ક્ષત્રિય આંદોલન પાર્ટ 2: ભાજપને રૂપાલાનો આટલો મોહ કેમ? પી.ટી.જાડેજા

અમારૂ આંદોલન ભાજપ કે કોગ્રેસ માટે નથી : પી.ટી.જાડેજા 22 તારીખ સુધી રૂપાલા ફોર્મ પાછુ ખેંચશે તો અમે ભાજપ સાથે : પી.ટી.જાડેજા આંદોલન નવી રણનિતી સાથે ચાલશે : પી.ટી.જાડેજા રાજકોટમાં ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ 16 એપ્રિલે વિવાદ વચ્ચે ફોર્મ ભર્યું હતું. એવામાં નારાજ ક્ષત્રિય સમાજ દ્વારા આંદોલન પાર્ટ- 2ની ચીમકી આપી 19 એપ્રિલ સુધીનું અલ્ટિમેટમ આપ્યું હતું પરંતુ રૂપાલા દ્વારા ફોર્મ પાછું ન ખેંચતા હવે આગામી પાર્ટ- 2 શરૂ કરવાની રણનીતિ ઘડવા માટે આજે સંકલન સમિતિની બેઠક રાજકોટ ખાતે મળી હતી.ગઈકાલે અમદાવાદમાં રાજપૂત સમાજની 92 સંસ્થાના પ્રતિનિધિઓની એક મહત્ત્વની બેઠક ગોતા રાજપૂત ભવન ખાતે રાખવામાં આવી હતી. જાણો ક્ષત્રિય આગેવાન પી.ટી.જાડેજાએ શું કીધુ રાજકોટમાં આજે રૂપાલા આંદોલન પાર્ટ 2 ને લઈ સંકલન સમિતીની એક બેઠક મળી હતી,જેમાં ક્ષત્રિય આગેવાન પી.ટી.જાડેજાનું કહેવુ છે કે,રૂપાલા સામે અમારો રોષ યથાવત છે,જો રૂપાલાને નહીં હટાવે તો ભાજપને નુક્સાન જશે ,સરકારે 20 દિવસથી અમારી માગ કાને ન ધરી તો મહત્વપૂર્ણ વાત એ છે કે ભાજપને રૂપાલાનો આટલો બધો મોહ કેમ છે.અમે અમે 4 દિવસનો ચાન્સ આપ્યો, ફોર્મ પરત ન લેવાયુ,આંદોલન ગ્રામ્ય વિસ્તારો સુધી પહોંચશે સાથે સાથે રૂપાલાને હટાવવાની અમારી માગ યથાવત છે,ઉત્તર, મધ્ય, દ.ગુજરાતમાં કાર્યક્રમો યોજવામાં આવશે,અમારું આંદોલન ભાજપ કે કોંગ્રેસ માટે નથી,અમે હરિફ ઉમેદવારને મત આપવાના છીએ બીજી તરફ 400 ફોર્મ ભરીએ તો મત વહેંચાઇ જાય અમે ભાજપને ત્યારે જ મત આપીશું જયારે 22 તારીખ સુધી રૂપાલા ફોર્મ પરત ખેંચે તો.ભગવાન દ્વારકાધીશ દ્વારા દ્રોપદી માટે ધર્મ યુદ્ધ મહાભારત શરૂ કર્યું હતું.પુરુષોત્તમ રૂપાલા સત્તા નો મોહ ન રાખે , અમારું આંદોલન પુરુષોત્તમ રૂપાલા સામે છે.. સરકારે 20 દિવસ થી અમારી વાત ધ્યાને નથી લીધી.અમે એક જ વાત કરીએ છીએ.અમને સમજવાની જરૂર નથી.એક વ્યક્તિ માટે સરકારને અને પક્ષને નુકશાન થઇ રહ્યુ છે.અમે મુખ્યમંત્રી અને પાટીલ સહિતના આગેવાનો સાથે રાત્રિના 12 વાગે મળવા ગયા હતા.પદ્મિનીબાને કમિટીમાં સમાવવા અંગે પી.ટી.જાડેજાનું નિવેદન પદ્મિનીબાને લઈ પી.ટી.જાડેજાનું કહેવુ છે કે,અમારી કોર કમિટી સમાજ સ્વીકારે તે મુજબ કામ કરે છે,પદ્મિની બા વ્યક્તિગત સામેથી આવે તો અમે જોઈશું,જોહર કરવાની વાત અલગ છે,જોહર કરવાની ખબર ન હોય તેમણે સમજવાની જરૂર છે,સમજ્યા વગર જોહર જાહેર કરવું ન જોઈએ,અમારી કોર કમિટી સમાજ સ્વીકારે તે મુજબ કામ કરીશું. હવે અમારું લક્ષ્ય બોયકોટ ભાજપ : કરણસિંહ 300 મહિલાની ફોર્મ ભરવાની વાત પર તેમણે કહ્યું કે, યુદ્ધમાં રણનીતિ હોય છે જે બદલવામાં આવી છે. સમાજના અન્ય આગેવાનોને મળ્યા ત્યારે ધ્યાનમાં આવ્યું કે તેમને હરાવવામાં મતો તૂટી જશે. મહિલાઓએ ફોર્મ ભરવાનું મોકૂફ રાખ્યુ. તેમણે કહ્યુ કે, અમે ભાજપનો વિરોધ કરીશું પરંતુ કયા પક્ષને મત આપશે તેની કોઈ સ્પષ્ટતા ન કરી. ભાજપનો વિરોધ કરીશું એટલે સામે જે પક્ષ હશે એને ફાયદો થશે. સર્વાનુમતે અમે ઠરાવો કર્યા છે. હવે પુરુષોત્તમ રૂપાલાની વાત પૂરી થઈ ગઈ. લોકોને હવે સાથે લાવવાના છે. હવે અમારું લક્ષ્ય ભાજપ બોયકોટ છે. વધુમાં જણાવતા કહ્યું કે, અમે 100 ટકા રૂપાલાને હરાવીશું. અમે તેમના વિરોધમાં બુથ સુધી જઈશું. 8 સીટો પર ભાજપ ડેમેજ થાય છે. 26 બેઠકો પર અમારે ભાજપને ડેમેજ કરવાનું છે. બનાસકાંઠા, સુરેન્દ્રનગર, ભાવનગર વગેરે જગ્યાએ ડેમેજ થશે. આજથી ભાજપનો બોયકોટ શરૂ થશે. ભાજપને કાંટાની ટક્કર આપીશું. બહેનો ઉપવાસ કરશે : કરણસિંહ ગઈકાલે ક્ષત્રિય સંકલન સમિતિની બેઠક પૂર્ણ થયા બાદ કરણસિંહ દ્વારા કેટલીક મોટી જાહેરાતો કરવામાં આવી હતી. જેમાં તેમણે કહ્યું કે, રૂપાલા દ્વારા આપેલ અલ્ટિમેટમમાં ઉમેદવારી પાછી નહીં ખેંચાય તો આવતીકાલથી ગુજરાતના તમામ જિલ્લાઓમાં બહેનો 7 મે સુધી ક્રમિક રીતે 1 દિવસીય પ્રતિક ઉપવાસ કરશે. અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા જાહેર કરવામાં આવેલ જાહેરનામાનો પણ વિરોધ કર્યો. કાળા વાવટા ન ફરકવા અંગેના જાહેરનામાં પર તેમણે કહ્યું કે, આ લોકશાહીનું ખૂન છે. શાંતિ અને સંયમથી કેસરિયા ધ્વજ સાથે વિરોધ કરશે જેમાં રામજી હશે. સૌરાષ્ટ્ર-કચ્છ, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાતમાંથી ધર્મ રથ નિકળશે.  

ક્ષત્રિય આંદોલન પાર્ટ 2: ભાજપને રૂપાલાનો આટલો મોહ કેમ? પી.ટી.જાડેજા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • અમારૂ આંદોલન ભાજપ કે કોગ્રેસ માટે નથી : પી.ટી.જાડેજા
  • 22 તારીખ સુધી રૂપાલા ફોર્મ પાછુ ખેંચશે તો અમે ભાજપ સાથે : પી.ટી.જાડેજા
  • આંદોલન નવી રણનિતી સાથે ચાલશે : પી.ટી.જાડેજા

રાજકોટમાં ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ 16 એપ્રિલે વિવાદ વચ્ચે ફોર્મ ભર્યું હતું. એવામાં નારાજ ક્ષત્રિય સમાજ દ્વારા આંદોલન પાર્ટ- 2ની ચીમકી આપી 19 એપ્રિલ સુધીનું અલ્ટિમેટમ આપ્યું હતું પરંતુ રૂપાલા દ્વારા ફોર્મ પાછું ન ખેંચતા હવે આગામી પાર્ટ- 2 શરૂ કરવાની રણનીતિ ઘડવા માટે આજે સંકલન સમિતિની બેઠક રાજકોટ ખાતે મળી હતી.ગઈકાલે અમદાવાદમાં રાજપૂત સમાજની 92 સંસ્થાના પ્રતિનિધિઓની એક મહત્ત્વની બેઠક ગોતા રાજપૂત ભવન ખાતે રાખવામાં આવી હતી.

જાણો ક્ષત્રિય આગેવાન પી.ટી.જાડેજાએ શું કીધુ

રાજકોટમાં આજે રૂપાલા આંદોલન પાર્ટ 2 ને લઈ સંકલન સમિતીની એક બેઠક મળી હતી,જેમાં ક્ષત્રિય આગેવાન પી.ટી.જાડેજાનું કહેવુ છે કે,રૂપાલા સામે અમારો રોષ યથાવત છે,જો રૂપાલાને નહીં હટાવે તો ભાજપને નુક્સાન જશે ,સરકારે 20 દિવસથી અમારી માગ કાને ન ધરી તો મહત્વપૂર્ણ વાત એ છે કે ભાજપને રૂપાલાનો આટલો બધો મોહ કેમ છે.અમે અમે 4 દિવસનો ચાન્સ આપ્યો, ફોર્મ પરત ન લેવાયુ,આંદોલન ગ્રામ્ય વિસ્તારો સુધી પહોંચશે સાથે સાથે રૂપાલાને હટાવવાની અમારી માગ યથાવત છે,ઉત્તર, મધ્ય, દ.ગુજરાતમાં કાર્યક્રમો યોજવામાં આવશે,અમારું આંદોલન ભાજપ કે કોંગ્રેસ માટે નથી,અમે હરિફ ઉમેદવારને મત આપવાના છીએ બીજી તરફ 400 ફોર્મ ભરીએ તો મત વહેંચાઇ જાય અમે ભાજપને ત્યારે જ મત આપીશું જયારે 22 તારીખ સુધી રૂપાલા ફોર્મ પરત ખેંચે તો.ભગવાન દ્વારકાધીશ દ્વારા દ્રોપદી માટે ધર્મ યુદ્ધ મહાભારત શરૂ કર્યું હતું.પુરુષોત્તમ રૂપાલા સત્તા નો મોહ ન રાખે , અમારું આંદોલન પુરુષોત્તમ રૂપાલા સામે છે.. સરકારે 20 દિવસ થી અમારી વાત ધ્યાને નથી લીધી.અમે એક જ વાત કરીએ છીએ.અમને સમજવાની જરૂર નથી.એક વ્યક્તિ માટે સરકારને અને પક્ષને નુકશાન થઇ રહ્યુ છે.અમે મુખ્યમંત્રી અને પાટીલ સહિતના આગેવાનો સાથે રાત્રિના 12 વાગે મળવા ગયા હતા.


પદ્મિનીબાને કમિટીમાં સમાવવા અંગે પી.ટી.જાડેજાનું નિવેદન

પદ્મિનીબાને લઈ પી.ટી.જાડેજાનું કહેવુ છે કે,અમારી કોર કમિટી સમાજ સ્વીકારે તે મુજબ કામ કરે છે,પદ્મિની બા વ્યક્તિગત સામેથી આવે તો અમે જોઈશું,જોહર કરવાની વાત અલગ છે,જોહર કરવાની ખબર ન હોય તેમણે સમજવાની જરૂર છે,સમજ્યા વગર જોહર જાહેર કરવું ન જોઈએ,અમારી કોર કમિટી સમાજ સ્વીકારે તે મુજબ કામ કરીશું.

હવે અમારું લક્ષ્ય બોયકોટ ભાજપ : કરણસિંહ

300 મહિલાની ફોર્મ ભરવાની વાત પર તેમણે કહ્યું કે, યુદ્ધમાં રણનીતિ હોય છે જે બદલવામાં આવી છે. સમાજના અન્ય આગેવાનોને મળ્યા ત્યારે ધ્યાનમાં આવ્યું કે તેમને હરાવવામાં મતો તૂટી જશે. મહિલાઓએ ફોર્મ ભરવાનું મોકૂફ રાખ્યુ. તેમણે કહ્યુ કે, અમે ભાજપનો વિરોધ કરીશું પરંતુ કયા પક્ષને મત આપશે તેની કોઈ સ્પષ્ટતા ન કરી. ભાજપનો વિરોધ કરીશું એટલે સામે જે પક્ષ હશે એને ફાયદો થશે. સર્વાનુમતે અમે ઠરાવો કર્યા છે. હવે પુરુષોત્તમ રૂપાલાની વાત પૂરી થઈ ગઈ. લોકોને હવે સાથે લાવવાના છે. હવે અમારું લક્ષ્ય ભાજપ બોયકોટ છે. વધુમાં જણાવતા કહ્યું કે, અમે 100 ટકા રૂપાલાને હરાવીશું. અમે તેમના વિરોધમાં બુથ સુધી જઈશું. 8 સીટો પર ભાજપ ડેમેજ થાય છે. 26 બેઠકો પર અમારે ભાજપને ડેમેજ કરવાનું છે. બનાસકાંઠા, સુરેન્દ્રનગર, ભાવનગર વગેરે જગ્યાએ ડેમેજ થશે. આજથી ભાજપનો બોયકોટ શરૂ થશે. ભાજપને કાંટાની ટક્કર આપીશું.

બહેનો ઉપવાસ કરશે : કરણસિંહ

ગઈકાલે ક્ષત્રિય સંકલન સમિતિની બેઠક પૂર્ણ થયા બાદ કરણસિંહ દ્વારા કેટલીક મોટી જાહેરાતો કરવામાં આવી હતી. જેમાં તેમણે કહ્યું કે, રૂપાલા દ્વારા આપેલ અલ્ટિમેટમમાં ઉમેદવારી પાછી નહીં ખેંચાય તો આવતીકાલથી ગુજરાતના તમામ જિલ્લાઓમાં બહેનો 7 મે સુધી ક્રમિક રીતે 1 દિવસીય પ્રતિક ઉપવાસ કરશે. અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા જાહેર કરવામાં આવેલ જાહેરનામાનો પણ વિરોધ કર્યો. કાળા વાવટા ન ફરકવા અંગેના જાહેરનામાં પર તેમણે કહ્યું કે, આ લોકશાહીનું ખૂન છે. શાંતિ અને સંયમથી કેસરિયા ધ્વજ સાથે વિરોધ કરશે જેમાં રામજી હશે. સૌરાષ્ટ્ર-કચ્છ, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાતમાંથી ધર્મ રથ નિકળશે.