જામનગરમાં વૈશાલી નગરમાં રહેતા યુવાન પર પટ્ટાવાળી કરાઈ : ત્રણ શખ્સોએ હુમલો કર્યાની ફરિયાદ

Crime News Jamnagar : જામનગરમાં વૈશાલી નગર વિસ્તારમાં રહેતા એક યુવાન પર ત્રણ શખ્સોએ પટ્ટા વડે હુમલો કરી કાન તોડી નાખ્યો હતો, અને ટાંકા લેવા પડ્યા છે. તું અમારા દુશ્મનનો માણસ છે, તેમ કહી હુમલો કરાયાનું પોલીસમાં જાહેર થયું છે. આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં વૈશાલી નગર શેરી નંબર 6 માં રહેતો જયદીપ મનજીભાઈ રાઠોડ નામનો 26 વર્ષનો યુવાન ગઈકાલે પોતાની બહેનને તેડવા માટે એકટીવા લઈને મામાને ઘેર જઈ રહ્યો હતો. જે દરમિયાન રસ્તામાં મુન્નો વાઘેલા અને તેના બે સાગરીતોએ અટકાવ્યો હતો, અને તું અમારા દુશ્મનો માણસ છો, તેમ કહી ખાર રાખી પટ્ટા વડે તેમજ ઢીકાપાટુથી માર માર્યો હતો. જેથી તેનો કાન તૂટી જતાં જી.જી.હોસ્પિટલમાં ખસેડાયો હતો, અને ટાંકા લેવા પડ્યા છે. આ બનાવ અંગે જયદીપ રાઠોડએ સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં મુન્નો વાઘેલા અને તેના બે સાગરીતો સામે હુમલા અંગેની ફરિયાદ નોંધાવી છે.

જામનગરમાં વૈશાલી નગરમાં રહેતા યુવાન પર પટ્ટાવાળી કરાઈ : ત્રણ શખ્સોએ હુમલો કર્યાની ફરિયાદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Crime News Jamnagar : જામનગરમાં વૈશાલી નગર વિસ્તારમાં રહેતા એક યુવાન પર ત્રણ શખ્સોએ પટ્ટા વડે હુમલો કરી કાન તોડી નાખ્યો હતો, અને ટાંકા લેવા પડ્યા છે. તું અમારા દુશ્મનનો માણસ છે, તેમ કહી હુમલો કરાયાનું પોલીસમાં જાહેર થયું છે.

 આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં વૈશાલી નગર શેરી નંબર 6 માં રહેતો જયદીપ મનજીભાઈ રાઠોડ નામનો 26 વર્ષનો યુવાન ગઈકાલે પોતાની બહેનને તેડવા માટે એકટીવા લઈને મામાને ઘેર જઈ રહ્યો હતો.

 જે દરમિયાન રસ્તામાં મુન્નો વાઘેલા અને તેના બે સાગરીતોએ અટકાવ્યો હતો, અને તું અમારા દુશ્મનો માણસ છો, તેમ કહી ખાર રાખી પટ્ટા વડે તેમજ ઢીકાપાટુથી માર માર્યો હતો. જેથી તેનો કાન તૂટી જતાં જી.જી.હોસ્પિટલમાં ખસેડાયો હતો, અને ટાંકા લેવા પડ્યા છે.

 આ બનાવ અંગે જયદીપ રાઠોડએ સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં મુન્નો વાઘેલા અને તેના બે સાગરીતો સામે હુમલા અંગેની ફરિયાદ નોંધાવી છે.