સુરેન્દ્રનગરમાં પાંચ શખ્સોએ વાડલાના વ્યક્તિને માર માર્યો

- ધોકા અને છરીથી હુમલો- મહિલા સાથે રિક્ષાના ભાડા બાબતે તકરારમાં વ્યક્તિ પર હુમલો કર્યાની ફરિયાદસુરેન્દ્રનગર : સુરેન્દ્રનગરમાં રિક્ષાના ભાડા બાબતે માથાકુટમાં મહિલાના સંબંધીને પાંચ શખ્સોએ માર માર્યો હતો. આ અંગે બી-ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. વાડલા ગામે રહેતા જગદીશસિંહ ખોડુભા ખેર પોતાના સંબંધીને ૮૦ ફૂટ રોડ પર જીમેશભાઇ કુરીયાના શાકભાજીના થડે ઉતારીને પોતાની કાર લઇ કામ અર્થે બહાર ગયા હતા. દરમિયાન તેમના સંબંધી મિનાક્ષીબા સાથે રિક્ષાના ભાડા બાબતે જીમેશભાઇ કુરીયાને માથાકુટ થતાં જીમેશભાઇ અને તેનો પરિવાર મહિલાને અપશબ્દો બોલતા હતા.આથી આ અંગે મહિલાએ જગદીશસિંહને ફોન કરી જાણ કરતા તે શાકભાજીના થડે આવ્યા હતા અને અપશબ્દો ન બોલવાનું કહી ઝઘડો શાંત કરાવવાનો પ્રયાસ કરતા ઉશ્કેરાયેલા જીમેશભાઇ જગદીશસિંહને ઢીકાપાટુનો માર મારવા લાગ્યા હતા. તેમજ તેના પિતા, બહેન અને એક શખ્સ પણ ધસી આવ્યા હતા અને લાકડાના ધોકા અને છરી વડે હુમલો કર્યો હતો. મારામારી થતાં અન્ય લોકો દોડી આવ્યા હતા અને ફરિયાદીને વધુ મારથી બચાવી સારવાર માટે ૧૦૮ દ્વારા સુરેન્દ્રનગર હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા. આ અંગે બી-ડિવિઝન પોલીસે જીમેશભાઇ વિરસંગભાઇ કુરીયા,કાજલબેન જીમેશભાઇ કુરીયા, વિરસંગભાઇ કુરીયા, જીમેશભાઇની બહેન તેમજ જીમેશભાઇના એક મિત્ર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

સુરેન્દ્રનગરમાં પાંચ શખ્સોએ વાડલાના વ્યક્તિને માર માર્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


- ધોકા અને છરીથી હુમલો

- મહિલા સાથે રિક્ષાના ભાડા બાબતે તકરારમાં વ્યક્તિ પર હુમલો કર્યાની ફરિયાદ

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગરમાં રિક્ષાના ભાડા બાબતે માથાકુટમાં મહિલાના સંબંધીને પાંચ શખ્સોએ માર માર્યો હતો. આ અંગે બી-ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 

વાડલા ગામે રહેતા જગદીશસિંહ ખોડુભા ખેર પોતાના સંબંધીને ૮૦ ફૂટ રોડ પર જીમેશભાઇ કુરીયાના શાકભાજીના થડે ઉતારીને પોતાની કાર લઇ કામ અર્થે બહાર ગયા હતા. દરમિયાન તેમના સંબંધી મિનાક્ષીબા સાથે રિક્ષાના ભાડા બાબતે જીમેશભાઇ કુરીયાને માથાકુટ થતાં જીમેશભાઇ અને તેનો પરિવાર મહિલાને અપશબ્દો બોલતા હતા.

આથી આ અંગે મહિલાએ જગદીશસિંહને ફોન કરી જાણ કરતા તે શાકભાજીના થડે આવ્યા હતા અને અપશબ્દો ન બોલવાનું કહી ઝઘડો શાંત કરાવવાનો પ્રયાસ કરતા ઉશ્કેરાયેલા જીમેશભાઇ જગદીશસિંહને ઢીકાપાટુનો માર મારવા લાગ્યા હતા. તેમજ તેના પિતા, બહેન અને એક શખ્સ પણ ધસી આવ્યા હતા અને લાકડાના ધોકા અને છરી વડે હુમલો કર્યો હતો. 

મારામારી થતાં અન્ય લોકો દોડી આવ્યા હતા અને ફરિયાદીને વધુ મારથી બચાવી સારવાર માટે ૧૦૮ દ્વારા સુરેન્દ્રનગર હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા. આ અંગે બી-ડિવિઝન પોલીસે જીમેશભાઇ વિરસંગભાઇ કુરીયા,કાજલબેન જીમેશભાઇ કુરીયા, વિરસંગભાઇ કુરીયા, જીમેશભાઇની બહેન તેમજ જીમેશભાઇના એક મિત્ર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.