જામનગર નજીક સચાણા રોડ પર કાર અને ટ્રક વચ્ચે અકસ્માત, ત્રણ યુવાનોના મોત, એક ગંભીર

Jamnagar Accident News : જામનગર નજીક જાંબુડા પાટીયા પાસેથી સચાણા ગામ તરફ જવાના માર્ગે સાંજના સમયે એક આઈટેન કાર અને ટ્રક ટેલર વચ્ચે ગોજારો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કારની અંદર બેઠેલા ચાર યુવાનો પૈકી ત્રણ યુવાનોના મૃત્યુ નિપજ્યા હતા, જ્યારે એક યુવાનને ગંભીર હાલતમાં સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડાયો છે. અકસ્માત એટલો ભયંકર હતો કે જેસીબીની મદદથી ટ્રકને બહાર ખેંચ્યા પછી કારના પતરા કાપી અંદરથી મૃતદેહોને બહાર કાઢવા પડ્યા હતા. પંચકોષી એ. ડિવિઝનનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને વધુ તપાસ શરૂ કરી હતી.આ ગોઝારા અકસ્માતના બનાવની વિગત એવી છે કે, જામનગર નજીક જાંબુડાના પાટીયાથી સચાણા તરફ જવાના માર્ગે સાંજના સમયે પુરપાટ ઝડપે આવી રહેલા કચ્છ ના અનુ ટ્રાન્સપોર્ટ કંપનીની માલિકીના જી.જે. 12 બી.વી. 3071 નંબરના ટ્રક ટ્રેલરના ચાલકે સામેથી આવી રહેલી જી.જે.10 બી.આર. 3201 નંબરની આઈ-10 કારને ઠોકર મારી દેતાં ગોજારો અકસ્માત સર્જાયો હતો અને કારનું પડીકું વળી ગયું હતું.આ અકસ્માતના બનાવની જાણ થતાં સૌપ્રથમ 108 ની ટીમને દોડાવાઈ હતી, અને 108 ની ટુકડી ઘટના સ્થળે દોડી ગઈ હતી. જેઓએ સ્થાનિક લોકો તેમજ અન્ય વાહનચાલકો-રાહદારીઓ વગેરેની મદદથી કારની પાછળની સીટમાં બેઠેલા બે યુવાનોને બેશુદ્ધ હાલતમાં સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં પહોંચાડ્યા હતા. જ્યાં એક યુવાનનો મૃતદેહ જ હોસ્પિટલમાં પહોંચ્યો હતો અને તેનું મૃત્યુ નીપજ્યું હોવાનું તબીબો દ્વારા જાહેર કરાયું હતું. જ્યારે અન્ય એક યુવાન ગંભીર હાલતમાં હોવાથી તેને જી.જી. હોસ્પિટલના સારવાર અપાઈ રહી છે, અને તે પણ જીવન મરણના ઝોલાં ખાઈ રહ્યો છે.આ ઉપરાંત આઈ-ટેન કારની આગળની સીટમાં બેઠેલા બે યુવાનો કારની અંદર દબાઈ ગયા હોવાથી તેઓના મૃત્યુ નીપજ્યા હતા. જેઓ બહાર નીકળી શકે તેવી પોઝિશન ન હોવાથી જામનગર મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયર શાખાની ટુકડી ઘટના સ્થળે દોડી ગઈ હતી અને જેસીબીની મદદથી ટ્રક-ટેલરની બોડીને બહારની તરફ ખેંચતી હતી. ત્યારબાદ કારના પતરા કાપીને બંને યુવાનોના મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા. પોલીસે બંને મૃતદેહોનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. તેમજ જી.જી. હોસ્પિટલમાં મૃતકોની ઓળખ કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.પોલીસ તપાસ દરમિયાન મૃતકોને ઓળખ થઈ હતી. ત્રણેય મૃતકોના નામ વિશાલ દીપકભાઈ સરવૈયા (ઉંમર વર્ષ 35), સાહિલ સુભાષભાઈ લીંબડ (ઉંમર વર્ષ 19) અને રોહિત ડાયાભાઈ (ઉંમર વર્ષ 19) અને તેઓ ગોકુલ નગર વિસ્તારમાં રહેતા હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે રાહુલ નીતિનભાઈ લીંબડ નામના 22 વર્ષના યુવાનને ગંભીર હાલતમાં સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં દાખલ કરાયો છે. જેની સારવાર ચાલી રહી છે. જેઓ એકબીજાના કુટુંબી ભાઈઓ હોવાનું જાણવા મળ્યું છે.

જામનગર નજીક સચાણા રોડ પર કાર અને ટ્રક વચ્ચે અકસ્માત, ત્રણ યુવાનોના મોત, એક ગંભીર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Jamnagar Accident News : જામનગર નજીક જાંબુડા પાટીયા પાસેથી સચાણા ગામ તરફ જવાના માર્ગે સાંજના સમયે એક આઈટેન કાર અને ટ્રક ટેલર વચ્ચે ગોજારો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કારની અંદર બેઠેલા ચાર યુવાનો પૈકી ત્રણ યુવાનોના મૃત્યુ નિપજ્યા હતા, જ્યારે એક યુવાનને ગંભીર હાલતમાં સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડાયો છે. અકસ્માત એટલો ભયંકર હતો કે જેસીબીની મદદથી ટ્રકને બહાર ખેંચ્યા પછી કારના પતરા કાપી અંદરથી મૃતદેહોને બહાર કાઢવા પડ્યા હતા. પંચકોષી એ. ડિવિઝનનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને વધુ તપાસ શરૂ કરી હતી.

આ ગોઝારા અકસ્માતના બનાવની વિગત એવી છે કે, જામનગર નજીક જાંબુડાના પાટીયાથી સચાણા તરફ જવાના માર્ગે સાંજના સમયે પુરપાટ ઝડપે આવી રહેલા કચ્છ ના અનુ ટ્રાન્સપોર્ટ કંપનીની માલિકીના જી.જે. 12 બી.વી. 3071 નંબરના ટ્રક ટ્રેલરના ચાલકે સામેથી આવી રહેલી જી.જે.10 બી.આર. 3201 નંબરની આઈ-10 કારને ઠોકર મારી દેતાં ગોજારો અકસ્માત સર્જાયો હતો અને કારનું પડીકું વળી ગયું હતું.

આ અકસ્માતના બનાવની જાણ થતાં સૌપ્રથમ 108 ની ટીમને દોડાવાઈ હતી, અને 108 ની ટુકડી ઘટના સ્થળે દોડી ગઈ હતી. જેઓએ સ્થાનિક લોકો તેમજ અન્ય વાહનચાલકો-રાહદારીઓ વગેરેની મદદથી કારની પાછળની સીટમાં બેઠેલા બે યુવાનોને બેશુદ્ધ હાલતમાં સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં પહોંચાડ્યા હતા. જ્યાં એક યુવાનનો મૃતદેહ જ હોસ્પિટલમાં પહોંચ્યો હતો અને તેનું મૃત્યુ નીપજ્યું હોવાનું તબીબો દ્વારા જાહેર કરાયું હતું. જ્યારે અન્ય એક યુવાન ગંભીર હાલતમાં હોવાથી તેને જી.જી. હોસ્પિટલના સારવાર અપાઈ રહી છે, અને તે પણ જીવન મરણના ઝોલાં ખાઈ રહ્યો છે.

આ ઉપરાંત આઈ-ટેન કારની આગળની સીટમાં બેઠેલા બે યુવાનો કારની અંદર દબાઈ ગયા હોવાથી તેઓના મૃત્યુ નીપજ્યા હતા. જેઓ બહાર નીકળી શકે તેવી પોઝિશન ન હોવાથી જામનગર મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયર શાખાની ટુકડી ઘટના સ્થળે દોડી ગઈ હતી અને જેસીબીની મદદથી ટ્રક-ટેલરની બોડીને બહારની તરફ ખેંચતી હતી. ત્યારબાદ કારના પતરા કાપીને બંને યુવાનોના મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા. પોલીસે બંને મૃતદેહોનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. તેમજ જી.જી. હોસ્પિટલમાં મૃતકોની ઓળખ કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

પોલીસ તપાસ દરમિયાન મૃતકોને ઓળખ થઈ હતી. ત્રણેય મૃતકોના નામ વિશાલ દીપકભાઈ સરવૈયા (ઉંમર વર્ષ 35), સાહિલ સુભાષભાઈ લીંબડ (ઉંમર વર્ષ 19) અને રોહિત ડાયાભાઈ (ઉંમર વર્ષ 19) અને તેઓ ગોકુલ નગર વિસ્તારમાં રહેતા હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે રાહુલ નીતિનભાઈ લીંબડ નામના 22 વર્ષના યુવાનને ગંભીર હાલતમાં સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં દાખલ કરાયો છે. જેની સારવાર ચાલી રહી છે. જેઓ એકબીજાના કુટુંબી ભાઈઓ હોવાનું જાણવા મળ્યું છે.