PM In Gujarat : માં અંબાના ચરણોમાં આવીને પહેલી સભા સંબોધુ છું

PM મોદી બે દિવસ ગુજરાતમાં અલગ-અલગ જગ્યાએ કરશે 6 સભા આજે સાબરકાંઠા અને બનાસકાંઠામાં કરશે સભા PM આવતીકાલે સુરેન્દ્રનગર,જામનગર,આણંદ,જૂનાગઢમાં યોજશે સભા લોકસભાની ચૂંટણીનો પ્રચાર જોરસોરથી ચાલી રહ્યો છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી ગુજરાત પ્રચારના શ્રી ગણેશ ડીસાથી કરવાના હોવાથી ડીસામાં વડાપ્રધાનની જાહેર સભા અંગેની તૈયારીઓ પૂર્ણ કરાઈ છે.વડાપ્રધાન મોદી સાથે સ્ટેજ પર 56 નેતાઓ બેસી શકશે, જ્યારે ગઈકાલે યોજાયેલી ક્ષત્રિય સમાજના શક્તિ પ્રદર્શનને લઈ પોલીસ પણ ડબલ એલર્ટ મોડ પર છે. તેઓ ગુજરાતમાં બે દિવસમાં કુલ છ સભા સંબોધશે.એરોડ્રામ ગ્રાઉન્ડમાં જનમેદની ઉમટી છે. જાણો સભામાં શું બોલ્યા PM મોદી ભારત માતા કી જય સાથે PM મોદીએ ભાષણની કરી શરૂઆત,માં અંબાના ચરણોમાં આવીને પહેલી સભાનું સંબોધન કરૂ છુ.ગુજરાતની ધરતીએ મને સંસ્કાર અને ક્ષિક્ષણ આપ્યું છે.ગુજરાતની ધરતીએ મને જે સંસ્કાર, શિક્ષણ અને લાંબા સમય સુધી મુખ્યમંત્રી રાખીને અનુભવની તક આપી એ બધું આજે દિલ્લીમાં લેખે લાગે છે.પીએમ તો દિલ્હીમાં હોય બાકી અહીંયા તો આપણા નરેન્દ્રભાઈ આવ્યા છે. ગુજરાત સ્થાપના દિવસે આપણે સંકલ્પ લઈએ કે વિક્સિત ભારત બનાવવા માટે વિક્સિત ગુજરાત બનાવવામાં કોઈ કમી રહેવા નહી દઈએ.દેશની સેવા માટેનો અવસર મળ્યો : PM મોદી તમે બધાએ મને 2014માં દિલ્હી મોકલી દેશની સેવા કરવાનો મોકો આપ્યો છે. 2014 પહેલા આતંકવાદ, ગોટાળા, ભ્રષ્ટાચાર, નિરાશામાં દેશ ડુબી ગયો હતો. યુવાનો ભવિષ્ય માટે વિતારતા હતા કે શું કરવું? અને આવા સંજોગોમાં તમે મને દેશની સેવા કરવાનો મોકો આપ્યો હતો. જેવી રીતે તમે મને ટ્રેનિંગ અને શિક્ષા આપી તો મેં દેશ સેવા કરવા માટે કોઈ કસર નથી છોડી.શું કહ્યું સી.આર.પાટીલેકોઈ સમાજમાં ભાગલા નહિ, સૌનો સાથ-સૌનો વિકાસને સાથે લઈને ચાલી રહ્યા છે. અન્નદાતા માટે કોઈ યોજના નહોતી પણ હવે દર વર્ષે દરેક ખેડૂતના ખાતામાં રકમ જમા થાય છે. રેખાબેન ચૌધરી અને ભરતજી ડાભીને જંગી બહુમતીથી જીતાડવાના છે.PM અમદાવાદ આવી બનાસકાંઠા જવા નિકળ્યા હતાપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે આવ્યા છે. ત્યારે અમદાવાદ એરપોર્ટ ઉપર તેમનું સ્વાગત કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુજસેલ ખાતે પહોંચ્યા હતા. ત્યાર બાદ PM અમદાવાદ એરપોર્ટથી હેલિકોપ્ટર દ્વારા ઉત્તર ગુજરાત સભા સ્થળે પહોચ્યા હતા. ક્ષત્રિય સમાજના શક્તિ પ્રદર્શનને લઈ પોલીસની બાજ નજર ડીસામાં ગઈકાલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની ઉપસ્થિતિમાં ક્ષત્રિય સમાજનું અસ્મિતા સંમેલન યોજાયું હતું. જેમાં 2000થી પણ વધુ ક્ષત્રિય સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે ક્ષત્રિય સમાજના શક્તિ પ્રદર્શનને લઈ પોલીસ પણ એલર્ટ મોડ પર છે. કોઈપણ ક્ષત્રિય અટકચાળો ન કરે, કાળા વાવટા ન ફરકાવે કે કોઈપણ પ્રકારનો વિરોધ ન કરે તે માટે પોલીસ તમામ ગતિવિધિઓ પર બાજ નજર રાખી રહી છે.  આ સમાચાર અપડેટ કરી રહ્યાં છીએ 

PM In Gujarat : માં અંબાના ચરણોમાં આવીને પહેલી સભા સંબોધુ છું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • PM મોદી બે દિવસ ગુજરાતમાં અલગ-અલગ જગ્યાએ કરશે 6 સભા
  • આજે સાબરકાંઠા અને બનાસકાંઠામાં કરશે સભા
  • PM આવતીકાલે સુરેન્દ્રનગર,જામનગર,આણંદ,જૂનાગઢમાં યોજશે સભા

લોકસભાની ચૂંટણીનો પ્રચાર જોરસોરથી ચાલી રહ્યો છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી ગુજરાત પ્રચારના શ્રી ગણેશ ડીસાથી કરવાના હોવાથી ડીસામાં વડાપ્રધાનની જાહેર સભા અંગેની તૈયારીઓ પૂર્ણ કરાઈ છે.વડાપ્રધાન મોદી સાથે સ્ટેજ પર 56 નેતાઓ બેસી શકશે, જ્યારે ગઈકાલે યોજાયેલી ક્ષત્રિય સમાજના શક્તિ પ્રદર્શનને લઈ પોલીસ પણ ડબલ એલર્ટ મોડ પર છે. તેઓ ગુજરાતમાં બે દિવસમાં કુલ છ સભા સંબોધશે.એરોડ્રામ ગ્રાઉન્ડમાં જનમેદની ઉમટી છે.

જાણો સભામાં શું બોલ્યા PM મોદી

ભારત માતા કી જય સાથે PM મોદીએ ભાષણની કરી શરૂઆત,માં અંબાના ચરણોમાં આવીને પહેલી સભાનું સંબોધન કરૂ છુ.ગુજરાતની ધરતીએ મને સંસ્કાર અને ક્ષિક્ષણ આપ્યું છે.ગુજરાતની ધરતીએ મને જે સંસ્કાર, શિક્ષણ અને લાંબા સમય સુધી મુખ્યમંત્રી રાખીને અનુભવની તક આપી એ બધું આજે દિલ્લીમાં લેખે લાગે છે.પીએમ તો દિલ્હીમાં હોય બાકી અહીંયા તો આપણા નરેન્દ્રભાઈ આવ્યા છે. ગુજરાત સ્થાપના દિવસે આપણે સંકલ્પ લઈએ કે વિક્સિત ભારત બનાવવા માટે વિક્સિત ગુજરાત બનાવવામાં કોઈ કમી રહેવા નહી દઈએ.

દેશની સેવા માટેનો અવસર મળ્યો : PM મોદી

તમે બધાએ મને 2014માં દિલ્હી મોકલી દેશની સેવા કરવાનો મોકો આપ્યો છે. 2014 પહેલા આતંકવાદ, ગોટાળા, ભ્રષ્ટાચાર, નિરાશામાં દેશ ડુબી ગયો હતો. યુવાનો ભવિષ્ય માટે વિતારતા હતા કે શું કરવું? અને આવા સંજોગોમાં તમે મને દેશની સેવા કરવાનો મોકો આપ્યો હતો. જેવી રીતે તમે મને ટ્રેનિંગ અને શિક્ષા આપી તો મેં દેશ સેવા કરવા માટે કોઈ કસર નથી છોડી.

શું કહ્યું સી.આર.પાટીલે

કોઈ સમાજમાં ભાગલા નહિ, સૌનો સાથ-સૌનો વિકાસને સાથે લઈને ચાલી રહ્યા છે. અન્નદાતા માટે કોઈ યોજના નહોતી પણ હવે દર વર્ષે દરેક ખેડૂતના ખાતામાં રકમ જમા થાય છે. રેખાબેન ચૌધરી અને ભરતજી ડાભીને જંગી બહુમતીથી જીતાડવાના છે.

PM અમદાવાદ આવી બનાસકાંઠા જવા નિકળ્યા હતા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે આવ્યા છે. ત્યારે અમદાવાદ એરપોર્ટ ઉપર તેમનું સ્વાગત કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુજસેલ ખાતે પહોંચ્યા હતા. ત્યાર બાદ PM અમદાવાદ એરપોર્ટથી હેલિકોપ્ટર દ્વારા ઉત્તર ગુજરાત સભા સ્થળે પહોચ્યા હતા.

ક્ષત્રિય સમાજના શક્તિ પ્રદર્શનને લઈ પોલીસની બાજ નજર

ડીસામાં ગઈકાલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની ઉપસ્થિતિમાં ક્ષત્રિય સમાજનું અસ્મિતા સંમેલન યોજાયું હતું. જેમાં 2000થી પણ વધુ ક્ષત્રિય સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે ક્ષત્રિય સમાજના શક્તિ પ્રદર્શનને લઈ પોલીસ પણ એલર્ટ મોડ પર છે. કોઈપણ ક્ષત્રિય અટકચાળો ન કરે, કાળા વાવટા ન ફરકાવે કે કોઈપણ પ્રકારનો વિરોધ ન કરે તે માટે પોલીસ તમામ ગતિવિધિઓ પર બાજ નજર રાખી રહી છે.

 આ સમાચાર અપડેટ કરી રહ્યાં છીએ