Lok Sabha Elections: પોરબંદર બેઠકના વિજેતા માંડવિયા બે વાર મોદી સરકારમાં મંત્રી

પોરબંદર બેઠક પર ફરી મનસુખ માંડવીયાની ભવ્ય જીત6 લાખથી વધુ મતના માર્જીન સાથે ભાજપની વિશાળ જીત જાણો કેવી છે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાની રાજકીય સફર કુલ 7 વિધાનસભા વિસ્તારનો સમાવેશ કરતી પોરબંદર લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર અને હાલના સાંસદ મનસુખ માંડવિયાની જીત થઈ છે. ભાજપના ઉમેદવાર અને હાલના સાંસદ તેમજ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા પર ભાજપે મૂકેલો વિશ્વાસ સિદ્ધ થયો છે અને મોટા માર્જિન સાથે કોંગ્રેસના ઉમેદવાર લલીત વસોયાને મ્હાત આપી છે. મોટા માર્જિનથી જીત:પોરબંદર લોકસભા બેઠક પર ચાલી રહેલી મતગણતરી મુજબ મનસુખ માંડવિયાને 6,25,962 મત મળ્યા છે તો લલીત વસોયાને 2,45,677 મત મળ્યા છે. આમ, મનસુખ માંડવિયાની 3,80,285 મતના મોટા માર્જિનથી જીત મળી છે.પોરબંદર લોકસભા બેઠકનો ઇતિહાસ: પોરબંદર લોકસભા બેઠકનો રાજકીય ઇતિહાસ ખૂબ જ રસપ્રદ રહ્યો છે. પોરબંદર બેઠક પર પાટીદાર, ખારવા અને મહેર સમાજે અનેક મજબૂત અને લડાયક નેતાઓ છે. આ એક એવી બેઠક છે જ્યાં પક્ષ કરતાં ઉમેદવારના નામ પર લોકો મતદાન કરે છે. મનસુખ માંડવિયા પરનો વિશ્વાસ સફળ: ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાની છબી સારી છે, પરંતુ રાષ્ટ્રીય સ્તરે કામ કરતાં હોવાથી લોકલ ટચ નથી, ત્યારે જનતાના પ્રશ્નો તે કેવી રીતે સોલ્વ કરશે તે હાલ મોટો પ્રશ્ન બની રહ્યો છે. ધોરાજી અને જેતપુરમાં થયેલા પોસ્ટર વોર મનસુખ માંડવિયાને આયાતી ઉમેદવાર ગણાવી વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે. વર્ષ 2002ની વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતના સૌથી યુવા ધારાસભ્ય તરીકે ચૂંટણી જીતવામાં સફળ રહ્યા છે.2021થી કેન્દ્રીય આરોગ્ય પ્રધાન છે મનસુખ માંડવિયા: મનસુખ માંડવિયાની કાર્યપદ્ધતિને ધ્યાને રાખીને મોદી સરકારમાં તેમણે સાત જુલાઈ 2021થી કેન્દ્રીય આરોગ્ય પરિવાર કલ્યાણ રસાયણ ખાતર વિભાગના કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા. ત્યારથી તેઓ આજ દિન સુધી આરોગ્યપ્રધાન તરીકે કામગીરી કરી રહ્યા છે. તેમના કાર્યકાળમાં સમગ્ર દેશમાં કોરોનાની બે ભયાવહ લહેર આવી હતી. જેમાં રસીકરણથી લઈને કોરોના સંક્રમણ કાળ દરમિયાન તેમના દ્વારા કરવામાં આવેલી કામગીરીને પણ પ્રશંસનીય માનવામાં આવી છે. 2019 લોકસભા ચૂંટણીના પરિણામો: 2019ની લોકસભા ચૂંટણીમાં આ બેઠક પર ભાજપના ઉમેદવાર રમેશ ધડૂકની જીત થઈ હતી. રમેશ ધડૂકએ 2,29,823 મતના માર્જિનથી કોંગ્રેસના કોંગ્રેસના લલિત વસોયાને હાર આપી હતી. રમેશે ધડૂકએ આ ચૂંટણીમાં 5,63,881 મત મેળવ્યા હતા જ્યારે લલીત વસોયાએ 3,34,058 મત મેળવ્યા હતા.ખેડૂત પરિવારમાં થયો હતો જન્મ પોરબંદર બેઠક પર ભાજપના વિજેતા ઉમેદવાર અને હાલના કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા મૂળ સૌરાષ્ટમાં ભાવનગરના વાતની છે. તેઓ મોદી સરકારમાં મહત્વની ભૂમિકા ભજવે છે. તેમની છબી પહેલેથી જ સ્વચ્છ અને પ્રામાણિક નેતા તરીકેની બની રહી છે. મનસુખ માંડવિયાનો જન્મ 1 જુલાઇ 1972ના રોજ ભાવનગરના હનોલ ગામમાં એક ખડૂત પરિવારમાં થયો હતો. તેમના પિતા સીમાંત ખેડૂત હતા. માંડવિયા લેઉઆ પાટીદાર સમાજમાંથી આવે છે. માંડવિયાનું પ્રાથમિક શિક્ષણ હનોલ ગામની સરકારી શાળામાંથી લીધુ છે. ત્યારબાદ, સોનગઢ ગુરુકુળમાંથી તેમણે હાઈસ્કૂલનું શિક્ષણ મેળવ્યુ હતું. મનસુખ માંડવિયાના પરિવારમાં 4 ભાઈઓમાં તેઓ સૌથી નાના ભાઈ છે.વિદ્યાર્થીકાળ દરમિયાન રાજકીય કારકિર્દીની શરૂઆત પ્રાણીશાસ્ત્રમાં ઊંડો રસ ધરાવતા મનસુખ માંડવિયા વેટરનરી ડૉક્ટર અને ભાવનગર યુનિવર્સિટીમાંથી પોલિટિકલ સાયન્સમાં પોસ્ટ ગ્રેજ્યુએટ થયેલા છે. તેમની રાજકીય સફરની શરૂઆત વિદ્યાર્થીકાળ દરમિયાન તેઓ ભારતીય જનતા પાર્ટીની વિદ્યાર્થી પાંખ ABVPના સભ્ય તરીકે કરી હતી. બાદમાં તેઓ યુવા મોરચામાં પણ જોડાયા હતા. 2002માં ચૂંટાયા હતા પાલિતાણાના ધારાસભ્ય વર્ષ 2002માં સૌપ્રથમવાર મનસુખ માંડવિયાએ માત્ર 28 વર્ષની ઉંમરે પાલિતાણા વિધાનસભા બેઠક પરથી જીત મેળવીને ગુજરાતના સૌથી યુવા ધારાસભ્ય બન્યા હતા. પદયાત્રા કરવા માટે જાણીતા છે માંડવિયા પદયાત્રા અને સાયકલ યાત્રા કરવા માટે જાણીતા મનસુખ માંડવિયાએ વર્ષ 2005માં ધારાસભ્ય તરીકે સૌપ્રથમ તેમણે 123 કિલોમીટરની પદયાત્રા કરી હતી. ત્યારબાદ, 2007માં 127 કિલોમીટરની પદયાત્રા કરી હતી અને 2019માં તેમણે 150 કિલોમીટરની પદયાત્રા કરી હતી. UNICEF દ્વારા પણ કરાયું છે સન્માન ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ સન્માન મળેલું છે. ઓક્સો-બાયોડિગ્રેડેબલ ટેક્નોલોજીથી બનાવવામાં આવેલ 100 મિલિયન સેનિટરી પેડ્સ નજીવી કિંમતે વેચવા બદલ મહિલાઓની માસિક સ્રાવની સ્વચ્છતામાં તેમના યોગદાન બદલ UNICEF દ્વારા તેમનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. 2012માં બન્યા હતા રાજ્યસભા સાંસદ 2012માં સૌપ્રથમ વાર મનસુખ માંડવિયા રાજ્યસભાના સાંસદ તરીકે ચૂંટાયા હતા અને દેશની કેન્દ્રીય રાજનીતિની શરૂઆત કરી હતી. વર્ષ 2016થી માંડવિયા મોદી સરકારમાં યુવામંત્રી તરીકે મહત્વની ભૂમિકા ભજવે છે. માંડવિયાને વર્ષ 2016માં મોદી કેબિનેટમાં રોડ-ટ્રાન્સપોર્ટ અને હાઈવે, શિપિંગ અને કેમિકલ્સ અને ફર્ટિલાઈઝર્સ રાજ્ય મંત્રી તરીકે કામગીરી કરી ચુક્યા છે. બાદમાં, 30 મે 2019માં તેમને ફરીથી સ્વતંત્ર પ્રભાર તરીકે રસાયણ અને ખાતર રાજ્યમંત્રીનો હવાલો સોંપવામાં આવ્યો. 2020માં મોદી કેબિનેટનું વિસ્તરણ કરવામાં આવ્યું. કેબિનેટના વિસ્તરણ બાદ માંડવિયાને કેન્દ્રીય આરોગ્ય મંત્રી તરીકેની મહત્વની જવાબદારી સોંપવામાં આવી.

Lok Sabha Elections: પોરબંદર બેઠકના વિજેતા માંડવિયા બે વાર મોદી સરકારમાં મંત્રી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • પોરબંદર બેઠક પર ફરી મનસુખ માંડવીયાની ભવ્ય જીત
  • 6 લાખથી વધુ મતના માર્જીન સાથે ભાજપની વિશાળ જીત 
  • જાણો કેવી છે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાની રાજકીય સફર 

કુલ 7 વિધાનસભા વિસ્તારનો સમાવેશ કરતી પોરબંદર લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર અને હાલના સાંસદ મનસુખ માંડવિયાની જીત થઈ છે. ભાજપના ઉમેદવાર અને હાલના સાંસદ તેમજ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા પર ભાજપે મૂકેલો વિશ્વાસ સિદ્ધ થયો છે અને મોટા માર્જિન સાથે કોંગ્રેસના ઉમેદવાર લલીત વસોયાને મ્હાત આપી છે.

મોટા માર્જિનથી જીત:

પોરબંદર લોકસભા બેઠક પર ચાલી રહેલી મતગણતરી મુજબ મનસુખ માંડવિયાને 6,25,962 મત મળ્યા છે તો લલીત વસોયાને 2,45,677 મત મળ્યા છે. આમ, મનસુખ માંડવિયાની 3,80,285 મતના મોટા માર્જિનથી જીત મળી છે.

પોરબંદર લોકસભા બેઠકનો ઇતિહાસ:

પોરબંદર લોકસભા બેઠકનો રાજકીય ઇતિહાસ ખૂબ જ રસપ્રદ રહ્યો છે. પોરબંદર બેઠક પર પાટીદાર, ખારવા અને મહેર સમાજે અનેક મજબૂત અને લડાયક નેતાઓ છે. આ એક એવી બેઠક છે જ્યાં પક્ષ કરતાં ઉમેદવારના નામ પર લોકો મતદાન કરે છે. 

મનસુખ માંડવિયા પરનો વિશ્વાસ સફળ:

ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાની છબી સારી છે, પરંતુ રાષ્ટ્રીય સ્તરે કામ કરતાં હોવાથી લોકલ ટચ નથી, ત્યારે જનતાના પ્રશ્નો તે કેવી રીતે સોલ્વ કરશે તે હાલ મોટો પ્રશ્ન બની રહ્યો છે. ધોરાજી અને જેતપુરમાં થયેલા પોસ્ટર વોર મનસુખ માંડવિયાને આયાતી ઉમેદવાર ગણાવી વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે. વર્ષ 2002ની વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતના સૌથી યુવા ધારાસભ્ય તરીકે ચૂંટણી જીતવામાં સફળ રહ્યા છે.

2021થી કેન્દ્રીય આરોગ્ય પ્રધાન છે મનસુખ માંડવિયા:

મનસુખ માંડવિયાની કાર્યપદ્ધતિને ધ્યાને રાખીને મોદી સરકારમાં તેમણે સાત જુલાઈ 2021થી કેન્દ્રીય આરોગ્ય પરિવાર કલ્યાણ રસાયણ ખાતર વિભાગના કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા. ત્યારથી તેઓ આજ દિન સુધી આરોગ્યપ્રધાન તરીકે કામગીરી કરી રહ્યા છે. તેમના કાર્યકાળમાં સમગ્ર દેશમાં કોરોનાની બે ભયાવહ લહેર આવી હતી. જેમાં રસીકરણથી લઈને કોરોના સંક્રમણ કાળ દરમિયાન તેમના દ્વારા કરવામાં આવેલી કામગીરીને પણ પ્રશંસનીય માનવામાં આવી છે.

2019 લોકસભા ચૂંટણીના પરિણામો:

2019ની લોકસભા ચૂંટણીમાં આ બેઠક પર ભાજપના ઉમેદવાર રમેશ ધડૂકની જીત થઈ હતી. રમેશ ધડૂકએ 2,29,823 મતના માર્જિનથી કોંગ્રેસના કોંગ્રેસના લલિત વસોયાને હાર આપી હતી. રમેશે ધડૂકએ આ ચૂંટણીમાં 5,63,881 મત મેળવ્યા હતા જ્યારે લલીત વસોયાએ 3,34,058 મત મેળવ્યા હતા.

ખેડૂત પરિવારમાં થયો હતો જન્મ

પોરબંદર બેઠક પર ભાજપના વિજેતા ઉમેદવાર અને હાલના કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા મૂળ સૌરાષ્ટમાં ભાવનગરના વાતની છે. તેઓ મોદી સરકારમાં મહત્વની ભૂમિકા ભજવે છે. તેમની છબી પહેલેથી જ સ્વચ્છ અને પ્રામાણિક નેતા તરીકેની બની રહી છે. મનસુખ માંડવિયાનો જન્મ 1 જુલાઇ 1972ના રોજ ભાવનગરના હનોલ ગામમાં એક ખડૂત પરિવારમાં થયો હતો. તેમના પિતા સીમાંત ખેડૂત હતા. માંડવિયા લેઉઆ પાટીદાર સમાજમાંથી આવે છે. માંડવિયાનું પ્રાથમિક શિક્ષણ હનોલ ગામની સરકારી શાળામાંથી લીધુ છે. ત્યારબાદ, સોનગઢ ગુરુકુળમાંથી તેમણે હાઈસ્કૂલનું શિક્ષણ મેળવ્યુ હતું. મનસુખ માંડવિયાના પરિવારમાં 4 ભાઈઓમાં તેઓ સૌથી નાના ભાઈ છે.

વિદ્યાર્થીકાળ દરમિયાન રાજકીય કારકિર્દીની શરૂઆત

પ્રાણીશાસ્ત્રમાં ઊંડો રસ ધરાવતા મનસુખ માંડવિયા વેટરનરી ડૉક્ટર અને ભાવનગર યુનિવર્સિટીમાંથી પોલિટિકલ સાયન્સમાં પોસ્ટ ગ્રેજ્યુએટ થયેલા છે. તેમની રાજકીય સફરની શરૂઆત વિદ્યાર્થીકાળ દરમિયાન તેઓ ભારતીય જનતા પાર્ટીની વિદ્યાર્થી પાંખ ABVPના સભ્ય તરીકે કરી હતી. બાદમાં તેઓ યુવા મોરચામાં પણ જોડાયા હતા.

2002માં ચૂંટાયા હતા પાલિતાણાના ધારાસભ્ય

વર્ષ 2002માં સૌપ્રથમવાર મનસુખ માંડવિયાએ માત્ર 28 વર્ષની ઉંમરે પાલિતાણા વિધાનસભા બેઠક પરથી જીત મેળવીને ગુજરાતના સૌથી યુવા ધારાસભ્ય બન્યા હતા.

પદયાત્રા કરવા માટે જાણીતા છે માંડવિયા

પદયાત્રા અને સાયકલ યાત્રા કરવા માટે જાણીતા મનસુખ માંડવિયાએ વર્ષ 2005માં ધારાસભ્ય તરીકે સૌપ્રથમ તેમણે 123 કિલોમીટરની પદયાત્રા કરી હતી. ત્યારબાદ, 2007માં 127 કિલોમીટરની પદયાત્રા કરી હતી અને 2019માં તેમણે 150 કિલોમીટરની પદયાત્રા કરી હતી.

UNICEF દ્વારા પણ કરાયું છે સન્માન

ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ સન્માન મળેલું છે. ઓક્સો-બાયોડિગ્રેડેબલ ટેક્નોલોજીથી બનાવવામાં આવેલ 100 મિલિયન સેનિટરી પેડ્સ નજીવી કિંમતે વેચવા બદલ મહિલાઓની માસિક સ્રાવની સ્વચ્છતામાં તેમના યોગદાન બદલ UNICEF દ્વારા તેમનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.

2012માં બન્યા હતા રાજ્યસભા સાંસદ

2012માં સૌપ્રથમ વાર મનસુખ માંડવિયા રાજ્યસભાના સાંસદ તરીકે ચૂંટાયા હતા અને દેશની કેન્દ્રીય રાજનીતિની શરૂઆત કરી હતી. વર્ષ 2016થી માંડવિયા મોદી સરકારમાં યુવામંત્રી તરીકે મહત્વની ભૂમિકા ભજવે છે. માંડવિયાને વર્ષ 2016માં મોદી કેબિનેટમાં રોડ-ટ્રાન્સપોર્ટ અને હાઈવે, શિપિંગ અને કેમિકલ્સ અને ફર્ટિલાઈઝર્સ રાજ્ય મંત્રી તરીકે કામગીરી કરી ચુક્યા છે. બાદમાં, 30 મે 2019માં તેમને ફરીથી સ્વતંત્ર પ્રભાર તરીકે રસાયણ અને ખાતર રાજ્યમંત્રીનો હવાલો સોંપવામાં આવ્યો. 2020માં મોદી કેબિનેટનું વિસ્તરણ કરવામાં આવ્યું. કેબિનેટના વિસ્તરણ બાદ માંડવિયાને કેન્દ્રીય આરોગ્ય મંત્રી તરીકેની મહત્વની જવાબદારી સોંપવામાં આવી.