Rajkot અગ્નિકાંડ કેસમાં SIT 50થી વધુ લોકોને સાક્ષી બનાવશે,તપાસનો ધમધમાટ તેજ

ક્રાઇમ બ્રાન્ચની SITએ પણ કેટલાકના નિવેદન લીધા આગકાંડમાં અમુક મહત્વના સાક્ષીઓ બની રહેશે ગેમઝોનના 33માંથી 30 કર્મચારીઓનો બચાવ થયો હતો રાજકોટ અગ્નિકાંડ કેસમાં તપાસનો ધમધમાટ શરૂ છે ત્યારે રાજય સરકાર દ્રારા રચાયેલી એસઆઈટી પણ રીપોર્ટ તૈયાર કરી રાજય સરકારને સોંપશે ત્યારે આ અગ્નિકાંડ કેસમાં એસઆઈટી 50 થી વધુ લોકોને સાક્ષી બનાવશે,તો બીજી તરફ રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ દ્રારા પણ અમુક લોકોના નિવેદનો લઈ આગળની કાર્યવાહી હાથધરી છે.આ ગેમઝોનમાં કામ કરતા 3 કર્મચારીઓના મોત થયા છે. રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે સાગઠિયા સામે નોંધ્યો વધુ એક ગુનો ક્રાઈમ બ્રાન્ચે સાગઠિયા IPC 465, 466, 467, 471 સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.રાજકોટ અગ્નિકાંડને લઈ સૌથી મોટો ખુલાસો પોલીસે જાહેર કર્યો છે,જેમાં પોલીસે માહિતી આપી છે કે,5 સંચાલકો અને 4 અધિકારીઓ સહિત કુલ 9 લોકોની ધરપકડ કરાઈ છે.ગેમઝોનમાં વેલ્ડીંગ કામ દરમિયાન તણખો પડતા આગ લાગી હતી.ગેમઝોનનું સ્ટ્રકચર ફેબ્રિકેશન, લોખંડના પતરા વધુ હોવાનું સામે આવ્યું છે,સ્ટ્રકચરમાં પતરાની દિવાલો સાથે ફોમ શીટનો મોટી માત્રામાં ઉપયોગ કરાયો હતો. ટ્રેમ્પોલીન પાર્કના કન્ટ્રકશનમાં પ્લાસ્ટીક, લાકડાનો ઉપયોગ થયો છે.સાગઠિયા, ગૌતમ જોશીએ અરજી પછી કોઈ ચકાસણી કરી ન હતી. નોટિસ આપ્યા બાદ 1 વર્ષ સુધી કોઈ કાર્યવાહી ન કરી TP શાખાના અધિકારીઓએ નોટિસ આપ્યા બાદ 1 વર્ષ સુધી કોઈ કાર્યવાહી ન કરી બેદરકારી દાખવી છે.4 મે, 2024ના સંચાલકોએ બાંધકામ રેગ્યુલરાઈઝ કરવા RMCમાં અરજી કરી છતાં કોઈ સ્થળ તપાસ ન કરી બેદરકારી દાખવી.તત્કાલીન TPO મનસુખ સાગઠિયા, ATPO ગૌતમ જોશી અને મુકેશ મકવાણાએ અરજી પછી પણ કોઈ ચકાસણી ન કરી હોવાનું ખુલ્યું.4 સપ્ટેમ્બર, 2023ના આગ લાગી હોવા છતાં ફાયર સ્ટેશન ઓફિસર રોહિત વિગોરાએ ફાયર NOC ન હોવા છતાં કોઈ કાર્યવાહી ન કરી.ક્રાઇમ બ્રાન્ચની SIT ટીમ દ્વારા રોહિત વિગોરા સામે સંયોગિક પુરાવા એકત્ર કરી રહી છે.ત્રણ કારણો થી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હોવાનું SITતપાસમાં આવ્યું સામે. આગ લાગવાના કારણો 1-આ ટીઆરપી ગેમ ઝોન ખાતે ફેબ્રિકેશનનુ કામ કાજ ચાલુ હોય અને વેલ્ડીંગ કામ કરતા નીચે ફોમ શીટનો જથ્થો પડેલ હોય તેમાં વેલ્ડીંગ કામ દરમ્યાન તણખો પડતા આગ અને આગ ઓલવવા માટે પુરતા ફાયર સેફ્ટીના સાધનો કે પાણીની વ્યવસ્થા ન હતી. 2- ટીઆરપી ગેમ ઝોનનુ સ્ટ્રકચર ફેબ્રીકેશન તેમજ લોખંડના પતરાનુ બનાવેલ હોય જેમાં ટીઆરપી ગેમ ઝોનના અંદરના વિસ્તારમાં તાપમાન નિયંત્રીત રાખવા પતરાની દિવાલો સાથે ફોમ શીટનો વિપુલ માત્રામાં ઉપયોગ કરવામાં આવેલ હતો. 3-ટીઆરપી ગેમ ઝોનના બોલીંગ એરીયા તથા ટ્રેમ્પોલીન પાર્કના કન્ટ્રકશનમાં પ્લાસ્ટીક અને લાકડાનો વિપુલ માત્રામાં ઉપયોગ થયેલ હતો. 4-આગ લાગ્યા બાદના સી.સી.ટીવી કેમેરાના વીડીયો ફુટેજનો ક્રાઇમ બ્રાન્ચ SIT ટીમે અભ્યાસ કર્યો 5-ગેમ ઝોનમાં જે વાયરીંગ કરવામાં આવેલ તેમાં આગ લાગતી જોવા મળી 6-લાઇટો ફીટ કરેલ હતી તે ધડાકા સાથે ફુટતી CCTVમાં દેખાય 7-ગેમ ઝોનના પ્રથમ માળ પર એન્ટી તથા એકઝીટનો ફકત એક જ રસ્તો હોવાનું તપાસમાં ખુલ્યું 8-કુલ 27 વ્યકિતઓના મૃત્યુ થયા જેમાં ત્રણ લોકો 18 વર્ષથી નીચેની ઉંમરના હતા 9-આગકાંડના બે અઠવાડિયા બાદ પણ અશોકસિંહ જાડેજા નામના આરોપીની પોલીસ કરી રહી છે શોધખોળ

Rajkot અગ્નિકાંડ કેસમાં SIT 50થી વધુ લોકોને સાક્ષી બનાવશે,તપાસનો ધમધમાટ તેજ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ક્રાઇમ બ્રાન્ચની SITએ પણ કેટલાકના નિવેદન લીધા
  • આગકાંડમાં અમુક મહત્વના સાક્ષીઓ બની રહેશે
  • ગેમઝોનના 33માંથી 30 કર્મચારીઓનો બચાવ થયો હતો

રાજકોટ અગ્નિકાંડ કેસમાં તપાસનો ધમધમાટ શરૂ છે ત્યારે રાજય સરકાર દ્રારા રચાયેલી એસઆઈટી પણ રીપોર્ટ તૈયાર કરી રાજય સરકારને સોંપશે ત્યારે આ અગ્નિકાંડ કેસમાં એસઆઈટી 50 થી વધુ લોકોને સાક્ષી બનાવશે,તો બીજી તરફ રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ દ્રારા પણ અમુક લોકોના નિવેદનો લઈ આગળની કાર્યવાહી હાથધરી છે.આ ગેમઝોનમાં કામ કરતા 3 કર્મચારીઓના મોત થયા છે.

રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે સાગઠિયા સામે નોંધ્યો વધુ એક ગુનો

ક્રાઈમ બ્રાન્ચે સાગઠિયા IPC 465, 466, 467, 471 સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.રાજકોટ અગ્નિકાંડને લઈ સૌથી મોટો ખુલાસો પોલીસે જાહેર કર્યો છે,જેમાં પોલીસે માહિતી આપી છે કે,5 સંચાલકો અને 4 અધિકારીઓ સહિત કુલ 9 લોકોની ધરપકડ કરાઈ છે.ગેમઝોનમાં વેલ્ડીંગ કામ દરમિયાન તણખો પડતા આગ લાગી હતી.ગેમઝોનનું સ્ટ્રકચર ફેબ્રિકેશન, લોખંડના પતરા વધુ હોવાનું સામે આવ્યું છે,સ્ટ્રકચરમાં પતરાની દિવાલો સાથે ફોમ શીટનો મોટી માત્રામાં ઉપયોગ કરાયો હતો. ટ્રેમ્પોલીન પાર્કના કન્ટ્રકશનમાં પ્લાસ્ટીક, લાકડાનો ઉપયોગ થયો છે.સાગઠિયા, ગૌતમ જોશીએ અરજી પછી કોઈ ચકાસણી કરી ન હતી.

નોટિસ આપ્યા બાદ 1 વર્ષ સુધી કોઈ કાર્યવાહી ન કરી

TP શાખાના અધિકારીઓએ નોટિસ આપ્યા બાદ 1 વર્ષ સુધી કોઈ કાર્યવાહી ન કરી બેદરકારી દાખવી છે.4 મે, 2024ના સંચાલકોએ બાંધકામ રેગ્યુલરાઈઝ કરવા RMCમાં અરજી કરી છતાં કોઈ સ્થળ તપાસ ન કરી બેદરકારી દાખવી.તત્કાલીન TPO મનસુખ સાગઠિયા, ATPO ગૌતમ જોશી અને મુકેશ મકવાણાએ અરજી પછી પણ કોઈ ચકાસણી ન કરી હોવાનું ખુલ્યું.4 સપ્ટેમ્બર, 2023ના આગ લાગી હોવા છતાં ફાયર સ્ટેશન ઓફિસર રોહિત વિગોરાએ ફાયર NOC ન હોવા છતાં કોઈ કાર્યવાહી ન કરી.ક્રાઇમ બ્રાન્ચની SIT ટીમ દ્વારા રોહિત વિગોરા સામે સંયોગિક પુરાવા એકત્ર કરી રહી છે.ત્રણ કારણો થી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હોવાનું SITતપાસમાં આવ્યું સામે.

આગ લાગવાના કારણો

1-આ ટીઆરપી ગેમ ઝોન ખાતે ફેબ્રિકેશનનુ કામ કાજ ચાલુ હોય અને વેલ્ડીંગ કામ કરતા નીચે ફોમ શીટનો જથ્થો પડેલ હોય તેમાં વેલ્ડીંગ કામ દરમ્યાન તણખો પડતા આગ અને આગ ઓલવવા માટે પુરતા ફાયર સેફ્ટીના સાધનો કે પાણીની વ્યવસ્થા ન હતી.

2- ટીઆરપી ગેમ ઝોનનુ સ્ટ્રકચર ફેબ્રીકેશન તેમજ લોખંડના પતરાનુ બનાવેલ હોય જેમાં ટીઆરપી ગેમ ઝોનના અંદરના વિસ્તારમાં તાપમાન નિયંત્રીત રાખવા પતરાની દિવાલો સાથે ફોમ શીટનો વિપુલ માત્રામાં ઉપયોગ કરવામાં આવેલ હતો.

3-ટીઆરપી ગેમ ઝોનના બોલીંગ એરીયા તથા ટ્રેમ્પોલીન પાર્કના કન્ટ્રકશનમાં પ્લાસ્ટીક અને લાકડાનો વિપુલ માત્રામાં ઉપયોગ થયેલ હતો.

4-આગ લાગ્યા બાદના સી.સી.ટીવી કેમેરાના વીડીયો ફુટેજનો ક્રાઇમ બ્રાન્ચ SIT ટીમે અભ્યાસ કર્યો

5-ગેમ ઝોનમાં જે વાયરીંગ કરવામાં આવેલ તેમાં આગ લાગતી જોવા મળી

6-લાઇટો ફીટ કરેલ હતી તે ધડાકા સાથે ફુટતી CCTVમાં દેખાય

7-ગેમ ઝોનના પ્રથમ માળ પર એન્ટી તથા એકઝીટનો ફકત એક જ રસ્તો હોવાનું તપાસમાં ખુલ્યું

8-કુલ 27 વ્યકિતઓના મૃત્યુ થયા જેમાં ત્રણ લોકો 18 વર્ષથી નીચેની ઉંમરના હતા

9-આગકાંડના બે અઠવાડિયા બાદ પણ અશોકસિંહ જાડેજા નામના આરોપીની પોલીસ કરી રહી છે શોધખોળ