Loksabha Election: સી.આર.પાટીલ આજે વિજયમુહૂર્તમાં ભરશે ઉમેદવારી ફોર્મ

નવસારી બેઠક પરથી ઉમેદવારી નોંધાવશે પાટીલ 12:39ના વિજયમુહૂર્તમાં પાટીલ ભરશે ફોર્મ ગઇકાલે વિજયમુહૂર્ત ચૂક્યા હતા પાટીલ સી.આર.પાટીલ આજે ઉમેદવારી ફોર્મ ભરશે. જેમાં નવસારી બેઠક પરથી પાટીલ ઉમેદવારી નોંધાવશે. તેમજ 12:39ના વિજયમુહૂર્તમાં પાટીલ ફોર્મ ભરશે. જેમાં નવસારી કલેક્ટર કચેરીમાં ફોર્મ ભરવાની કામગીરી કરવામાં આવશે. ત્રીજા તબક્કામાં ફોર્મ ભરવાનો અંતિમ દિવસ લોકશાહીના સૌથી મોટા પર્વ એવા લોકસભાની ચૂંટણીનું પ્રથમ તબક્કાનું આજે મતદાન યોજાઇ રહ્યું છે. તો બીજી તરફ આજે ત્રીજા તબક્કામાં ફોર્મ ભરવાના અંતિમ દિવસે ભાજપના દિગ્ગજ નેતાઓ આજે ઉમેદવારી પત્ર ભરશે. ગઇકાલે ભાજપ પદેશ પ્રમુખ સી.આર.પાટીલે ભવ્ય રોડ-શો યોજ્યો હતો. નવસારીના લોકસભા બેઠકના ઉમેદવાર તરીકે ઉમેદવારી ફોર્મ ભરવાના હતા. જેમાં રોડ-શોમાં ભારે ભીડ હોવાને કારણે સી.આર.પાટીલ વિજય મૂહુર્તમાં સ્થળ પર પહોંચી શક્યા નહોતા. જેથી આજે ઉમેદવારી ફોર્મ ભરશે. સી.આર. પાટીલે નવસારીમાં વિજય સંકલ્પ રેલી યોજી હતી ઉલ્લેખનીય છે કે, સી.આર. પાટીલે નવસારીમાં વિજય સંકલ્પ રેલી યોજી હતી. આ રોડ શોમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી સહિતના નેતાઓ અને કાર્યકર્તા જોડાયા હતા. ત્યારે સી. આર. પાટીલની રેલીમાં લોકગાયક ગીતાબેન રબારી અને કીર્તિદાન ગઢવીએ ગીતોની રમઝટ બોલાવી હતી. આ દરમિયાન રેલીમાં હાજર કાર્યકર્તા ઉત્સાહિત થઈ ગયા હતાં. 

Loksabha Election: સી.આર.પાટીલ આજે વિજયમુહૂર્તમાં ભરશે ઉમેદવારી ફોર્મ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • નવસારી બેઠક પરથી ઉમેદવારી નોંધાવશે પાટીલ
  • 12:39ના વિજયમુહૂર્તમાં પાટીલ ભરશે ફોર્મ
  • ગઇકાલે વિજયમુહૂર્ત ચૂક્યા હતા પાટીલ

સી.આર.પાટીલ આજે ઉમેદવારી ફોર્મ ભરશે. જેમાં નવસારી બેઠક પરથી પાટીલ ઉમેદવારી નોંધાવશે. તેમજ 12:39ના વિજયમુહૂર્તમાં પાટીલ ફોર્મ ભરશે. જેમાં નવસારી કલેક્ટર કચેરીમાં ફોર્મ ભરવાની કામગીરી કરવામાં આવશે.

ત્રીજા તબક્કામાં ફોર્મ ભરવાનો અંતિમ દિવસ

લોકશાહીના સૌથી મોટા પર્વ એવા લોકસભાની ચૂંટણીનું પ્રથમ તબક્કાનું આજે મતદાન યોજાઇ રહ્યું છે. તો બીજી તરફ આજે ત્રીજા તબક્કામાં ફોર્મ ભરવાના અંતિમ દિવસે ભાજપના દિગ્ગજ નેતાઓ આજે ઉમેદવારી પત્ર ભરશે. ગઇકાલે ભાજપ પદેશ પ્રમુખ સી.આર.પાટીલે ભવ્ય રોડ-શો યોજ્યો હતો. નવસારીના લોકસભા બેઠકના ઉમેદવાર તરીકે ઉમેદવારી ફોર્મ ભરવાના હતા. જેમાં રોડ-શોમાં ભારે ભીડ હોવાને કારણે સી.આર.પાટીલ વિજય મૂહુર્તમાં સ્થળ પર પહોંચી શક્યા નહોતા. જેથી આજે ઉમેદવારી ફોર્મ ભરશે.

સી.આર. પાટીલે નવસારીમાં વિજય સંકલ્પ રેલી યોજી હતી

ઉલ્લેખનીય છે કે, સી.આર. પાટીલે નવસારીમાં વિજય સંકલ્પ રેલી યોજી હતી. આ રોડ શોમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી સહિતના નેતાઓ અને કાર્યકર્તા જોડાયા હતા. ત્યારે સી. આર. પાટીલની રેલીમાં લોકગાયક ગીતાબેન રબારી અને કીર્તિદાન ગઢવીએ ગીતોની રમઝટ બોલાવી હતી. આ દરમિયાન રેલીમાં હાજર કાર્યકર્તા ઉત્સાહિત થઈ ગયા હતાં.