Rajkot: TRP ગેમઝોન આગ ઘટના અંગે પોલીસ એક્શનમાં,તમામ ગેમઝોન બંધ કરવા આદેશ

TRP ગેમઝોન આગ ઘટના અંગે ગુજરાત સરકાર એક્શનમાંગુજરાતમાં તમામ ગેમિંગ ઝોન બંધ કરવાના આદેશમુખ્યમંત્રીએ તંત્રને બચાવ રાહત કામગીરી માટે આપી સૂચનારાજકોટના કાલાવડ પોડ પર આવેલા ગેમ ઝોનમાં ભીષણ આગ ફાટી નીકળી હોવાના સમાચારે હડકંપ મચાવ્યો છે. મળતી માહિતી મુજબ, રાજકોટના TRP ગેમ ઝોનમાં આગ લાગી છે. જેના કારણે દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા આકાશમાં દેખાઈ રહ્યા છે. આ ઘટનામાં 24થી વધુ લોકોના મોત થયા હોવાની માહિતી મળી રહી છે. હજુ પણ મોતનો આકડો વધી શકે તેવી શક્યતા જણાઇ રહી છે. રાજકોટના ગેમઝોનમાં ભીષણ આગ લાગી છે. આગ એટલી ભીષણ છે કે 2 થી 3 કિલોમીટર દૂરથી આગના ગોટે ગોટા જોવા મળી રહ્યા છે. મોકાજી સર્કલ પાસે ગેમઝોનમાં આગથી અફરાતફરી મચી ગઈ છે. ગેમઝોનમાં લાગેલી આગમાં અનેક લોકો ફસાયા હોવાની આશંકા છે. આગને પગલે ફાયર વિભાગની 10 જેટલી ટીમ ઘટનાસ્થળે દોડી આવી છે. ગેમ ઝોનમાં કેટલાક બાળકો પણ ફસાયા હોવાની આશંકા સેવવામાં આવી રહી છે. હાલમાં 24 મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા છે.દુર્ઘટના અંગે જવાબ તો આપવો જ પડશે..!ગેમઝોનમાં મોત થયેલા લોકો માટે જવાબદાર કોણ? ગેમઝોનના સ્ટ્રક્ચરની ડિઝાઈનને લઈને પણ સવાલ શું આવા ગેમઝોનને મંજૂરી અપાતા પહેલા કોઈ ચકાસણી નહીં? આવા ગેમઝોનને કેમ મંજૂરી અપાઈ તે સવાલ આડેધડ ગેમઝોનને મંજૂરી આપવામાં જવાબદાર કોણ? ગેમઝોનમાં ફાયર સેફ્ટી સુવિધા હતી કે કેમ? રાજ્યમાં આવા કેટલા ગેમઝોન જેમાં મોત ભમી રહ્યું છે? લોકોના મોત માટે આખરે જવાબદાર કોણ? આગની અનેક ઘટનાઓ બાદ પણ કેમ કોઈ પગલાં નહીં ? આ ગંભીર કરુણાંતિકા માટે કોણ જવાબદાર? મૃતકોના પરિજનોના આંસુઓનો કોણ આપશે જવાબ?રાજકોટમાં ગેમિંગઝોનમાં થયેલા અગ્નિકાંડ બાદ સરાકરે મોટો નિર્ણય લીધો છે. રાજ્યભરના તમામ ગેમિંગ ઝોન બંધ કરવાનો આદેશ આપ્યો છે.મુખ્યમંત્રીએ તંત્રને બચાવ રાહત કામગીરી માટે આપી સૂચના ગેમિંગ ઝોનમાં આગ મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું ટ્વીટ કરી મહાનગરપાલિકા અને વહીવટી તંત્રને બચાવ રાહત કામગીરી માટે સૂચના આપી છે, ઈજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે વ્યવસ્થાઓ કરવા પણ આદેશ આપ્યા છે.

Rajkot: TRP ગેમઝોન આગ ઘટના અંગે પોલીસ એક્શનમાં,તમામ ગેમઝોન બંધ કરવા આદેશ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • TRP ગેમઝોન આગ ઘટના અંગે ગુજરાત સરકાર એક્શનમાં
  • ગુજરાતમાં તમામ ગેમિંગ ઝોન બંધ કરવાના આદેશ
  • મુખ્યમંત્રીએ તંત્રને બચાવ રાહત કામગીરી માટે આપી સૂચના

રાજકોટના કાલાવડ પોડ પર આવેલા ગેમ ઝોનમાં ભીષણ આગ ફાટી નીકળી હોવાના સમાચારે હડકંપ મચાવ્યો છે. મળતી માહિતી મુજબ, રાજકોટના TRP ગેમ ઝોનમાં આગ લાગી છે. જેના કારણે દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા આકાશમાં દેખાઈ રહ્યા છે. આ ઘટનામાં 24થી વધુ લોકોના મોત થયા હોવાની માહિતી મળી રહી છે. હજુ પણ મોતનો આકડો વધી શકે તેવી શક્યતા જણાઇ રહી છે. 

રાજકોટના ગેમઝોનમાં ભીષણ આગ લાગી છે. આગ એટલી ભીષણ છે કે 2 થી 3 કિલોમીટર દૂરથી આગના ગોટે ગોટા જોવા મળી રહ્યા છે. મોકાજી સર્કલ પાસે ગેમઝોનમાં આગથી અફરાતફરી મચી ગઈ છે. ગેમઝોનમાં લાગેલી આગમાં અનેક લોકો ફસાયા હોવાની આશંકા છે. આગને પગલે ફાયર વિભાગની 10 જેટલી ટીમ ઘટનાસ્થળે દોડી આવી છે. ગેમ ઝોનમાં કેટલાક બાળકો પણ ફસાયા હોવાની આશંકા સેવવામાં આવી રહી છે. હાલમાં 24 મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા છે.

દુર્ઘટના અંગે જવાબ તો આપવો જ પડશે..!

  • ગેમઝોનમાં મોત થયેલા લોકો માટે જવાબદાર કોણ?
  • ગેમઝોનના સ્ટ્રક્ચરની ડિઝાઈનને લઈને પણ સવાલ
  • શું આવા ગેમઝોનને મંજૂરી અપાતા પહેલા કોઈ ચકાસણી નહીં?
  • આવા ગેમઝોનને કેમ મંજૂરી અપાઈ તે સવાલ
  • આડેધડ ગેમઝોનને મંજૂરી આપવામાં જવાબદાર કોણ?
  • ગેમઝોનમાં ફાયર સેફ્ટી સુવિધા હતી કે કેમ?
  • રાજ્યમાં આવા કેટલા ગેમઝોન જેમાં મોત ભમી રહ્યું છે?
  • લોકોના મોત માટે આખરે જવાબદાર કોણ?
  • આગની અનેક ઘટનાઓ બાદ પણ કેમ કોઈ પગલાં નહીં ?
  • આ ગંભીર કરુણાંતિકા માટે કોણ જવાબદાર?
  • મૃતકોના પરિજનોના આંસુઓનો કોણ આપશે જવાબ?

રાજકોટમાં ગેમિંગઝોનમાં થયેલા અગ્નિકાંડ બાદ સરાકરે મોટો નિર્ણય લીધો છે. રાજ્યભરના તમામ ગેમિંગ ઝોન બંધ કરવાનો આદેશ આપ્યો છે.

મુખ્યમંત્રીએ તંત્રને બચાવ રાહત કામગીરી માટે આપી સૂચના


ગેમિંગ ઝોનમાં આગ મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું ટ્વીટ કરી મહાનગરપાલિકા અને વહીવટી તંત્રને બચાવ રાહત કામગીરી માટે સૂચના આપી છે, ઈજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે વ્યવસ્થાઓ કરવા પણ આદેશ આપ્યા છે.