Jamnagar News:જામનગરમાં એક જ સપ્તાહમાં હત્યાની ત્રીજા ઘટનાથી ભારે ચકચાર

એક જ સપ્તાહમાં હત્યાની ત્રીજી ઘટના શંકાના આધારે મિત્રની હત્યા નિપજાવી પોલીસે હુમલાખોર આરોપીઓ સામે ગુનો નોંધ્યો જામનગર પંથકમાં છેલ્લા એક સપ્તાહમાં હત્યાની ત્રીજી ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. એક જ સપ્તાહમાં હત્યાનો ત્રીજો બનાવ સામે આવતા કાયદા અને વ્યવસ્થા સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. જામનગરના શાંતિનગર વિસ્તારમાં રહેતા એક યુવાને તેના જ મિત્ર પર શંકા રાખીને તેની હત્યા કરી નાખી. આ હત્યાના બનાવ અંગે પોલીસે ચાર આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે. જેમાં વચ્ચે બચાવવા પડેલો અન્ય એક મિત્ર પણ ઘાયલ થયો છે. સીસીટીવી કેમેરામાં હત્યાની ઘટના કેદ જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલના સોનોગ્રાફી વિભાગના એરિયામાં ગઈકાલે રાત્રે એક યુવક પર હુમલો કરી દઈ હત્યા નિપજાવાઇ હતી. જે વિસ્તારમાં હોસ્પિટલના તંત્ર દ્વારા સીસીટીવી કેમેરા લગાવાયેલા છે, જેમાં હત્યાની ઘટના કેદ થઈ હતી, અને આરોપીઓ દ્વારા મૃતક યુવાન પર હુમલો કરી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. જેના ફૂટેજ પોલીસને જોવા મળ્યા હતા. જેથી સીટી બી. ડિવિઝન પોલીસ દ્વારા જી.જી. હોસ્પિટલના સોનોગ્રાફી વિભાગના ફૂટેજ પુરાવાના ભાગરૂપે મેળવી લેવાયા છે. ગુપ્તી જેવા હથીયારથી હુમલો જામનગરમાં શાંતિનગર વિસ્તારમાં રહેતા ધર્મેન્દ્રસિંહ સુરેન્દ્રસિંહ ઝાલા કે જેના ઉપર સૌપ્રથમ રાત્રિના બાર વાગ્યાના સમયે શરૂ સેક્શન રોડ પર તેના જ મિત્ર અને દારૂના ધંધાર્થી જયપાલ સિંહ ચુડાસમા અને તેના ૩ સાગરીતોએ દારૂ અંગેની પોલીસમાં અમારી બાતમી કેમ આપે છે, તેમ કહી હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં ધર્મેન્દ્રસિંહ ઝાલાને માથાના ભાગે ઇજા થઈ હતી. જેને લઈને તેમને જી. જી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં ધર્મેન્દ્રસિંહની સારવાર ચાલી રહી હતી ત્યારે હુમલાખોર જયપાલસિંહ ચુડાસમા પોતાના અન્ય ત્રણ સાગરીતો ઊર્મિલ રાઠોડ પ્રણવદેવસિંહ સહદેવસિંહ અને અક્ષયસિંહ પરમાર વગેરેને સાથે લઈને ગુપ્તી જેવા હથીયાર સાથે ધસી આવ્યો હતો અને ધર્મેન્દ્રસિંહ પર ફરીથી હુમલો કરી દેતાં લોહી લૂહાણ થઈને ઢળી પડ્યો હતો. હોસ્પિટલ તંત્ર અને સિક્યુરિટીની બેદરકારી મોડી રાત્રે આ ઘટનાની જાણ થતાં ક્ષત્રિય સમાજના લોકોના ટોળા જી.જી. હોસ્પિટલના દ્વારે એકઠા થઈ ગયા હતા. જયારે જામનગર શહેર વિભાગના DYSP જયવીરસિંહ ઝાલા, તેમજ સીટીબી ડિવિઝનનો પોલીસ કાફ્લો તાબડતોબ જી.જી. હોસ્પિટલમાં દોડી આવ્યો હતો, અને યુવાનના મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવ અંગે ઇજાગ્રસ્ત સુખદેવસિંહ જાડેજા ની ફરિયાદ લેવામાં આવી હતી, અને જયપાલ સિંહ ચુડાસમા અને તેના અન્ય ત્રણ સાગરીતો સામે પોલીસે હત્યાની કલમ તેમજ અન્ય જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. હાલમાં તમામ આરોપીઓ ભાગી છૂટ્યા હોવાથી પોલીસ દ્વારા તમામની શોધખોળ ચાલી રહી છે. જોકે મૃતકના સગા દ્વારા આ બનાવ સંદર્ભે હોસ્પિટલ તંત્ર અને સિક્યુરિટીની બેદરકારી દાખવી છે.

Jamnagar News:જામનગરમાં એક જ સપ્તાહમાં હત્યાની ત્રીજા ઘટનાથી ભારે ચકચાર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • એક જ સપ્તાહમાં હત્યાની ત્રીજી ઘટના
  • શંકાના આધારે મિત્રની હત્યા નિપજાવી
  • પોલીસે હુમલાખોર આરોપીઓ સામે ગુનો નોંધ્યો

જામનગર પંથકમાં છેલ્લા એક સપ્તાહમાં હત્યાની ત્રીજી ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. એક જ સપ્તાહમાં હત્યાનો ત્રીજો બનાવ સામે આવતા કાયદા અને વ્યવસ્થા સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. જામનગરના શાંતિનગર વિસ્તારમાં રહેતા એક યુવાને તેના જ મિત્ર પર શંકા રાખીને તેની હત્યા કરી નાખી. આ હત્યાના બનાવ અંગે પોલીસે ચાર આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે. જેમાં વચ્ચે બચાવવા પડેલો અન્ય એક મિત્ર પણ ઘાયલ થયો છે.

સીસીટીવી કેમેરામાં હત્યાની ઘટના કેદ

જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલના સોનોગ્રાફી વિભાગના એરિયામાં ગઈકાલે રાત્રે એક યુવક પર હુમલો કરી દઈ હત્યા નિપજાવાઇ હતી. જે વિસ્તારમાં હોસ્પિટલના તંત્ર દ્વારા સીસીટીવી કેમેરા લગાવાયેલા છે, જેમાં હત્યાની ઘટના કેદ થઈ હતી, અને આરોપીઓ દ્વારા મૃતક યુવાન પર હુમલો કરી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. જેના ફૂટેજ પોલીસને જોવા મળ્યા હતા. જેથી સીટી બી. ડિવિઝન પોલીસ દ્વારા જી.જી. હોસ્પિટલના સોનોગ્રાફી વિભાગના ફૂટેજ પુરાવાના ભાગરૂપે મેળવી લેવાયા છે.

ગુપ્તી જેવા હથીયારથી હુમલો

જામનગરમાં શાંતિનગર વિસ્તારમાં રહેતા ધર્મેન્દ્રસિંહ સુરેન્દ્રસિંહ ઝાલા કે જેના ઉપર સૌપ્રથમ રાત્રિના બાર વાગ્યાના સમયે શરૂ સેક્શન રોડ પર તેના જ મિત્ર અને દારૂના ધંધાર્થી જયપાલ સિંહ ચુડાસમા અને તેના ૩ સાગરીતોએ દારૂ અંગેની પોલીસમાં અમારી બાતમી કેમ આપે છે, તેમ કહી હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં ધર્મેન્દ્રસિંહ ઝાલાને માથાના ભાગે ઇજા થઈ હતી. જેને લઈને તેમને જી. જી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં ધર્મેન્દ્રસિંહની સારવાર ચાલી રહી હતી ત્યારે હુમલાખોર જયપાલસિંહ ચુડાસમા પોતાના અન્ય ત્રણ સાગરીતો ઊર્મિલ રાઠોડ પ્રણવદેવસિંહ સહદેવસિંહ અને અક્ષયસિંહ પરમાર વગેરેને સાથે લઈને ગુપ્તી જેવા હથીયાર સાથે ધસી આવ્યો હતો અને ધર્મેન્દ્રસિંહ પર ફરીથી હુમલો કરી દેતાં લોહી લૂહાણ થઈને ઢળી પડ્યો હતો.

હોસ્પિટલ તંત્ર અને સિક્યુરિટીની બેદરકારી

મોડી રાત્રે આ ઘટનાની જાણ થતાં ક્ષત્રિય સમાજના લોકોના ટોળા જી.જી. હોસ્પિટલના દ્વારે એકઠા થઈ ગયા હતા. જયારે જામનગર શહેર વિભાગના DYSP જયવીરસિંહ ઝાલા, તેમજ સીટીબી ડિવિઝનનો પોલીસ કાફ્લો તાબડતોબ જી.જી. હોસ્પિટલમાં દોડી આવ્યો હતો, અને યુવાનના મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવ અંગે ઇજાગ્રસ્ત સુખદેવસિંહ જાડેજા ની ફરિયાદ લેવામાં આવી હતી, અને જયપાલ સિંહ ચુડાસમા અને તેના અન્ય ત્રણ સાગરીતો સામે પોલીસે હત્યાની કલમ તેમજ અન્ય જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. હાલમાં તમામ આરોપીઓ ભાગી છૂટ્યા હોવાથી પોલીસ દ્વારા તમામની શોધખોળ ચાલી રહી છે. જોકે મૃતકના સગા દ્વારા આ બનાવ સંદર્ભે હોસ્પિટલ તંત્ર અને સિક્યુરિટીની બેદરકારી દાખવી છે.