'આવું તો કોઈ સંજોગોમાં નહીં ચાલે', કાર્યકરોથી કેમ નારાજ થયા ભાજપ સાંસદ મનસુખ વસાવા

MP Mansukh Vasava : લોકસભાની ચૂંટણી પ્રક્રિયા પૂરી થયા બાદ ગુજરાતમાં ભાજપે 26 બેઠકોમાંથી 25 બેઠકો પર પોતાની જીત હાંસિલ કરી હતી. જેમાં કોંગ્રેસને એક બેઠક પર જીત મળી હતી. બીજી તરફ, ભરુચની બેઠક પરથી ભાજપના નેતા મનસુખ વસાવાની જીત થતાં સાંસદ બન્યાં છે. આ દરમિયાન તાજેતરમાં યોજાયેલી એક જાહેર સભામાં મનસુખ વસાવાએ પક્ષના કાર્યકરો અને પક્ષ વિરોધી કામ કરનારા કાર્યકર્તાઓને કડક શબ્દોમાં ચિમકી આપી હતી, જેનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.'મને ખબર છે કોના તાર ક્યાં અડેલા છે', પાર્ટીના કાર્યકર્તા પર વસાવાનો ગરમ મિજાજતાજેતરમાં યોજાયેલી એક જાહેર સભામાં ભરુચ બેઠકના ભાજપના સાંસદ મનસુખ વસાવાએ પોતાની પાર્ટીના કાર્યકર્તાને ધ્યાનમાં રાખીને કડક શબ્દોમાં ઠપકો આપતા કહ્યું હતું કે, 'કેટલાંક કાર્યકર્તાઓ પક્ષમાં રહીને પક્ષ વિરોધી વર્તન કરીને પાર્ટીને નુકસાની પહોંચાડી રહ્યાં છે. મને ખબર છે કોના તાર ક્યાં અડેલાં છે, આપણાં કેટલાંક કાર્યકર્તાઓ કોંગ્રેસવાળાને બચાવી રહ્યાં છે. પાર્ટીના કાર્યકર્તાનું આવુ વર્તન કોઈપણ હિસાબે ચલાવી લેવામાં નહીં આવે.'7 ટર્મથી સાંસદ છે મનસુખ વસાવામનસુખ વસાવા વર્ષોથી ભાજપ પક્ષથી ભરુચ બેઠક પરથી ચૂંટણીમાં ઊભા રહે છે. જેમાં મનસુખ વસાવા 1998, 1999, 2004, 2009, 2014, 2019 અને 2024 મળીને કુલ 7 ટર્મથી સાંસદ રહ્યાં છે. 2024 લોકસભાની ચૂંટણીમાં ભાજપે 7મી ટર્મ માટે ફરી એક વખત મનસુખ વસાવાને ટિકિટ આપી હતી. જેમાં તેમણે ભરુચની સીટ પર જીત મેળવી હતી. મનસુખ વસાવા 1944 ની સાલમાં ગુજરાત સરકારમાં મંત્રી તરીકે પણ રહી ચૂંક્યાં છે. 

'આવું તો કોઈ સંજોગોમાં નહીં ચાલે', કાર્યકરોથી કેમ નારાજ થયા ભાજપ સાંસદ મનસુખ વસાવા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Mansukh Vasava

MP Mansukh Vasava : લોકસભાની ચૂંટણી પ્રક્રિયા પૂરી થયા બાદ ગુજરાતમાં ભાજપે 26 બેઠકોમાંથી 25 બેઠકો પર પોતાની જીત હાંસિલ કરી હતી. જેમાં કોંગ્રેસને એક બેઠક પર જીત મળી હતી. બીજી તરફ, ભરુચની બેઠક પરથી ભાજપના નેતા મનસુખ વસાવાની જીત થતાં સાંસદ બન્યાં છે. આ દરમિયાન તાજેતરમાં યોજાયેલી એક જાહેર સભામાં મનસુખ વસાવાએ પક્ષના કાર્યકરો અને પક્ષ વિરોધી કામ કરનારા કાર્યકર્તાઓને કડક શબ્દોમાં ચિમકી આપી હતી, જેનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

'મને ખબર છે કોના તાર ક્યાં અડેલા છે', પાર્ટીના કાર્યકર્તા પર વસાવાનો ગરમ મિજાજ

તાજેતરમાં યોજાયેલી એક જાહેર સભામાં ભરુચ બેઠકના ભાજપના સાંસદ મનસુખ વસાવાએ પોતાની પાર્ટીના કાર્યકર્તાને ધ્યાનમાં રાખીને કડક શબ્દોમાં ઠપકો આપતા કહ્યું હતું કે, 'કેટલાંક કાર્યકર્તાઓ પક્ષમાં રહીને પક્ષ વિરોધી વર્તન કરીને પાર્ટીને નુકસાની પહોંચાડી રહ્યાં છે. મને ખબર છે કોના તાર ક્યાં અડેલાં છે, આપણાં કેટલાંક કાર્યકર્તાઓ કોંગ્રેસવાળાને બચાવી રહ્યાં છે. પાર્ટીના કાર્યકર્તાનું આવુ વર્તન કોઈપણ હિસાબે ચલાવી લેવામાં નહીં આવે.'

7 ટર્મથી સાંસદ છે મનસુખ વસાવા

મનસુખ વસાવા વર્ષોથી ભાજપ પક્ષથી ભરુચ બેઠક પરથી ચૂંટણીમાં ઊભા રહે છે. જેમાં મનસુખ વસાવા 1998, 1999, 2004, 2009, 2014, 2019 અને 2024 મળીને કુલ 7 ટર્મથી સાંસદ રહ્યાં છે. 2024 લોકસભાની ચૂંટણીમાં ભાજપે 7મી ટર્મ માટે ફરી એક વખત મનસુખ વસાવાને ટિકિટ આપી હતી. જેમાં તેમણે ભરુચની સીટ પર જીત મેળવી હતી. મનસુખ વસાવા 1944 ની સાલમાં ગુજરાત સરકારમાં મંત્રી તરીકે પણ રહી ચૂંક્યાં છે.