Sarangpur કષ્ટભંનજન દેવ હનુમાન દાદાને ગુલાબના ફુલોનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો

ભકતોએ ઓનલાઈન અને પ્રત્યક્ષ દર્શનનો લીધો લાભ દર શનિવારે દાદાને કરાય છે અલગ-અલગ પ્રકારના શણગાર સવારે 5.30 કલાકે દાદાને કરાઈ મંગળા આરતી શનિવાર નિમિતે કષ્ટભંજનદેવ દાદાને ફુલોનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો છે.દાદાને મંગળવાર તેમજ શનિવારના દિવસે અલગ-અલગ શણગાર કરવામાં આવતો હોય છે,ગઈકાલે સાંજે દાદાને કેળાનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો,ભકતોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. મંગળા આરતી સવારે 5.30 કલાકે કરાઈ સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામમાં કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી આજે સવારે 5:30 કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી (અથાણાવાળા) દ્વારા તેમજ સવારે 7:00 કલાકે શણગાર આરતી કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી દ્વારા કરવામાં આવી હતી. દાદાના દર્શન કરવા હેલિકોપ્ટર સેવા થશે શરૂ અમદાવાદ કાંકરિયાથી સાળંગપુર મંદિર સુધી ડેઈલી હેલિકોપ્ટર રાઈડ શરૂ થવા જઇ રહી છે. યાત્રા ધામ વિકાસ બોર્ડ દ્રારા હેલિકોપ્ટર રાઈડ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મેં મહિના આ હેલિકોપ્ટર રાઈડ શરૂ કરવાનો પ્લાન છે. યાત્રા ધામ વિકાસ બોર્ડ ની જાહેરાત અંતર્ગત સાળંગપુર હનુમાનજી મંદિર દ્રારા મંદિર થી 700 મીટર ના અંતરે બે હેલિપેડ બનાવવામાં આવ્યાં છે. આ રાઇડના ભાડાની વાત કરીએ તો પ્રાથમિક માહિતી મુજબ આશરે 30 હજાર જેટલું ભાડું હશે. હેલિકોપ્ટરમાં 6 લોકોની સિટિંગની ક્ષમતા હશે. અદભુત શોનું આયોજન કરાયું છે 4D AR લાઇટ એન્ડ સાઉન્ડ શો મંગળવાર, શનિવાર-રવિવાર, પૂનમ, અમાસ અને તહેવારના દિવસે સાંજે ત્રણ-ત્રણવાર કરાય છે.સાળંગપુરમાં દર વર્ષે ભક્તો માટે અલગ-અલગ સુવિધાઓ શરૂ કરવામાં આવી રહી છે. જેમાં પહેલાં ગુજરતાનું સૌથી મોટું હાઇટેક ભોજનાલય, એ પછી પંચધાતૂમાંથી બનેલી કિંગ ઓફ સાળંગપુર હનુમાનજીની 54 ફૂટ ઊંચી મૂર્તિ અને અત્યારે નિર્માણાધિન ગુજરાતનું સૌથી મોટું ગેસ્ટ હાઉસ ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવન અહીં દાદાના દર્શને આવતાં ભક્તો માટે બનાવવામાં આવી રહ્યા છે. ત્રણ-ત્રણવાર કરાશે શો આ 4D લાઇટ એન્ડ સાઉન્ડ શો સાંજે ત્રણ-ત્રણવાર કરાશે, આ ઉપરાંત હનુમાનજીએ બાળ અવસ્થામાં સૂર્યને ગળ્યો તે પણ એનિમેશન દ્વારા બતાવાયું છે. ગોપાળાનંદ સ્વામીએ સાળંગપુર હનુમાનજી મંદિરમાં મૂર્તિ પ્રતિષ્ઠા કરી તેને 175 વર્ષ પૂરા થયા તે પણ આ લાઇટ એન્ડ સાઉન્ડ શોમાં બતાવાયું છે. આ ઉપરાંત શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજી દુખી જીવોના કામ કરે છે તે પણ લાઇટ એન્ડ સાઉન્ડ શોમાં બતાવવામાં આવ્યું છે.

Sarangpur કષ્ટભંનજન દેવ હનુમાન દાદાને ગુલાબના ફુલોનો  દિવ્ય શણગાર કરવામાં આવ્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ભકતોએ ઓનલાઈન અને પ્રત્યક્ષ દર્શનનો લીધો લાભ
  • દર શનિવારે દાદાને કરાય છે અલગ-અલગ પ્રકારના શણગાર
  • સવારે 5.30 કલાકે દાદાને કરાઈ મંગળા આરતી

શનિવાર નિમિતે કષ્ટભંજનદેવ દાદાને ફુલોનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો છે.દાદાને મંગળવાર તેમજ શનિવારના દિવસે અલગ-અલગ શણગાર કરવામાં આવતો હોય છે,ગઈકાલે સાંજે દાદાને કેળાનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો,ભકતોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.

મંગળા આરતી સવારે 5.30 કલાકે કરાઈ

સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામમાં કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી આજે સવારે 5:30 કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી (અથાણાવાળા) દ્વારા તેમજ સવારે 7:00 કલાકે શણગાર આરતી કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી દ્વારા કરવામાં આવી હતી.


દાદાના દર્શન કરવા હેલિકોપ્ટર સેવા થશે શરૂ

અમદાવાદ કાંકરિયાથી સાળંગપુર મંદિર સુધી ડેઈલી હેલિકોપ્ટર રાઈડ શરૂ થવા જઇ રહી છે. યાત્રા ધામ વિકાસ બોર્ડ દ્રારા હેલિકોપ્ટર રાઈડ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મેં મહિના આ હેલિકોપ્ટર રાઈડ શરૂ કરવાનો પ્લાન છે. યાત્રા ધામ વિકાસ બોર્ડ ની જાહેરાત અંતર્ગત સાળંગપુર હનુમાનજી મંદિર દ્રારા મંદિર થી 700 મીટર ના અંતરે બે હેલિપેડ બનાવવામાં આવ્યાં છે. આ રાઇડના ભાડાની વાત કરીએ તો પ્રાથમિક માહિતી મુજબ આશરે 30 હજાર જેટલું ભાડું હશે. હેલિકોપ્ટરમાં 6 લોકોની સિટિંગની ક્ષમતા હશે.

અદભુત શોનું આયોજન કરાયું છે

4D AR લાઇટ એન્ડ સાઉન્ડ શો મંગળવાર, શનિવાર-રવિવાર, પૂનમ, અમાસ અને તહેવારના દિવસે સાંજે ત્રણ-ત્રણવાર કરાય છે.સાળંગપુરમાં દર વર્ષે ભક્તો માટે અલગ-અલગ સુવિધાઓ શરૂ કરવામાં આવી રહી છે. જેમાં પહેલાં ગુજરતાનું સૌથી મોટું હાઇટેક ભોજનાલય, એ પછી પંચધાતૂમાંથી બનેલી કિંગ ઓફ સાળંગપુર હનુમાનજીની 54 ફૂટ ઊંચી મૂર્તિ અને અત્યારે નિર્માણાધિન ગુજરાતનું સૌથી મોટું ગેસ્ટ હાઉસ ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવન અહીં દાદાના દર્શને આવતાં ભક્તો માટે બનાવવામાં આવી રહ્યા છે.

ત્રણ-ત્રણવાર કરાશે શો

આ 4D લાઇટ એન્ડ સાઉન્ડ શો સાંજે ત્રણ-ત્રણવાર કરાશે, આ ઉપરાંત હનુમાનજીએ બાળ અવસ્થામાં સૂર્યને ગળ્યો તે પણ એનિમેશન દ્વારા બતાવાયું છે. ગોપાળાનંદ સ્વામીએ સાળંગપુર હનુમાનજી મંદિરમાં મૂર્તિ પ્રતિષ્ઠા કરી તેને 175 વર્ષ પૂરા થયા તે પણ આ લાઇટ એન્ડ સાઉન્ડ શોમાં બતાવાયું છે. આ ઉપરાંત શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજી દુખી જીવોના કામ કરે છે તે પણ લાઇટ એન્ડ સાઉન્ડ શોમાં બતાવવામાં આવ્યું છે.