પરશોત્તમ રૂપાલાએ અચાનક રાજકોટમાં મકાન બદલ્યું

અમીન માર્ગ વિસ્તારમાં રૂપાલા રહેતા હતા સુરક્ષાના કારણોસર ઘર બદલવામાં આવ્યું હોવાની ચર્ચા રૂપાલાના ઘર બહારથી પોલીસ સિક્યુરિટી હટાવાઈ હાલમાં પરશોત્તમ રૂપાલા મામલે વિવાદ ચાલી રહ્યો છે. જ્યાં ક્ષત્રિય સમાજ પર કરેલી ટિપ્પણી પર એક તરફ તેમના પર દબાણ કરવામાં આવી રહ્યું છે ત્યાં હવે તેમને રાજકોટમાં અમીન માર્ગ વિસ્તારમાંથી પોતાનો બંગ્લો ખાલી કરી દીધો છે. જે પછી તેઓ મવડી વિસ્તારમાં રહેવા ગયા છે. સુરક્ષા પણ હટાવવામાં આવીઆ અંગેની માહિતી અનુસાર, રૂપાલાએ રાજકોટમાં પોતાનું ઘર ખાલી કર્યું છે. અમીન માર્ગ પરના બંગલાને પરશોતમ રૂપાલાએ ખાલી કર્યો છે. જેના સાથે જ રાજકોટના મવડી વિસ્તારમાં ફલેટમાં રહેવા માટે ગયા છે. રહેઠાણના ફેરબદલને કારણે રાજકોટની જનતામાં અનેક પ્રકારની ચર્ચા શરૂ થઈ છે. જ્યાં અચાનક ઘર બદલવા અંગે વિવિધ તર્ક વિતર્ક ચાલી રહ્યા છે. આ ઉપરાંત સુરક્ષાના કારણોસર ઘર બદલવામાં આવ્યું હોવાની ચર્ચા પણ ચાલી રહી છે. જેના સાથે જ રૂપાલાનાં ઘર બહારથી પોલીસ સિક્યુરિટી હટાવવામાં આવી છે.આજે સવારથી પ્રચાર શરૂ કર્યો આ તરફ રૂપાલા ગઈકાલે દિલ્હીથી રાજકોટ પહોંચ્યા હતા. આજે તેઓ સવારે રાજકોટમાં ક્ષત્રિય સમાજના કુળદેવી મા આશાપુરાના મંદિરે પહોંચી માતાજીને ચૂંદડી ચડાવી દર્શન કર્યા હતા. બાદમાં ક્ષત્રિયોના વિરોધ વચ્ચે મહિલા સંમેલન યોજી ફરી પ્રચાર શરૂ કરી દીધો છે. તેમજ આજે પણ દિવસ દરમિયાન સભાઓ યોજી હતી.

પરશોત્તમ રૂપાલાએ અચાનક રાજકોટમાં મકાન બદલ્યું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • અમીન માર્ગ વિસ્તારમાં રૂપાલા રહેતા હતા
  • સુરક્ષાના કારણોસર ઘર બદલવામાં આવ્યું હોવાની ચર્ચા
  • રૂપાલાના ઘર બહારથી પોલીસ સિક્યુરિટી હટાવાઈ

હાલમાં પરશોત્તમ રૂપાલા મામલે વિવાદ ચાલી રહ્યો છે. જ્યાં ક્ષત્રિય સમાજ પર કરેલી ટિપ્પણી પર એક તરફ તેમના પર દબાણ કરવામાં આવી રહ્યું છે ત્યાં હવે તેમને રાજકોટમાં અમીન માર્ગ વિસ્તારમાંથી પોતાનો બંગ્લો ખાલી કરી દીધો છે. જે પછી તેઓ મવડી વિસ્તારમાં રહેવા ગયા છે.

સુરક્ષા પણ હટાવવામાં આવી

આ અંગેની માહિતી અનુસાર, રૂપાલાએ રાજકોટમાં પોતાનું ઘર ખાલી કર્યું છે. અમીન માર્ગ પરના બંગલાને પરશોતમ રૂપાલાએ ખાલી કર્યો છે. જેના સાથે જ રાજકોટના મવડી વિસ્તારમાં ફલેટમાં રહેવા માટે ગયા છે. રહેઠાણના ફેરબદલને કારણે રાજકોટની જનતામાં અનેક પ્રકારની ચર્ચા શરૂ થઈ છે.

જ્યાં અચાનક ઘર બદલવા અંગે વિવિધ તર્ક વિતર્ક ચાલી રહ્યા છે. આ ઉપરાંત સુરક્ષાના કારણોસર ઘર બદલવામાં આવ્યું હોવાની ચર્ચા પણ ચાલી રહી છે. જેના સાથે જ રૂપાલાનાં ઘર બહારથી પોલીસ સિક્યુરિટી હટાવવામાં આવી છે.

આજે સવારથી પ્રચાર શરૂ કર્યો

આ તરફ રૂપાલા ગઈકાલે દિલ્હીથી રાજકોટ પહોંચ્યા હતા. આજે તેઓ સવારે રાજકોટમાં ક્ષત્રિય સમાજના કુળદેવી મા આશાપુરાના મંદિરે પહોંચી માતાજીને ચૂંદડી ચડાવી દર્શન કર્યા હતા. બાદમાં ક્ષત્રિયોના વિરોધ વચ્ચે મહિલા સંમેલન યોજી ફરી પ્રચાર શરૂ કરી દીધો છે. તેમજ આજે પણ દિવસ દરમિયાન સભાઓ યોજી હતી.