Mahudi : મહુડી મંદિરમાં ગેરરીતિના આક્ષેપ કરનાર અંકિત, જયેશ મહેતા બરતરફ

મહુડી ઘંટાકર્ણ મંદિરમાં આજે વિશેષ સાધારણ સભા યોજાઈમંદિરમાં ગેરરીતિના આક્ષેપ કરનાર બંનેને બરતરફ કરવાનો લેવાયો નિર્ણયમહુડી મંદિરમાં સોનાની કરોડોની ચોરીને લઈ કેસ હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતોમહુડી ઘંટાકર્ણ મહાવીર મંદિરમાં ગેરરીતિના આક્ષેપ કરનાર અંકિત અને જયેશ મહેતાને ટ્રસ્ટમાંથી બરતરફ કરાયા છે. મહુડીમાં આ અંગે સાધારણ સભાનું આયોજન થયું હતું. આ સાધારણ સભામાં ટ્રસ્ટમાંથી બંનેને સભ્ય પદેથી બરતરફ કરવાનો મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જો કે સ્પેશિયલ સાધારણ સભામાં લેવાયેલા આ નિર્ણય અંગે મહુડી ટ્રસ્ટના ટ્રસ્ટી ભૂપેન્દ્ર વોરાએ નિવેદન આપ્યું હતું. જેમાં તેમને કહ્યું હતું કે મહુડી ઘંટાકર્ણ મંદિરમાંથી એક ગ્રામ સોનાની ગેરરીતિ થઈ હોય તો ફાંસીએ ચઢવા તૈયાર છું. આખો કેસ શું છેગાંધીનગર ખાતે આવેલા સુપ્રસિદ્ધ મહુડી ઘંટાકર્ણ મહાવીર જિનાલયના ટ્રસ્ટી પર કૌભાંડ આચરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. મંદિરના ટ્રસ્ટીઓ પૈકી મહેતા પરિવારના ટ્રસ્ટીઓએ વોરા પરિવારના ટ્રસ્ટી ભૂપેન્દ્ર વોરા પર ગંભીર આરોપ કર્યો છે. આરોપ છે કે દાનમાં મળેલા 14 કરોડ રૂપિયાની રોકડ અને 130 કિલો સોનાની ઉચાપત કરી દેવામાં આવી છે. ઉપરાંત નોટબંધી સમયે 20 ટકા કમિશન લઈને આર્થિક નાણાકીય ઉચાપત કરી હોવાનો આરોપ લગાવાયો છે. 130 કિલો સોનું ગાયબ કર્યાનો આરોપમહેતા પરિવારના ટ્રસ્ટી અંકિત મહેતાએ જણાવ્યું કે, ટ્રસ્ટના સંધ સભ્યોની નિમણૂંક 4 પરિવારના વડીલો કરે છે. આરોપ છે કે નોટબંધી સમયે વોરા પરિવારના ભૂપેન્દ્ર વોરા અને કમલેશ મહેતાએ 20 ટકા કમિશન લઈને આર્થિક લાભ માટે નાણા બગદલ્ય છે અને 14 કરોડથી વધુની રોકડ અને 130 કિલો સોનાની ઉચાપત કરી છે. આ બાબતે ચેરિટી કમિશનરને અરજી કરવામાં આવી છે. ગેરરીતિ સામે ફરિયાદ મહુડી સંઘમાં ચાલતી ગેરરીતિઓ મામલે મહુડી સંઘના સભ્યોએ ગુજરાત રાજ્યના કાયદા વિભાગને પણ ફરિયાદ કરી છે. જેની તપાસ ચાલું છે. નોંધનીય છે કે મહુડી મંદિર જૈન અને અન્ય સમાજના લોકોમાં આસ્થાનું પ્રતિક છે. દર્શને આવનારા લોકો ઘણીવાર કિંમતી ભેટ, પૈસા અને ચઢાવા અર્પણ કરતા હોય છે. જોકે ભક્તો અને શ્રદ્ધાળુઓ દ્વારા આપવામાં આવેલી ભેટ-સોગાદોને ચોપડે લેવામાં આવી નથી. ટ્રસ્ટમાં કરોડોના ચઢાવા જમા કરાય છે પરંતુ તેને પણ ચોપડે નોંધવામાં આવતા નથી. આરોપ છે કે ગેરરીતિ છુપાવવા માટે કમલેશ મહેતા અને ભૂપેન્દ્ર વોરાએ ભંડાર પત્રક બદલ્યા છે.

Mahudi : મહુડી મંદિરમાં ગેરરીતિના આક્ષેપ કરનાર અંકિત, જયેશ મહેતા બરતરફ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • મહુડી ઘંટાકર્ણ મંદિરમાં આજે વિશેષ સાધારણ સભા યોજાઈ
  • મંદિરમાં ગેરરીતિના આક્ષેપ કરનાર બંનેને બરતરફ કરવાનો લેવાયો નિર્ણય
  • મહુડી મંદિરમાં સોનાની કરોડોની ચોરીને લઈ કેસ હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો

મહુડી ઘંટાકર્ણ મહાવીર મંદિરમાં ગેરરીતિના આક્ષેપ કરનાર અંકિત અને જયેશ મહેતાને ટ્રસ્ટમાંથી બરતરફ કરાયા છે. મહુડીમાં આ અંગે સાધારણ સભાનું આયોજન થયું હતું. આ સાધારણ સભામાં ટ્રસ્ટમાંથી બંનેને સભ્ય પદેથી બરતરફ કરવાનો મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જો કે સ્પેશિયલ સાધારણ સભામાં લેવાયેલા આ નિર્ણય અંગે મહુડી ટ્રસ્ટના ટ્રસ્ટી ભૂપેન્દ્ર વોરાએ નિવેદન આપ્યું હતું. જેમાં તેમને કહ્યું હતું કે મહુડી ઘંટાકર્ણ મંદિરમાંથી એક ગ્રામ સોનાની ગેરરીતિ થઈ હોય તો ફાંસીએ ચઢવા તૈયાર છું. 

આખો કેસ શું છે
ગાંધીનગર ખાતે આવેલા સુપ્રસિદ્ધ મહુડી ઘંટાકર્ણ મહાવીર જિનાલયના ટ્રસ્ટી પર કૌભાંડ આચરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. મંદિરના ટ્રસ્ટીઓ પૈકી મહેતા પરિવારના ટ્રસ્ટીઓએ વોરા પરિવારના ટ્રસ્ટી ભૂપેન્દ્ર વોરા પર ગંભીર આરોપ કર્યો છે. આરોપ છે કે દાનમાં મળેલા 14 કરોડ રૂપિયાની રોકડ અને 130 કિલો સોનાની ઉચાપત કરી દેવામાં આવી છે. ઉપરાંત નોટબંધી સમયે 20 ટકા કમિશન લઈને આર્થિક નાણાકીય ઉચાપત કરી હોવાનો આરોપ લગાવાયો છે.

130 કિલો સોનું ગાયબ કર્યાનો આરોપ
મહેતા પરિવારના ટ્રસ્ટી અંકિત મહેતાએ જણાવ્યું કે, ટ્રસ્ટના સંધ સભ્યોની નિમણૂંક 4 પરિવારના વડીલો કરે છે. આરોપ છે કે નોટબંધી સમયે વોરા પરિવારના ભૂપેન્દ્ર વોરા અને કમલેશ મહેતાએ 20 ટકા કમિશન લઈને આર્થિક લાભ માટે નાણા બગદલ્ય છે અને 14 કરોડથી વધુની રોકડ અને 130 કિલો સોનાની ઉચાપત કરી છે. આ બાબતે ચેરિટી કમિશનરને અરજી કરવામાં આવી છે.
ગેરરીતિ સામે ફરિયાદ
મહુડી સંઘમાં ચાલતી ગેરરીતિઓ મામલે મહુડી સંઘના સભ્યોએ ગુજરાત રાજ્યના કાયદા વિભાગને પણ ફરિયાદ કરી છે. જેની તપાસ ચાલું છે. નોંધનીય છે કે મહુડી મંદિર જૈન અને અન્ય સમાજના લોકોમાં આસ્થાનું પ્રતિક છે. દર્શને આવનારા લોકો ઘણીવાર કિંમતી ભેટ, પૈસા અને ચઢાવા અર્પણ કરતા હોય છે. જોકે ભક્તો અને શ્રદ્ધાળુઓ દ્વારા આપવામાં આવેલી ભેટ-સોગાદોને ચોપડે લેવામાં આવી નથી. ટ્રસ્ટમાં કરોડોના ચઢાવા જમા કરાય છે પરંતુ તેને પણ ચોપડે નોંધવામાં આવતા નથી. આરોપ છે કે ગેરરીતિ છુપાવવા માટે કમલેશ મહેતા અને ભૂપેન્દ્ર વોરાએ ભંડાર પત્રક બદલ્યા છે.