Heat Wave: શ્રમિકો હેલ્પ લાઈન નંબરને લઈ અજાણ,સરકારના નિયમો કાગળ પર!

કેટલીક સાઇટો પર શ્રમિકો પાસે બપોરે પણ કામ લેવાય છે શ્રમિકોને બપોરે 1 થી 4 કામ ન કરવું તેવા આદેશની ખબર જ નથી શ્રમિકોના હિત માટે સરકારે જાહેર કર્યો છે હેલ્પ લાઈન નંબર- 155372 રાજ્યમાં ગરમીનો પ્રકોપ સતત વધી રહ્યો છે અને આગ ઓકતી ગરમીના કારણે લોકોમાં બીમારીનું પ્રમાણ પણ સતત વધી રહ્યું છે. રાજ્યમાં અનેક જગ્યાઓએ હોસ્પિટલો દર્દીઓથી ભરાઈ રહી છે. આ સમયે સરકારે શ્રમિકો માટે ખાસ આદેશ આપ્યા છે. ભારે ગરમીને લઈ બાંધકામ સાઈટ પર કામ કરતા શ્રમિકો હીટવેવની અસરથી બચી શકે તેવા હેતુથી ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા ક્રેડાઈને એક પત્ર લખવામાં આવ્યો છે. ઉનાળાની સિઝન દરમિયાન બાંધકામ સાઈટ પર કામ કરતા શ્રમિકોને ગરમીના કારણે લૂ લાગવી, ઝાડા-ઉલ્ટી સહિત અન્ય સ્વાસ્થ્ય સંબંધિ જોખમોથી રક્ષા મળી રહે તેવા હેતુથી ગરમીમાં શ્રમિકોને 1 થી 4 કલાક દરમિયાન વિશ્રામ આપવા પત્રના માઘ્યમથી મનપા દ્વારા અપીલ કરવામાં આવી છે. આ ઉપરાંત બાંધકામ સાઈટો પર શ્રમિકો માટે જરૂરી પાણી, છાશ અને ORSની વ્યવસ્થા કરવા સૂચના આપવામાં આવી છે. સૂચનાનું પાલન ન કરનાર સામે ફરિયાદ નોંધાવવા હેલ્પલાઈન નંબર જાહેર કરાયો છે શહેરમાં બાંધકામ સાઈટો પર કામ કરી રહેલ શ્રમિકોને બપોરના સમયે ન કરવા અને ગરમીથી બચવા જરૂરી તકેદારી રાખવા માટે અપીલ કરવામાં આવી છે. જો સૂચનાઓનું પાલન ન આવતું હોય તો હેલ્પલાઈન નંબર 155372 પર ફરિયાદ નોંધાવી શકાશે. તેમજ બિલ્ડર્સ, કોન્ટ્રાક્ટરો અને બાંધકામ સાથે સંકળાયેલા શ્રમિકોને ખાસ કિસ્સામાં વિશ્રામ માટે સમય ફાળવવામાં સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત શહેરમાં સફાઈ સાથે જોડાયેલા સફાઈ કામદારો માટે પણ પત્ર લખવામાં આવ્યો છે અને જરૂરી વ્યવસ્થા કરવા સૂચના આપવામાં આવી છે. વડોદરામાં સરકારનો આદેશ માત્ર કાગળ પર રાજ્યમાં સરકારના આદેશ બાદ પણ તેનું પાલન કરવામાં આવતું નથી. વડોદરામાં કેટલીક સાઇટો પર શ્રમિકો પાસે બપોરે પણ કામ લેવાય છે. જ્યારે શ્રમિકોની સાથે વાત કરવામાં આવી તો જાણવા મળ્યું કે તેમને બપોરે 1 થી 4 કામ ન કરવું તેવા આદેશની ખબર જ નથી. તેઓ કહે છે કે બપોરે કામ ન કરીએ તો અમને પૈસા કોણ આપે. સાંજે મોડે સુધી કામ કરીએ તો પોલીસ હેરાન કરે છે. સરકારનો હેલ્પ લાઈન નંબર પણ કોઈ ને ખબર નથી. તંત્ર દ્વારા કન્સ્ટ્રકશન સાઇટ પર જનજાગૃતિ અર્થે ટીમો મોકલવી જરૂરી છે. શ્રમિકો માટે જાહેર કરેલા હેલ્પ લાઈન નંબર પર સંદેશ ન્યૂઝનું રિયાલિટી ચેક સંદેશ ન્યૂઝના રિયાલિટી ચેકમાં સામે આવ્યું છે કે શ્રમિકોને કોઈ નંબરની ખબર નથી. સરકારે હેલ્પ લાઈન નંબરની જાગૃતતા લાવી જોઈએ. શ્રમિકોમાં માહિતીના અભાવે બિલ્ડરો શોષણ કરે છે. બિલ્ડરના શોષણ વચ્ચે શ્રમિકોને હકની જાગૃતતા ન હોવાથી સરકારે જાગૃતતા લાવી જરૂરી બન્યું છે. બપોરે 1 થી 4 વાગ્યા સુધી તડકામાં કામ નહીં કરવાનું એ નિર્ણય અમને નહીં ખબર નથી તેમ શ્રમિકોએ કહ્યું હતું. શ્રમિકોના શોષણ અને હક પર સરકાર જાગૃતતા લાવે તે શ્રમિકો માટે જરૂરી છે. સુરતમાં સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ શ્રમિકો માટે મોટો નિર્ણય લેવાયો સુરતમાં પણ શ્રમિકો માટે સરકારે ટોલ ફ્રી નંબર જાહેર કર્યો છે. પરંતુ શ્રમિકો ટોલ ફ્રી નંબરથી અજાણ છે. શ્રમિકોને સરકારની ગાઈડલાઈન્સની પણ ખબર નથી. કોન્ટ્રાક્ટર તેમની પાસે આખો દિવસ કામ કરાવે છે. તેઓ એમ માને છે કે પૂરો દિવસ કામ કરીએ તો જ રૂપિયા મળે. વેતન મળે તો રસોઈ બને. જો ગરમીમાં શ્રમિકોને કામ કરાવાય તો ટોલ ફ્રી નંબર પર ફરિયાદ કરવાનું સરકારે કહ્યું છે. શ્રમિકો 155372 નંબર પર ફરિયાદ કરી શકે છે. બપોરે 1 થી લઈ 4 વાગ્યા સુધી શ્રમિકોને વિશ્રામની સૂચના અપાઈ છે. કન્સ્ટ્રક્શન સાઈટસ પર ફરજિયાત શ્રમિકોને વિશ્રામ આપવાનો રહેશે. 12 કલાક કરતા વધારે શ્રમિકો પાસે કામ નહીં કરાવી શકાય.

Heat Wave:  શ્રમિકો હેલ્પ લાઈન નંબરને લઈ અજાણ,સરકારના નિયમો કાગળ પર!

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • કેટલીક સાઇટો પર શ્રમિકો પાસે બપોરે પણ કામ લેવાય છે
  • શ્રમિકોને બપોરે 1 થી 4 કામ ન કરવું તેવા આદેશની ખબર જ નથી
  • શ્રમિકોના હિત માટે સરકારે જાહેર કર્યો છે હેલ્પ લાઈન નંબર- 155372

રાજ્યમાં ગરમીનો પ્રકોપ સતત વધી રહ્યો છે અને આગ ઓકતી ગરમીના કારણે લોકોમાં બીમારીનું પ્રમાણ પણ સતત વધી રહ્યું છે. રાજ્યમાં અનેક જગ્યાઓએ હોસ્પિટલો દર્દીઓથી ભરાઈ રહી છે. આ સમયે સરકારે શ્રમિકો માટે ખાસ આદેશ આપ્યા છે. ભારે ગરમીને લઈ બાંધકામ સાઈટ પર કામ કરતા શ્રમિકો હીટવેવની અસરથી બચી શકે તેવા હેતુથી ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા ક્રેડાઈને એક પત્ર લખવામાં આવ્યો છે. ઉનાળાની સિઝન દરમિયાન બાંધકામ સાઈટ પર કામ કરતા શ્રમિકોને ગરમીના કારણે લૂ લાગવી, ઝાડા-ઉલ્ટી સહિત અન્ય સ્વાસ્થ્ય સંબંધિ જોખમોથી રક્ષા મળી રહે તેવા હેતુથી ગરમીમાં શ્રમિકોને 1 થી 4 કલાક દરમિયાન વિશ્રામ આપવા પત્રના માઘ્યમથી મનપા દ્વારા અપીલ કરવામાં આવી છે. આ ઉપરાંત બાંધકામ સાઈટો પર શ્રમિકો માટે જરૂરી પાણી, છાશ અને ORSની વ્યવસ્થા કરવા સૂચના આપવામાં આવી છે.

સૂચનાનું પાલન ન કરનાર સામે ફરિયાદ નોંધાવવા હેલ્પલાઈન નંબર જાહેર કરાયો છે

શહેરમાં બાંધકામ સાઈટો પર કામ કરી રહેલ શ્રમિકોને બપોરના સમયે ન કરવા અને ગરમીથી બચવા જરૂરી તકેદારી રાખવા માટે અપીલ કરવામાં આવી છે. જો સૂચનાઓનું પાલન ન આવતું હોય તો હેલ્પલાઈન નંબર 155372 પર ફરિયાદ નોંધાવી શકાશે. તેમજ બિલ્ડર્સ, કોન્ટ્રાક્ટરો અને બાંધકામ સાથે સંકળાયેલા શ્રમિકોને ખાસ કિસ્સામાં વિશ્રામ માટે સમય ફાળવવામાં સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત શહેરમાં સફાઈ સાથે જોડાયેલા સફાઈ કામદારો માટે પણ પત્ર લખવામાં આવ્યો છે અને જરૂરી વ્યવસ્થા કરવા સૂચના આપવામાં આવી છે.

વડોદરામાં સરકારનો આદેશ માત્ર કાગળ પર

રાજ્યમાં સરકારના આદેશ બાદ પણ તેનું પાલન કરવામાં આવતું નથી. વડોદરામાં કેટલીક સાઇટો પર શ્રમિકો પાસે બપોરે પણ કામ લેવાય છે. જ્યારે શ્રમિકોની સાથે વાત કરવામાં આવી તો જાણવા મળ્યું કે તેમને બપોરે 1 થી 4 કામ ન કરવું તેવા આદેશની ખબર જ નથી. તેઓ કહે છે કે બપોરે કામ ન કરીએ તો અમને પૈસા કોણ આપે. સાંજે મોડે સુધી કામ કરીએ તો પોલીસ હેરાન કરે છે. સરકારનો હેલ્પ લાઈન નંબર પણ કોઈ ને ખબર નથી. તંત્ર દ્વારા કન્સ્ટ્રકશન સાઇટ પર જનજાગૃતિ અર્થે ટીમો મોકલવી જરૂરી છે.

શ્રમિકો માટે જાહેર કરેલા હેલ્પ લાઈન નંબર પર સંદેશ ન્યૂઝનું રિયાલિટી ચેક

સંદેશ ન્યૂઝના રિયાલિટી ચેકમાં સામે આવ્યું છે કે શ્રમિકોને કોઈ નંબરની ખબર નથી. સરકારે હેલ્પ લાઈન નંબરની જાગૃતતા લાવી જોઈએ. શ્રમિકોમાં માહિતીના અભાવે બિલ્ડરો શોષણ કરે છે. બિલ્ડરના શોષણ વચ્ચે શ્રમિકોને હકની જાગૃતતા ન હોવાથી સરકારે જાગૃતતા લાવી જરૂરી બન્યું છે. બપોરે 1 થી 4 વાગ્યા સુધી તડકામાં કામ નહીં કરવાનું એ નિર્ણય અમને નહીં ખબર નથી તેમ શ્રમિકોએ કહ્યું હતું. શ્રમિકોના શોષણ અને હક પર સરકાર જાગૃતતા લાવે તે શ્રમિકો માટે જરૂરી છે.

સુરતમાં સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ શ્રમિકો માટે મોટો નિર્ણય લેવાયો

સુરતમાં પણ શ્રમિકો માટે સરકારે ટોલ ફ્રી નંબર જાહેર કર્યો છે. પરંતુ શ્રમિકો ટોલ ફ્રી નંબરથી અજાણ છે. શ્રમિકોને સરકારની ગાઈડલાઈન્સની પણ ખબર નથી. કોન્ટ્રાક્ટર તેમની પાસે આખો દિવસ કામ કરાવે છે. તેઓ એમ માને છે કે પૂરો દિવસ કામ કરીએ તો જ રૂપિયા મળે. વેતન મળે તો રસોઈ બને. જો ગરમીમાં શ્રમિકોને કામ કરાવાય તો ટોલ ફ્રી નંબર પર ફરિયાદ કરવાનું સરકારે કહ્યું છે. શ્રમિકો 155372 નંબર પર ફરિયાદ કરી શકે છે. બપોરે 1 થી લઈ 4 વાગ્યા સુધી શ્રમિકોને વિશ્રામની સૂચના અપાઈ છે. કન્સ્ટ્રક્શન સાઈટસ પર ફરજિયાત શ્રમિકોને વિશ્રામ આપવાનો રહેશે. 12 કલાક કરતા વધારે શ્રમિકો પાસે કામ નહીં કરાવી શકાય.