CSR યોજના અંતર્ગત અમદાવાદ મ્યુનિ.ની સો આંગણવાડી NGO દ્વારા અદ્યતન બનાવામાં આવશે

        અમદાવાદ, બુધવાર, 15 મે,2024કોર્પોરેટ સોશિયલ રીસ્પોન્સીબીલીટી યોજના અંતર્ગત અમદાવાદના વિવિધ વોર્ડ વિસ્તારમાં આવેલી મ્યુનિ.તંત્ર હસ્તકની સો આંગણવાડીને સ્વૈચ્છીક સંસ્થા દ્વારા અદ્યતન બનાવવામાં આવશે. તમામ ખર્ચ આ સંસ્થા તરફથી કરવામાં આવશે.૧૬ આંગણવાડી કેન્દ્રને અદ્યતન બનાવવાની કામગીરી પુરી કરી લેવામાં આવી છે.હાલમાં ૧૯ આંગણવાડી કેન્દ્ર ખાતે કામગીરી ચાલી રહી છે. અમદાવાદ મ્યુનિ.ના આઈ.સી.ડી.એસ.વિભાગ હસ્તકના સો આંગણવાડી કેન્દ્રના નવીનીકરણ માટે યુવા અનસ્ટોપેબલ નામની સ્વૈચ્છીક સંસ્થા દ્વારા કોર્પોરેટ સોશિયલ રીસ્પોન્સીબીલીટી યોજના અંતર્ગત દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી.આંગણવાડીમાં પાણી, આર.ઓ.પ્લાન્ટ ઉપરાંત પ્લે ગ્રાઉન્ડ એરીયા વિકસિત કરવાની સાથે સ્માર્ટ ટી.વી.વીથ કન્ટેઈન, રમકડાં જેવા જરુરી સાધનો મુકવામાં આવશે.ઈન્ફ્રાસ્ટ્રકચર લેવલે સેનીટેશન વ્યવસ્થાને પણ રીનોવેશન હેઠળ આવરી લેવામાં આવશે.હાલ શહેરના નિકોલ, ઓઢવ,વાસણા ઉપરાંત રાણીપ, ચાંદલોડીયા, લાંભા તેમજ સ્ટેડિયમ વોર્ડમાં આવેલા આંગણવાડી કેન્દ્રોના નવીનીકરણ કરવાની કામગીરી ચાલી રહી છે.માર્ચ-૨૦૨૫ સુધીમાં બાકીના ૬૫ આંગણવાડી કેન્દ્રોનુ નવીનીકરણ કરવામા આવશે.અમદાવાદ મ્યુનિ.હસ્તકની મોટાભાગના આંગણવાડી કેન્દ્રો સ્લમ વિસ્તારમાં આવેલા છે.

CSR યોજના અંતર્ગત અમદાવાદ મ્યુનિ.ની સો આંગણવાડી NGO  દ્વારા અદ્યતન બનાવામાં આવશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

       

 અમદાવાદ, બુધવાર, 15 મે,2024

કોર્પોરેટ સોશિયલ રીસ્પોન્સીબીલીટી યોજના અંતર્ગત અમદાવાદના વિવિધ વોર્ડ વિસ્તારમાં આવેલી મ્યુનિ.તંત્ર હસ્તકની સો આંગણવાડીને સ્વૈચ્છીક સંસ્થા દ્વારા અદ્યતન બનાવવામાં આવશે. તમામ ખર્ચ આ સંસ્થા તરફથી કરવામાં આવશે.૧૬ આંગણવાડી કેન્દ્રને અદ્યતન બનાવવાની કામગીરી પુરી કરી લેવામાં આવી છે.હાલમાં ૧૯ આંગણવાડી કેન્દ્ર ખાતે કામગીરી ચાલી રહી છે.

અમદાવાદ મ્યુનિ.ના આઈ.સી.ડી.એસ.વિભાગ હસ્તકના સો આંગણવાડી કેન્દ્રના નવીનીકરણ માટે યુવા અનસ્ટોપેબલ નામની સ્વૈચ્છીક સંસ્થા દ્વારા કોર્પોરેટ સોશિયલ રીસ્પોન્સીબીલીટી યોજના અંતર્ગત દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી.આંગણવાડીમાં પાણી, આર.ઓ.પ્લાન્ટ ઉપરાંત પ્લે ગ્રાઉન્ડ એરીયા વિકસિત કરવાની સાથે સ્માર્ટ ટી.વી.વીથ કન્ટેઈન, રમકડાં જેવા જરુરી સાધનો મુકવામાં આવશે.ઈન્ફ્રાસ્ટ્રકચર લેવલે સેનીટેશન વ્યવસ્થાને પણ રીનોવેશન હેઠળ આવરી લેવામાં આવશે.હાલ શહેરના નિકોલ, ઓઢવ,વાસણા ઉપરાંત રાણીપ, ચાંદલોડીયા, લાંભા તેમજ સ્ટેડિયમ વોર્ડમાં આવેલા આંગણવાડી કેન્દ્રોના નવીનીકરણ કરવાની કામગીરી ચાલી રહી છે.માર્ચ-૨૦૨૫ સુધીમાં બાકીના ૬૫ આંગણવાડી કેન્દ્રોનુ નવીનીકરણ કરવામા આવશે.અમદાવાદ મ્યુનિ.હસ્તકની મોટાભાગના આંગણવાડી કેન્દ્રો સ્લમ વિસ્તારમાં આવેલા છે.