'AMC સરખી રીતે ફરજ નહીં બજાવે તો...', વરસાદથી પ્રજાને થતી હાલાકી પર ગુજરાત હાઈકોર્ટ લાલઘૂમ

Gujarat High Court Slams AMC: રખડતા ઢોર, બિસ્માર રસ્તાઓ, ફુટપાથ પર ગેરકાયદે દબાણો સહતિના મુદ્દે  ગુજરાત હાઈકોર્ટમાં ગુરૂવારે (25મી જુલાઈ) સુનાવણી થઈ હતી. હાઈકોર્ટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ ઓથોરીટીને ફટકાર લગાવી હતી. જસ્ટિસ એ.વાય.કોગજે અને જસ્ટિસ સમીર જે. દવેની ખંડપીઠે જણાવ્યું હતું કે, 'શહેરના ખરાબ રસ્તાઓ અને ભુવાઓ મુદ્દે એ.એમ.સી.નું યોગ્ય મોનીટરીંગ નહીં હોવાથી ચાર ઈંચ વરસાદમાંય નાગરિકો હેરાન થઈ જાય છે. શું કોર્પોરેશનના અધિકારી- કર્મચારીઓ પગાર નથી લેતા? જો તેમનો પગાર સમયસર થતો હોય! તો શહેરમાં રોડ-રસ્તાનું કામ પણ સતત ચાલુ રહે અને પ્રજાની સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ લાવવું તમારી ફરજ છે.ગુજરાત હાઈકોર્ટ AMCની ઝાટકણી કાઢીગુજરાત હાઈકોર્ટે જણાવ્યું હતું કે, 'લોકો ટેક્સ ભરે છે તો જેઓ ટેક્સ ભરે છે તેમને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને સારી સુવિધા પૂરી પાડવી જોઈએ. રોડ-રસ્તા બનાવવા હલકુ મટીરીયલ વપરાય છે અને આડેધડ કોમગીરીના કારણે ભુવાઓ પડે છે. બંધારણમાં લોકોને સારૂં જીવન જીવવાનો અધિકાર બક્ષાયો છે. ઓથોરીટી જો તેની ફરજ નહીં નિભાવે તો કોર્ટ આદેશ આપશે.'બીજી તરફ એડવોકેટ અમિત પંચાલે કોર્ટનું ધ્યાન દોરતાં જણાવ્યું હતું, 'શહેરમાં રખડતા ઢોરોના ત્રાસ, બિસ્માર રસ્તાઓ, જાહેર માર્ગો અને ફુટપાથ પર લારી-ફેરિયાવાળાના ગેરકાયદે દબાણો અને અનઅધિકૃત પાર્કિંગ સહિતના મુદ્દાઓ હાઈકોર્ટે વારંવારના આદેશો જારી કર્યા હોવાછતાં તેનું એ.એમ.સી., પોલીસ અને સરકારના સત્તાવાળાઓ દ્વારા પાલન કરાતુ જ નથી. તેથી આ સત્તાધીશો કોર્ટના તિરસ્કારને પાત્ર  છે અને તેથી હાઈકોર્ટે આ તમામ સત્તાવાળાઓ સામે કાર્યવાહી કરવી જોઈએ. એ.એમ.સી. અને સત્તાવાળાઓને દર વખતે મોકો આપીશકાય નહી.'એડવોકેટ અમિત પંચાલે જણાવ્યું હતું કે, 'ખુદ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ચુકાદા છે કે, શહેરના માર્ગો અને ફુટપાથ રાહદારીઓ અને વાહનચાલકો માટે છે, લારી- ગલ્લાવાળા, પાથરણાંવાળા માટે ગેરકાયદે પાર્કિંગ માટે નથી. તેમછતાં આ ચુકાદાઓનું પાલન જ થતુ નથી અને હજુ પણ શહેરમાં ટ્રાફિકની ગંભીર સમસ્યા અને ફુટપાથ પર ગેરકાયદે પાર્કિંગ-દબાણોની સમસ્યા યથાવત્ છે.' હાઈકોર્ટે જણાવ્યું કે, 'અમે એક પછી એક મુદ્દાને હાથ પર લઈશું, ચિંતા ના કરો.'અમદાવાદમાં ચાર ઈંચ વરસાદમાં બધે પાણી જ પાણી થઈ જાય છે: હાઈકોર્ટજસ્ટિસ એ.વાય.કોગજે અને જસ્ટિસ સમીર જે.દવેની ખંડપીઠે સરકારપક્ષ અને એ.એમ.સી. સત્તાધીશોને માર્મિક ટકોર કરતાં જણાવ્યું હતું કે, 'હાલમાં એવું જોવામાં આવી રહ્યુ છે રાજ્યમાં સરેરાશ વરસાદ ચાર ઈંચ કે તેથી વધુ વધારે પડે છે અને ચાર ઈંચ વરસાદમાં તો બધે પાણી-પાણી થઈ જાય છે અને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. તો આ બાબતે રાજ્ય સરકારે વિચારવું જોઈએ. કારણ કે જો વાદળ ફાટે કે 20 ઈંચ વરસાદ પડે તો સમજી શકાય છે. પરંતુ ચાર ઈંચ વરસાદમાં આવું થાય છે તો રાજ્ય સરકારે સરેરાશ ચાર ઇંચ વરસાદના પોલિસી બનાવવા માટે વિચારવું જોઇએ.'ટ્રાફિકની સમસ્યા અને ગોકુળિયા ગામની કલ્પના મુદ્દે હાઈકોર્ટેનો કટાક્ષટ્રાફિકની સમસ્યા અંગે હાઈકોર્ટે જણાવ્યું હતું કે, 'આ કેસમાં બીજા ઘણાં મુદ્દાઓ છે, અમે સ્ટેપ બાય સ્ટેપ હીયરીંગ કરવાના છીએ. જેમાં ટ્રાફિક સમસ્યા અને ગોકુળિયુ ગામ(ગોકુળિયા ગામ એટલે હવે શ્રાવણ માસને બીજા તહેવારો સળંગ ચાલશે અને તે દરમિયાન ગાયોને ઘાસ ખવડાવવાથી બીજા પુણ્યકાર્યો ચાલશે, તેમાં પશુપાલકોના જ માણસો તેમની જ ગાયોને ઉભી રાખી, તેમના જ માણસો ઘાસ વૈચે અને તેમની ગાયોને ખવડાવે) પણ હતુ. એમ કહી ગર્ભિત કટાક્ષ કર્યો હતો. તમે એક બે મુદ્દા પર કે જગ્યાએ નહી પરંતુ તમામ સ્તરે સંપૂર્ણતઃ પગલા લેવાય એવું અદાલત ઇચ્છે છે.'ઢોરમાલિકો ટીમો પર હુમલા નહીં થાય તેવી ખાતરી કેમ નથી આપતા: હાઈકોર્ટહાઇકોર્ટનું એ મુદ્દે પણ ધ્યાન દોરાયું હતું કે, અમ્યુકો કે નગરપાલિકાઓની ટીમો ઢોર પકડવા જાય ત્યારે ઢોરમાલિકો દ્વારા ટીમના કર્મચારીઓ પર હુમલાઓ કરાય છે અને તેઓને ગંભીર ઈજાઓ પહોંચાડાય છે એમ કહી, વડોદરા, અમદાવાદ સહિતના વિવિધ સ્થળોના બનાવો કોર્ટ ધ્યાન પર મૂકાયા હતા. ઢોર માલિકો બચાવ કરવા ગયા તો હાઇકોર્ટે સાફ શબ્દોમાં કહ્યું હતું કે, 'ઢોરમાલિકો ટીમો પર હુમલા નહીં કરાય તેની ખાતરી કેમ નથી આપતા..? તમારે ગંભીરતા પૂર્વક જવાબદારી સમજવી જોઈએ. હાઈકોર્ટે ઢોર માલિકોને ફરી એકવાર ગર્ભિત સંકેત આપી દીધો હતો.'શેલાના ભુવા મુદ્દે અમ્યુકોની પોલ હાઇકોર્ટે ખુલ્લી પાડીએ.અમ.સી.એ જવાબ રજૂ કરી રોડ રસ્તા, ખાડા-ભુવાને લઇ કામગીરી કરી હોવાના દાવા કર્યા હતા, જેમાં શેલામાં પડેલા મોટા ભુવાને પૂરી દેવાયો છે અને તે રોડ પર ટ્રાફિક શરૂ થઈ ગયો હોવાની વાત કરતાં હાઈકોર્ટે કહ્યું હતું કે, 'આ વાત ખોટી છે, ત્યાં રોડ પર વાહનોની અવરજવર શરૂ નથી.' એ.એમ.સીની પોલ ખુલ્લી પડી જતાં તેમણે સ્વીકાર્યું હતુ કે, એક જ બાજુનો રસ્તો ખુલ્લો છે.કોર્પોરેશનના દાવાને ખુલ્લા પાડતાં હાઈકોર્ટે ટકોર કરી હતી કે, 'તમે કહો છો કે, અમે ખાડા-ભુવા પૂરી દઈએ છીએ અને ઝડપથી કામગીરી કરીએ છીએ. પરંતુ શહેરમાં આવા ખાડા-ભુવાઓ પડે છે જ કેમ..? તમારી પાસે એન્જિનિયર હોવા છતાં થર્ડ પાર્ટી ટેન્ડર આપી રોડ-રસ્તાની કામગીરી થાય છે તો તમારા એન્જિનયિરો શું કરે છે?' 

'AMC સરખી રીતે ફરજ નહીં બજાવે તો...', વરસાદથી પ્રજાને થતી હાલાકી પર ગુજરાત હાઈકોર્ટ લાલઘૂમ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Gujarat High Court Slams AMC: રખડતા ઢોર, બિસ્માર રસ્તાઓ, ફુટપાથ પર ગેરકાયદે દબાણો સહતિના મુદ્દે  ગુજરાત હાઈકોર્ટમાં ગુરૂવારે (25મી જુલાઈ) સુનાવણી થઈ હતી. હાઈકોર્ટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ ઓથોરીટીને ફટકાર લગાવી હતી. જસ્ટિસ એ.વાય.કોગજે અને જસ્ટિસ સમીર જે. દવેની ખંડપીઠે જણાવ્યું હતું કે, 'શહેરના ખરાબ રસ્તાઓ અને ભુવાઓ મુદ્દે એ.એમ.સી.નું યોગ્ય મોનીટરીંગ નહીં હોવાથી ચાર ઈંચ વરસાદમાંય નાગરિકો હેરાન થઈ જાય છે. શું કોર્પોરેશનના અધિકારી- કર્મચારીઓ પગાર નથી લેતા? જો તેમનો પગાર સમયસર થતો હોય! તો શહેરમાં રોડ-રસ્તાનું કામ પણ સતત ચાલુ રહે અને પ્રજાની સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ લાવવું તમારી ફરજ છે.

ગુજરાત હાઈકોર્ટ AMCની ઝાટકણી કાઢી

ગુજરાત હાઈકોર્ટે જણાવ્યું હતું કે, 'લોકો ટેક્સ ભરે છે તો જેઓ ટેક્સ ભરે છે તેમને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને સારી સુવિધા પૂરી પાડવી જોઈએ. રોડ-રસ્તા બનાવવા હલકુ મટીરીયલ વપરાય છે અને આડેધડ કોમગીરીના કારણે ભુવાઓ પડે છે. બંધારણમાં લોકોને સારૂં જીવન જીવવાનો અધિકાર બક્ષાયો છે. ઓથોરીટી જો તેની ફરજ નહીં નિભાવે તો કોર્ટ આદેશ આપશે.'

બીજી તરફ એડવોકેટ અમિત પંચાલે કોર્ટનું ધ્યાન દોરતાં જણાવ્યું હતું, 'શહેરમાં રખડતા ઢોરોના ત્રાસ, બિસ્માર રસ્તાઓ, જાહેર માર્ગો અને ફુટપાથ પર લારી-ફેરિયાવાળાના ગેરકાયદે દબાણો અને અનઅધિકૃત પાર્કિંગ સહિતના મુદ્દાઓ હાઈકોર્ટે વારંવારના આદેશો જારી કર્યા હોવાછતાં તેનું એ.એમ.સી., પોલીસ અને સરકારના સત્તાવાળાઓ દ્વારા પાલન કરાતુ જ નથી. તેથી આ સત્તાધીશો કોર્ટના તિરસ્કારને પાત્ર  છે અને તેથી હાઈકોર્ટે આ તમામ સત્તાવાળાઓ સામે કાર્યવાહી કરવી જોઈએ. એ.એમ.સી. અને સત્તાવાળાઓને દર વખતે મોકો આપીશકાય નહી.'

એડવોકેટ અમિત પંચાલે જણાવ્યું હતું કે, 'ખુદ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ચુકાદા છે કે, શહેરના માર્ગો અને ફુટપાથ રાહદારીઓ અને વાહનચાલકો માટે છે, લારી- ગલ્લાવાળા, પાથરણાંવાળા માટે ગેરકાયદે પાર્કિંગ માટે નથી. તેમછતાં આ ચુકાદાઓનું પાલન જ થતુ નથી અને હજુ પણ શહેરમાં ટ્રાફિકની ગંભીર સમસ્યા અને ફુટપાથ પર ગેરકાયદે પાર્કિંગ-દબાણોની સમસ્યા યથાવત્ છે.' હાઈકોર્ટે જણાવ્યું કે, 'અમે એક પછી એક મુદ્દાને હાથ પર લઈશું, ચિંતા ના કરો.'

અમદાવાદમાં ચાર ઈંચ વરસાદમાં બધે પાણી જ પાણી થઈ જાય છે: હાઈકોર્ટ

જસ્ટિસ એ.વાય.કોગજે અને જસ્ટિસ સમીર જે.દવેની ખંડપીઠે સરકારપક્ષ અને એ.એમ.સી. સત્તાધીશોને માર્મિક ટકોર કરતાં જણાવ્યું હતું કે, 'હાલમાં એવું જોવામાં આવી રહ્યુ છે રાજ્યમાં સરેરાશ વરસાદ ચાર ઈંચ કે તેથી વધુ વધારે પડે છે અને ચાર ઈંચ વરસાદમાં તો બધે પાણી-પાણી થઈ જાય છે અને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. તો આ બાબતે રાજ્ય સરકારે વિચારવું જોઈએ. કારણ કે જો વાદળ ફાટે કે 20 ઈંચ વરસાદ પડે તો સમજી શકાય છે. પરંતુ ચાર ઈંચ વરસાદમાં આવું થાય છે તો રાજ્ય સરકારે સરેરાશ ચાર ઇંચ વરસાદના પોલિસી બનાવવા માટે વિચારવું જોઇએ.'

ટ્રાફિકની સમસ્યા અને ગોકુળિયા ગામની કલ્પના મુદ્દે હાઈકોર્ટેનો કટાક્ષ

ટ્રાફિકની સમસ્યા અંગે હાઈકોર્ટે જણાવ્યું હતું કે, 'આ કેસમાં બીજા ઘણાં મુદ્દાઓ છે, અમે સ્ટેપ બાય સ્ટેપ હીયરીંગ કરવાના છીએ. જેમાં ટ્રાફિક સમસ્યા અને ગોકુળિયુ ગામ(ગોકુળિયા ગામ એટલે હવે શ્રાવણ માસને બીજા તહેવારો સળંગ ચાલશે અને તે દરમિયાન ગાયોને ઘાસ ખવડાવવાથી બીજા પુણ્યકાર્યો ચાલશે, તેમાં પશુપાલકોના જ માણસો તેમની જ ગાયોને ઉભી રાખી, તેમના જ માણસો ઘાસ વૈચે અને તેમની ગાયોને ખવડાવે) પણ હતુ. એમ કહી ગર્ભિત કટાક્ષ કર્યો હતો. તમે એક બે મુદ્દા પર કે જગ્યાએ નહી પરંતુ તમામ સ્તરે સંપૂર્ણતઃ પગલા લેવાય એવું અદાલત ઇચ્છે છે.'

ઢોરમાલિકો ટીમો પર હુમલા નહીં થાય તેવી ખાતરી કેમ નથી આપતા: હાઈકોર્ટ

હાઇકોર્ટનું એ મુદ્દે પણ ધ્યાન દોરાયું હતું કે, અમ્યુકો કે નગરપાલિકાઓની ટીમો ઢોર પકડવા જાય ત્યારે ઢોરમાલિકો દ્વારા ટીમના કર્મચારીઓ પર હુમલાઓ કરાય છે અને તેઓને ગંભીર ઈજાઓ પહોંચાડાય છે એમ કહી, વડોદરા, અમદાવાદ સહિતના વિવિધ સ્થળોના બનાવો કોર્ટ ધ્યાન પર મૂકાયા હતા. ઢોર માલિકો બચાવ કરવા ગયા તો હાઇકોર્ટે સાફ શબ્દોમાં કહ્યું હતું કે, 'ઢોરમાલિકો ટીમો પર હુમલા નહીં કરાય તેની ખાતરી કેમ નથી આપતા..? તમારે ગંભીરતા પૂર્વક જવાબદારી સમજવી જોઈએ. હાઈકોર્ટે ઢોર માલિકોને ફરી એકવાર ગર્ભિત સંકેત આપી દીધો હતો.'

શેલાના ભુવા મુદ્દે અમ્યુકોની પોલ હાઇકોર્ટે ખુલ્લી પાડી

એ.અમ.સી.એ જવાબ રજૂ કરી રોડ રસ્તા, ખાડા-ભુવાને લઇ કામગીરી કરી હોવાના દાવા કર્યા હતા, જેમાં શેલામાં પડેલા મોટા ભુવાને પૂરી દેવાયો છે અને તે રોડ પર ટ્રાફિક શરૂ થઈ ગયો હોવાની વાત કરતાં હાઈકોર્ટે કહ્યું હતું કે, 'આ વાત ખોટી છે, ત્યાં રોડ પર વાહનોની અવરજવર શરૂ નથી.' એ.એમ.સીની પોલ ખુલ્લી પડી જતાં તેમણે સ્વીકાર્યું હતુ કે, એક જ બાજુનો રસ્તો ખુલ્લો છે.

કોર્પોરેશનના દાવાને ખુલ્લા પાડતાં હાઈકોર્ટે ટકોર કરી હતી કે, 'તમે કહો છો કે, અમે ખાડા-ભુવા પૂરી દઈએ છીએ અને ઝડપથી કામગીરી કરીએ છીએ. પરંતુ શહેરમાં આવા ખાડા-ભુવાઓ પડે છે જ કેમ..? તમારી પાસે એન્જિનિયર હોવા છતાં થર્ડ પાર્ટી ટેન્ડર આપી રોડ-રસ્તાની કામગીરી થાય છે તો તમારા એન્જિનયિરો શું કરે છે?'