રુપાલા સામે વિરોધ શાંત કરવા ભાજપના ક્ષત્રિય આગેવાનોની ફરી બેઠક

ગાંધીનગરમાં 9 જેટલા આગેવાનોની મળશે બેઠકગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી પણ રહેશે હાજરભુપેન્દ્રસિંહ ચુડાસમા, પ્રદિપસિહ જાડેજા બેઠકમાં હાજર રહેશેલોકસભાની ચૂંટણી સમયે ભાજપના માટે રાજકોટ બેઠક પરથી સૌથી મોટો પડકાર રૂપાલાના વિરોધમાં રહેલો ક્ષત્રિય સમાજ છે. આ માટે ભાજપની ડેમેજ કંટ્રોલ ટીમ કામે લાગી છે. આ વચ્ચે ભાજપના ક્ષત્રિય આગેવાનોની ફરી એકવાર ગાંધીનગર ખાતે બેઠક મળી રહી છે. જેમાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીથી લઈ વિવિધ ક્ષત્રિય આગેવાનો હાજર રહેશે.આ અંગેની માહિતી અનુસાર, ક્ષત્રિય સમાજમાં રોષને શાંત કરવા માટે ભાજપ દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે. જેના માટે ગાંધીનગરમાં 9 જેટલા ક્ષત્રિય સમાજના આગેવાનો વચ્ચે બેઠક મળી રહી છે. આ બેઠકમાં ભુપેન્દ્રસિંહ ચુડાસમા, પ્રદિપસિહ જાડેજા ઉપરાંત બલવંતસિંહ રાજપૂત, કેસરીદેવસિંહ ઝાલા તેમજ મહેન્દ્રસિંહ સરવૈયા, આઈ.કે.જાડેજા પણ હાજર રહેશે. તેમજ બેઠકમાં ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહેશે. જેમાં ક્ષત્રિય સમાજમાં રોષ મામલે ચર્ચા કરવામાં આવી શકે છે. બીજી તરફ રૂપાલા રવિવારે સુરતમાં પાટીદાર સમાજના સ્નેહમિલનમાં હાજરી આપવા માટે પહોંચ્યા છે. જ્યાં મોટી સંખ્યામાં પાટીદાર આગેવાનો અને સમાજના લોકો હાજર રહેશે. જ્યારે બીજી તરફ ક્ષત્રિય સમાજ દ્વારા વિવિધ કાર્યક્રમો શરૂ છે. જેમાં રૂપાલાની ટિકિટ રદ કરવા મામલે હવે ક્ષત્રિય સમાજની કરણ સેના દ્વારા હવે ગાંધીનગરમાં કમલમ ખાતે ઘેરાવો કરવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના માટે કરણીસેનાના રાજ શેખાવતનો વીડિયો સામે આવ્યો છે. 

રુપાલા સામે વિરોધ શાંત કરવા ભાજપના ક્ષત્રિય આગેવાનોની ફરી બેઠક

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ગાંધીનગરમાં 9 જેટલા આગેવાનોની મળશે બેઠક
  • ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી પણ રહેશે હાજર
  • ભુપેન્દ્રસિંહ ચુડાસમા, પ્રદિપસિહ જાડેજા બેઠકમાં હાજર રહેશે
લોકસભાની ચૂંટણી સમયે ભાજપના માટે રાજકોટ બેઠક પરથી સૌથી મોટો પડકાર રૂપાલાના વિરોધમાં રહેલો ક્ષત્રિય સમાજ છે. આ માટે ભાજપની ડેમેજ કંટ્રોલ ટીમ કામે લાગી છે. આ વચ્ચે ભાજપના ક્ષત્રિય આગેવાનોની ફરી એકવાર ગાંધીનગર ખાતે બેઠક મળી રહી છે. જેમાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીથી લઈ વિવિધ ક્ષત્રિય આગેવાનો હાજર રહેશે.

આ અંગેની માહિતી અનુસાર, ક્ષત્રિય સમાજમાં રોષને શાંત કરવા માટે ભાજપ દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે. જેના માટે ગાંધીનગરમાં 9 જેટલા ક્ષત્રિય સમાજના આગેવાનો વચ્ચે બેઠક મળી રહી છે. આ બેઠકમાં ભુપેન્દ્રસિંહ ચુડાસમા, પ્રદિપસિહ જાડેજા ઉપરાંત બલવંતસિંહ રાજપૂત, કેસરીદેવસિંહ ઝાલા તેમજ મહેન્દ્રસિંહ સરવૈયા, આઈ.કે.જાડેજા પણ હાજર રહેશે.

તેમજ બેઠકમાં ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહેશે. જેમાં ક્ષત્રિય સમાજમાં રોષ મામલે ચર્ચા કરવામાં આવી શકે છે. બીજી તરફ રૂપાલા રવિવારે સુરતમાં પાટીદાર સમાજના સ્નેહમિલનમાં હાજરી આપવા માટે પહોંચ્યા છે. જ્યાં મોટી સંખ્યામાં પાટીદાર આગેવાનો અને સમાજના લોકો હાજર રહેશે.

જ્યારે બીજી તરફ ક્ષત્રિય સમાજ દ્વારા વિવિધ કાર્યક્રમો શરૂ છે. જેમાં રૂપાલાની ટિકિટ રદ કરવા મામલે હવે ક્ષત્રિય સમાજની કરણ સેના દ્વારા હવે ગાંધીનગરમાં કમલમ ખાતે ઘેરાવો કરવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના માટે કરણીસેનાના રાજ શેખાવતનો વીડિયો સામે આવ્યો છે.