રાજયમાં મોટાભાગના શહેરોનું તાપમાન 37 ડિગ્રીને પાર પહોચ્યું

રાજયમાં ગરમીનો પ્રકોપ દિવસેને દિવસે વધતો જાય છે 3 શહેરોમાં તાપમાન 39 ડિગ્રીને પાર પહોચ્યું સૌથી વધુ તાપમાન કેશોદમાં 39.4 ડિગ્રી નોંધાયુ રાજયમાં કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ચૂકી છે,અને ગરમીની શરૂઆત થતાની સાથે જ લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે.છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ તાપમાન જૂનાગઢના કેશોદમાં 39.4 ડિગ્રી નોંધાયું છે,તો મોટા ભાગના શહેરોમાં ગરમીનું તાપમાન 37 ડિગ્રીને પાર પહોચીં ગયુ છે,બપોરના સમયે શહેરીજનોએ કામ સિવાય બહાર નિકળવાનું ટાળવું જોઈએ. છેલ્લા 24 કલાકમાં નોંધાયેલ તાપમાન હવામાન વિભાગની આગાહી મૂજબ વાત કરીએ તો ગરમીનું સૌથી વધુ તાપમાન કેશોદમાં નોંધાયું છે,તો ત્રણ શહેર એવા છે કે જયા ગરમીનો પારો 39 ડિગ્રીને પાર પહોચી ગયો છે.અમરેલી અને મહુવામાં 39.2 ડિગ્રી તાપમાન,અમદાવાદમાં 37.4 ડિગ્રી,રાજકોટમાં 38.4 ડિગ્રી,વડોદરામાં 37.4 ડિગ્રી, સુરત 37.2 ડિગ્રી,ગાંધીનગર 35.3 ડિગ્રી,ડીસા 32.9 ડિગ્રી,વડોદરા 37.4 ડિગ્રી,સુરત 37.2 ડિગ્રી,અમરેલી 39.2 ડિગ્રી,ભાવનગર 37.2 ડિગ્રી,રાજકોટ 38.4 ડિગ્રી,સુરેન્દ્રનગર 37.1 ડિગ્રી,મહુવા 39.2 ડિગ્રી,ભુજ 34.6 ડિગ્રી,કંડલા 35.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. IMD વિભાગની આગાહી દેશનો મોટા ભાગની વિસ્તારોમાં કાળઝાળ ગરમીથી લોકો ત્રસ્ત છે. દરમિયાન હવામાનશાસ્ત્રીઓએ આશા વ્યક્ત કરી છે કે આ વર્ષે ચોમાસામાં સારો વરસાદ પડી શકે છે. ભારતીય હવામાન વિભાગે આગાહી કરી છે કે, આ વર્ષે મોટા પાયે વાતાવરણમાં થઇ રહલા ફેરફારના કારણે દક્ષિણ-પશ્ચિમ ચોમાસા માટે અનુકૂળ છે.સેન્ટ્રલ પેસિફિક મહાસાગરના વોર્મિંગનો ઉલ્લેખ કરતા મહાપાત્રાએ કહ્યું કે, આ વર્ષે જૂનની શરૂઆત સુધીમાં અલ નીનોની અસર ઓછી થતી જણાઈ રહી છે. જુલાઈ-સપ્ટેમ્બરમાં લા નીનાની સ્થિતિ જોવા મળી શકે છે. મધ્ય પેસિફિક મહાસાગરના ઠંડકની ઘટનાને લા નીના કહેવામાં આવે છે. મજબૂત અલ નીનો ઘટના નબળા ચોમાસાની સ્થિતિમાં પરિણમે છે, જે ભારતના દક્ષિણ-પૂર્વ એશિયા ક્ષેત્રમાં દુષ્કાળ તરફ દોરી જાય છે, જ્યારે લા નીનાની ઘટના ભારતમાં સારા ચોમાસાના વરસાદ તરફ દોરી જાય છે. હીટવેવથી બચવા શું કરવું 1-હીટવેવને લીધે લોકોને સાવચેત રહેવા અપીલ 2-બપોરના સમયે જરૂર વિના બહાર ન નિકળવા સુચન 3-પાણી, લીંબુ સરબતનું સેવન વધુ કરવા સુચન 4-તાપથી બચવા મોઢે રૂમાલ કે હેલમેટનો ઉપયોગ કરો હાઈડ્રેટેડ રહો ગરમીમાં શરીરમાં પરસેવો વધુ નીકળે છે. આ કારણોસર જો વધુ પાણી પીવામાં ના આવે તો શરીરમાં પાણી ઓછું થઈ શકે છે, જેથી લૂ’ લાગવાની અને હીટ સ્ટ્રોકની સંભાવના રહે છે. જેથી ગરમીમાં લિક્વિડનું વધુ સેવન કરવું જોઈએ. હાઈડ્રેટેડ રહેવા માટે પાણી તથા ઠંડા પીણાનું સેવન કરવું. ડિહાઈડ્રેશન થાય તો ચક્કર આવવા, થાક લાગવા જેવી સમસ્યા થઈ શકો છો. જયુસ અને નારિયેળ પાણીનું સેવન કરોગરમીમાં સ્વસ્થ રહેવું જરૂરી છે. શરીરને અંદરથી ઠંડક આપવી ખૂબ જ જરૂરી છે. આ કારણોસર ગરમીમાં નારિયેળ પાણીની સાથે મોસંબીનું જ્યૂસ અને સંતરાના જ્યૂસનું સેવન કરો.વિટામીન C યુક્ત ફળનું સેવન કરો ભીષણ ગરમીથી બચવા માટે રોગપ્રતિકારક શક્તિ મજબૂત હોવી જરૂરી છે. આ કારણોસર વિટામીન C યુક્ત ફળનું સેવન કરવું જોઈએ. તરબૂચ, ટેટી જેવા ફળોનું પણ સેવન કરી શકાય છે, જેમાં પાણીની વધુ માત્રા રહેલી હોય છે. મસાલેદાર ભોજનનું વધુ સેવન ના કરવું ગરમીમાં વધુ તળેલું અને મસાલેદાર ભોજન ના કરવું જોઈએ. લૂ અને હીટસ્ટ્રોકથી બચવા માટે ઘરના ભોજનનું જ સેવન કરવું જોઈએ. ભોજનમાં લીલા શાકભાજી અને ફળને જરૂરથી શામેલ કરવા જોઈએ.

રાજયમાં મોટાભાગના શહેરોનું તાપમાન 37 ડિગ્રીને પાર પહોચ્યું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • રાજયમાં ગરમીનો પ્રકોપ દિવસેને દિવસે વધતો જાય છે
  • 3 શહેરોમાં તાપમાન 39 ડિગ્રીને પાર પહોચ્યું
  • સૌથી વધુ તાપમાન કેશોદમાં 39.4 ડિગ્રી નોંધાયુ

રાજયમાં કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ચૂકી છે,અને ગરમીની શરૂઆત થતાની સાથે જ લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે.છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ તાપમાન જૂનાગઢના કેશોદમાં 39.4 ડિગ્રી નોંધાયું છે,તો મોટા ભાગના શહેરોમાં ગરમીનું તાપમાન 37 ડિગ્રીને પાર પહોચીં ગયુ છે,બપોરના સમયે શહેરીજનોએ કામ સિવાય બહાર નિકળવાનું ટાળવું જોઈએ.

છેલ્લા 24 કલાકમાં નોંધાયેલ તાપમાન

હવામાન વિભાગની આગાહી મૂજબ વાત કરીએ તો ગરમીનું સૌથી વધુ તાપમાન કેશોદમાં નોંધાયું છે,તો ત્રણ શહેર એવા છે કે જયા ગરમીનો પારો 39 ડિગ્રીને પાર પહોચી ગયો છે.અમરેલી અને મહુવામાં 39.2 ડિગ્રી તાપમાન,અમદાવાદમાં 37.4 ડિગ્રી,રાજકોટમાં 38.4 ડિગ્રી,વડોદરામાં 37.4 ડિગ્રી, સુરત 37.2 ડિગ્રી,ગાંધીનગર 35.3 ડિગ્રી,ડીસા 32.9 ડિગ્રી,વડોદરા 37.4 ડિગ્રી,સુરત 37.2 ડિગ્રી,અમરેલી 39.2 ડિગ્રી,ભાવનગર 37.2 ડિગ્રી,રાજકોટ 38.4 ડિગ્રી,સુરેન્દ્રનગર 37.1 ડિગ્રી,મહુવા 39.2 ડિગ્રી,ભુજ 34.6 ડિગ્રી,કંડલા 35.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

IMD વિભાગની આગાહી

દેશનો મોટા ભાગની વિસ્તારોમાં કાળઝાળ ગરમીથી લોકો ત્રસ્ત છે. દરમિયાન હવામાનશાસ્ત્રીઓએ આશા વ્યક્ત કરી છે કે આ વર્ષે ચોમાસામાં સારો વરસાદ પડી શકે છે. ભારતીય હવામાન વિભાગે આગાહી કરી છે કે, આ વર્ષે મોટા પાયે વાતાવરણમાં થઇ રહલા ફેરફારના કારણે દક્ષિણ-પશ્ચિમ ચોમાસા માટે અનુકૂળ છે.સેન્ટ્રલ પેસિફિક મહાસાગરના વોર્મિંગનો ઉલ્લેખ કરતા મહાપાત્રાએ કહ્યું કે, આ વર્ષે જૂનની શરૂઆત સુધીમાં અલ નીનોની અસર ઓછી થતી જણાઈ રહી છે. જુલાઈ-સપ્ટેમ્બરમાં લા નીનાની સ્થિતિ જોવા મળી શકે છે. મધ્ય પેસિફિક મહાસાગરના ઠંડકની ઘટનાને લા નીના કહેવામાં આવે છે. મજબૂત અલ નીનો ઘટના નબળા ચોમાસાની સ્થિતિમાં પરિણમે છે, જે ભારતના દક્ષિણ-પૂર્વ એશિયા ક્ષેત્રમાં દુષ્કાળ તરફ દોરી જાય છે, જ્યારે લા નીનાની ઘટના ભારતમાં સારા ચોમાસાના વરસાદ તરફ દોરી જાય છે.

હીટવેવથી બચવા શું કરવું

1-હીટવેવને લીધે લોકોને સાવચેત રહેવા અપીલ

2-બપોરના સમયે જરૂર વિના બહાર ન નિકળવા સુચન

3-પાણી, લીંબુ સરબતનું સેવન વધુ કરવા સુચન

4-તાપથી બચવા મોઢે રૂમાલ કે હેલમેટનો ઉપયોગ કરો

હાઈડ્રેટેડ રહો

ગરમીમાં શરીરમાં પરસેવો વધુ નીકળે છે. આ કારણોસર જો વધુ પાણી પીવામાં ના આવે તો શરીરમાં પાણી ઓછું થઈ શકે છે, જેથી લૂ’ લાગવાની અને હીટ સ્ટ્રોકની સંભાવના રહે છે. જેથી ગરમીમાં લિક્વિડનું વધુ સેવન કરવું જોઈએ. હાઈડ્રેટેડ રહેવા માટે પાણી તથા ઠંડા પીણાનું સેવન કરવું. ડિહાઈડ્રેશન થાય તો ચક્કર આવવા, થાક લાગવા જેવી સમસ્યા થઈ શકો છો.

જયુસ અને નારિયેળ પાણીનું સેવન કરો

ગરમીમાં સ્વસ્થ રહેવું જરૂરી છે. શરીરને અંદરથી ઠંડક આપવી ખૂબ જ જરૂરી છે. આ કારણોસર ગરમીમાં નારિયેળ પાણીની સાથે મોસંબીનું જ્યૂસ અને સંતરાના જ્યૂસનું સેવન કરો.

વિટામીન C યુક્ત ફળનું સેવન કરો

ભીષણ ગરમીથી બચવા માટે રોગપ્રતિકારક શક્તિ મજબૂત હોવી જરૂરી છે. આ કારણોસર વિટામીન C યુક્ત ફળનું સેવન કરવું જોઈએ. તરબૂચ, ટેટી જેવા ફળોનું પણ સેવન કરી શકાય છે, જેમાં પાણીની વધુ માત્રા રહેલી હોય છે.

મસાલેદાર ભોજનનું વધુ સેવન ના કરવું

ગરમીમાં વધુ તળેલું અને મસાલેદાર ભોજન ના કરવું જોઈએ. લૂ અને હીટસ્ટ્રોકથી બચવા માટે ઘરના ભોજનનું જ સેવન કરવું જોઈએ. ભોજનમાં લીલા શાકભાજી અને ફળને જરૂરથી શામેલ કરવા જોઈએ.