Nilesh Kumbhani : નિલેશ કુંભાણીનો સંદેશ ન્યૂઝ પર EXCLUSIVE ખુલાસો
કોંગ્રેસના નેતાઓ મારી સાથે રથમાં બેસવા તૈયાર ન હતા : નિલેશ કુંભાણી કોના ઈશારે નેતાઓએ મારા ઘર પર વિરોધ કર્યો : નિલેશ કુંભાણી હું છેલ્લે સુધી મોવડી મંડળના સંપર્કમાં હતો : નિલેશ કુંભાણી ગુજરાત રાજકારણના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે,જેમાં સુરતના રાજનેતા એવા નિલેશ કુંભાણી છ દિવસ બાદ વિડીયો વાયરલ કરીને મિડીયા સામે આવ્યા છે,જે વિડીયો વાયરલ કર્યો છે તેમાં તેમણે કોગ્રેસ નેતા,પ્રતાપ દૂધાત સામે આક્ષેપ કર્યા છે,કુંભાણીએ કહ્યું કે ગુજરાત હાઈકોર્ટમાં પિટીશન દાખલ કરવા માટે જવાનો હતો.મને કોગ્રેસના નેતાઓ બુથની માહિતી પણ આપતા ન હતા,પ્રતાપ દુધાત મારો ફોન ઉપાડતા ન હતા,હું કોંગ્રેસ નો સૈનિક છું અને રહેવાનો છું.હુ કોગ્રેસના મોટા નેતાઓના સંપર્કમાં હતો પણ મારી વાત કોઈએ માની ન હતી.તો એક પણ નેતાઓ મારા પ્રચારમાં કે સભામાં આવ્યા ન હતા.નિલેશ કુંભાણીનો વિરોધ યથાવત સુરત બેઠક પર નિલેશ કુંભાણીનું ફોર્મ અમાન્ય થતા કોંગ્રેસના કાર્યકરોમાં ભારે આક્રોશ છે. કૉંગ્રેસના કાર્યકરોએ નિલેશ કુંભાણીના ઘરે પહોંચી વિરોધ નોધાવ્યો હતો.જનતાનો ગદ્દાર, લોકશાહીનો હત્યારો જેવા લખાણો સાથેના બેનરો સાથે વિરોધ નોંધાવ્યો હતો. જો કે નિલેશ કુંભાણીના ઘરે તાળું જોવા મળ્યું હતું. હાલમાં નિલેશ કુંભાણી સંપર્ક વિહોણા હોવાની માહિતી મળી રહી છે. કુંભાણી ભાજપમાં જોડાય તેવી શકયતા સુરતમાં કોંગ્રેસમાંથી ઉમેદવારી કરનારા નિલેશ કુંભાણી ભાજપમાં સામેલ થાય તેવી ચર્ચા છે. આ સપ્તાહના અંતમાં કે ત્યારબાદ નિલેશ કુંભાણી ભાજપમાં જોડાઈ શકે છે. કુંભાણીને આવકારવા ભાજપની તૈયારી પૂર્ણ થઈ છે. સુરત લોકસભા બેઠક પર બે દિવસથી ચાલી રહેલા રાજકીય ડ્રામાને અંતે રવિવારે બપોરે ચૂંટણી અધિકારી ડો. સૌરભ પારઘીએ કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ જાહેર કર્યું હતું અને જે બાદ અપક્ષ સહિત 8 ઉમેદવારો પૈકી 7 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યુ હતું. જેથી સુરત બેઠક પર ઈતિહાસ રચાયો હતો અને ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ થયા હતા. સુરતમાં પ્રતાપ દુધાત રહેશે કાં તો કુંભાણી : કોંગ્રેસ નેતા પ્રતાપ દૂધાત અમરેલી જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દૂધાતે નિલેશ કુંભાણીને ગદ્દાર ગણાવીને કહ્યું હતું કે, હું છેલ્લાં શ્વાસ સુધી નિલેશ કુંભાણીને છોડવાનો નથી. હવે સુરતમાં કાં તો એ રહેશે કાં તો હું રહીશ. તેણે જ્યાં છુપાવું હોય છુપાઈ જાય. સી.આર.પાટીલના ઘરે જતા રહેવું હોય તો જતા રહે. હું સ્મશાન સુધી તેનો પીછો કરીશ. નિલેશ કુંભાણીએ પીઠમાં ખંજર માર્યું છે અને કુંભાણીના કારણે જ કોંગ્રેસે સુરતની બેઠક ગુમાવી છે. જો નિલેશ કુંભાણી ભાજપમાં જોડાશે તો તેનો વિરોધ થશે. અગાઉ કોંગ્રેસ કાર્યકરો કુંભાણીના ઘરે દેખાવ કર્યો હતો અગાઉ કોંગ્રેસના કેટલાક કાર્યકરો નિલેશ કુંભાણીના સુરત ખાતેના ઘરે પહોંચીને 'જનતાનો ગદ્દાર, લોકશાહીનો હત્યારો' તેવા બેનર લઈને દેખાવ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે સુરત લોકસભામાં કોંગ્રેસે નિલેશ કુંભાણીને ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતા. ત્યારબાદ નાટકીય રીતે નિલેશ કુંભાનીના ટેકેદાર ગાયબ થઈ ગયા હતા. જેને કારણે નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયું હતું. ત્યારબાદ ગણતરીના કલાકોમાં અન્ય આઠ ઉમેદવારોએ પણ પોતાનો ફોર્મ પર ખેંચી લેતા અને ભાજપના મુકેશ દલાલ બિનહરીફ વિજેતા જાહેર થયા હતા.
![Nilesh Kumbhani : નિલેશ કુંભાણીનો સંદેશ ન્યૂઝ પર EXCLUSIVE ખુલાસો](https://epapercdn.sandesh.com/images/2024/04/26/qgKhlNKY1ioSAQjRS2sg1QuoILGXhKwe3AkAy1va.jpg?#)
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- કોંગ્રેસના નેતાઓ મારી સાથે રથમાં બેસવા તૈયાર ન હતા : નિલેશ કુંભાણી
- કોના ઈશારે નેતાઓએ મારા ઘર પર વિરોધ કર્યો : નિલેશ કુંભાણી
- હું છેલ્લે સુધી મોવડી મંડળના સંપર્કમાં હતો : નિલેશ કુંભાણી
ગુજરાત રાજકારણના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે,જેમાં સુરતના રાજનેતા એવા નિલેશ કુંભાણી છ દિવસ બાદ વિડીયો વાયરલ કરીને મિડીયા સામે આવ્યા છે,જે વિડીયો વાયરલ કર્યો છે તેમાં તેમણે કોગ્રેસ નેતા,પ્રતાપ દૂધાત સામે આક્ષેપ કર્યા છે,કુંભાણીએ કહ્યું કે ગુજરાત હાઈકોર્ટમાં પિટીશન દાખલ કરવા માટે જવાનો હતો.મને કોગ્રેસના નેતાઓ બુથની માહિતી પણ આપતા ન હતા,પ્રતાપ દુધાત મારો ફોન ઉપાડતા ન હતા,હું કોંગ્રેસ નો સૈનિક છું અને રહેવાનો છું.હુ કોગ્રેસના મોટા નેતાઓના સંપર્કમાં હતો પણ મારી વાત કોઈએ માની ન હતી.તો એક પણ નેતાઓ મારા પ્રચારમાં કે સભામાં આવ્યા ન હતા.
નિલેશ કુંભાણીનો વિરોધ યથાવત
સુરત બેઠક પર નિલેશ કુંભાણીનું ફોર્મ અમાન્ય થતા કોંગ્રેસના કાર્યકરોમાં ભારે આક્રોશ છે. કૉંગ્રેસના કાર્યકરોએ નિલેશ કુંભાણીના ઘરે પહોંચી વિરોધ નોધાવ્યો હતો.જનતાનો ગદ્દાર, લોકશાહીનો હત્યારો જેવા લખાણો સાથેના બેનરો સાથે વિરોધ નોંધાવ્યો હતો. જો કે નિલેશ કુંભાણીના ઘરે તાળું જોવા મળ્યું હતું. હાલમાં નિલેશ કુંભાણી સંપર્ક વિહોણા હોવાની માહિતી મળી રહી છે.
કુંભાણી ભાજપમાં જોડાય તેવી શકયતા
સુરતમાં કોંગ્રેસમાંથી ઉમેદવારી કરનારા નિલેશ કુંભાણી ભાજપમાં સામેલ થાય તેવી ચર્ચા છે. આ સપ્તાહના અંતમાં કે ત્યારબાદ નિલેશ કુંભાણી ભાજપમાં જોડાઈ શકે છે. કુંભાણીને આવકારવા ભાજપની તૈયારી પૂર્ણ થઈ છે. સુરત લોકસભા બેઠક પર બે દિવસથી ચાલી રહેલા રાજકીય ડ્રામાને અંતે રવિવારે બપોરે ચૂંટણી અધિકારી ડો. સૌરભ પારઘીએ કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ જાહેર કર્યું હતું અને જે બાદ અપક્ષ સહિત 8 ઉમેદવારો પૈકી 7 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યુ હતું. જેથી સુરત બેઠક પર ઈતિહાસ રચાયો હતો અને ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ થયા હતા.
સુરતમાં પ્રતાપ દુધાત રહેશે કાં તો કુંભાણી : કોંગ્રેસ નેતા પ્રતાપ દૂધાત
અમરેલી જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દૂધાતે નિલેશ કુંભાણીને ગદ્દાર ગણાવીને કહ્યું હતું કે, હું છેલ્લાં શ્વાસ સુધી નિલેશ કુંભાણીને છોડવાનો નથી. હવે સુરતમાં કાં તો એ રહેશે કાં તો હું રહીશ. તેણે જ્યાં છુપાવું હોય છુપાઈ જાય. સી.આર.પાટીલના ઘરે જતા રહેવું હોય તો જતા રહે. હું સ્મશાન સુધી તેનો પીછો કરીશ. નિલેશ કુંભાણીએ પીઠમાં ખંજર માર્યું છે અને કુંભાણીના કારણે જ કોંગ્રેસે સુરતની બેઠક ગુમાવી છે. જો નિલેશ કુંભાણી ભાજપમાં જોડાશે તો તેનો વિરોધ થશે.
અગાઉ કોંગ્રેસ કાર્યકરો કુંભાણીના ઘરે દેખાવ કર્યો હતો
અગાઉ કોંગ્રેસના કેટલાક કાર્યકરો નિલેશ કુંભાણીના સુરત ખાતેના ઘરે પહોંચીને 'જનતાનો ગદ્દાર, લોકશાહીનો હત્યારો' તેવા બેનર લઈને દેખાવ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે સુરત લોકસભામાં કોંગ્રેસે નિલેશ કુંભાણીને ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતા. ત્યારબાદ નાટકીય રીતે નિલેશ કુંભાનીના ટેકેદાર ગાયબ થઈ ગયા હતા. જેને કારણે નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયું હતું. ત્યારબાદ ગણતરીના કલાકોમાં અન્ય આઠ ઉમેદવારોએ પણ પોતાનો ફોર્મ પર ખેંચી લેતા અને ભાજપના મુકેશ દલાલ બિનહરીફ વિજેતા જાહેર થયા હતા.