Ahmedabad News : અમરનાથયાત્રાને લઈ 4 જગ્યાઓ પર મેડિકલ ચેકઅપ શરૂ

અમરનાથ યાત્રીઓ માટે મેડિકલ ચેક અપ થયું શરૂ સોલા સિવિલમાં 300થી વધુ લોકોનું થયું મેડિકલ ચેકઅપ અત્યાર સુધીમાં 3 દર્દીઓને હૃદયની તકલીફ હોવાનું આવ્યું સામે 29 જૂનથી બર્ફીલા બાબા અમરનાથની યાત્રાનો પ્રારંભ થઈ રહ્યો છે, જે 19 ઓગસ્ટ સુધી ચાલશે. આ વખતે લોકસભાની ચૂંટણીને કારણે પ્રવાસનો સમયગાળો 60 દિવસને બદલે 45 દિવસનો રખાયો છે. યાત્રા પર જનારા શ્રદ્ધાળુઓ માટે ફિટનેસ સર્ટિફિકેટ ફરજિયાત છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં મેડિકલ સર્ટિફિકેટ આપવાની કામગીરી શરૂ કરવામાં આવી છે,સવારના 9 થી 12 કલાક સુધી સર્ટિફિકેટ આપવાની કામગીરી ચાલશે.અત્યાર સુધી 150 યાત્રિકોને મેડિકલ સર્ટિફિકેટ આપી દેવાયા છે તો 3 દર્દીને હૃદયની તકલીફ હોવાના કારણે યુએન મહેતા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે.સોલા સિવિલ , અસારવા સિવિલ, એલજી હોસ્પિટલ અને SVP હોસ્પિટલમાં મેડિકલ ચેકપની વ્યવસ્થા કરાઈ છે. સર્ટી લેવા લાગી લાઈનો સોલા સિવિલ હોસ્પિટલમાં મેડિકલ ચેક અપ યાત્રિકોની લાંબી લાઈન લાગી છે.આ યાત્રામાં 13 વર્ષથી લઈ 75 વર્ષની ઉંમરના લોકો રજીસ્ટ્રેશન કરાવી શકશે,અમરનાથ યાત્રાનો પ્રારંભ 29 જૂન 2024 થી શરૂ થશે અને 19 ઓગસ્ટ, 2024એ સમાપ્ત થશે.આ સર્ટી ગર્ભવતી અને હાર્ટના દર્દીઓને અપાશે નહીં.ટોકન પ્રમાણે નંબર આવે અને ડોકટર ચેકિંગ કરીને સર્ટી આપતા હોય છે. જાણો કઈ રીતે મળશે સર્ટી યાત્રા પર જનારી વ્યક્તિના પાસપોર્ટ સાઇઝના 4 ફોટોગ્રાફ, આધાર કાર્ડ, પાન કાર્ડ, વોટિંગ કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ સહિત કોઇ પણ એક ફોટો, આઇડી પ્રુફ (ઓરિજિનલ અને ઝેરોક્ષ બંને સાથે લાવવા પડશે) હેલ્થ સર્ટિફિકેટ ફોર્મની બે નકલ પણ યાત્રીઓએ લાવવાની રહેશે ત્યારબાદ મેડીકલ ચેકઅપ થઈ તમને સર્ટી આપવામાં આવશે.આ સર્ટી લેવા માટે તમારે અમદાવાદ સિવિલના ટ્રોમા સેન્ટરના ગ્રાઉન્ડ ફ્લોર પર સવારે 9 થી બપોરના 12 કલાક સુધી મળી રહેશે.

Ahmedabad News : અમરનાથયાત્રાને લઈ 4 જગ્યાઓ પર મેડિકલ ચેકઅપ શરૂ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • અમરનાથ યાત્રીઓ માટે મેડિકલ ચેક અપ થયું શરૂ
  • સોલા સિવિલમાં 300થી વધુ લોકોનું થયું મેડિકલ ચેકઅપ 
  • અત્યાર સુધીમાં 3 દર્દીઓને હૃદયની તકલીફ હોવાનું આવ્યું સામે

29 જૂનથી બર્ફીલા બાબા અમરનાથની યાત્રાનો પ્રારંભ થઈ રહ્યો છે, જે 19 ઓગસ્ટ સુધી ચાલશે. આ વખતે લોકસભાની ચૂંટણીને કારણે પ્રવાસનો સમયગાળો 60 દિવસને બદલે 45 દિવસનો રખાયો છે. યાત્રા પર જનારા શ્રદ્ધાળુઓ માટે ફિટનેસ સર્ટિફિકેટ ફરજિયાત છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં મેડિકલ સર્ટિફિકેટ આપવાની કામગીરી શરૂ કરવામાં આવી છે,સવારના 9 થી 12 કલાક સુધી સર્ટિફિકેટ આપવાની કામગીરી ચાલશે.અત્યાર સુધી 150 યાત્રિકોને મેડિકલ સર્ટિફિકેટ આપી દેવાયા છે તો 3 દર્દીને હૃદયની તકલીફ હોવાના કારણે યુએન મહેતા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે.સોલા સિવિલ , અસારવા સિવિલ, એલજી હોસ્પિટલ અને SVP હોસ્પિટલમાં મેડિકલ ચેકપની વ્યવસ્થા કરાઈ છે.

સર્ટી લેવા લાગી લાઈનો

સોલા સિવિલ હોસ્પિટલમાં મેડિકલ ચેક અપ યાત્રિકોની લાંબી લાઈન લાગી છે.આ યાત્રામાં 13 વર્ષથી લઈ 75 વર્ષની ઉંમરના લોકો રજીસ્ટ્રેશન કરાવી શકશે,અમરનાથ યાત્રાનો પ્રારંભ 29 જૂન 2024 થી શરૂ થશે અને 19 ઓગસ્ટ, 2024એ સમાપ્ત થશે.આ સર્ટી ગર્ભવતી અને હાર્ટના દર્દીઓને અપાશે નહીં.ટોકન પ્રમાણે નંબર આવે અને ડોકટર ચેકિંગ કરીને સર્ટી આપતા હોય છે.

જાણો કઈ રીતે મળશે સર્ટી

યાત્રા પર જનારી વ્યક્તિના પાસપોર્ટ સાઇઝના 4 ફોટોગ્રાફ, આધાર કાર્ડ, પાન કાર્ડ, વોટિંગ કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ સહિત કોઇ પણ એક ફોટો, આઇડી પ્રુફ (ઓરિજિનલ અને ઝેરોક્ષ બંને સાથે લાવવા પડશે) હેલ્થ સર્ટિફિકેટ ફોર્મની બે નકલ પણ યાત્રીઓએ લાવવાની રહેશે ત્યારબાદ મેડીકલ ચેકઅપ થઈ તમને સર્ટી આપવામાં આવશે.આ સર્ટી લેવા માટે તમારે અમદાવાદ સિવિલના ટ્રોમા સેન્ટરના ગ્રાઉન્ડ ફ્લોર પર સવારે 9 થી બપોરના 12 કલાક સુધી મળી રહેશે.