અલગ-અલગ બેઠકોના વિવાદ વચ્ચે મુખ્યમંત્રી આજે દિલ્હી જશે

મુખ્યમંત્રી દિલ્હીમાં હાઈકમાન્ડ સાથે કરી શકે છે ચર્ચા મેનિફેસ્ટો કમિટીની બેઠકમાં હાજર રહેશે મુખ્યમંત્રી રાજકીય સ્થિતિ પર હાઈકમાન્ડ સાથે કરી શકે ચર્ચા રાજ્યમાં ચૂંટણીને લઈને માહોલ જામ્યો છે. ત્યાં પહેલીવાર ભાજપમાં વિવિધ બેઠક પર ઉમેદવારોને લઈ વિરોધ ચાલી રહ્યો છે. જેના કારણે હવે પાર્ટી હાઈકમાન્ડ પણ સક્રિય બન્યું હોય તેવી અટકળો શરૂ થઈ છે. આ વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે રાત્રે દિલ્હી જવા માટે રવાના થશે. ભાજપમાં ચૂંટણી પછી ઘણાં ઉમેદવારોના નામને લઈ વિવાદ ચાલી રહ્યો છે. આ વચ્ચે સાબરકાંઠા અને વડોદરા બેઠક પર ઉમેદવારો બદલવામાં આવ્યા છે, જે પછી પણ વિવાદ વધ્યો છે. જ્યારે બીજી તરફ રાજકોટમાં ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાના નિવેદનના કારણે પણ પાર્ટીને પણ નુકસાન જોવા મળી રહ્યું છે. આ વચ્ચે અલગ-અલગ બેઠકોના વિવાદ અંગે પણ દિલ્હીમાં ચર્ચા કરી શકે છે. જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ભાજપની કેન્દ્રીય મેનિફેસ્ટો કમિટીના સભ્ય છે અને તે બેઠકમાં હાજરી આપશે. જેના માટે તેમના સૂચનો રજુ કરવામાં આવશે. જ્યાં ભાજપ દ્વારા વિવિધ મુદ્દા પર પણ રાજ્યની સ્થિતિ પર અને ઉમેદવારોની સ્થિતિ પર પણ હાઈકમાન્ડ દ્વારા ચર્ચા કરવામાં આવી શકે છે. હાલની સ્થિતિ જોતાં મુખ્યમંત્રીની દિલ્હી બેઠક ખૂબ જ મહત્વની જોવામાં આવી રહી છે. જોકે સ્થાનિક સ્તરે હવે ઉમેદવાર ન બદલવામાં આવે તેવી પણ વાતો સામે આવી રહી છે. 

અલગ-અલગ બેઠકોના વિવાદ વચ્ચે મુખ્યમંત્રી આજે દિલ્હી જશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • મુખ્યમંત્રી દિલ્હીમાં હાઈકમાન્ડ સાથે કરી શકે છે ચર્ચા
  • મેનિફેસ્ટો કમિટીની બેઠકમાં હાજર રહેશે મુખ્યમંત્રી
  • રાજકીય સ્થિતિ પર હાઈકમાન્ડ સાથે કરી શકે ચર્ચા

રાજ્યમાં ચૂંટણીને લઈને માહોલ જામ્યો છે. ત્યાં પહેલીવાર ભાજપમાં વિવિધ બેઠક પર ઉમેદવારોને લઈ વિરોધ ચાલી રહ્યો છે. જેના કારણે હવે પાર્ટી હાઈકમાન્ડ પણ સક્રિય બન્યું હોય તેવી અટકળો શરૂ થઈ છે. આ વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે રાત્રે દિલ્હી જવા માટે રવાના થશે.

ભાજપમાં ચૂંટણી પછી ઘણાં ઉમેદવારોના નામને લઈ વિવાદ ચાલી રહ્યો છે. આ વચ્ચે સાબરકાંઠા અને વડોદરા બેઠક પર ઉમેદવારો બદલવામાં આવ્યા છે, જે પછી પણ વિવાદ વધ્યો છે. જ્યારે બીજી તરફ રાજકોટમાં ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાના નિવેદનના કારણે પણ પાર્ટીને પણ નુકસાન જોવા મળી રહ્યું છે.

આ વચ્ચે અલગ-અલગ બેઠકોના વિવાદ અંગે પણ દિલ્હીમાં ચર્ચા કરી શકે છે. જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ભાજપની કેન્દ્રીય મેનિફેસ્ટો કમિટીના સભ્ય છે અને તે બેઠકમાં હાજરી આપશે. જેના માટે તેમના સૂચનો રજુ કરવામાં આવશે.

જ્યાં ભાજપ દ્વારા વિવિધ મુદ્દા પર પણ રાજ્યની સ્થિતિ પર અને ઉમેદવારોની સ્થિતિ પર પણ હાઈકમાન્ડ દ્વારા ચર્ચા કરવામાં આવી શકે છે. હાલની સ્થિતિ જોતાં મુખ્યમંત્રીની દિલ્હી બેઠક ખૂબ જ મહત્વની જોવામાં આવી રહી છે. જોકે સ્થાનિક સ્તરે હવે ઉમેદવાર ન બદલવામાં આવે તેવી પણ વાતો સામે આવી રહી છે.