દેશભરમાં રોકાણના નામે ૨૦૦ કરોડની છેતરપિંડી કરનાર દંપતિની ધરપકડ

અમદાવાદ, બુધવારદેશભરમાં ડીઆઇએફએમ નામની એપ્લીકેશન દ્વારા આઇડી બનાવીને વિવિધ  ફંડમાં રોકાણ કરાવીને થતા નફામાં ૭૦ ટકા જેટલો નફો અપાવવાની લાલચ આપીને ૨૦૦ કરોડ રૂપિયાની છેતરપિંડી આચરનાર દંપતિની ચાંદખેડા પોલીસે  ટ્રાન્સફર વોરંટના આધારે મુંબઇથી ધરપકડ કરી છે.  સોશિયલ મિડીયા પર લોકોને રોકાણની સામે વળતરની લાલચ આપીને મોટાપ્રમાણમાં છેતરપિંડી કરવામાં આવી હતી.  આ કેસમાં મુંબઇની આર્થિક ગુના નિવારણ શાખાના અધિકારીઓએ ૧૬૦ કરોડ રૂપિયાની રકમ ફ્રીઝ કરી હતી.  મહેતા દંપતિએ ગુજરાતમાં અમદાવાદ, વડોદરા, સુરત  અને ધાનેરા સહિતના શહેરોમાં અનેક લોકોને ટારગેટ કર્યા હતા. શહેરના જગતપુર  રોડ પર આવેલા ગણેશ જેનીસીસ એપાર્ટમેન્ટમાં રહેતા શોભનાબેન મહેતાએ નિવૃતિ બાદ આવેલા બચતની રકમ પર સારૂ વળતર મળી રહે તે માટે તેમના મિત્રોની સલાહથી ડીઆઇએફએમ નામની એપ્લીકેશન ડાઉનલોડ કરીને લોગઇન કરીને રૂપિયા ૨૫ લાખનું રોકાણ કર્યું હતું. આ એપ્લીકેશનની માલિકી ધરાવનાર બ્લીસ કન્સલ્ટન્ટના  આશિષ શૈલેષભાઇ મહેતા અને તેના પત્ની શિવાંગી મહેતા ( બંને રહે. વી વર્ક એબોરોય કોમર્સ, એબોરોય સીટી,ગોરેગાવ, મુંબઇ)એ શોભનાબેનને  ખાતરી આપી હતી કે રોકાણ પણ જે નફો મળશે તે નફાના ૭૦ ટકા ભાગ અપાવશે. શરૂઆતના તબક્કાનાં વિશ્વાસ જીતવા માટે તેમણે થોડા મહિના નાણાં જમા કરાવ્યા હતા. જો કે ત્યારબાદ જમા કરાવવાનું બંધ કર્યું હતું.  બીજી તરફ  નાણાંની જરૂર પડતા શોભનાબહેને નાણાં પરત માંગતા આપવાની મનાઇ કરી હતી. આ અંગે ચાંદખેડા પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી કરી હતી. પોલીસે તપાસ કરતા  આશિષ શૈલેષભાઇ મહેતાએ તેના પત્ની સાથે મળીને દેશભરમાંથી ૨૦૦ કરોડ રૂપિયાની ઉચાપત કરી હતી. મુંબઇની  આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા ગુનો નોંધાયા બાદ આશિષ મહેતા અને શિવાંગી મહેતા ફરાર હતા. મુંબઇ પોલીસે  તેમની સુરતથી ધરપકડ કરી હતી. સાથેસાથે બંને જણા તેમના એકાઉન્ટમાં રહેતા હવાલાથી વિદેશમાં મોકલે તે પહેલાં મુંબઇની આર્થિક ગુના નિવારણ શાખાએ રૂપિયા ૧૬૦ કરોડ જેટલી માતબર રકમ ફ્રીઝ કરી હતી. બંને જણાએ સાથે ગુજરાતમાં અનેક લોકોને ટારગેટ કર્યાની વિગતો ચાંદખેડા પોલીસને મળી છે. ત્યારે  ભોગ બનનાર લોકોને પોલીસનો સંપર્ક સાંધવા માટે સુચના આપવામાં આવી છે.

દેશભરમાં રોકાણના નામે ૨૦૦ કરોડની છેતરપિંડી કરનાર દંપતિની ધરપકડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ, બુધવાર

દેશભરમાં ડીઆઇએફએમ નામની એપ્લીકેશન દ્વારા આઇડી બનાવીને વિવિધ  ફંડમાં રોકાણ કરાવીને થતા નફામાં ૭૦ ટકા જેટલો નફો અપાવવાની લાલચ આપીને ૨૦૦ કરોડ રૂપિયાની છેતરપિંડી આચરનાર દંપતિની ચાંદખેડા પોલીસે  ટ્રાન્સફર વોરંટના આધારે મુંબઇથી ધરપકડ કરી છે.  સોશિયલ મિડીયા પર લોકોને રોકાણની સામે વળતરની લાલચ આપીને મોટાપ્રમાણમાં છેતરપિંડી કરવામાં આવી હતી.  આ કેસમાં મુંબઇની આર્થિક ગુના નિવારણ શાખાના અધિકારીઓએ ૧૬૦ કરોડ રૂપિયાની રકમ ફ્રીઝ કરી હતી.  મહેતા દંપતિએ ગુજરાતમાં અમદાવાદ, વડોદરા, સુરત  અને ધાનેરા સહિતના શહેરોમાં અનેક લોકોને ટારગેટ કર્યા હતા. શહેરના જગતપુર  રોડ પર આવેલા ગણેશ જેનીસીસ એપાર્ટમેન્ટમાં રહેતા શોભનાબેન મહેતાએ નિવૃતિ બાદ આવેલા બચતની રકમ પર સારૂ વળતર મળી રહે તે માટે તેમના મિત્રોની સલાહથી ડીઆઇએફએમ નામની એપ્લીકેશન ડાઉનલોડ કરીને લોગઇન કરીને રૂપિયા ૨૫ લાખનું રોકાણ કર્યું હતું. આ એપ્લીકેશનની માલિકી ધરાવનાર બ્લીસ કન્સલ્ટન્ટના  આશિષ શૈલેષભાઇ મહેતા અને તેના પત્ની શિવાંગી મહેતા ( બંને રહે. વી વર્ક એબોરોય કોમર્સ, એબોરોય સીટી,ગોરેગાવ, મુંબઇ)એ શોભનાબેનને  ખાતરી આપી હતી કે રોકાણ પણ જે નફો મળશે તે નફાના ૭૦ ટકા ભાગ અપાવશે. શરૂઆતના તબક્કાનાં વિશ્વાસ જીતવા માટે તેમણે થોડા મહિના નાણાં જમા કરાવ્યા હતા. જો કે ત્યારબાદ જમા કરાવવાનું બંધ કર્યું હતું.  બીજી તરફ  નાણાંની જરૂર પડતા શોભનાબહેને નાણાં પરત માંગતા આપવાની મનાઇ કરી હતી. આ અંગે ચાંદખેડા પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી કરી હતી. પોલીસે તપાસ કરતા  આશિષ શૈલેષભાઇ મહેતાએ તેના પત્ની સાથે મળીને દેશભરમાંથી ૨૦૦ કરોડ રૂપિયાની ઉચાપત કરી હતી. મુંબઇની  આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા ગુનો નોંધાયા બાદ આશિષ મહેતા અને શિવાંગી મહેતા ફરાર હતા. મુંબઇ પોલીસે  તેમની સુરતથી ધરપકડ કરી હતી. સાથેસાથે બંને જણા તેમના એકાઉન્ટમાં રહેતા હવાલાથી વિદેશમાં મોકલે તે પહેલાં મુંબઇની આર્થિક ગુના નિવારણ શાખાએ રૂપિયા ૧૬૦ કરોડ જેટલી માતબર રકમ ફ્રીઝ કરી હતી. બંને જણાએ સાથે ગુજરાતમાં અનેક લોકોને ટારગેટ કર્યાની વિગતો ચાંદખેડા પોલીસને મળી છે. ત્યારે  ભોગ બનનાર લોકોને પોલીસનો સંપર્ક સાંધવા માટે સુચના આપવામાં આવી છે.