Suratમાં કસરત કરતા કરતા યુવાનનું હાર્ટ એટેકથી મોત

29 વર્ષીય વિપુલ કહારનું હાર્ટ એટેકથી મોત જીમમાં કસરત કરતા સમયે ઢળી પડ્યા બાદ મોત અલથાણ પોલીસે વધુ તપાસ હાથ ધરી સુરતમાં કસરત કરતા કરતા હાર્ટ એટેકથી યુવાનનું મોત થયુ છે. જેમાં 29 વર્ષીય વિપુલ કહારનું હાર્ટ એટેકથી મોત થતા પરિવારમાં શોકનો માહોલ છે. તેમાં જીમમાં કસરત કરતા સમયે યુવાન ઢળી પડ્યો હતો અને બાદમાં મોત થયુ હતુ. જેમાં અલથાણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. વેસુ વિસ્તારમાં આ ઘટના બની છે. શહેરમાં કસરત કરતા કરતા તબીયત લથડતા યુવાનનું મોત શહેરમાં કસરત કરતા કરતા તબીયત લથડતા યુવાનનું મોત થયુ છે. જેમાં જીમમાં કસરત કરતા સમયે યુવાન ઢળી પડ્યો હતો. તેમાં યુવાન હોસ્પિટલ પહોંચે તે પહેલા મોત થયુ છે. સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ હાથ ધરાયુ છે. રૂંગટા સિનેમા શ્યામ મંદિરની પાસે જીમ લોંચ આવ્યું છે તેમાં આ ઘટના બની છે. તેથી અલથાણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અગાઉ અમરોલી વિસ્તારમાં યુવકનું બાથરૂમમાં, નવા ભટારમાં ખરીદી કરવા માટે નીકળેલા પનાસના યુવકનું અને મોરા ગામના યુવકનું રાત્રે ઊંઘમાં મોત નિપજ્યું હતું. ત્રણેના હાર્ટએટેકના કારણે મોત નિપજ્યા હોવાની આશંકા સેવાઇ રહી હતી. અમરોલીનો યુવક બાથરૂમમાં બેભાન થઈ ઢળી પડ્યો પનાસ ખેતીવાડી ફાર્મ ક્વાર્ટસમાં રહેતો 22 વર્ષીય મહેશ અરવિંદ ચૌધરી મજૂરી કામ કરતો હતો. સાંજે તે ખરીદી કરવા માટે નીકળ્યો હતો. દરમિયાન નવા ભટારમાં કરિયાણાની દુકાન સામે ચક્કર આવ્યા બાદ અચાનક બેભાન થઈ ઢળી પડ્યો હતો. 108 એમ્બ્યુલન્સના કર્મચારીએ તેને મૃત જાહેર કર્યો હતો.ત્રીજા બનાવમાં હજીરાના મોરાગામ સ્ટાર કોલોની ખાતે રહેતા 42 વર્ષીય છોટેલાલ હજીરાની કંપનીમાં કામ કરતા હતા. રાત્રે સૂઈ ગયા બાદ સવારે તેઓ જાગ્યા ન હતા. ઉંઘમાં જ બેભાન થયા બાદ તેમનું મોત નિપજ્યું હતું. ત્રણેના મોત હાર્ટએટેકના કારણે થયા હોવાની શક્યતા છે. ત્રણેના મોત હાર્ટએટેકના કારણે થયા હોવાની શક્યતા અમરોલી વિસ્તારમાં રહેતો 27 વર્ષીય પ્રમોદ સન્યાસી બહેરા મોટા વરાછામાં લક્ષ્મી ફાર્મ પાસે અચાનક તબિયત બગડતા બેભાન થઈ ગયો હતો. જોકે 108ને કોલ કર્યો હતો જો કે 108 આવીને તેને મૃત જાહેર કર્યો હતો. બીજા બનાવમાં ગોડાદરામાં વિનાયક હાઇટ્સમાં રહેતો 37 વર્ષીય દિનેશ રામલાલ શર્મા ઘરમાં અચાનક તબિયક લથડતા બેભાન થઇ ગયો હતો. જેથી તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. જયાં ફરજ પરના ડોકટરે તેને મૃત જાહેર કર્યો હતો. તે મુળ રાજસ્થાનમાં નાગોરનો વતની હતો. કાપડ માર્કેટમાં નોકરી કરતો હતો. ત્રીજા બનાવમાં પાંડેસરામાં પત્રકાર કોલોની પાસે રહેતો 42 વર્ષીય નિલાચંન જુધિષ્ઠીર પ્રધાન પાંડેસરામાં ગોપાલનગર પાસે અચાનક તબિયત બગાડતા બેભાન થઈ ગયો હતો. બાદમાં તે ધટના સ્થળે મોતને ભેટયો હતો. તે સંચાખાતામાં કામ કરતો હતો.

Suratમાં કસરત કરતા કરતા યુવાનનું હાર્ટ એટેકથી મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • 29 વર્ષીય વિપુલ કહારનું હાર્ટ એટેકથી મોત
  • જીમમાં કસરત કરતા સમયે ઢળી પડ્યા બાદ મોત
  • અલથાણ પોલીસે વધુ તપાસ હાથ ધરી

સુરતમાં કસરત કરતા કરતા હાર્ટ એટેકથી યુવાનનું મોત થયુ છે. જેમાં 29 વર્ષીય વિપુલ કહારનું હાર્ટ એટેકથી મોત થતા પરિવારમાં શોકનો માહોલ છે. તેમાં જીમમાં કસરત કરતા સમયે યુવાન ઢળી પડ્યો હતો અને બાદમાં મોત થયુ હતુ. જેમાં અલથાણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. વેસુ વિસ્તારમાં આ ઘટના બની છે.

શહેરમાં કસરત કરતા કરતા તબીયત લથડતા યુવાનનું મોત

શહેરમાં કસરત કરતા કરતા તબીયત લથડતા યુવાનનું મોત થયુ છે. જેમાં જીમમાં કસરત કરતા સમયે યુવાન ઢળી પડ્યો હતો. તેમાં યુવાન હોસ્પિટલ પહોંચે તે પહેલા મોત થયુ છે. સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ હાથ ધરાયુ છે. રૂંગટા સિનેમા શ્યામ મંદિરની પાસે જીમ લોંચ આવ્યું છે તેમાં આ ઘટના બની છે. તેથી અલથાણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અગાઉ અમરોલી વિસ્તારમાં યુવકનું બાથરૂમમાં, નવા ભટારમાં ખરીદી કરવા માટે નીકળેલા પનાસના યુવકનું અને મોરા ગામના યુવકનું રાત્રે ઊંઘમાં મોત નિપજ્યું હતું. ત્રણેના હાર્ટએટેકના કારણે મોત નિપજ્યા હોવાની આશંકા સેવાઇ રહી હતી.

અમરોલીનો યુવક બાથરૂમમાં બેભાન થઈ ઢળી પડ્યો

પનાસ ખેતીવાડી ફાર્મ ક્વાર્ટસમાં રહેતો 22 વર્ષીય મહેશ અરવિંદ ચૌધરી મજૂરી કામ કરતો હતો. સાંજે તે ખરીદી કરવા માટે નીકળ્યો હતો. દરમિયાન નવા ભટારમાં કરિયાણાની દુકાન સામે ચક્કર આવ્યા બાદ અચાનક બેભાન થઈ ઢળી પડ્યો હતો. 108 એમ્બ્યુલન્સના કર્મચારીએ તેને મૃત જાહેર કર્યો હતો.ત્રીજા બનાવમાં હજીરાના મોરાગામ સ્ટાર કોલોની ખાતે રહેતા 42 વર્ષીય છોટેલાલ હજીરાની કંપનીમાં કામ કરતા હતા. રાત્રે સૂઈ ગયા બાદ સવારે તેઓ જાગ્યા ન હતા. ઉંઘમાં જ બેભાન થયા બાદ તેમનું મોત નિપજ્યું હતું. ત્રણેના મોત હાર્ટએટેકના કારણે થયા હોવાની શક્યતા છે.

ત્રણેના મોત હાર્ટએટેકના કારણે થયા હોવાની શક્યતા

અમરોલી વિસ્તારમાં રહેતો 27 વર્ષીય પ્રમોદ સન્યાસી બહેરા મોટા વરાછામાં લક્ષ્મી ફાર્મ પાસે અચાનક તબિયત બગડતા બેભાન થઈ ગયો હતો. જોકે 108ને કોલ કર્યો હતો જો કે 108 આવીને તેને મૃત જાહેર કર્યો હતો. બીજા બનાવમાં ગોડાદરામાં વિનાયક હાઇટ્સમાં રહેતો 37 વર્ષીય દિનેશ રામલાલ શર્મા ઘરમાં અચાનક તબિયક લથડતા બેભાન થઇ ગયો હતો. જેથી તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. જયાં ફરજ પરના ડોકટરે તેને મૃત જાહેર કર્યો હતો. તે મુળ રાજસ્થાનમાં નાગોરનો વતની હતો. કાપડ માર્કેટમાં નોકરી કરતો હતો. ત્રીજા બનાવમાં પાંડેસરામાં પત્રકાર કોલોની પાસે રહેતો 42 વર્ષીય નિલાચંન જુધિષ્ઠીર પ્રધાન પાંડેસરામાં ગોપાલનગર પાસે અચાનક તબિયત બગાડતા બેભાન થઈ ગયો હતો. બાદમાં તે ધટના સ્થળે મોતને ભેટયો હતો. તે સંચાખાતામાં કામ કરતો હતો.