સ્ત્રી સમાનતાના હિમાયતી હંસા મહેતાને શ્રદ્ધાંજલિ, યુનાઇટેડ નેશન્સે બિરદાવ્યાં એમના પ્રયાસો

સામાન્યપણે ડિપ્લોમસી એ પુરુષોનું પ્રભુત્વ ધરાવતું ક્ષેત્ર ગણાય છે, પણ આ ક્ષેત્રે ઘણી મહિલાઓએ પણ પ્રસંશનીય કામગીરી બજાવી છે. એવી પ્રતિભાવાન મહિલાઓના કામની સરાહના કરવા માટે દર વર્ષે 24 જૂનનો દિવસ ‘આંતરરાષ્ટ્રીય મહિલા રાજદ્વારી દિવસ’ (International Day for Women in Diplomacy) તરીકે ઉજવવામાં આવે છે. યુનાઇટેડ નેશન્સની જનરલ એસેમ્બલી (UNGA) દ્વારા વર્ષ 2022થી આ દિવસ ઉજવવાની શરૂઆત કરવામાં આવી હતી. આ વર્ષે ‘આંતરરાષ્ટ્રીય મહિલા રાજદ્વારી દિવસ’ પર UNGAના પ્રમુખ ડેનિસ ફ્રાન્સિસ દ્વારા ભારતના બહુમુખી પ્રતિભા ધરાવતાં પુત્રી ‘હંસા મહેતા’ને શ્રદ્ધાંજલિ આપીને એમના કાર્યોને પોંખવામાં આવ્યાં છે. વિશેષ કરીને ‘માનવ અધિકારની વૈશ્વિક ઘોષણા’ (Universal Declaration of Human Rights - UDHR) બાબતે એમના પ્રદાનને ધ્યાનમાં રાખીને એમને UNGA દ્વારા યાદ કરવામાં આવ્યાં છે.   શું પ્રદાન હતું હંસા મહેતાનું?UDHRના જાહેરનામાની કલમ 1ની શરૂઆતની પંક્તિ કંઈક આમ હતી- ‘બધા પુરુષો સ્વતંત્ર અને સમાન હક લઈને જન્મે છે’ (all men are born free and equal), જે સંદર્ભે સ્ત્રી-સમાનતાના હિમાયતી એવાં હંસા મહેતાએ એવી દલીલ કરી હતી કે ‘માનવતા’નો પર્યાય ‘પુરુષો’ શબ્દ ન હોવો જોઈએ. એમના સૂચનને અનુસરીને ઉપરોક્ત વાક્યમાં ફેરફાર કરીને એને ‘બધા મનુષ્ય સ્વતંત્ર અને સમાન હક લઈને જન્મે છે’ (all human beings are born free and equal) કરવામાં આવ્યું હતું. લિંગ-સમાનતાના સંદર્ભે આ મહત્ત્વપૂર્ણ બદલાવ હતો. UNGAના પ્રમુખ ડેનિસ ફ્રાન્સિસે એમના વક્તવ્ય દરમિયાન પ્રશ્ન કર્યો હતો કે, ‘જો હંસા મહેતાએ UDHRના જાહેરનામાની શરૂઆતની લાઇન બદલવાનો આગ્રહ ન રાખ્યો હોત આજે માનવ અધિકારની વૈશ્વિક ઘોષણા ખરેખર વૈશ્વિક હોત ખરી?’ કોણ હતાં હંસા મહેતા? 3 જુલાઈ 1897ના રોજ જૈન પરિવારમાં જન્મેલાં હંસા મહેતાના પિતા બરોડા સ્ટેટના દિવાન હતા અને દાદા પહેલી ગુજરાતી નવલકથા ‘કરણ ઘેલો’ના લેખક નંદશંકર મહેતા હતા. મહિલાઓને ભણવાનો હક પણ નહોતો એવા જમાનામાં હંસા મહેતા ફિલોસોફીમાં સ્નાતક થયાં હતાં. એમણે ઇંગ્લેન્ડમાં પત્રકારત્વ અને સમાજશાસ્ત્રનો અભ્યાસ કર્યો હતો. એમના લગ્ન જીવરાજ નારાયણ મહેતા સાથે થયા હતા જેઓ સમય જતાં ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી બન્યા હતા.સામાજિક ક્ષેત્રે સતત કાર્યરત હતાં હંસા મહેતા  હંસા મહેતાએ એમનું સમગ્ર જીવન સમાજોત્થાન માટે ખર્ચી નાંખ્યું હતું. અગ્રીમ હરોળના સમાજ સુધારક હોવા ઉપરાંત તેઓ શિક્ષણવિદ્ પણ હતાં અને લેખિકા પણ હતાં. ગુજરાતીમાં બાળકો માટે પુસ્તકો લખવા ઉપરાંત એમણે ‘ગુલીવર્સ ટ્રાવેલ્સ’ જેવા પુસ્તકોના અનુવાદ પણ કર્યા હતા. સ્વાતંત્ર્યની લડતમાં ભાગ લઈને એમણે ધરપકડ પણ વહોરી હતી અને જેલવાસ પણ વેઠ્યો હતો. 1945-46માં તેઓ ‘અખિલ ભારતીય મહિલા પરિષદ’ના પ્રમુખ બન્યા હતાં. તેમના પ્રમુખપદ દરમિયાન જ તેમણે ભારતમાં લિંગ સમાનતા માટે ‘ભારતીય મહિલા ચાર્ટર ઓફ રાઈટ્સ એન્ડ ડ્યુટીઝ’નો મુસદ્દો તૈયાર કર્યો હતો. આ વિદૂષી ‘એસએનડીટી વુમન્સ યુનિવર્સિટી’ના વાઇસ-ચાન્સેલર, ‘ઓલ ઇન્ડિયા સેકન્ડરી બોર્ડ ઓફ એજ્યુકેશન’ના સભ્ય, ‘ઇન્ટર યુનિવર્સિટી બોર્ડ ઓફ ઇન્ડિયા’ના પ્રમુખ અને ‘મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલય’ના વાઇસ-ચાન્સેલર પણ રહ્યા હતાં. યુનાઇટેડ નેશન્સમાં કામગીરી1947-48માં યુ.એન.ની માનવ હક્ક સમિતિમાં ભારતનું પ્રતિનિધિત્વ કરતાં એમણે UDHRના જાહેરનામાની કલમમાં બદલાવ આણ્યો હતો. 1950માં તેઓ યુ.એન.ની માનવ હક્ક સમિતિના વાઇસ ચેરમેન બન્યા હતા. એમણે યુનેસ્કોના એક્ઝીક્યુટિવ બોર્ડનું સભ્યપદ પણ સંભાળ્યું હતું. 1959માં એમને પદ્મભૂષણ પુરસ્કાર એનાયત થયો હતો. 4 એપ્રિલ 1995ના રોજ એમનું નિધન થયું હતું.

સ્ત્રી સમાનતાના હિમાયતી હંસા મહેતાને શ્રદ્ધાંજલિ, યુનાઇટેડ નેશન્સે બિરદાવ્યાં એમના પ્રયાસો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

HANSA MEHTA UN

સામાન્યપણે ડિપ્લોમસી એ પુરુષોનું પ્રભુત્વ ધરાવતું ક્ષેત્ર ગણાય છે, પણ આ ક્ષેત્રે ઘણી મહિલાઓએ પણ પ્રસંશનીય કામગીરી બજાવી છે. એવી પ્રતિભાવાન મહિલાઓના કામની સરાહના કરવા માટે દર વર્ષે 24 જૂનનો દિવસ ‘આંતરરાષ્ટ્રીય મહિલા રાજદ્વારી દિવસ’ (International Day for Women in Diplomacy) તરીકે ઉજવવામાં આવે છે. યુનાઇટેડ નેશન્સની જનરલ એસેમ્બલી (UNGA) દ્વારા વર્ષ 2022થી આ દિવસ ઉજવવાની શરૂઆત કરવામાં આવી હતી. આ વર્ષે ‘આંતરરાષ્ટ્રીય મહિલા રાજદ્વારી દિવસ’ પર UNGAના પ્રમુખ ડેનિસ ફ્રાન્સિસ દ્વારા ભારતના બહુમુખી પ્રતિભા ધરાવતાં પુત્રી ‘હંસા મહેતા’ને શ્રદ્ધાંજલિ આપીને એમના કાર્યોને પોંખવામાં આવ્યાં છે. વિશેષ કરીને ‘માનવ અધિકારની વૈશ્વિક ઘોષણા’ (Universal Declaration of Human Rights - UDHR) બાબતે એમના પ્રદાનને ધ્યાનમાં રાખીને એમને UNGA દ્વારા યાદ કરવામાં આવ્યાં છે.
 
શું પ્રદાન હતું હંસા મહેતાનું?

UDHRના જાહેરનામાની કલમ 1ની શરૂઆતની પંક્તિ કંઈક આમ હતી- ‘બધા પુરુષો સ્વતંત્ર અને સમાન હક લઈને જન્મે છે’ (all men are born free and equal), જે સંદર્ભે સ્ત્રી-સમાનતાના હિમાયતી એવાં હંસા મહેતાએ એવી દલીલ કરી હતી કે ‘માનવતા’નો પર્યાય ‘પુરુષો’ શબ્દ ન હોવો જોઈએ. એમના સૂચનને અનુસરીને ઉપરોક્ત વાક્યમાં ફેરફાર કરીને એને ‘બધા મનુષ્ય સ્વતંત્ર અને સમાન હક લઈને જન્મે છે’ (all human beings are born free and equal) કરવામાં આવ્યું હતું. લિંગ-સમાનતાના સંદર્ભે આ મહત્ત્વપૂર્ણ બદલાવ હતો. UNGAના પ્રમુખ ડેનિસ ફ્રાન્સિસે એમના વક્તવ્ય દરમિયાન પ્રશ્ન કર્યો હતો કે, ‘જો હંસા મહેતાએ UDHRના જાહેરનામાની શરૂઆતની લાઇન બદલવાનો આગ્રહ ન રાખ્યો હોત આજે માનવ અધિકારની વૈશ્વિક ઘોષણા ખરેખર વૈશ્વિક હોત ખરી?’



કોણ હતાં હંસા મહેતા?

3 જુલાઈ 1897ના રોજ જૈન પરિવારમાં જન્મેલાં હંસા મહેતાના પિતા બરોડા સ્ટેટના દિવાન હતા અને દાદા પહેલી ગુજરાતી નવલકથા ‘કરણ ઘેલો’ના લેખક નંદશંકર મહેતા હતા. મહિલાઓને ભણવાનો હક પણ નહોતો એવા જમાનામાં હંસા મહેતા ફિલોસોફીમાં સ્નાતક થયાં હતાં. એમણે ઇંગ્લેન્ડમાં પત્રકારત્વ અને સમાજશાસ્ત્રનો અભ્યાસ કર્યો હતો. એમના લગ્ન જીવરાજ નારાયણ મહેતા સાથે થયા હતા જેઓ સમય જતાં ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી બન્યા હતા.

સામાજિક ક્ષેત્રે સતત કાર્યરત હતાં હંસા મહેતા
 
હંસા મહેતાએ એમનું સમગ્ર જીવન સમાજોત્થાન માટે ખર્ચી નાંખ્યું હતું. અગ્રીમ હરોળના સમાજ સુધારક હોવા ઉપરાંત તેઓ શિક્ષણવિદ્ પણ હતાં અને લેખિકા પણ હતાં. ગુજરાતીમાં બાળકો માટે પુસ્તકો લખવા ઉપરાંત એમણે ‘ગુલીવર્સ ટ્રાવેલ્સ’ જેવા પુસ્તકોના અનુવાદ પણ કર્યા હતા. સ્વાતંત્ર્યની લડતમાં ભાગ લઈને એમણે ધરપકડ પણ વહોરી હતી અને જેલવાસ પણ વેઠ્યો હતો. 1945-46માં તેઓ ‘અખિલ ભારતીય મહિલા પરિષદ’ના પ્રમુખ બન્યા હતાં. તેમના પ્રમુખપદ દરમિયાન જ તેમણે ભારતમાં લિંગ સમાનતા માટે ‘ભારતીય મહિલા ચાર્ટર ઓફ રાઈટ્સ એન્ડ ડ્યુટીઝ’નો મુસદ્દો તૈયાર કર્યો હતો. આ વિદૂષી ‘એસએનડીટી વુમન્સ યુનિવર્સિટી’ના વાઇસ-ચાન્સેલર, ‘ઓલ ઇન્ડિયા સેકન્ડરી બોર્ડ ઓફ એજ્યુકેશન’ના સભ્ય, ‘ઇન્ટર યુનિવર્સિટી બોર્ડ ઓફ ઇન્ડિયા’ના પ્રમુખ અને ‘મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલય’ના વાઇસ-ચાન્સેલર પણ રહ્યા હતાં.

યુનાઇટેડ નેશન્સમાં કામગીરી

1947-48માં યુ.એન.ની માનવ હક્ક સમિતિમાં ભારતનું પ્રતિનિધિત્વ કરતાં એમણે UDHRના જાહેરનામાની કલમમાં બદલાવ આણ્યો હતો. 1950માં તેઓ યુ.એન.ની માનવ હક્ક સમિતિના વાઇસ ચેરમેન બન્યા હતા. એમણે યુનેસ્કોના એક્ઝીક્યુટિવ બોર્ડનું સભ્યપદ પણ સંભાળ્યું હતું.

1959માં એમને પદ્મભૂષણ પુરસ્કાર એનાયત થયો હતો. 4 એપ્રિલ 1995ના રોજ એમનું નિધન થયું હતું.