Ahmedabad Jagannath મંદિરમાં નેત્રોત્સવ પર ભજન, ભોજન અને ભક્તોનો ત્રિવેણી સંગમ

કાશી, મથુરા, વૃંદાવનના સાધુ સંતો પણ જોડાયા કાળી રોટી, ધોળી દાળના પ્રસાદનું છે અનેરું મહત્વ 20 હજાર સંતો અને ભાવિક ભક્તો માટે ભંડારાનું આયોજન અમદાવાદમાં જગન્નાથ મંદિરમાં ભગવાનની નેત્રોત્સવ વિધિ સાથે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અમદાવાદમાં ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા યોજાશે. તેમાં આજે નેત્રોત્સવ પર ભજન, ભોજન, ભક્તોનો ત્રિવેણી સંગમ યોજાયો છે. જેમાં કાશી, મથુરા, વૃંદાવનના સાધુ સંતો પણ જોડાયા છે. તેમજ કાળી રોટી, ધોળી દાળના પ્રસાદનું અનેરું મહત્વ છે. જગન્નાથ મંદિરમાં ભગવાનની નેત્રોત્સવ વિધિ યોજાઇ જગન્નાથ મંદિરમાં ભગવાનની નેત્રોત્સવ વિધિ યોજાઇ છે. તે સાથે જ મંદિરમાં ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 20 હજાર સંતો અને ભાવિક ભક્તો માટે ભંડારાનું આયોજન કરાયુ છે. તેમાં 5-5 હજાર કિલો ચણા અને બટાકાનું શાક બનાવાયુ છે. 3 હજાર કિલો ભજીયા ભંડારા માટે તૈયાર કરાયા છે. 10 હજાર લીટર દૂધપાક ભંડારા માટે તૈયાર કરાયો છે. તેમજ 10 હજાર લીટર કઢી ભંડારા માટે તૈયાર કરાઈ છે. 3 હજાર કિલો લોટનાં માલપુઆ ભંડારા માટે તૈયાર કર્યા છે. તેમજ 1 હજાર કિલો લોટની પૂરી ભંડારા માટે તૈયાર કરાઈ છે. તથા 1 હજાર કિલો ભાત ભંડારા માટે તૈયાર કરાયા છે. જાણો નેત્રોત્સવ વિધિ કોને કહેવાય છે ભગવાન જગન્નાથજી સરસપુરમાં મોસાળમાં હતા અને મોસાળમાંથી ભગવાન આજે નિજ મંદિરમાં પરત ફર્યા છે. રથયાત્રાના 15 દિવસ પહેલા ભગવાન પોતાના મોસાળમાં જાય છે અને તે દરમિયાન તે મામાના ઘરે મીઠાઈઓ અને જાંબુ ખુબ વધારે પ્રમાણમાં આરોગે છે, જેના કારણે તેમને આંખ આવી જાય છે. ત્યારબાદ ભગવાન જગન્નાથ ફરી પરત નિજ મંદિર ફરે છે. જો કે તેમને આંખ આવેલી હોવાથી આરામ મળે તે માટે તેમના આંખ પર પાટા બાંધી દેવામાં આવે છે. જેથી ભગવાનને મંદિરમાં પ્રવેશ પછી તેમની આંખો પર પાટા બાંધી રાખવામાં આવે છે. આ વિધિને નેત્રોત્સવ વિધિ કહેવામાં આવે છે.

Ahmedabad Jagannath મંદિરમાં નેત્રોત્સવ પર ભજન, ભોજન અને ભક્તોનો ત્રિવેણી સંગમ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • કાશી, મથુરા, વૃંદાવનના સાધુ સંતો પણ જોડાયા
  • કાળી રોટી, ધોળી દાળના પ્રસાદનું છે અનેરું મહત્વ
  • 20 હજાર સંતો અને ભાવિક ભક્તો માટે ભંડારાનું આયોજન

અમદાવાદમાં જગન્નાથ મંદિરમાં ભગવાનની નેત્રોત્સવ વિધિ સાથે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અમદાવાદમાં ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા યોજાશે. તેમાં આજે નેત્રોત્સવ પર ભજન, ભોજન, ભક્તોનો ત્રિવેણી સંગમ યોજાયો છે. જેમાં કાશી, મથુરા, વૃંદાવનના સાધુ સંતો પણ જોડાયા છે. તેમજ કાળી રોટી, ધોળી દાળના પ્રસાદનું અનેરું મહત્વ છે.

જગન્નાથ મંદિરમાં ભગવાનની નેત્રોત્સવ વિધિ યોજાઇ

જગન્નાથ મંદિરમાં ભગવાનની નેત્રોત્સવ વિધિ યોજાઇ છે. તે સાથે જ મંદિરમાં ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 20 હજાર સંતો અને ભાવિક ભક્તો માટે ભંડારાનું આયોજન કરાયુ છે. તેમાં 5-5 હજાર કિલો ચણા અને બટાકાનું શાક બનાવાયુ છે. 3 હજાર કિલો ભજીયા ભંડારા માટે તૈયાર કરાયા છે. 10 હજાર લીટર દૂધપાક ભંડારા માટે તૈયાર કરાયો છે. તેમજ 10 હજાર લીટર કઢી ભંડારા માટે તૈયાર કરાઈ છે. 3 હજાર કિલો લોટનાં માલપુઆ ભંડારા માટે તૈયાર કર્યા છે. તેમજ 1 હજાર કિલો લોટની પૂરી ભંડારા માટે તૈયાર કરાઈ છે. તથા 1 હજાર કિલો ભાત ભંડારા માટે તૈયાર કરાયા છે.

જાણો નેત્રોત્સવ વિધિ કોને કહેવાય છે

ભગવાન જગન્નાથજી સરસપુરમાં મોસાળમાં હતા અને મોસાળમાંથી ભગવાન આજે નિજ મંદિરમાં પરત ફર્યા છે. રથયાત્રાના 15 દિવસ પહેલા ભગવાન પોતાના મોસાળમાં જાય છે અને તે દરમિયાન તે મામાના ઘરે મીઠાઈઓ અને જાંબુ ખુબ વધારે પ્રમાણમાં આરોગે છે, જેના કારણે તેમને આંખ આવી જાય છે. ત્યારબાદ ભગવાન જગન્નાથ ફરી પરત નિજ મંદિર ફરે છે. જો કે તેમને આંખ આવેલી હોવાથી આરામ મળે તે માટે તેમના આંખ પર પાટા બાંધી દેવામાં આવે છે. જેથી ભગવાનને મંદિરમાં પ્રવેશ પછી તેમની આંખો પર પાટા બાંધી રાખવામાં આવે છે. આ વિધિને નેત્રોત્સવ વિધિ કહેવામાં આવે છે.