પૂર્વ CM વિજય રૂપાણી આવ્યા રૂપાલાના સમર્થનમાં

રૂપાલા બે વખત ક્ષત્રિયા સમાજની માફી માગી ચૂકયા છે : વિજય રૂપાણી ક્ષત્રિય સમાજ ક્ષમા આપનારો સમાજ : વિજય રૂપાણી ધાનાણીએ લાભ લેવો હોય તો તે પણ લાભ લઈ લે : વિજય રૂપાણી રાજકોટમાં લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ પ્રચારની શરૂઆત કરી દીધી છે,ત્યારે આ પ્રચાર દરમિયાન પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને વજુભાઈ વાળા પણ જોડાયા હતા.બીજી તરફ વિજય રૂપાણીએ કોગ્રેસ નેતા પરેશ ધાનાણી તેમજ ક્ષત્રિય સમાજમાં રૂપાલાને લઈ ચાલી રહેલા વિવાદ પર નિવેદન આપ્યું હતું. શું કહ્યું વિજય રૂપાણીએ વિજય રૂપાણીએ પ્રચાર દરમિયાન મીડિયાને કહ્યું કે મને વિશ્વાસ છે કે ક્ષત્રિય સમાજ રૂપાલાને માફી આપશે,આઝાદી પછી પ્રથમ વખત ભારતીય જનતા પાર્ટી એકલા હાથે ચૂંટણી લડી રહી છે ,તમામ બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટી પોતાના ઉમેદવાર ઉતારશે તો તાજેતરમાં ત્રણ જેટલા સીટિંગ MP ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે બે કોંગ્રેસના MP અને એક આમ આદમી પાર્ટીના MP ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. વિજય રૂપાણીએ પરેશ ધાનાણીને લઈ કર્યુ નિવેદન પરેશ ધાનાણીને લઈ ચાલી રહેલી અટકળો મામલે વિજય રૂપાણીનું કહેવુ છે કે,પરેશ ધાનાણીને લાભ લેવો હોય તો તે પણ લાભ લઈ લે,શબ્દો યાદ રાખજો પરેશ ધાનાણી ખરાબ રીતે હારશે તો ગુજરાતની 26 બેઠક પર ભારતીય જનતા પાર્ટીને કોઈપણ પડકાર નથી. ક્ષત્રિય સમાજ દ્વારા હવે રૂપાલાને માફ કરી દેવા જોઈએ : કલ્પેશ રાંક બીજી તરફ રૂપાલાના સમર્થનમાં ગઈકાલથી પાટીદાર સમાજ પણ મેદાનમાં ઉતર્યો હતો. જેને કારણે સોશિયલ મીડિયા ઉપર રૂપાલાના સમર્થનમાં પોસ્ટ વાયરલ થવાનું શરૂ થયું હતું. એટલું જ નહીં રૂપાલાના સમર્થનમાં રાજકોટના અંબિકા ટાઉનશીપ વિસ્તારમાં પોસ્ટરો પણ લાગ્યા હતા. સાથોસાથ રાજકોટમાં ગુરૂવારે સાંજે કડવા અને લેઉઆ પાટીદાર સમાજની સંયુક્ત રીતે બેઠક યોજવાની પણ સોશિયલ મીડિયામાં જાહેરાત થઈ હતી. જોકે સાંજે આ બેઠક રદ થયાની સોશિયલ મીડિયામાં સૌરાષ્ટ્ર એસપીજીના અધ્યક્ષ કલ્પેશ રાંકે સોશિયલ મીડિયામાં રૂપાલાને સમર્થન આપ્યું છે. તેમાં જણાવાયું હતું કે ક્ષત્રિય સમાજ દ્વારા હવે રૂપાલાને માફ કરી દેવા જોઈએ. એટલું જ નહીં રૂપાલાને તમામ રીતે સહયોગ આપી એસપીજી મદદ કરશે.

પૂર્વ CM વિજય રૂપાણી આવ્યા રૂપાલાના સમર્થનમાં

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • રૂપાલા બે વખત ક્ષત્રિયા સમાજની માફી માગી ચૂકયા છે : વિજય રૂપાણી
  • ક્ષત્રિય સમાજ ક્ષમા આપનારો સમાજ : વિજય રૂપાણી
  • ધાનાણીએ લાભ લેવો હોય તો તે પણ લાભ લઈ લે : વિજય રૂપાણી

રાજકોટમાં લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ પ્રચારની શરૂઆત કરી દીધી છે,ત્યારે આ પ્રચાર દરમિયાન પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને વજુભાઈ વાળા પણ જોડાયા હતા.બીજી તરફ વિજય રૂપાણીએ કોગ્રેસ નેતા પરેશ ધાનાણી તેમજ ક્ષત્રિય સમાજમાં રૂપાલાને લઈ ચાલી રહેલા વિવાદ પર નિવેદન આપ્યું હતું.

શું કહ્યું વિજય રૂપાણીએ

વિજય રૂપાણીએ પ્રચાર દરમિયાન મીડિયાને કહ્યું કે મને વિશ્વાસ છે કે ક્ષત્રિય સમાજ રૂપાલાને માફી આપશે,આઝાદી પછી પ્રથમ વખત ભારતીય જનતા પાર્ટી એકલા હાથે ચૂંટણી લડી રહી છે ,તમામ બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટી પોતાના ઉમેદવાર ઉતારશે તો તાજેતરમાં ત્રણ જેટલા સીટિંગ MP ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે બે કોંગ્રેસના MP અને એક આમ આદમી પાર્ટીના MP ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે.

વિજય રૂપાણીએ પરેશ ધાનાણીને લઈ કર્યુ નિવેદન

પરેશ ધાનાણીને લઈ ચાલી રહેલી અટકળો મામલે વિજય રૂપાણીનું કહેવુ છે કે,પરેશ ધાનાણીને લાભ લેવો હોય તો તે પણ લાભ લઈ લે,શબ્દો યાદ રાખજો પરેશ ધાનાણી ખરાબ રીતે હારશે તો ગુજરાતની 26 બેઠક પર ભારતીય જનતા પાર્ટીને કોઈપણ પડકાર નથી.


ક્ષત્રિય સમાજ દ્વારા હવે રૂપાલાને માફ કરી દેવા જોઈએ : કલ્પેશ રાંક

બીજી તરફ રૂપાલાના સમર્થનમાં ગઈકાલથી પાટીદાર સમાજ પણ મેદાનમાં ઉતર્યો હતો. જેને કારણે સોશિયલ મીડિયા ઉપર રૂપાલાના સમર્થનમાં પોસ્ટ વાયરલ થવાનું શરૂ થયું હતું. એટલું જ નહીં રૂપાલાના સમર્થનમાં રાજકોટના અંબિકા ટાઉનશીપ વિસ્તારમાં પોસ્ટરો પણ લાગ્યા હતા. સાથોસાથ રાજકોટમાં ગુરૂવારે સાંજે કડવા અને લેઉઆ પાટીદાર સમાજની સંયુક્ત રીતે બેઠક યોજવાની પણ સોશિયલ મીડિયામાં જાહેરાત થઈ હતી. જોકે સાંજે આ બેઠક રદ થયાની સોશિયલ મીડિયામાં સૌરાષ્ટ્ર એસપીજીના અધ્યક્ષ કલ્પેશ રાંકે સોશિયલ મીડિયામાં રૂપાલાને સમર્થન આપ્યું છે. તેમાં જણાવાયું હતું કે ક્ષત્રિય સમાજ દ્વારા હવે રૂપાલાને માફ કરી દેવા જોઈએ. એટલું જ નહીં રૂપાલાને તમામ રીતે સહયોગ આપી એસપીજી મદદ કરશે.