Rajkot TRP Game Zone અગ્નિકાંડમાં મેરેજસર્ટિના બદલે પરિજનોને વિવેકનું ડેથસર્ટિ મળ્યું

અગ્નિકાંડમાં ભોગ બનેલા દંપતીનાં મૃતદેહ લવાયા વિવેક દુસારા - ખુશાલીબેનનાં મૃતદેહ પરિજનોને સોંપાયા પુત્રના મૃત્યુથી અજાણ માતા મૃતદેહને જોઈ બન્યા હતપ્રભ વેરાવળમાં કરુણાસભર દ્રશ્યો સર્જાયા છે. જેમાં અગ્નિકાંડમાં ભોગ બનેલા દંપતીના મૃતદેહ લવાયા છે. તેમાં વિવેક દુસારા - ખુશાલીબેનનાં મૃતદેહ પરિજનોને સોંપાયા છે. પુત્રના મૃત્યુથી અજાણ માતા મૃતદેહને જોઈ હતપ્રભ બન્યા છે. ભારે હૈયે દંપતીની અંતિમવિધિ કરાઈ છે. તેમાં બે મહિના પહેલાં જ લગ્નગ્રંથીથી જોડાયા હતા.વિવેકના 2 મહિના પહેલાં જ ખુશાલી સાથે લગ્ન થયા હતા વિવેકના 2 મહિના પહેલાં જ ખુશાલી સાથે લગ્ન થયા હતા. જેમાં મૃતક વિવેક રાજકોટ મેરેજ સર્ટિ લેવા ગયો હતો. મેરેજ સર્ટિના બદલે પરિજનોને વિવેકનું ડેથ સર્ટિ મળ્યું છે. વિવેક પત્ની તથા સાળી સાથે ગેમઝોનમાં ફરવા ગયો હતો. રાજકોટના ગેમઝોનના ગોઝારા અગ્નિકાંડમાં કાળનો કોળિયો બનેલા વેરાવળના નવોઢા દંપતીના મૃતદેહ ચાર દિવસે પરિવારજનોને મળતાં વેરાવળ ખાતે લાવવામાં આવ્યા હતા. રાત્રીના 11 વાગ્યાના સુમારે મૃતદેહ ઘરે પહોંચતા પરિવાર સહિત આખા વિસ્તારમાં કાળો કલ્પાંત સર્જાયો હતો. પરિવાર પર જાણે આભ ફાટી પડયું હોય તેવી કરુણાંતીકા સર્જાઈ વેરાવળના વિવેક અશોકભાઈ દુસારા અને તેની પત્ની ખુશાલીબેન બંનેના મૃતદેહ ઘરે પહોંચ્યા હતા.ઘટનાની કરુણતા એવી સર્જાઈકે આ યુવકના હજુ 2 માસ પૂર્વે જ લગ્ન થયા હતા. વ્હાલસોયો દીકરો કાળનો કોળિયો બની ગયો છે એ વાતથી માતા અજાણ હતા અને અચાનક મૃતદેહ ઘરે આવતા માતા હતપ્રભ બની ગયા હતા. અને પોતાને પણ મરી જવાનું સતત રટણ કરતાં કાળજું કંપી જાય તેવા દ્રશ્યો સર્જાયા હતા.મૃતક યુવક ખાનગી બેન્કમાં સેલ્સ વિભાગમાં નોકરી કરતો હતો. મૃતકના પરિવારમાં માતા પિતા અને એક નાની બહેન છે. મૃતકના પિતા ધોબીકામ કરતાં હતાં. જેમાં પરિવાર પર જાણે આભ ફાટી પડયું હોય તેવી કરુણાંતીકા સર્જાઈ હતી.

Rajkot TRP Game Zone અગ્નિકાંડમાં મેરેજસર્ટિના બદલે પરિજનોને વિવેકનું ડેથસર્ટિ મળ્યું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • અગ્નિકાંડમાં ભોગ બનેલા દંપતીનાં મૃતદેહ લવાયા
  • વિવેક દુસારા - ખુશાલીબેનનાં મૃતદેહ પરિજનોને સોંપાયા
  • પુત્રના મૃત્યુથી અજાણ માતા મૃતદેહને જોઈ બન્યા હતપ્રભ

વેરાવળમાં કરુણાસભર દ્રશ્યો સર્જાયા છે. જેમાં અગ્નિકાંડમાં ભોગ બનેલા દંપતીના મૃતદેહ લવાયા છે. તેમાં વિવેક દુસારા - ખુશાલીબેનનાં મૃતદેહ પરિજનોને સોંપાયા છે. પુત્રના મૃત્યુથી અજાણ માતા મૃતદેહને જોઈ હતપ્રભ બન્યા છે. ભારે હૈયે દંપતીની અંતિમવિધિ કરાઈ છે. તેમાં બે મહિના પહેલાં જ લગ્નગ્રંથીથી જોડાયા હતા.


વિવેકના 2 મહિના પહેલાં જ ખુશાલી સાથે લગ્ન થયા હતા

વિવેકના 2 મહિના પહેલાં જ ખુશાલી સાથે લગ્ન થયા હતા. જેમાં મૃતક વિવેક રાજકોટ મેરેજ સર્ટિ લેવા ગયો હતો. મેરેજ સર્ટિના બદલે પરિજનોને વિવેકનું ડેથ સર્ટિ મળ્યું છે. વિવેક પત્ની તથા સાળી સાથે ગેમઝોનમાં ફરવા ગયો હતો. રાજકોટના ગેમઝોનના ગોઝારા અગ્નિકાંડમાં કાળનો કોળિયો બનેલા વેરાવળના નવોઢા દંપતીના મૃતદેહ ચાર દિવસે પરિવારજનોને મળતાં વેરાવળ ખાતે લાવવામાં આવ્યા હતા. રાત્રીના 11 વાગ્યાના સુમારે મૃતદેહ ઘરે પહોંચતા પરિવાર સહિત આખા વિસ્તારમાં કાળો કલ્પાંત સર્જાયો હતો.


 પરિવાર પર જાણે આભ ફાટી પડયું હોય તેવી કરુણાંતીકા સર્જાઈ

વેરાવળના વિવેક અશોકભાઈ દુસારા અને તેની પત્ની ખુશાલીબેન બંનેના મૃતદેહ ઘરે પહોંચ્યા હતા.ઘટનાની કરુણતા એવી સર્જાઈકે આ યુવકના હજુ 2 માસ પૂર્વે જ લગ્ન થયા હતા. વ્હાલસોયો દીકરો કાળનો કોળિયો બની ગયો છે એ વાતથી માતા અજાણ હતા અને અચાનક મૃતદેહ ઘરે આવતા માતા હતપ્રભ બની ગયા હતા. અને પોતાને પણ મરી જવાનું સતત રટણ કરતાં કાળજું કંપી જાય તેવા દ્રશ્યો સર્જાયા હતા.મૃતક યુવક ખાનગી બેન્કમાં સેલ્સ વિભાગમાં નોકરી કરતો હતો. મૃતકના પરિવારમાં માતા પિતા અને એક નાની બહેન છે. મૃતકના પિતા ધોબીકામ કરતાં હતાં. જેમાં પરિવાર પર જાણે આભ ફાટી પડયું હોય તેવી કરુણાંતીકા સર્જાઈ હતી.