Rajkot Trp Game Zone : અગ્નિકાંડને લઈ 6 અધિકારીઓને સસ્પેન્ડ કરાયા

માર્ગ મકાન વિભાગના ઇજનેરને સસ્પેન્ડ કરાયા બે પોલીસ ઇન્સ્પેક્ટરને પણ સસ્પેન્ડ કરાયા મનપાના 2 ટાઉન પ્લાનિંગ ઓફિસર પણ સસ્પેન્ડ રાજકોટમાં થયેલ અગ્નિકાંડના પડઘા દેશભરમાં પડયા છે,ત્યારે તંત્રની બેદરકારીના કારણે લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે,તો બીજી તરફ આ સમગ્ર ઘટનાને લઈ રાજયસરકાર પણ દરેક વસ્તુઓનો રીપોર્ટ કરી રહી છે,આ ઘટના બન્યા બાદ માર્ગ મકાન વિભાગના ઇજનેર,બે પોલીસ ઇન્સ્પેક્ટર,મનપાના 2 ટાઉન પ્લાનિંગ ઓફિસર એમ મળીને કુલ 6 અધિકારીઓને સસ્પેન્ડ કરાયા છે. SITએ મોટા અધિકારીઓની કરી પૂછપરછઃ સૂત્ર સમગ્ર ઘટનાને લઈ રાજય સરકાર દ્રારા SITની નિમણુંક કરવામાં આવી છે અને તેના અધ્યક્ષ IPS સુભાષ ત્રિવેદી છે,ત્યારે સૂત્રો તરફથી માહિતી મળી રહી છે કે ગત રાત્રે SITની ટીમ દ્રારા રાજકોટ પોલીસ કમિશનર અને રાજકોટ મ્યુનિ. કમિશનરની પૂછપરછ કરવામાં આવી છે.તો તપાસ બાદ અનેક ખુલાસાઓ થવાની પણ શકયતાઓ સેવાઈ રહી છે. પરિવારને મૃતદેહ સોંપાયા 25 મે 2024ના રાજકોટના કાલાવાડ રોડ પર આવેલા TRP ગેમ ઝોનમાં આગ ફાટી નિકળતાં 27થી વધુ લોકોના મોત થયાં છે. આ આગમાં લોકો એટલી હદ્દે બળ્યાં છે કે, તેમની ઓળખ DNA દ્વારા કરવામાં આવી રહી છે. ત્યારે આજે અગ્નિકાંડમાં મોતને ભેટેલાં લોકોના મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યાં છે. ગેમઝોનના 6 આરોપીઓ સામે નોંધાઈ ફરિયાદ રાજકોટની ગેમઝોનનની ગોઝારી દુર્ઘટનામાં યુવરાજસિંહ, પ્રકાશ જૈન સહિત છ આરોપી સામે તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. IPCની કલમ 304, 308, 337, 338 અને 114ની કલમો હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ક્રાઈમ બ્રાન્ચે અનેક આરોપીઓની અટકાયત કરી છે. તાલુકા પોલીસ વિધિવત ધરપકડ કરશે.  

Rajkot Trp Game Zone : અગ્નિકાંડને લઈ 6 અધિકારીઓને સસ્પેન્ડ કરાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • માર્ગ મકાન વિભાગના ઇજનેરને સસ્પેન્ડ કરાયા
  • બે પોલીસ ઇન્સ્પેક્ટરને પણ સસ્પેન્ડ કરાયા
  • મનપાના 2 ટાઉન પ્લાનિંગ ઓફિસર પણ સસ્પેન્ડ

રાજકોટમાં થયેલ અગ્નિકાંડના પડઘા દેશભરમાં પડયા છે,ત્યારે તંત્રની બેદરકારીના કારણે લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે,તો બીજી તરફ આ સમગ્ર ઘટનાને લઈ રાજયસરકાર પણ દરેક વસ્તુઓનો રીપોર્ટ કરી રહી છે,આ ઘટના બન્યા બાદ માર્ગ મકાન વિભાગના ઇજનેર,બે પોલીસ ઇન્સ્પેક્ટર,મનપાના 2 ટાઉન પ્લાનિંગ ઓફિસર એમ મળીને કુલ 6 અધિકારીઓને સસ્પેન્ડ કરાયા છે.

SITએ મોટા અધિકારીઓની કરી પૂછપરછઃ સૂત્ર

સમગ્ર ઘટનાને લઈ રાજય સરકાર દ્રારા SITની નિમણુંક કરવામાં આવી છે અને તેના અધ્યક્ષ IPS સુભાષ ત્રિવેદી છે,ત્યારે સૂત્રો તરફથી માહિતી મળી રહી છે કે ગત રાત્રે SITની ટીમ દ્રારા રાજકોટ પોલીસ કમિશનર અને રાજકોટ મ્યુનિ. કમિશનરની પૂછપરછ કરવામાં આવી છે.તો તપાસ બાદ અનેક ખુલાસાઓ થવાની પણ શકયતાઓ સેવાઈ રહી છે.

પરિવારને મૃતદેહ સોંપાયા

25 મે 2024ના રાજકોટના કાલાવાડ રોડ પર આવેલા TRP ગેમ ઝોનમાં આગ ફાટી નિકળતાં 27થી વધુ લોકોના મોત થયાં છે. આ આગમાં લોકો એટલી હદ્દે બળ્યાં છે કે, તેમની ઓળખ DNA દ્વારા કરવામાં આવી રહી છે. ત્યારે આજે અગ્નિકાંડમાં મોતને ભેટેલાં લોકોના મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યાં છે.

ગેમઝોનના 6 આરોપીઓ સામે નોંધાઈ ફરિયાદ

રાજકોટની ગેમઝોનનની ગોઝારી દુર્ઘટનામાં યુવરાજસિંહ, પ્રકાશ જૈન સહિત છ આરોપી સામે તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. IPCની કલમ 304, 308, 337, 338 અને 114ની કલમો હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ક્રાઈમ બ્રાન્ચે અનેક આરોપીઓની અટકાયત કરી છે. તાલુકા પોલીસ વિધિવત ધરપકડ કરશે.