Surendranagar: સુરેન્દ્રનગર લોકસભા બેઠકમાં પ્રતિ મિનિટ 1697 મતદારોનું મતદાન

તા. 7 મેના રોજ સવારે 7 થી સાંજે 6 કલાક સુધી ચાલેલાં મતદાનનાં લેખાં-જોખાંસૌથી વધુ ધ્રાંગધ્રા 265 અને સૌથી ઓછું ધંધૂકા બેઠક પર 214 પ્રતિ મિનિટ મતદાન ધંધુકા વિધાનસભા બેઠકમાં નોંધાયેલા 20,33,419 મતદારોને મતાધીકાર મળ્યો   સુરેન્દ્રનગર લોકસભા બેઠક હેઠળ આવતી 7 વિધાનસભા બેઠકોમાં તા. 7 મેના રોજ મતદાન થયુ હતુ. હાલ ઈવીએમ સ્ટ્રોંગરૂમમાં સીલ છે. ત્યારે તા. 7ના રોજ સવારે 7 થી સાંજના 6 કલાક સુધી ચાલેલા મતદાન પર નજર કરીએ તો જિલ્લામાં 1697 મતદારોએ પ્રતી મીનીટ મતદાન કર્યુ છે. જેમાં સૌથી વધુ પ્રતી મીનીટ મતદાન ધ્રાંગધ્રા બેઠક પર 265 મતદારોએ કર્યુ છે.    જિલ્લાની 5 બેઠકો દસાડા, લીંબડી, વઢવાણ, ચોટીલા અને ધ્રાંગધ્રા અને અમદાવાદ ગ્રામ્યની વિરમગામ અને ધંધુકા વિધાનસભા બેઠકમાં નોંધાયેલા 20,33,419 મતદારોને મતાધીકાર મળ્યો હતો. ત્યારે તા. 7 મેના રોજ સવારે 7 થી સાંજના 6 કલાક સુધી એટલે કે, 11 કલાક યોજાયેલા મતદાનમાં કુલ 11,20,128 મતદારોએ મતદાન કરતા 55.09 ટકા મતદાન થયુ છે. ત્યારે જિલ્લામાં દર એક મીનીટે 1697 મતદારોએ પોતાના મતનું દાન કર્યુ છે. જયારે વિધાનસભા બેઠક વાઈઝ જોઈએ તો સૌથી વધુ મતદાન ધ્રાંગધ્રા બેઠકમાં મતદારોએ પ્રતી મીનીટ કર્યુ છે. જેમાં 265 મતદારોએ દર એક મીનીટે પોતાનો મત આપ્યો છે. જયારે સૌથી ઓછુ પ્રતી મીનીટ મતદાન ધંધુકા વિધાનસભા બેઠક માટે થયુ છે. ધંધુકા વિધાનસભામાં 214 મતદારોએ એક મીનીટમાં મતદાન કર્યુ છે. જયારે જિલ્લાના મુખ્ય મથક પર આવેલી અને સુરેન્દ્રનગર-વઢવાણ જોડીયા શહેરો તથા વઢવાણના 45 ગામોને સમાવી લેતી વઢવાણ બેઠક પર 254 મતદારોએ પ્રતી મીનીટ મતદાન કર્યુ છે. જિલ્લામાં તા. 07ના રોજ યોજાયેલા મતદાન બાદ હાલ ઈવીએમ મત ગણતરી કેન્દ્ર એવા એમ.પી.શાહ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજમાં સીલ કરીને મુકાયા છે. જયાં તા. 04 જુનના રોજ મત ગણતરી હાથ ધરવામાં આવનાર છે

Surendranagar: સુરેન્દ્રનગર લોકસભા બેઠકમાં પ્રતિ મિનિટ 1697 મતદારોનું મતદાન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • તા. 7 મેના રોજ સવારે 7 થી સાંજે 6 કલાક સુધી ચાલેલાં મતદાનનાં લેખાં-જોખાં
  • સૌથી વધુ ધ્રાંગધ્રા 265 અને સૌથી ઓછું ધંધૂકા બેઠક પર 214 પ્રતિ મિનિટ મતદાન
  • ધંધુકા વિધાનસભા બેઠકમાં નોંધાયેલા 20,33,419 મતદારોને મતાધીકાર મળ્યો

  સુરેન્દ્રનગર લોકસભા બેઠક હેઠળ આવતી 7 વિધાનસભા બેઠકોમાં તા. 7 મેના રોજ મતદાન થયુ હતુ. હાલ ઈવીએમ સ્ટ્રોંગરૂમમાં સીલ છે. ત્યારે તા. 7ના રોજ સવારે 7 થી સાંજના 6 કલાક સુધી ચાલેલા મતદાન પર નજર કરીએ તો જિલ્લામાં 1697 મતદારોએ પ્રતી મીનીટ મતદાન કર્યુ છે. જેમાં સૌથી વધુ પ્રતી મીનીટ મતદાન ધ્રાંગધ્રા બેઠક પર 265 મતદારોએ કર્યુ છે.

   જિલ્લાની 5 બેઠકો દસાડા, લીંબડી, વઢવાણ, ચોટીલા અને ધ્રાંગધ્રા અને અમદાવાદ ગ્રામ્યની વિરમગામ અને ધંધુકા વિધાનસભા બેઠકમાં નોંધાયેલા 20,33,419 મતદારોને મતાધીકાર મળ્યો હતો. ત્યારે તા. 7 મેના રોજ સવારે 7 થી સાંજના 6 કલાક સુધી એટલે કે, 11 કલાક યોજાયેલા મતદાનમાં કુલ 11,20,128 મતદારોએ મતદાન કરતા 55.09 ટકા મતદાન થયુ છે. ત્યારે જિલ્લામાં દર એક મીનીટે 1697 મતદારોએ પોતાના મતનું દાન કર્યુ છે. જયારે વિધાનસભા બેઠક વાઈઝ જોઈએ તો સૌથી વધુ મતદાન ધ્રાંગધ્રા બેઠકમાં મતદારોએ પ્રતી મીનીટ કર્યુ છે. જેમાં 265 મતદારોએ દર એક મીનીટે પોતાનો મત આપ્યો છે. જયારે સૌથી ઓછુ પ્રતી મીનીટ મતદાન ધંધુકા વિધાનસભા બેઠક માટે થયુ છે. ધંધુકા વિધાનસભામાં 214 મતદારોએ એક મીનીટમાં મતદાન કર્યુ છે. જયારે જિલ્લાના મુખ્ય મથક પર આવેલી અને સુરેન્દ્રનગર-વઢવાણ જોડીયા શહેરો તથા વઢવાણના 45 ગામોને સમાવી લેતી વઢવાણ બેઠક પર 254 મતદારોએ પ્રતી મીનીટ મતદાન કર્યુ છે. જિલ્લામાં તા. 07ના રોજ યોજાયેલા મતદાન બાદ હાલ ઈવીએમ મત ગણતરી કેન્દ્ર એવા એમ.પી.શાહ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજમાં સીલ કરીને મુકાયા છે. જયાં તા. 04 જુનના રોજ મત ગણતરી હાથ ધરવામાં આવનાર છે