Surat Breaking: કુંભાણી ખેલ કરી ગયા, ઉમેદવારી પત્ર રદ્દ થતાં ભાજપમાં જોડાશે

કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર ભાજપમાં જોડાશેગુરૂવારે નિલેશ કુંભાણી ભાજપમાં જોડાશેચૂંટણીપંચે નિલેશ કુંભાણીનું ફોર્મ રદ્દ કર્યું હતુંસુરત લોકસભા બેઠકને લઈને છેલ્લા બે દિવસથી ચાલી રહેલા સસ્પેન્સનો આજે અંત આવ્યો. કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ્દ થયા બાદ અન્ય તમામ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લેતા સુરત લોકસભા બેઠક બિનહરીફ જાહેર કરવામાં આવી છે. સુરત લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવારને બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા છે. ત્યારે, સુરત બેઠકથી વધુ એક મોટા સમાચાર આવ્યા છે. કોંગ્રેસના એ ઉમેદવાર જેમને ફોર્મ રદ્દ ન થાય તે માટે ભારે ધમપછાડા કર્યા હતા તેઓ હવે કેસરિયા કરવા જઈ રહ્યા છે.સુરતથી ભાજપના ઉમેદવાર બિનહરીફ થયા હતામળતી માહિતી મુજબ, સુરત કોંગ્રેસના લોકસભા બેઠકના ઉમેદવાર નિલેશ કુંભાણીએ મોટો નિર્ણય લીધો છે અને ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ સાથે છેડો ફાડવાનો નિર્ણય લીધો છે. માહત્વનું છે કે ગુરુવારે કોંગ્રેસના ઉમેદવાર તરીકે નિલેશ કુંભાણીનું ફોર્મ રદ્દ કરવામાં આવ્યું હતું. ત્યારે હવે સમાચાર મળી રહ્યા છે કે નિલેશ કુંભાણી હવે આવતીકાલે ભાજપમાં જોડાઈ રહ્યા છે. જાણો શું છે સમગ્ર મામલો સુરતમાં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ફોર્મ સામે ભાજપ તરફથી વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. નિલેશ કુંભાણીના ટેકેદારો પૈકી ત્રણ ટેકેદારોએ એફિડેવિટ કરીને કહ્યું હતું કે, આ અમારી સહી નથી. આમા ભાજપ ઉમેદવારના ચૂંટણી એજન્ટ દિનેશ જોધાણીએ વાંધો ઉઠાવ્યો હતો. આથી નિલેશ કુંભાણીના ફોર્મ સામે પ્રશ્નાર્થ ઊઠ્યો હતો કે શું આ ફોર્મ રદ્દ થશે?ત્યારે આ મામલે ગઈકાલે નૈષધ દેસાઈનું કહેવુ હતું કે, નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયાની મૌખિક જાણ કોંગ્રેસને કરાઈ હતી. તેઓ તાત્કાલિક હાઈકોર્ટમાં સુનાવણી માટે પિટિશન પણ દાખલ કરવાના હતા. જ્યારે બીજી બાજુ ખુદ નિલેશ કુંભાણીએ જણાવ્યું હતું કે, ફોર્મ રદ થવાની જાહેરાત નથી થઈ. તો આ મામલે એડવોકેટ બાબુ માંગુકિયા, મનીષ દોશી, ગોપાલ ઈટાલિયા સહિતનાઓનું કહેવું હતું કે, જેમણે સહી કરી હતી એ ત્રણેય ટેકેદારોનું અપહરણ કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ થયો છે. જેને લઈ નિલેશ કુંભાણીના 3 'ગાયબ' ટેકેદારો માટે ગુજરાત હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસ અને કલેક્ટરમાં ઉમેદવારી પત્ર રદના વિરોધમાં ત્રણ અરજી આપી હતી.

Surat Breaking: કુંભાણી ખેલ કરી ગયા, ઉમેદવારી પત્ર રદ્દ થતાં ભાજપમાં જોડાશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર ભાજપમાં જોડાશે
  • ગુરૂવારે નિલેશ કુંભાણી ભાજપમાં જોડાશે
  • ચૂંટણીપંચે નિલેશ કુંભાણીનું ફોર્મ રદ્દ કર્યું હતું

સુરત લોકસભા બેઠકને લઈને છેલ્લા બે દિવસથી ચાલી રહેલા સસ્પેન્સનો આજે અંત આવ્યો. કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ્દ થયા બાદ અન્ય તમામ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લેતા સુરત લોકસભા બેઠક બિનહરીફ જાહેર કરવામાં આવી છે. સુરત લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવારને બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા છે. ત્યારે, સુરત બેઠકથી વધુ એક મોટા સમાચાર આવ્યા છે. કોંગ્રેસના એ ઉમેદવાર જેમને ફોર્મ રદ્દ ન થાય તે માટે ભારે ધમપછાડા કર્યા હતા તેઓ હવે કેસરિયા કરવા જઈ રહ્યા છે.

સુરતથી ભાજપના ઉમેદવાર બિનહરીફ થયા હતા

મળતી માહિતી મુજબ, સુરત કોંગ્રેસના લોકસભા બેઠકના ઉમેદવાર નિલેશ કુંભાણીએ મોટો નિર્ણય લીધો છે અને ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ સાથે છેડો ફાડવાનો નિર્ણય લીધો છે. માહત્વનું છે કે ગુરુવારે કોંગ્રેસના ઉમેદવાર તરીકે નિલેશ કુંભાણીનું ફોર્મ રદ્દ કરવામાં આવ્યું હતું. ત્યારે હવે સમાચાર મળી રહ્યા છે કે નિલેશ કુંભાણી હવે આવતીકાલે ભાજપમાં જોડાઈ રહ્યા છે.

જાણો શું છે સમગ્ર મામલો

સુરતમાં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ફોર્મ સામે ભાજપ તરફથી વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. નિલેશ કુંભાણીના ટેકેદારો પૈકી ત્રણ ટેકેદારોએ એફિડેવિટ કરીને કહ્યું હતું કે, આ અમારી સહી નથી. આમા ભાજપ ઉમેદવારના ચૂંટણી એજન્ટ દિનેશ જોધાણીએ વાંધો ઉઠાવ્યો હતો. આથી નિલેશ કુંભાણીના ફોર્મ સામે પ્રશ્નાર્થ ઊઠ્યો હતો કે શું આ ફોર્મ રદ્દ થશે?ત્યારે આ મામલે ગઈકાલે નૈષધ દેસાઈનું કહેવુ હતું કે, નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયાની મૌખિક જાણ કોંગ્રેસને કરાઈ હતી. તેઓ તાત્કાલિક હાઈકોર્ટમાં સુનાવણી માટે પિટિશન પણ દાખલ કરવાના હતા. જ્યારે બીજી બાજુ ખુદ નિલેશ કુંભાણીએ જણાવ્યું હતું કે, ફોર્મ રદ થવાની જાહેરાત નથી થઈ. તો આ મામલે એડવોકેટ બાબુ માંગુકિયા, મનીષ દોશી, ગોપાલ ઈટાલિયા સહિતનાઓનું કહેવું હતું કે, જેમણે સહી કરી હતી એ ત્રણેય ટેકેદારોનું અપહરણ કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ થયો છે. જેને લઈ નિલેશ કુંભાણીના 3 'ગાયબ' ટેકેદારો માટે ગુજરાત હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસ અને કલેક્ટરમાં ઉમેદવારી પત્ર રદના વિરોધમાં ત્રણ અરજી આપી હતી.