશે. ડીઈઓના જણાવ્યા મુજબ, કોઈપણ શાળાએ વર્ગ બંધ કરવો હોય તે એની 6 મહિના પહેલા જાણ કરવી પડે. મનફાવે ત્યારે વર્ગો બંધ કરી ન શકાય.

રાજસ્થાન સ્કૂલને ડીઈઓનો આદેશ વર્ગ તો બંધ નહીં જ થાય પ્રવેશ આપો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • શિક્ષકોની ભરતી બંધ થતાં સંચાલકોનો વર્ગ બંધનો કીમિયો
  • શિક્ષક ન હોવાનું બહાનું કાઢતાં સંચાલકોને ડીઈઓ દ્વારા જ્ઞાન સહાયક આપવાની પણ તૈયારી
  • છેલ્લી ઘડીએ ધોરણ.9નો વર્ગ બંધ કરવાનો કારસો સંચાલકોએ ઘડી દીધો

અમદાવાદ શહેરના શાહીબાગ વિસ્તારમાં આવેલી લઘુમતિ ગ્રાન્ટેડ રાજસ્થાન શાળાના સંચાલકોને DEO દ્વારા સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યો છે કે, તમે વર્ગ બંધ નહી કરી શકો. ધોરણ.8માં અભ્યાસ કરતાં પૈકી જે વિદ્યાર્થીઓએ ધો.9માં પ્રવેશ મેળવવો હોય તે તમામને પ્રવેશ આપવો પડશે. શિક્ષક ન હોવાનું બહાનું કાઢતાં સંચાલકોને ડીઈઓ દ્વારા જ્ઞાન સહાયક આપવાની પણ તૈયારી દર્શાવી છે.

શાહીબાગની રાજસ્થાન શાળામાં હિન્દી માધ્યમના વર્ગો ચાલતા હતા. આ લઘુમતિ શાળા હોવાથી શિક્ષકો ભરવાની તમામ સત્તા મંડળ પાસે હતી. સરકાર દ્વારા શિક્ષકોની ભરતીની સત્તા છીનવી લેવામાં આવી છે. એ પછી સંચાલકોએ હિન્દી માધ્યમના વર્ગો બંધ કરી એજ બિલ્ડીંગમાં અંગ્રેજી માધ્યમના વર્ગોની મંજુરી માગી. હાલમાં ધો.9થી 12માં કુલ ચાર-ચાર વર્ગો છે, જેમાં અંગ્રેજી માધ્યમના 3 જ્યારે હિન્દી માધ્યમનો માત્ર 1 જ વર્ગ છે. આ શાળા પાસે શિક્ષક નહોતો છતાં જ્ઞાન સહાયક લેવાની પણ તૈયારી દર્શાવી નહોતી. હવે છેલ્લી ઘડીએ ધોરણ.9નો વર્ગ બંધ કરવાનો કારસો સંચાલકોએ ઘડી દીધો હતો. પરંતુ વાલીઓની રજૂઆતના આધારે અમદાવાદ શહેરના જિલ્લા શિક્ષણાધિકારી રોહિત ચૌધરી દ્વારા સંચાલકોને રૂબરૂમાં બોલાની સ્પષ્ટ સુચના આપી છે કે, તમે વર્ગ બંધ નહી કરી શકો તમામ બાળકોને પ્રવેશ આપવા પડશે. ડીઈઓના જણાવ્યા મુજબ, કોઈપણ શાળાએ વર્ગ બંધ કરવો હોય તે એની 6 મહિના પહેલા જાણ કરવી પડે. મનફાવે ત્યારે વર્ગો બંધ કરી ન શકાય.