Ahmedabad: ધારાસભ્ય શૈલેશ પરમારે બજરંગ દળના 12 લોકો સામે નોંધાવી પોલીસ ફરિયાદ

અમદાવાદમાં કોંગ્રેસ ભવન પર હુમલા મુદ્દે પોલીસ ફરિયાદબજરંગદળના કાર્યકરો કાળી શાહી ફેંકી કર્યો હતો વિરોધ ધારાસભ્ય શૈલેષ પરમારે 12 સામે નોંધાવી પોલીસ ફરિયાદ અમદાવાદમાં પાલડી સ્થિત કોંગ્રેસ ભવન પર ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે થયેલા હુમલા મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. રાહુલ ગાંધીએ સંસદમાં આપેલા નિવેદન બાદ 2 જુલાઈએ ચાર કલાકે બજરંગ દળના કાર્યકર્તાઓએ અમદાવાદના કોંગ્રેસ ભવન ખાતે કાળી શાહી ફેંકી વિરોધ નોંધાવ્યો હતો. ત્યારબાદ કોંગ્રેસ અને ભાજપના કાર્યકર્તાઓએ એકબીજા સામે પથ્થરમારો કર્યો હતો અને લાકડી લઈને એકબીજાને સામે આવી ગયા હતા. ધારાસભ્યએ 12 લોકો સામે ફરિયાદ દાખલ કરાવી બંને પાર્ટીના કાર્યકર્તાઓ વચ્ચે થયેલા ઘર્ષણમાં કેટલાક પોલીસકર્મીઓ પણ ઘાયલ થયા હતા. ત્યારબાદ આજે આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ધારાસભ્ય શૈલેશ પરમારે બજરંગ દળના જ્વલિત મહેતા, ઋત્વિક શાહ, ચિંતન લોધા સહિત 12 લોકો સામે ફરિયાદ દાખલ કરાવી છે. ધારાસભ્યએ કોંગ્રેસ કાર્યાલયમાં ઘૂસી તોડફોડ અને મારામારી કરવા બદલ ફરિયાદ નોંધાવી છે.  જાણો શું છે સમગ્ર મામલો કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ સોમવાર, 1 જુલાઈના રોજ લોકસભામાં વિપક્ષના નેતા તરીકે તેમનું પ્રથમ ભાષણ આપ્યું હતું. તેમણે ભગવાન શિવનો ફોટો બતાવીને ભાષણની શરૂઆત કરી હતી. 90 મિનિટના ભાષણમાં રાહુલે હિન્દુત્વ, અગ્નિવીર, ખેડૂતો, મણિપુર, NEET, અયોધ્યા અને મોદીનો ડર જેવા મુદ્દાઓ પર વાત કરી હતી. તેમજ ડરો મત અને ડરાવો મતની વાત કરીને રાહુલ ગાંધીએ પોતાના વક્તવ્યમાં હિન્દુ ધર્મને લઈને પણ કેટલીક વાતો કરી હતી. તેમજ અલ્પસંખ્યકોને લઈને પણ કેટલાક મુદ્દાઓને ટાંક્યા હતા. તેણે આપેલા નિવેદનથી હિન્દુઓમાં રોષ જોવા મળી રહ્યો છે.

Ahmedabad: ધારાસભ્ય શૈલેશ પરમારે બજરંગ દળના 12 લોકો સામે નોંધાવી પોલીસ ફરિયાદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • અમદાવાદમાં કોંગ્રેસ ભવન પર હુમલા મુદ્દે પોલીસ ફરિયાદ
  • બજરંગદળના કાર્યકરો કાળી શાહી ફેંકી કર્યો હતો વિરોધ
  • ધારાસભ્ય શૈલેષ પરમારે 12 સામે નોંધાવી પોલીસ ફરિયાદ

અમદાવાદમાં પાલડી સ્થિત કોંગ્રેસ ભવન પર ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે થયેલા હુમલા મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. રાહુલ ગાંધીએ સંસદમાં આપેલા નિવેદન બાદ 2 જુલાઈએ ચાર કલાકે બજરંગ દળના કાર્યકર્તાઓએ અમદાવાદના કોંગ્રેસ ભવન ખાતે કાળી શાહી ફેંકી વિરોધ નોંધાવ્યો હતો. ત્યારબાદ કોંગ્રેસ અને ભાજપના કાર્યકર્તાઓએ એકબીજા સામે પથ્થરમારો કર્યો હતો અને લાકડી લઈને એકબીજાને સામે આવી ગયા હતા.

ધારાસભ્યએ 12 લોકો સામે ફરિયાદ દાખલ કરાવી

બંને પાર્ટીના કાર્યકર્તાઓ વચ્ચે થયેલા ઘર્ષણમાં કેટલાક પોલીસકર્મીઓ પણ ઘાયલ થયા હતા. ત્યારબાદ આજે આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ધારાસભ્ય શૈલેશ પરમારે બજરંગ દળના જ્વલિત મહેતા, ઋત્વિક શાહ, ચિંતન લોધા સહિત 12 લોકો સામે ફરિયાદ દાખલ કરાવી છે. ધારાસભ્યએ કોંગ્રેસ કાર્યાલયમાં ઘૂસી તોડફોડ અને મારામારી કરવા બદલ ફરિયાદ નોંધાવી છે.

 જાણો શું છે સમગ્ર મામલો

કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ સોમવાર, 1 જુલાઈના રોજ લોકસભામાં વિપક્ષના નેતા તરીકે તેમનું પ્રથમ ભાષણ આપ્યું હતું. તેમણે ભગવાન શિવનો ફોટો બતાવીને ભાષણની શરૂઆત કરી હતી. 90 મિનિટના ભાષણમાં રાહુલે હિન્દુત્વ, અગ્નિવીર, ખેડૂતો, મણિપુર, NEET, અયોધ્યા અને મોદીનો ડર જેવા મુદ્દાઓ પર વાત કરી હતી. તેમજ ડરો મત અને ડરાવો મતની વાત કરીને રાહુલ ગાંધીએ પોતાના વક્તવ્યમાં હિન્દુ ધર્મને લઈને પણ કેટલીક વાતો કરી હતી. તેમજ અલ્પસંખ્યકોને લઈને પણ કેટલાક મુદ્દાઓને ટાંક્યા હતા. તેણે આપેલા નિવેદનથી હિન્દુઓમાં રોષ જોવા મળી રહ્યો છે.