ભાવનગરમાં શેત્રુંજી ડેમ તેમજ તળાવોમાં દરરોજ 8 MLD પાણીની ઘટ

ઉનાળો આવતાની સાથે જ પાણીની જરૂરિયાત વધવાથી આવકમાં થયો ઘટાડો શેત્રુંજી ડેમ અને બોરતળાવમાંથી પાણી મેળવવાનું ઓછું થતાં મહી પરીએજમાંથી પાણી વધુ ઉપાડશે મહી પરીએજ યોજનામાંથી 10 % પાણી વધુ લેવાનો મનપા દ્વારા કરવામાં આવ્યો નિર્ણય ઉનાળાના કપરા દિવસોની શરૂઆત થઈ ગઈ છે. ગરમીનો પારો પણ સડસડાટ વધી રહ્યો છે. જેથી પાણીની જરૂરિયાત પણ વધી છે. જેની સામે શેત્રુંજી ડેમ અને બોર તળાવમાં પાણીના લેવલમાં ઘટાડો થઈ ગયો છે. આવી પરિસ્થિતિમાં પાણીની વધેલી જરૂરિયાતને પહોંચવા માટે કોર્પોરેશન દ્વારા મહી પરીએજમાંથી લેવામાં આવતા પાણીમાં 10% નો વધારો કરી દીધો છે. તેમ છતાં પણ 6 થી 8 MLDની ઘટ છે. સૌરાષ્ટ્ર સાથે કચ્છમાં પણ પાણીને લઈ ખરાબ સ્થિતિ ઉનાળા પહેલા જ સૌરાષ્ટ્ર પર જળ સંકટ ઊભુ થયુ છે. સૌરાષ્ટ્રના નવ ડેમ સુકાઈ ગયા છે. જેમાંથી 5 ડેમમાં ઝીરો ટકા અને 5 ડેમમાં એક ટકાથી પણ ઓછો પાણીનો જથ્થો છે. 20 ડેમો 90 ટકા ખાલી થઈ ગયા છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં ગત વર્ષથી પણ ઓછો પાણીનો સ્ટોરેજ છે. સૌરાષ્ટ્રના 141 ડેમમાં 42 ટકાથી ઓછું પાણી છે. તો કચ્છના 20 ડેમમાં 40 ટકા જેટલું જ પાણી છે. દર વર્ષે ઉનાળામાં સૌરાષ્ટ્રમાં પાણીની સમસ્યા સર્જાય છે. જો કે આ વર્ષે ઉનાળા પહેલા જ પાણીની સમસ્યાના સંકેત દેખાવા લાગ્યા છે. કયા જળાશયોમાં કેટલું પાણી છે તેની પર કરીએ નજર મધ્ય ગુજરાતના 15 જળાશયોમાં 39% જળસંગ્રહ,સીપુ ડેમમાં 16.55%, મચ્છુ ડેમમાં 23% જળસંગ્રહ છે તો ભાદર ડેમમાં 19%, હાથમતી ડેમમાં 22% જળસંગ્રહ,સરદાર સરોવર ડેમમાં 57.45% જળસંગ્રહ તો 207 જળાશયોમાં 54.73% જળસંગ્રહ,સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં માત્ર ૩૦ ટકા જળ સંગ્રહ છે.કચ્છના ૨૦ જળાશયોમાં ૩૬.૬૫ % જળ સંગ્રહ,ઉત્તર ગુજરાત ના ૧૫ જળાશયોમાં ૩૯ % જળ સંગ્રહ,મધ્ય ગુજરાતના ૧૭ તો દક્ષિણ ગુજરાતના ૧૩ જળાશયોમાં ૬૧ %થી વધુ જળ સંગ્રહ છે. કયા ડેમમાં કેટલુ પાણી 15 ડેમમાં 70થી 80 ટકા પાણી બચ્યું છે. તો 176 ડેમમાં 70 ટકાથી ઓછું પાણી રહ્યું છે. એટલે સૌરાષ્ટ્ર-કચ્છમાં ઉનાળા દરમિયાન પાણીની મુશ્કેલી પડશે. જો કે સરદાર સરોવર નર્મદામાં પુરતી જળરાશી હોવાથી રાજ્યભરમાં પીવાના પાણી માટે ખોઈ મુશ્કેલી નહીં પડે. જ્યાં સૌની યોજનાની સુવિધા નથી એવા વિસ્તારોમાં ડેમ ભરી શકાશે નહીં એટલે સિંચાઈ માટે મુશ્કેલી પડી શકે છે.

ભાવનગરમાં શેત્રુંજી ડેમ તેમજ તળાવોમાં દરરોજ 8 MLD પાણીની ઘટ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ઉનાળો આવતાની સાથે જ પાણીની જરૂરિયાત વધવાથી આવકમાં થયો ઘટાડો
  • શેત્રુંજી ડેમ અને બોરતળાવમાંથી પાણી મેળવવાનું ઓછું થતાં મહી પરીએજમાંથી પાણી વધુ ઉપાડશે
  • મહી પરીએજ યોજનામાંથી 10 % પાણી વધુ લેવાનો મનપા દ્વારા કરવામાં આવ્યો નિર્ણય

ઉનાળાના કપરા દિવસોની શરૂઆત થઈ ગઈ છે. ગરમીનો પારો પણ સડસડાટ વધી રહ્યો છે. જેથી પાણીની જરૂરિયાત પણ વધી છે. જેની સામે શેત્રુંજી ડેમ અને બોર તળાવમાં પાણીના લેવલમાં ઘટાડો થઈ ગયો છે. આવી પરિસ્થિતિમાં પાણીની વધેલી જરૂરિયાતને પહોંચવા માટે કોર્પોરેશન દ્વારા મહી પરીએજમાંથી લેવામાં આવતા પાણીમાં 10% નો વધારો કરી દીધો છે. તેમ છતાં પણ 6 થી 8 MLDની ઘટ છે.

સૌરાષ્ટ્ર સાથે કચ્છમાં પણ પાણીને લઈ ખરાબ સ્થિતિ

ઉનાળા પહેલા જ સૌરાષ્ટ્ર પર જળ સંકટ ઊભુ થયુ છે. સૌરાષ્ટ્રના નવ ડેમ સુકાઈ ગયા છે. જેમાંથી 5 ડેમમાં ઝીરો ટકા અને 5 ડેમમાં એક ટકાથી પણ ઓછો પાણીનો જથ્થો છે. 20 ડેમો 90 ટકા ખાલી થઈ ગયા છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં ગત વર્ષથી પણ ઓછો પાણીનો સ્ટોરેજ છે. સૌરાષ્ટ્રના 141 ડેમમાં 42 ટકાથી ઓછું પાણી છે. તો કચ્છના 20 ડેમમાં 40 ટકા જેટલું જ પાણી છે. દર વર્ષે ઉનાળામાં સૌરાષ્ટ્રમાં પાણીની સમસ્યા સર્જાય છે. જો કે આ વર્ષે ઉનાળા પહેલા જ પાણીની સમસ્યાના સંકેત દેખાવા લાગ્યા છે.

કયા જળાશયોમાં કેટલું પાણી છે તેની પર કરીએ નજર

મધ્ય ગુજરાતના 15 જળાશયોમાં 39% જળસંગ્રહ,સીપુ ડેમમાં 16.55%, મચ્છુ ડેમમાં 23% જળસંગ્રહ છે તો ભાદર ડેમમાં 19%, હાથમતી ડેમમાં 22% જળસંગ્રહ,સરદાર સરોવર ડેમમાં 57.45% જળસંગ્રહ તો 207 જળાશયોમાં 54.73% જળસંગ્રહ,સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં માત્ર ૩૦ ટકા જળ સંગ્રહ છે.કચ્છના ૨૦ જળાશયોમાં ૩૬.૬૫ % જળ સંગ્રહ,ઉત્તર ગુજરાત ના ૧૫ જળાશયોમાં ૩૯ % જળ સંગ્રહ,મધ્ય ગુજરાતના ૧૭ તો દક્ષિણ ગુજરાતના ૧૩ જળાશયોમાં ૬૧ %થી વધુ જળ સંગ્રહ છે.

કયા ડેમમાં કેટલુ પાણી

15 ડેમમાં 70થી 80 ટકા પાણી બચ્યું છે. તો 176 ડેમમાં 70 ટકાથી ઓછું પાણી રહ્યું છે. એટલે સૌરાષ્ટ્ર-કચ્છમાં ઉનાળા દરમિયાન પાણીની મુશ્કેલી પડશે. જો કે સરદાર સરોવર નર્મદામાં પુરતી જળરાશી હોવાથી રાજ્યભરમાં પીવાના પાણી માટે ખોઈ મુશ્કેલી નહીં પડે. જ્યાં સૌની યોજનાની સુવિધા નથી એવા વિસ્તારોમાં ડેમ ભરી શકાશે નહીં એટલે સિંચાઈ માટે મુશ્કેલી પડી શકે છે.