Suratમાં હિન્દુ નેતાની હત્યાના ષડયંત્રને લઈ શહેનાઝ પાકિસ્તાન ગયો હોવાની પોલીસને શંકા

શહેનાઝ પાકિસ્તાની ડોગરને મળવા ગયો હોવાની શક્યતા આરોપી મોહંમદ અલીનું નેપાળની બેન્કમાં એકાઉન્ટ હત્યા માટે પાકિસ્તાન ફન્ડિંગ થયું હોવાની શક્યતા સુરતથી ઝડપાયેલા મૌલવીને લઈ અનેક વાર તપાસો થઈ અને અનેક ખુલાસા થયા છે,મુખ્ય આરોપીની ભૂમિકામાં શહેનાઝ પણ છે,પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે,શહેનાઝ નેપાળ થઈને પાકિસ્તાનમાં ગયો હતો,તો શહેનાઝે વર્ષ 2020થી ભારતમાં સ્લીપર સેલ એક્ટિવ કર્યાનું અનુમાન પોલીસ લગાવી રહી છે,હત્યાને લઈ ફંડિગ પાકિસ્તાની ડોગર કરવાનો હોવાની માહિતી હાલ સૂત્રો તરફથી મળી રહી છે.મુંબઈનાં પડઘા સુધી આ તપાસનો રેલો જાય તેવી શકયતાઓ સેવાઈ રહી છે. આરોપીઓએ અનેક હિન્દુ નેતાઓને આપી હતી ધમકી આરોપીઓની પૂછપરછમાં આરોપી શહેનાઝ ઉર્ફે મોહમ્મદ અલી પાસે બે દેશની નાગરિકતા સામે આવી છે,આરોપી શહેનાઝ હમણાં સુધી વર્ચ્યુઅલ નંબર અને 42 જેટલા ઇમેઇલ આઈપી એડ્રેસ પરથી આપતો હતો ધમકી.આરોપી શહેનાઝ ઉર્ફે મોહમ્મદ અલી મોહમ્મદ શાબિરે અલગ અલગ આઇડી પરથી ધમકી આપવાનું કામ કરતો હતો સાથે સાથે તે શહેનાઝ પાકિસ્તાની ડોગરના સંપર્કમાં હતો,મહારાષ્ટ્રના નાંદેડ ખાતેથી શકિલ શેખની ધરપકડ કરાઈ હતી.શકીલ ઉર્ફે રઝા એ મોબાઈલ તોડી નાખ્યો હતો,જેના સ્પેરપાર્ટસ કબ્જે કરવામાં આવ્યા છે,પાકિસ્તાનના ડોગર દ્વારા આરોપી શકિલને વર્ચ્યુઅલ નંબર એક્ટિવ કરી આપ્યો હતો.સુરેશ રાજપૂત,ઉપદેશ રાણા, નિશાંત શર્મા સહિતના હિન્દુ નેતાઓને ગ્રૂપ કોલ દ્વારા હત્યાની ધમકીઓ આપવામાં આવી હતી.પોલીસે કેમ રઝાની કસ્ટડીની કરી માંગ?આરોપીની 14 દિવસની કસ્ટડીની માંગ કરતા પોલીસે કોર્ટને જણાવ્યું કે, રઝા એક સેલફોનનો ઉપયોગ કરતો હતો, જેનું સિમ કાર્ડ પાકિસ્તાનમાં સક્રિય હતું અને તે પાકિસ્તાન, નેપાળ અને લાઓસના લોકોના સંપર્કમાં હતો. તેમણે કહ્યું કે, તે નિર્દોષ યુવાનોનું બ્રેઈનવોશ કરીને તેમની ભરતી કરવાના પ્રયાસમાં સામેલ હતો.પોલીસે જણાવ્યું હતું કે, તપાસમાં એ તપાસ કરવામાં આવશે કે, આરોપીઓને પૈસા (ફંડીંગ) કેવી રીતે મળ્યા અને શું તેઓ રાણા તેમજ ભાજપના પૂર્વ પ્રવક્તા નુપુર શર્માને તે ઓળખે છે, જેમને તેણે મેસેજ અને કોલ દ્વારા ધમકી આપી હતી. મૌલવીની ધરપકડ આ કેસમાં અત્યાર સુધીની આ ત્રીજી ધરપકડ છે. 4 મેના રોજ ક્રાઈમ બ્રાન્ચે સુરતમાંથી મૌલવી મોહમ્મદ સોહેલ ઉર્ફે મૌલવી અબુબકર તિમોલ (27)ની ધરપકડ કરી હતી. સુરત જિલ્લાના કઠોરમાં મદરેસામાં ભણાવતો મૌલવી 16 મે સુધી પોલીસ કસ્ટડીમાં છે. શહનાઝની બિહારથી ધરપકડ ગયા અઠવાડિયે આ કેસમાં શહનાઝ ઉર્ફે મોહમ્મદ અલી મોહમ્મદ સાબીર (25)ની બિહારના મુઝફ્ફરપુરથી ધરપકડ કરવામાં આવી હતી. શનિવારે તેને પણ સુરત લાવવામાં આવ્યો હતો અને બીજા દિવસે જિલ્લા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં તેને 24 મે સુધી પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો. હિન્દુ નેતાઓની હત્યાનું કાવતરૂ ઘડયું પોલીસના જણાવ્યા અનુસાર, મૌલવી શહેનાઝના નિયમિત સંપર્કમાં હતો અને તેણે પયગંબર મોહમ્મદ વિરુદ્ધ કથિત રીતે નફરત ફેલાવવા બદલ હિંદુ નેતાઓની હત્યા કરવાનું કાવતરું ઘડ્યું હતું. પોલીસે જણાવ્યું કે, બંને આરોપીઓની પૂછપરછ દરમિયાન રઝાનું નામ સામે આવ્યું હતું.

Suratમાં હિન્દુ નેતાની હત્યાના ષડયંત્રને લઈ શહેનાઝ પાકિસ્તાન ગયો હોવાની પોલીસને શંકા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • શહેનાઝ પાકિસ્તાની ડોગરને મળવા ગયો હોવાની શક્યતા
  • આરોપી મોહંમદ અલીનું નેપાળની બેન્કમાં એકાઉન્ટ
  • હત્યા માટે પાકિસ્તાન ફન્ડિંગ થયું હોવાની શક્યતા

સુરતથી ઝડપાયેલા મૌલવીને લઈ અનેક વાર તપાસો થઈ અને અનેક ખુલાસા થયા છે,મુખ્ય આરોપીની ભૂમિકામાં શહેનાઝ પણ છે,પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે,શહેનાઝ નેપાળ થઈને પાકિસ્તાનમાં ગયો હતો,તો શહેનાઝે વર્ષ 2020થી ભારતમાં સ્લીપર સેલ એક્ટિવ કર્યાનું અનુમાન પોલીસ લગાવી રહી છે,હત્યાને લઈ ફંડિગ પાકિસ્તાની ડોગર કરવાનો હોવાની માહિતી હાલ સૂત્રો તરફથી મળી રહી છે.મુંબઈનાં પડઘા સુધી આ તપાસનો રેલો જાય તેવી શકયતાઓ સેવાઈ રહી છે.

આરોપીઓએ અનેક હિન્દુ નેતાઓને આપી હતી ધમકી

આરોપીઓની પૂછપરછમાં આરોપી શહેનાઝ ઉર્ફે મોહમ્મદ અલી પાસે બે દેશની નાગરિકતા સામે આવી છે,આરોપી શહેનાઝ હમણાં સુધી વર્ચ્યુઅલ નંબર અને 42 જેટલા ઇમેઇલ આઈપી એડ્રેસ પરથી આપતો હતો ધમકી.આરોપી શહેનાઝ ઉર્ફે મોહમ્મદ અલી મોહમ્મદ શાબિરે અલગ અલગ આઇડી પરથી ધમકી આપવાનું કામ કરતો હતો સાથે સાથે તે શહેનાઝ પાકિસ્તાની ડોગરના સંપર્કમાં હતો,મહારાષ્ટ્રના નાંદેડ ખાતેથી શકિલ શેખની ધરપકડ કરાઈ હતી.શકીલ ઉર્ફે રઝા એ મોબાઈલ તોડી નાખ્યો હતો,જેના સ્પેરપાર્ટસ કબ્જે કરવામાં આવ્યા છે,પાકિસ્તાનના ડોગર દ્વારા આરોપી શકિલને વર્ચ્યુઅલ નંબર એક્ટિવ કરી આપ્યો હતો.સુરેશ રાજપૂત,ઉપદેશ રાણા, નિશાંત શર્મા સહિતના હિન્દુ નેતાઓને ગ્રૂપ કોલ દ્વારા હત્યાની ધમકીઓ આપવામાં આવી હતી.

પોલીસે કેમ રઝાની કસ્ટડીની કરી માંગ?

આરોપીની 14 દિવસની કસ્ટડીની માંગ કરતા પોલીસે કોર્ટને જણાવ્યું કે, રઝા એક સેલફોનનો ઉપયોગ કરતો હતો, જેનું સિમ કાર્ડ પાકિસ્તાનમાં સક્રિય હતું અને તે પાકિસ્તાન, નેપાળ અને લાઓસના લોકોના સંપર્કમાં હતો. તેમણે કહ્યું કે, તે નિર્દોષ યુવાનોનું બ્રેઈનવોશ કરીને તેમની ભરતી કરવાના પ્રયાસમાં સામેલ હતો.પોલીસે જણાવ્યું હતું કે, તપાસમાં એ તપાસ કરવામાં આવશે કે, આરોપીઓને પૈસા (ફંડીંગ) કેવી રીતે મળ્યા અને શું તેઓ રાણા તેમજ ભાજપના પૂર્વ પ્રવક્તા નુપુર શર્માને તે ઓળખે છે, જેમને તેણે મેસેજ અને કોલ દ્વારા ધમકી આપી હતી.

મૌલવીની ધરપકડ

આ કેસમાં અત્યાર સુધીની આ ત્રીજી ધરપકડ છે. 4 મેના રોજ ક્રાઈમ બ્રાન્ચે સુરતમાંથી મૌલવી મોહમ્મદ સોહેલ ઉર્ફે મૌલવી અબુબકર તિમોલ (27)ની ધરપકડ કરી હતી. સુરત જિલ્લાના કઠોરમાં મદરેસામાં ભણાવતો મૌલવી 16 મે સુધી પોલીસ કસ્ટડીમાં છે.

શહનાઝની બિહારથી ધરપકડ

ગયા અઠવાડિયે આ કેસમાં શહનાઝ ઉર્ફે મોહમ્મદ અલી મોહમ્મદ સાબીર (25)ની બિહારના મુઝફ્ફરપુરથી ધરપકડ કરવામાં આવી હતી. શનિવારે તેને પણ સુરત લાવવામાં આવ્યો હતો અને બીજા દિવસે જિલ્લા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં તેને 24 મે સુધી પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો.

હિન્દુ નેતાઓની હત્યાનું કાવતરૂ ઘડયું

પોલીસના જણાવ્યા અનુસાર, મૌલવી શહેનાઝના નિયમિત સંપર્કમાં હતો અને તેણે પયગંબર મોહમ્મદ વિરુદ્ધ કથિત રીતે નફરત ફેલાવવા બદલ હિંદુ નેતાઓની હત્યા કરવાનું કાવતરું ઘડ્યું હતું. પોલીસે જણાવ્યું કે, બંને આરોપીઓની પૂછપરછ દરમિયાન રઝાનું નામ સામે આવ્યું હતું.