Rajkot Trp Game Zone મુદ્દે 3 અધિકારીની થઈ પૂછપરછ,થયા અનેક ખુલાસા

તપાસ એજન્સી દ્વારા ત્રણ અધિકારીની કડક પૂછપરછ હાથ ધરવામાં આવી RMC ટાઉન પ્લાનિંગ અધિકારી ટીપી સાગઠીયા, ફાયર વિભાગના ડેપ્યુટી ઓફિસ બી.જે.ઠેબાની પૂછપરછ કરાઈ PGVCLના ડેપ્યુટી ઇજનેર એસ.કે.ચૌહાણની થઈ હતી પૂછપરછ રાજકોટ અગ્નિકાંડ બાદ એક બાદ એક અધિકારીની પૂછપરછ હાથ ધરવામાં આવી છે,અને નિવેદનો પણ નોંધવામાં આવ્યા છે.ટીપી વિભાગની ભૂમિકા, ફાયર વિભાગની ભૂમિકા અને વીજ વિભાગની ભૂમિકા અંગે પૂછપરછ કરાઈ છે.ગેમ ઝોનની મંજૂરી માટે અને સ્ટ્રકચર ખડકી દેવા ક્યારેય મંજૂરી માંગી હતી કે કેમ..? ગેરકાયદે બાંધકામ હતું તો કેમ કોઈ કાર્યવાહી ન કરી.ફાયરની મંજૂરી ન હતી તો કેમ ફાયર વિભાગે કાર્યવાહી ન કરી.PGVCL દ્વારા કનેક્શન ક્યારે આપવામાં આવ્યું..? આ સહિતની બાબતે પૂછપરછ કરવામાં આવી હતી. તપાસનો ધમધમાટ શરૂ રાજકોટ ગેમઝોન અગ્નિકાંડમાં નિર્દોષ લોકોના જીવ ગયા બાદ તપાસનો ધમધમાટ શરૂ થયો છે. રાજ્ય સરકારે ઝડપી તપાસ માટે એસઆઇટીની રચના કરી છે. આ મામલે સરકાર એક્શનમાં આવી છે. ગાંધીનગરમાં ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. બેઠકમાં SIT વડા સુભાષ ત્રિવેદી, ટેકનિકલ એજ્યુકેશન કમિશનર બંછાનિધી પાની, FSL ડાયરેક્ટર એચ.પી.સંઘવી, ચીફ ફાયર ઓફિસર જે.એન. ખડીયા અને મકાન વિભાગના સુપરિટેન્ડિંગ એન્જિનિયર એમ.બી.દેસાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા. શું કહ્યું હતુ સુભાષ ત્રિવેદીએ કાટમાળ ખસેડવાની કામગીરીના સવાલ પર જવાબ આપતા સુભાષ ત્રિવેદીએ કહ્યું કે, જે લોકો ગુમ છે કે તેના મૃતદેહના અવશેષો શોધવાનું કામ મહત્વનું હતું, તોડીને નાશ કરવાનો આશય બિલકુલ ન હતો. ત્યાં કોઈ ગુમ થયેલા લોકો છે તેના કોઈ પ્રકારના અવશેષો છે કે કેમ, જેના આધારે આપણે DNA લઈ શકીએ. FSL દ્વારા આ DNA ની તપાસ કરીને જે પરિજનોના માણસો ગુમ હોય તેમને એક સત્યની માહિતી આપી શકીએ તેવો આશય હતો. અધિકારીઓને સમન્સ મોકલાયા SIT વડા સુભાષ ત્રિવેદીએ મોટું નિવેદન આપતા કહ્યું કે, જવાબદાર હોય તેવા IAS કે પછી IPSને છોડવામાં નહીં આવે અને તેમની સામે પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે. બધા જ IAS કે IPS અધિકારીઓની પૂછપરછ કરવા માટે ગૃહ રાજ્યમંત્રીએ સ્પષ્ટ સૂચના આપી છે. 2021 થી અત્યાર સુધીમા ફરજ પર તૈનાત તમામ ક્લાસ 1 ઓફિસર્સને SIT સમક્ષ હાજર થવા માટે આદેશ કરવામાં આવ્યો છે. પૂછપરછ હેતુસર કલેક્ટર, પોલીસ અને મ્યુનિસિપલ કમિશનર સહિત તમામ ક્લાસ 1 અધિકારીઓને સમન્સ મોકલી દેવામાં આવ્યા છે.

Rajkot Trp Game Zone મુદ્દે 3 અધિકારીની થઈ પૂછપરછ,થયા અનેક ખુલાસા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • તપાસ એજન્સી દ્વારા ત્રણ અધિકારીની કડક પૂછપરછ હાથ ધરવામાં આવી
  • RMC ટાઉન પ્લાનિંગ અધિકારી ટીપી સાગઠીયા, ફાયર વિભાગના ડેપ્યુટી ઓફિસ બી.જે.ઠેબાની પૂછપરછ કરાઈ
  • PGVCLના ડેપ્યુટી ઇજનેર એસ.કે.ચૌહાણની થઈ હતી પૂછપરછ

રાજકોટ અગ્નિકાંડ બાદ એક બાદ એક અધિકારીની પૂછપરછ હાથ ધરવામાં આવી છે,અને નિવેદનો પણ નોંધવામાં આવ્યા છે.ટીપી વિભાગની ભૂમિકા, ફાયર વિભાગની ભૂમિકા અને વીજ વિભાગની ભૂમિકા અંગે પૂછપરછ કરાઈ છે.ગેમ ઝોનની મંજૂરી માટે અને સ્ટ્રકચર ખડકી દેવા ક્યારેય મંજૂરી માંગી હતી કે કેમ..? ગેરકાયદે બાંધકામ હતું તો કેમ કોઈ કાર્યવાહી ન કરી.ફાયરની મંજૂરી ન હતી તો કેમ ફાયર વિભાગે કાર્યવાહી ન કરી.PGVCL દ્વારા કનેક્શન ક્યારે આપવામાં આવ્યું..? આ સહિતની બાબતે પૂછપરછ કરવામાં આવી હતી.

તપાસનો ધમધમાટ શરૂ

રાજકોટ ગેમઝોન અગ્નિકાંડમાં નિર્દોષ લોકોના જીવ ગયા બાદ તપાસનો ધમધમાટ શરૂ થયો છે. રાજ્ય સરકારે ઝડપી તપાસ માટે એસઆઇટીની રચના કરી છે. આ મામલે સરકાર એક્શનમાં આવી છે. ગાંધીનગરમાં ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. બેઠકમાં SIT વડા સુભાષ ત્રિવેદી, ટેકનિકલ એજ્યુકેશન કમિશનર બંછાનિધી પાની, FSL ડાયરેક્ટર એચ.પી.સંઘવી, ચીફ ફાયર ઓફિસર જે.એન. ખડીયા અને મકાન વિભાગના સુપરિટેન્ડિંગ એન્જિનિયર એમ.બી.દેસાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા.

શું કહ્યું હતુ સુભાષ ત્રિવેદીએ

કાટમાળ ખસેડવાની કામગીરીના સવાલ પર જવાબ આપતા સુભાષ ત્રિવેદીએ કહ્યું કે, જે લોકો ગુમ છે કે તેના મૃતદેહના અવશેષો શોધવાનું કામ મહત્વનું હતું, તોડીને નાશ કરવાનો આશય બિલકુલ ન હતો. ત્યાં કોઈ ગુમ થયેલા લોકો છે તેના કોઈ પ્રકારના અવશેષો છે કે કેમ, જેના આધારે આપણે DNA લઈ શકીએ. FSL દ્વારા આ DNA ની તપાસ કરીને જે પરિજનોના માણસો ગુમ હોય તેમને એક સત્યની માહિતી આપી શકીએ તેવો આશય હતો.

અધિકારીઓને સમન્સ મોકલાયા

SIT વડા સુભાષ ત્રિવેદીએ મોટું નિવેદન આપતા કહ્યું કે, જવાબદાર હોય તેવા IAS કે પછી IPSને છોડવામાં નહીં આવે અને તેમની સામે પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે. બધા જ IAS કે IPS અધિકારીઓની પૂછપરછ કરવા માટે ગૃહ રાજ્યમંત્રીએ સ્પષ્ટ સૂચના આપી છે. 2021 થી અત્યાર સુધીમા ફરજ પર તૈનાત તમામ ક્લાસ 1 ઓફિસર્સને SIT સમક્ષ હાજર થવા માટે આદેશ કરવામાં આવ્યો છે. પૂછપરછ હેતુસર કલેક્ટર, પોલીસ અને મ્યુનિસિપલ કમિશનર સહિત તમામ ક્લાસ 1 અધિકારીઓને સમન્સ મોકલી દેવામાં આવ્યા છે.