અમદાવાદમાં પોલીસકર્મીનું હાર્ટ એટેકથી મોત

ખોખરા પોલીસ મથકના પોલીસકર્મી અરવિંદભાઇનું હાર્ટ એટેકથી મોત ખોખરા પોલીસ સ્ટાફ તેમજ પરિવારમાં શોકની લાગણી ફરજ દરમિયાન અચાનક એટેક આવતા મોત હાટ એટેકની ઘટના દિવસેને દિવસે વધી રહી છે,અમદાવાદમાં ખોખરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અરવિંદભાઈને હાર્ટ એટેક આવતા ફરજ પર જ મોત નિપજયું છે.તો બીજી તરફ પોલીસે પણ પરિવારને જાણ કરી છે અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આપ્યો છે.પોલીસકર્મી કોઈ રોગથી પણ પિડીત હતા નહી અને અચાનક હાર્ટ એટેક આવ્યો હતો. ચાર દિવસ પહેલા એક પોલીસકર્મીનુ મોત ગાંધીનગર જિલ્લા પોલીસ હેડ કવાર્ટર ખાતે વાયરલેસ ગાર્ડ તરીકે ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલનું હ્રદય રોગના હુમલાથી અકાળે અવસાન થતાં પોલીસ બેડામાં શોકનો મહોલ છવાઈ ગયો છે. ઉલ્લેખનીય છે કે, માર્ગ અકસ્માતના કારણે ઈજાઓ થવાથી હેડ કોન્સ્ટેબલ રજા પર હતા.ત્યારે બપોરના સમયે હાર્ટ એટેક આવતા તેમને માટે સિવિલ હોસ્પિટલ લઈ જવાયા હતા. જ્યાં તેમનું ટૂંકી સારવાર દરમ્યાન અવસાન થયું છે. જાણો હાર્ટ એટેકના લક્ષણો છાતીનો દુખાવો ઘણી વખત તમારા માતા-પિતા અને તમે છાતીના દુખાવાને ગેસ અથવા એસિડિટી તરીકે અવગણો છો. જો તમારા માતા-પિતાને છાતીમાં દુખાવો કે દબાણ લાગે તો તે હાર્ટ એટેકનો સંકેત હોઈ શકે છે. આ લક્ષણોને અવગણો નહીં અને તાત્કાલિક ડોક્ટરની સલાહ મેળવો. બહુ ઓછા કિસ્સાઓમાં જોવા મળ્યું છે કે કોઈને છાતીમાં દુખાવા વગર જ હાર્ટ એટેક આવી જાય છે. ગળામાં-જડબામાં દુખાવો જો તમને અથવા તમારા માતા-પિતાને છાતીમાં દુખાવો થાય છે જે તેમના ગળા અને જડબામાં ફેલાય છે, તો તે હાર્ટ એટેકનું પ્રારંભિક લક્ષણ હોઈ શકે છે. વધુ પડતો પરસેવો કોઈપણ વર્કઆઉટ અને કામ કર્યા વગર વધુ પડતો પરસેવો થવો તે હૃદય રોગનો સંકેત હોઈ શકે છે. જ્યારે હૃદય યોગ્ય રીતે લોહી પમ્પ કરવામાં અસમર્થ હોય છે ટો ત્યારે કોઈ કારણ વગર જ વધુ પડતો પરસેવો થાય છે. જો આ લક્ષણ તમને જોવા મળે છે તો તાત્કાલિક ડોક્ટરની સલાહ મેળવો. ચક્કર આવવા ચક્કર આવવા એ લો બ્લડ પ્રેશરની સમસ્યા હોઈ શકે છે. જો તમારા માતા-પિતાના શરીરમાં આ પ્રકારના લક્ષણો જોવા મળે છે તો તાત્કાલિક ડોક્ટરથી તપાસ કરાવો. લો બ્લડ પ્રેશરના કારણે શરીરમાં બ્લડ ફળો ઓછું થઈ જાય છે. તેના કારણે લોહીનો પ્રવાહ હૃદય સુધી યોગ્ય રીતે પહોંચતો નથી અને હાર્ટ એટેકનું જોખમ વધે છે. ઉલટી, ઉબકા અને ગેસ ઉલટી પછી ઉબકા થવા તે પણ હાર્ટ એટેકનું પ્રારંભિક લક્ષણ હોઈ શકે છે. જો તમને કે તમારા માતા-પિતાને આવા લક્ષણો લાગે તો તાત્કાલિક ડોક્ટરથી તપાસ કરાવો. પગમાં સોજો પગમાં સોજો, ગુટણમાં સોજો અને પગના તળિયામાં સોજો આવવાનું કારણ પણ હૃદયરોગ સાથે સંકળાયેલ હોઈ શકે છે. ઘણી વખત, હૃદયમાં યોગ્ય રક્ત સર્ક્યુલેશનના અભાવને કારણે, પગ, પગની ઘૂંટીઓ અને તળીયામાં સોજો આવે છે. હાઈ બ્લડ પ્રેશર તાજેતરમાં હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા લોકોમાં સામાન્ય બની ગઈ છે. સામાન્ય રીતે 50 વર્ષની ઉંમર પછી આ રોગનું જોખમ વધે છે. તમે તમારા માતા-પિતાનો દર અઠવાડિયે ડિજિટલ બ્લડ પ્રેશર માપવાની મશીનની મદદથી બ્લડ પ્રેશર ચેક કરી શકો છે. જો તમારા માતાપિતા હાઈ બ્લડ પ્રેશરથી પીડાતા હોય, તો તમારે નિયમિત તપાસ કરાવવી જોઈએ. અનિયંત્રિત હાઈ બ્લડ પ્રેશર તમારા હૃદયને સખત મહેનત કરી શકે છે જેનાથી હાર્ટ એટેકનું જોખમ વધે છે. હાઈ બ્લડ સુગર હાઈ બ્લડ સુગરથી કોરોનરી આર્ટરી ડિસીઝનું જોખમ વધારે છે. લોહીમાં ખાંડના સ્તરમાં વધારો થવાને કારણે, કોરોનરી ધમનીઓ સાંકડી થઈ જાય છે. આ રક્ત વાહિનીઓના કાર્યને અવરોધે છે. તેથી હૃદયની તંદુરસ્તી જાળવવા માટે સમયાંતરે બ્લડ સુગર લેવલ તપાસવું મહત્વનું છે. હાઈ કોલેસ્ટ્રોલ કોલેસ્ટ્રોલ શરીરના દરેક કોષમાં જોવા મળતું ચરબી જેવું પદાર્થ છે. તે લોહીમાં કોલેસ્ટ્રોલ વધારે છે અને રક્ત વાહિનીઓમાં જમા થાય છે. તેના કારણે ધમનીઓ સાંકડી થઈ જાય છે અને કોરોનરી આર્ટરી ડિસીઝ એટલે કે હૃદયરોગનું જોખમ વધે છે. તમારા કોલેસ્ટ્રોલનું લેવલ નિયમિત ચેક કરાવો. તમારા આહારમાં આખા અનાજ, લીલા શાકભાજી અને ફળોનો સમાવેશ કરો.

અમદાવાદમાં પોલીસકર્મીનું હાર્ટ એટેકથી મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ખોખરા પોલીસ મથકના પોલીસકર્મી અરવિંદભાઇનું હાર્ટ એટેકથી મોત
  • ખોખરા પોલીસ સ્ટાફ તેમજ પરિવારમાં શોકની લાગણી
  • ફરજ દરમિયાન અચાનક એટેક આવતા મોત

હાટ એટેકની ઘટના દિવસેને દિવસે વધી રહી છે,અમદાવાદમાં ખોખરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અરવિંદભાઈને હાર્ટ એટેક આવતા ફરજ પર જ મોત નિપજયું છે.તો બીજી તરફ પોલીસે પણ પરિવારને જાણ કરી છે અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આપ્યો છે.પોલીસકર્મી કોઈ રોગથી પણ પિડીત હતા નહી અને અચાનક હાર્ટ એટેક આવ્યો હતો.

ચાર દિવસ પહેલા એક પોલીસકર્મીનુ મોત

ગાંધીનગર જિલ્લા પોલીસ હેડ કવાર્ટર ખાતે વાયરલેસ ગાર્ડ તરીકે ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલનું હ્રદય રોગના હુમલાથી અકાળે અવસાન થતાં પોલીસ બેડામાં શોકનો મહોલ છવાઈ ગયો છે. ઉલ્લેખનીય છે કે, માર્ગ અકસ્માતના કારણે ઈજાઓ થવાથી હેડ કોન્સ્ટેબલ રજા પર હતા.ત્યારે બપોરના સમયે હાર્ટ એટેક આવતા તેમને માટે સિવિલ હોસ્પિટલ લઈ જવાયા હતા. જ્યાં તેમનું ટૂંકી સારવાર દરમ્યાન અવસાન થયું છે.

જાણો હાર્ટ એટેકના લક્ષણો

છાતીનો દુખાવો

ઘણી વખત તમારા માતા-પિતા અને તમે છાતીના દુખાવાને ગેસ અથવા એસિડિટી તરીકે અવગણો છો. જો તમારા માતા-પિતાને છાતીમાં દુખાવો કે દબાણ લાગે તો તે હાર્ટ એટેકનો સંકેત હોઈ શકે છે. આ લક્ષણોને અવગણો નહીં અને તાત્કાલિક ડોક્ટરની સલાહ મેળવો. બહુ ઓછા કિસ્સાઓમાં જોવા મળ્યું છે કે કોઈને છાતીમાં દુખાવા વગર જ હાર્ટ એટેક આવી જાય છે.

ગળામાં-જડબામાં દુખાવો

જો તમને અથવા તમારા માતા-પિતાને છાતીમાં દુખાવો થાય છે જે તેમના ગળા અને જડબામાં ફેલાય છે, તો તે હાર્ટ એટેકનું પ્રારંભિક લક્ષણ હોઈ શકે છે.

વધુ પડતો પરસેવો

કોઈપણ વર્કઆઉટ અને કામ કર્યા વગર વધુ પડતો પરસેવો થવો તે હૃદય રોગનો સંકેત હોઈ શકે છે. જ્યારે હૃદય યોગ્ય રીતે લોહી પમ્પ કરવામાં અસમર્થ હોય છે ટો ત્યારે કોઈ કારણ વગર જ વધુ પડતો પરસેવો થાય છે. જો આ લક્ષણ તમને જોવા મળે છે તો તાત્કાલિક ડોક્ટરની સલાહ મેળવો.

ચક્કર આવવા

ચક્કર આવવા એ લો બ્લડ પ્રેશરની સમસ્યા હોઈ શકે છે. જો તમારા માતા-પિતાના શરીરમાં આ પ્રકારના લક્ષણો જોવા મળે છે તો તાત્કાલિક ડોક્ટરથી તપાસ કરાવો. લો બ્લડ પ્રેશરના કારણે શરીરમાં બ્લડ ફળો ઓછું થઈ જાય છે. તેના કારણે લોહીનો પ્રવાહ હૃદય સુધી યોગ્ય રીતે પહોંચતો નથી અને હાર્ટ એટેકનું જોખમ વધે છે.

ઉલટી, ઉબકા અને ગેસ

ઉલટી પછી ઉબકા થવા તે પણ હાર્ટ એટેકનું પ્રારંભિક લક્ષણ હોઈ શકે છે. જો તમને કે તમારા માતા-પિતાને આવા લક્ષણો લાગે તો તાત્કાલિક ડોક્ટરથી તપાસ કરાવો.

પગમાં સોજો

પગમાં સોજો, ગુટણમાં સોજો અને પગના તળિયામાં સોજો આવવાનું કારણ પણ હૃદયરોગ સાથે સંકળાયેલ હોઈ શકે છે. ઘણી વખત, હૃદયમાં યોગ્ય રક્ત સર્ક્યુલેશનના અભાવને કારણે, પગ, પગની ઘૂંટીઓ અને તળીયામાં સોજો આવે છે.

હાઈ બ્લડ પ્રેશર

તાજેતરમાં હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા લોકોમાં સામાન્ય બની ગઈ છે. સામાન્ય રીતે 50 વર્ષની ઉંમર પછી આ રોગનું જોખમ વધે છે. તમે તમારા માતા-પિતાનો દર અઠવાડિયે ડિજિટલ બ્લડ પ્રેશર માપવાની મશીનની મદદથી બ્લડ પ્રેશર ચેક કરી શકો છે. જો તમારા માતાપિતા હાઈ બ્લડ પ્રેશરથી પીડાતા હોય, તો તમારે નિયમિત તપાસ કરાવવી જોઈએ. અનિયંત્રિત હાઈ બ્લડ પ્રેશર તમારા હૃદયને સખત મહેનત કરી શકે છે જેનાથી હાર્ટ એટેકનું જોખમ વધે છે.

હાઈ બ્લડ સુગર

હાઈ બ્લડ સુગરથી કોરોનરી આર્ટરી ડિસીઝનું જોખમ વધારે છે. લોહીમાં ખાંડના સ્તરમાં વધારો થવાને કારણે, કોરોનરી ધમનીઓ સાંકડી થઈ જાય છે. આ રક્ત વાહિનીઓના કાર્યને અવરોધે છે. તેથી હૃદયની તંદુરસ્તી જાળવવા માટે સમયાંતરે બ્લડ સુગર લેવલ તપાસવું મહત્વનું છે.

હાઈ કોલેસ્ટ્રોલ

કોલેસ્ટ્રોલ શરીરના દરેક કોષમાં જોવા મળતું ચરબી જેવું પદાર્થ છે. તે લોહીમાં કોલેસ્ટ્રોલ વધારે છે અને રક્ત વાહિનીઓમાં જમા થાય છે. તેના કારણે ધમનીઓ સાંકડી થઈ જાય છે અને કોરોનરી આર્ટરી ડિસીઝ એટલે કે હૃદયરોગનું જોખમ વધે છે. તમારા કોલેસ્ટ્રોલનું લેવલ નિયમિત ચેક કરાવો. તમારા આહારમાં આખા અનાજ, લીલા શાકભાજી અને ફળોનો સમાવેશ કરો.