Surat News: ખરાબ હવામાનને કારણે દિલ્હી-સુરત અને દિવની પણ ફ્લાઈટ રદ

ખરાબ હવામાનને કારણે દિલ્હી-સુરત ફ્લાઈટ રદ સુરત-દિવની પણ ફ્લાઈટ રદ કરવામાં આવીફ્લાઈટ રદ્દ થતા પ્રવાસીઓ અટવાયાશનિવારે ઓપરેશનલ કારણોસર દિલ્હીથી સુરત અને ત્યાંથી વળતી ફ્લાઈટ રદ કરવામાં આવી છે. ખરાબ હવામાનને કારણે શુક્રવારની સુરત-દિવ-સુરત ફ્લાઈટ રદ થતા પ્રવાસીઆની વિકેન્ડની મજા બગાડાઈ હતી.દિલ્હીથી પ્રતિદિન સવારે 6:30 વાગ્યે સુરત આવવા નીકળતી ઇન્ડિકો એરલાઈન્સની શનિવારની ફ્લાઈટ કેન્સલ કરવામાં આવી હોવાની માહિતી પ્રવાસીઓને આપવામાં આવી છે. આ ફ્લાઈટને ઓપરેશનલ કારણોસર કેન્સલ કરવામાં આવી હોવાનું કંપની દ્વારા જણાવવામાં આવ્યું છે. આ ફ્લાઈટ દિલ્હીથી સવારે 6:30 વાગ્યે સુરત આવવા નીકળે છે અને સવારે 8 વાગ્યે સુરત પહોંચે છે. ત્યારબાદ સુરતથી ફરી સવારે 8:30 વાગ્યે દિલ્હી તરફ ઉડાન ભરે છે. પરંતુ શનિવારે સવારે આ ફ્લાઈટ દિલ્હીથી જ સુરત આવનાર નહીં હોવાથી સુરતથી દિલ્હી જનારી શનિવાર સવારની 8:30 વાગ્યેની ફ્લાઈટ પણ કેન્સલ થઈ છે. આ ઉપરાંત શુક્રવારે બપોરે સુરતથી દિવ જતી ફ્લાઈટને પણ રદ કરવામાં આવી હતી. દિવ ખાતે ખરાબ હવામાન હોવાથી આ ફ્લાઈટને કેન્સલ કરવામાં આવી હોવાનું એરલાઈન્સ કંપનીએ જણાવ્યું હતું. જેને લીધે દિવથી સુરત આવનારી ફ્લાઈટ પણ કેન્સલ થતા દિવ અને સુરતના પ્રવાસીને પરેશાન થવાનો વારો આવ્યો હતો. ચોમાસા દરમિયાન આ રીતે ફ્લાઈટ કેન્સલ થવાની શક્યતાઓ વધી જતી હોવાનું સૂત્રોએ કહ્યું હતું.

Surat News: ખરાબ હવામાનને કારણે દિલ્હી-સુરત અને દિવની પણ ફ્લાઈટ રદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ખરાબ હવામાનને કારણે દિલ્હી-સુરત ફ્લાઈટ રદ
  • સુરત-દિવની પણ ફ્લાઈટ રદ કરવામાં આવી
  • ફ્લાઈટ રદ્દ થતા પ્રવાસીઓ અટવાયા

શનિવારે ઓપરેશનલ કારણોસર દિલ્હીથી સુરત અને ત્યાંથી વળતી ફ્લાઈટ રદ કરવામાં આવી છે. ખરાબ હવામાનને કારણે શુક્રવારની સુરત-દિવ-સુરત ફ્લાઈટ રદ થતા પ્રવાસીઆની વિકેન્ડની મજા બગાડાઈ હતી.

દિલ્હીથી પ્રતિદિન સવારે 6:30 વાગ્યે સુરત આવવા નીકળતી ઇન્ડિકો એરલાઈન્સની શનિવારની ફ્લાઈટ કેન્સલ કરવામાં આવી હોવાની માહિતી પ્રવાસીઓને આપવામાં આવી છે. આ ફ્લાઈટને ઓપરેશનલ કારણોસર કેન્સલ કરવામાં આવી હોવાનું કંપની દ્વારા જણાવવામાં આવ્યું છે.

આ ફ્લાઈટ દિલ્હીથી સવારે 6:30 વાગ્યે સુરત આવવા નીકળે છે અને સવારે 8 વાગ્યે સુરત પહોંચે છે. ત્યારબાદ સુરતથી ફરી સવારે 8:30 વાગ્યે દિલ્હી તરફ ઉડાન ભરે છે. પરંતુ શનિવારે સવારે આ ફ્લાઈટ દિલ્હીથી જ સુરત આવનાર નહીં હોવાથી સુરતથી દિલ્હી જનારી શનિવાર સવારની 8:30 વાગ્યેની ફ્લાઈટ પણ કેન્સલ થઈ છે.

આ ઉપરાંત શુક્રવારે બપોરે સુરતથી દિવ જતી ફ્લાઈટને પણ રદ કરવામાં આવી હતી. દિવ ખાતે ખરાબ હવામાન હોવાથી આ ફ્લાઈટને કેન્સલ કરવામાં આવી હોવાનું એરલાઈન્સ કંપનીએ જણાવ્યું હતું. જેને લીધે દિવથી સુરત આવનારી ફ્લાઈટ પણ કેન્સલ થતા દિવ અને સુરતના પ્રવાસીને પરેશાન થવાનો વારો આવ્યો હતો. ચોમાસા દરમિયાન આ રીતે ફ્લાઈટ કેન્સલ થવાની શક્યતાઓ વધી જતી હોવાનું સૂત્રોએ કહ્યું હતું.