Jamnagar: ધ્રોલના હાડાટોડામાં માતાએ 10 માસની પુત્રીથી છુટકારો મેળવવા કુવામાં ફેંકી દીધી

હાડાટોડા ગામમાં 10 માસની બાળકીનું અપહરણ બાદ કુવામાંથી મળ્યો મૃતદેહબાળકીના અપહરણની ફરિયાદની કલાકોમાં જ પોલીસે ભેદ ઉકેલી નાંખ્યો પોલીસે બાળકીના પિતાની ફરિયાદ પરથી માતા સામે હત્યાનો ગુનો નોંધ્યોજામનગરના ધ્રોલ તાલુકાના હાડાટોડા ગામની વાડી વિસ્તારમાં શ્રમિક પરિવારની 10 માસની બાળકીનું અપહરણ બાદ કુવામાંથી મૃતદેહ મળી આવ્યાના બનાવનો ભેદ પોલીસે કલાકોમાં ઉકેલી નાખ્યો છે અને બાળકી કજીયા કરતી હોવાથી સુવા દેતી ન હોવાથી માતાએ જ 10 માસની બાળકીને કુવામાં ફેંકીને હત્યા નિપજાવતા ચકચાર જાગી છે.હાડાટોડા ગામમાં 10 માસની બાળકીનું અપહરણ બાદ કુવામાંથી મળ્યો મૃતદેહમળતી માહિતી મુજબ, હાડાટોડા ગામમાં વિરેન્દ્રસિંહ જાડેજાની વાડીમાં રહેતા અને ખેત મજુરી કરતા યુ.પી.ના વતની કાળુભાઈ સવજીભાઈ માલસીંગ મીનાવા (ઉ.વ.33) નામના યુવાનની 10 માસની પુત્રી ખુશીનું ગત તા. 31ના રોજ બપોરના સમયે માતા સાથે સુતી હોય અને માતા નિદ્રાધીન થતા કોઈ અજાણ્યા શખસો બાળકીનું અપહરણ કરી ગયાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. આ ફરિયાદના આધારે PSI પી.જી.પનારાએ સ્ટાફના લાખાભાઈ આહીર સહિતના સ્ટાફે તપાસ હાથ ધરી હતી અને બાળકીનો મૃતદેહ કુવામાંથી મળી આવતા પોલીસમાં દોડધામ મચી ગઈ હતી.બાળકીના મૃતદેહનો કબ્જો સંભાળીને પીએમ માટે મોકલી દીધી હતી.બાળકીના પિતાની ફરિયાદના આધારે માતા સામે હત્યાનો ગુનો નોંધ્યોસમગ્ર ઘટનાને પગલે પોલીસને શંકા જતાં કરેલી પુછપરછમાં માતા સંગીતાબેનએ કબુલાત કરી હતી કે, તેણીની પુત્રી ખુશીને જન્મથી જ શ્વાસની તકલીફ હોય અને રાત્રીના પણ રડતી હોય અને સુવા દેતી ન હોય અને હેરાન કરતી હતી. જેથી માતાએ જ દિકરી ખુશીને કુવામાં ફેંકી દઈને મોત નિપજાવીને પરત સુઈ ગઈ હતી. જે અંગેની પતિ કાળુભાઈ મીનાવાની ફરિયાદ પરથી પત્ની સંગીતા કાળુભાઈ મીનાવા સામે હત્યાનો ગુનો નોંધીને ધરપકડની તજવીજ હાથ ધરી છે.

Jamnagar: ધ્રોલના હાડાટોડામાં માતાએ 10 માસની પુત્રીથી છુટકારો મેળવવા કુવામાં ફેંકી દીધી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • હાડાટોડા ગામમાં 10 માસની બાળકીનું અપહરણ બાદ કુવામાંથી મળ્યો મૃતદેહ
  • બાળકીના અપહરણની ફરિયાદની કલાકોમાં જ પોલીસે ભેદ ઉકેલી નાંખ્યો 
  • પોલીસે બાળકીના પિતાની ફરિયાદ પરથી માતા સામે હત્યાનો ગુનો નોંધ્યો

જામનગરના ધ્રોલ તાલુકાના હાડાટોડા ગામની વાડી વિસ્તારમાં શ્રમિક પરિવારની 10 માસની બાળકીનું અપહરણ બાદ કુવામાંથી મૃતદેહ મળી આવ્યાના બનાવનો ભેદ પોલીસે કલાકોમાં ઉકેલી નાખ્યો છે અને બાળકી કજીયા કરતી હોવાથી સુવા દેતી ન હોવાથી માતાએ જ 10 માસની બાળકીને કુવામાં ફેંકીને હત્યા નિપજાવતા ચકચાર જાગી છે.

હાડાટોડા ગામમાં 10 માસની બાળકીનું અપહરણ બાદ કુવામાંથી મળ્યો મૃતદેહ

મળતી માહિતી મુજબ, હાડાટોડા ગામમાં વિરેન્દ્રસિંહ જાડેજાની વાડીમાં રહેતા અને ખેત મજુરી કરતા યુ.પી.ના વતની કાળુભાઈ સવજીભાઈ માલસીંગ મીનાવા (ઉ.વ.33) નામના યુવાનની 10 માસની પુત્રી ખુશીનું ગત તા. 31ના રોજ બપોરના સમયે માતા સાથે સુતી હોય અને માતા નિદ્રાધીન થતા કોઈ અજાણ્યા શખસો બાળકીનું અપહરણ કરી ગયાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. આ ફરિયાદના આધારે PSI પી.જી.પનારાએ સ્ટાફના લાખાભાઈ આહીર સહિતના સ્ટાફે તપાસ હાથ ધરી હતી અને બાળકીનો મૃતદેહ કુવામાંથી મળી આવતા પોલીસમાં દોડધામ મચી ગઈ હતી.બાળકીના મૃતદેહનો કબ્જો સંભાળીને પીએમ માટે મોકલી દીધી હતી.

બાળકીના પિતાની ફરિયાદના આધારે માતા સામે હત્યાનો ગુનો નોંધ્યો

સમગ્ર ઘટનાને પગલે પોલીસને શંકા જતાં કરેલી પુછપરછમાં માતા સંગીતાબેનએ કબુલાત કરી હતી કે, તેણીની પુત્રી ખુશીને જન્મથી જ શ્વાસની તકલીફ હોય અને રાત્રીના પણ રડતી હોય અને સુવા દેતી ન હોય અને હેરાન કરતી હતી. જેથી માતાએ જ દિકરી ખુશીને કુવામાં ફેંકી દઈને મોત નિપજાવીને પરત સુઈ ગઈ હતી. જે અંગેની પતિ કાળુભાઈ મીનાવાની ફરિયાદ પરથી પત્ની સંગીતા કાળુભાઈ મીનાવા સામે હત્યાનો ગુનો નોંધીને ધરપકડની તજવીજ હાથ ધરી છે.