Rajkot TRP Game Zone Tragedy: ગેમ ઝોનના સંચાલકની અટકાયત

ગેમઝોનના એક સંચાલકની અટકાયતસંચાલકને પોલીસ સ્ટેશન લઈ જવાયોગેમઝોનના 4 સંચાલકના નામ બહાર આવ્યારાજકોટના નાના માવા રોડ પર આવેલ TRP ગેમ ઝોનમાં ભીષણ આગ લાગી ફાટી નીકળી જેમાં અત્યાર સુધીમાં 24 લોકોના મોત થયા છે. આગમાં મોટાભાગના બાળકોના મોત થયા હોવાનું સામે આવી રહ્યું છે. આગ એટલી ભીષણ હતી કે ધુમાડાના ગોટેગોટા 2 થી 3 કિલોમીટર દૂરથી જોવા મળી રહ્યા હતા. આગ એટલી ભીષણ હતી કે ગેમઝોનનું આખે આખું સ્ટ્રક્ચર તૂટી ગયું હતું.તો, રાજકોટ TRP ગેમ ઝોનના ચાર સંચાલકોના નામ સામે આવ્યા છે જેમાંથી એક સંચાલકની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. ઝડપી પાડવામાં આવેલ સંચાલકને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો છે. તો ગેમ ઝોનના ચાર સંચાલકોના નામ સામે આવ્યા છે. યુવરાજસિંહ સોલંકી, પ્રકાશ જૈન, રાહુલ રાઠોડ, માનવિજયસિંહ ગેમઝોનના સંચાલક હતા. જાણવા મળી રહ્યું છે કે યુવરાજસિંહ ગેમઝોનનો માલિક હતો જએ હાલ ફરાર થઈ ગયો છે.  તો રાજકોટના TRP ગેમઝોનમાં ભીષણ આગમાં 24ના મોત થયાની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી છે. અગ્નિકાંડમાં મોતને ભેટેલા 24 લોકોના મૃતદેહને રાજકોટ સિવિલ લાવવામાં આવ્યા છે. જેમાં સૌથી ચોંકાવનારી વાત એ સામે આવી છે કે મોતને ભેટેલા મોટાભાગના બાળકો હતા. તો, હજુ પણ મૃત્યુઆંક વધવાની શક્યતા છે. સમગ્ર મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે. જાણવા મળી રહ્યું છે કે આગ લાગી ત્યારે ગેમઝોનમાં 45 લોકો હાજર હતા. ગેમઝોનના રજિસ્ટરમાં કુલ 70 લોકોની એન્ટ્રી થઈ હોવાનું સામે આવ્યું છે. 

Rajkot TRP Game Zone Tragedy: ગેમ ઝોનના સંચાલકની અટકાયત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ગેમઝોનના એક સંચાલકની અટકાયત
  • સંચાલકને પોલીસ સ્ટેશન લઈ જવાયો
  • ગેમઝોનના 4 સંચાલકના નામ બહાર આવ્યા

રાજકોટના નાના માવા રોડ પર આવેલ TRP ગેમ ઝોનમાં ભીષણ આગ લાગી ફાટી નીકળી જેમાં અત્યાર સુધીમાં 24 લોકોના મોત થયા છે. આગમાં મોટાભાગના બાળકોના મોત થયા હોવાનું સામે આવી રહ્યું છે. આગ એટલી ભીષણ હતી કે ધુમાડાના ગોટેગોટા 2 થી 3 કિલોમીટર દૂરથી જોવા મળી રહ્યા હતા. આગ એટલી ભીષણ હતી કે ગેમઝોનનું આખે આખું સ્ટ્રક્ચર તૂટી ગયું હતું.

તો, રાજકોટ TRP ગેમ ઝોનના ચાર સંચાલકોના નામ સામે આવ્યા છે જેમાંથી એક સંચાલકની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. ઝડપી પાડવામાં આવેલ સંચાલકને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો છે. તો ગેમ ઝોનના ચાર સંચાલકોના નામ સામે આવ્યા છે. યુવરાજસિંહ સોલંકી, પ્રકાશ જૈન, રાહુલ રાઠોડ, માનવિજયસિંહ ગેમઝોનના સંચાલક હતા. જાણવા મળી રહ્યું છે કે યુવરાજસિંહ ગેમઝોનનો માલિક હતો જએ હાલ ફરાર થઈ ગયો છે. 

તો રાજકોટના TRP ગેમઝોનમાં ભીષણ આગમાં 24ના મોત થયાની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી છે. અગ્નિકાંડમાં મોતને ભેટેલા 24 લોકોના મૃતદેહને રાજકોટ સિવિલ લાવવામાં આવ્યા છે. જેમાં સૌથી ચોંકાવનારી વાત એ સામે આવી છે કે મોતને ભેટેલા મોટાભાગના બાળકો હતા. તો, હજુ પણ મૃત્યુઆંક વધવાની શક્યતા છે. સમગ્ર મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

જાણવા મળી રહ્યું છે કે આગ લાગી ત્યારે ગેમઝોનમાં 45 લોકો હાજર હતા. ગેમઝોનના રજિસ્ટરમાં કુલ 70 લોકોની એન્ટ્રી થઈ હોવાનું સામે આવ્યું છે.