Gujarat ATSએ ઝડપેલ આતંકીઓમાં શ્રીલંકા સરકારે તપાસ માટે કમિટીની કરી રચના

શ્રીલંકા પોલીસે વધુ 2 શંકાસ્પદ વ્યક્તિની અટકાયત કરી પૂછપરછ શરૂ કરી શ્રીલંકાના માલિગાવાટ્ટા અને કોલંબોથી કરાઈ છે અટકાયત આમિરનું અમદાવાદમાં પકડાયેલ ISISના 4 આતંકીઓ સાથે કનેક્શન હોવાનું ખુલ્યું ગુજરાતની ATSએ થોડાક દિવસ અગાઉ અમદાવાદના એરપોર્ટ પરથી 4 આંતકીઓની ધરપકડ કરી હતી,તેમાં અનેક ખુલાસાઓ થયા છે,ગુજરાત ATS અને શ્રીલંકાની ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન વિભાગે આ કેસને લઈ સંયુકત તપાસ હાથધરી છે,આતંકીઓના કનેક્શન અને પાકિસ્તાન એજન્ટને લઈને તપાસનો ધમધમાટ શરૂ થયો છે.શ્રીલંકા અને ATS પોલીસ કરશે અનેક ખુલાસાગુજરાત ATSએ આ મામલે શ્રીલંકા પોલીસની પણ મદદ લીધી છે,તો શ્રીલંકાની સરકારે આ મામલે તપાસ કમિટીની રચના કરી છે,આમિર નામના શંકમંદની અટકાયત કરાઈ છે તો તેની તપાસમાં વધુ ખુલાસાઓ થઈ શકે છે,શ્રીલંકામાં પકડાયેલ શકમંદમાં એક નેગોમ્બોનો રહેવાસી છે જ્યારે અન્ય કોલંબોની આસપાસના રહેવાસી છે. આરોપીઓ સ્યુસાઇડ બોમ્બર બનાવ તૈયાર થયા હતા પાકિસ્તાનના અબુના કહેવાથી આરોપીઓ સ્યુસાઇડ બોમ્બર બનાવ તૈયાર થયા હતા. મોબાઈલમાં અલગ અલગ વીડિયો મળ્યા જે સક્રિય સભ્ય બની ગયા હતા. પાકિસ્તાનથી 4 લાખ શ્રીલંકન રૂપિયા ટ્રાન્ફર કરવામાં આવ્યા હતા. નાના ચિલોડા પાસેના ફોટા મળ્યા હતા. ત્યાં ફોટોમાં હથિયાર રાખ્યા હતા. તે હથિયાર ત્યાં જઈને ફોટો મુજબ મળી આવ્યા હતા.રથયાત્રા પહેલા તમામને ઝડપવામાં આવ્યા. પાકિસ્તાની વિઝા મળી આવ્યા મોહમ્મદ નુસરથ પાસેથી ત્રણમાંથી બે પિસ્ટલમાં એટેચ કરેલી મેગઝિનમાં 7-7 રાઉન્ડ તથા એક પિસ્ટલમાં એટેચ કરેલી મેગઝિનમાં 6 રાઉન્ડ એમ કુલ 20 રાઉન્ડ રીકવર કરવામાં આવ્યા છે. જે તમામ રાઉન્ડ્સ ઉપર FATA લખેલું છે. પ્રાથમિક દૃષ્ટિએ આ 3 પિસ્ટલ Norinco Type54 મોડલની હોવાનું તથા એમ્યુનેશન પાકિસ્તાનના ભૂતપૂર્વ Federally Administered Tribal Areas (FATA)માં બનાવી હોવાનું જાણવા મળ્યું છે. સર્ચ દરમિયાન મળી આવેલો બ્લેક ફ્લેગ પ્રતિબંધિત આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટ (IS)નો હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત મોહમ્મદ નુસરથ પાકિસ્તાનના વેલીડ વિઝા પણ ધરાવે છે. ઈસ્લામિક સ્ટેટ શું છે? 2003 દરમિયાન અમેરિકાના ઈરાક પરના આક્રમણ વખતે જોર્ડિયન જેહાદી અબુ મુસાબ-અલઝરકાવી અને તેના આતંકવાદી સંગઠન જમાત અલ-તાવહિદ વલ-જિહાદે ઈરાકની અશાંત પરિસ્થિતિનો ફાયદો ઉઠાવી આતંકવાદી હુમલાઓ વધારી દીધા. 2004માં ઝરકાવીએ ઓસામા બિન-લાદેન સાથે હાથ મિલાવી લીધા અને પોતાના સંગઠનને ‘અલ-કાયદા ઈન ઈરાક’ તરીકે ઓળખાવ્યું. જોકે 2006માં અમેરિકાના હુમલા દરમિયાન ઝરકાવી માર્યો ગયો. એ બાદ 12 ઓક્ટોબર 2006માં ઈરાકની મુજાહિદ્દીન શૂરા કાઉન્સિલ અને 6 સુન્ની ટ્રાઈબ્સે સાથે મળીને ઈસ્લામનું ગૌરવ સ્થાપવા અલ્લાહના સમ ખાધા. એના એક દિવસ બાદ તેમણે ઈસ્લામિક સ્ટેટ ઓફ ઈરાક(ISI)ની સ્થાપના કરી દીધી. 2010માં અબુ બક્ર અલ-બગદાદીને ઈસ્લામિક સ્ટેટ ઈન ઈરાકના આમિર અથવા તો વડો જાહેર કરવામાં આવ્યો. 2019માં ચારેયને પ્રતિબંધિત જાહેર કરાયા હતા ચારેય શખસોના મોબાઈલ ફોનમાંથી મળી આવેલા પુરાવા તથા હથિયારો બાબતે પૂછતાં તેઓએ જણાવ્યું હતું કે, તેઓ અગાઉ શ્રીલંકન રેડીકલ મિલિટન્ટ આઉટફીટ નેશનલ તૌહીથ જમાત (NTJ)ના સભ્યો હતા. જેને શ્રીલંકન સરકાર દ્વારા ઇસ્ટર બોમ્બિંગ બાદ એપ્રિલ, 2019માં પ્રતિબંધિત જાહેર કરવામાં આવ્યા છે. હેન્ડલર અબુ પાકિસ્તાની છે ટ્રાન્સલેટર મારફતે ચારેયની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, તેઓ પ્રતિબંધિત આતંકવાદી સંગઠન 'ઈસ્લામિક સ્ટેટ' (IS)ના સક્રિય સભ્યો છે અને અબુ બકર અલ બગદાદીના અનુયાયીઓ છે. તેમજ તેઓનો હેન્ડલર અબુ પાકિસ્તાની છે. ISના હેન્ડલર પાકિસ્તાની અબુએ તેઓને જણાવ્યું હતું કે, તે હથિયારોના ફોટા તથા તે હથિયારો જે જગ્યાએ છુપાવ્યા છે તે જગ્યાના ફોટા તથા તેનું લોકેશન પ્રોટોન ડ્રાઈવ તથા પ્રોટોન મેઈલ ઉપર શેર કરશે અને તે જગ્યાએ જઈ હથિયારો મેળવી લેવા અને ત્યાર બાદ આ હથિયારોનો ઉપયોગ કઈ જગ્યાએ અને કયા ટાર્ગેટ ઉપર કરવાનો છે તેની જાણ કરવામાં આવશે.  

Gujarat ATSએ ઝડપેલ આતંકીઓમાં શ્રીલંકા સરકારે તપાસ માટે કમિટીની કરી રચના

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • શ્રીલંકા પોલીસે વધુ 2 શંકાસ્પદ વ્યક્તિની અટકાયત કરી પૂછપરછ શરૂ કરી
  • શ્રીલંકાના માલિગાવાટ્ટા અને કોલંબોથી કરાઈ છે અટકાયત
  • આમિરનું અમદાવાદમાં પકડાયેલ ISISના 4 આતંકીઓ સાથે કનેક્શન હોવાનું ખુલ્યું

ગુજરાતની ATSએ થોડાક દિવસ અગાઉ અમદાવાદના એરપોર્ટ પરથી 4 આંતકીઓની ધરપકડ કરી હતી,તેમાં અનેક ખુલાસાઓ થયા છે,ગુજરાત ATS અને શ્રીલંકાની ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન વિભાગે આ કેસને લઈ સંયુકત તપાસ હાથધરી છે,આતંકીઓના કનેક્શન અને પાકિસ્તાન એજન્ટને લઈને તપાસનો ધમધમાટ શરૂ થયો છે.

શ્રીલંકા અને ATS પોલીસ કરશે અનેક ખુલાસા

ગુજરાત ATSએ આ મામલે શ્રીલંકા પોલીસની પણ મદદ લીધી છે,તો શ્રીલંકાની સરકારે આ મામલે તપાસ કમિટીની રચના કરી છે,આમિર નામના શંકમંદની અટકાયત કરાઈ છે તો તેની તપાસમાં વધુ ખુલાસાઓ થઈ શકે છે,શ્રીલંકામાં પકડાયેલ શકમંદમાં એક નેગોમ્બોનો રહેવાસી છે જ્યારે અન્ય કોલંબોની આસપાસના રહેવાસી છે.

આરોપીઓ સ્યુસાઇડ બોમ્બર બનાવ તૈયાર થયા હતા

પાકિસ્તાનના અબુના કહેવાથી આરોપીઓ સ્યુસાઇડ બોમ્બર બનાવ તૈયાર થયા હતા. મોબાઈલમાં અલગ અલગ વીડિયો મળ્યા જે સક્રિય સભ્ય બની ગયા હતા. પાકિસ્તાનથી 4 લાખ શ્રીલંકન રૂપિયા ટ્રાન્ફર કરવામાં આવ્યા હતા. નાના ચિલોડા પાસેના ફોટા મળ્યા હતા. ત્યાં ફોટોમાં હથિયાર રાખ્યા હતા. તે હથિયાર ત્યાં જઈને ફોટો મુજબ મળી આવ્યા હતા.રથયાત્રા પહેલા તમામને ઝડપવામાં આવ્યા.

પાકિસ્તાની વિઝા મળી આવ્યા મોહમ્મદ નુસરથ પાસેથી

ત્રણમાંથી બે પિસ્ટલમાં એટેચ કરેલી મેગઝિનમાં 7-7 રાઉન્ડ તથા એક પિસ્ટલમાં એટેચ કરેલી મેગઝિનમાં 6 રાઉન્ડ એમ કુલ 20 રાઉન્ડ રીકવર કરવામાં આવ્યા છે. જે તમામ રાઉન્ડ્સ ઉપર FATA લખેલું છે. પ્રાથમિક દૃષ્ટિએ આ 3 પિસ્ટલ Norinco Type54 મોડલની હોવાનું તથા એમ્યુનેશન પાકિસ્તાનના ભૂતપૂર્વ Federally Administered Tribal Areas (FATA)માં બનાવી હોવાનું જાણવા મળ્યું છે. સર્ચ દરમિયાન મળી આવેલો બ્લેક ફ્લેગ પ્રતિબંધિત આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટ (IS)નો હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત મોહમ્મદ નુસરથ પાકિસ્તાનના વેલીડ વિઝા પણ ધરાવે છે.

ઈસ્લામિક સ્ટેટ શું છે?

2003 દરમિયાન અમેરિકાના ઈરાક પરના આક્રમણ વખતે જોર્ડિયન જેહાદી અબુ મુસાબ-અલઝરકાવી અને તેના આતંકવાદી સંગઠન જમાત અલ-તાવહિદ વલ-જિહાદે ઈરાકની અશાંત પરિસ્થિતિનો ફાયદો ઉઠાવી આતંકવાદી હુમલાઓ વધારી દીધા. 2004માં ઝરકાવીએ ઓસામા બિન-લાદેન સાથે હાથ મિલાવી લીધા અને પોતાના સંગઠનને ‘અલ-કાયદા ઈન ઈરાક’ તરીકે ઓળખાવ્યું. જોકે 2006માં અમેરિકાના હુમલા દરમિયાન ઝરકાવી માર્યો ગયો. એ બાદ 12 ઓક્ટોબર 2006માં ઈરાકની મુજાહિદ્દીન શૂરા કાઉન્સિલ અને 6 સુન્ની ટ્રાઈબ્સે સાથે મળીને ઈસ્લામનું ગૌરવ સ્થાપવા અલ્લાહના સમ ખાધા. એના એક દિવસ બાદ તેમણે ઈસ્લામિક સ્ટેટ ઓફ ઈરાક(ISI)ની સ્થાપના કરી દીધી. 2010માં અબુ બક્ર અલ-બગદાદીને ઈસ્લામિક સ્ટેટ ઈન ઈરાકના આમિર અથવા તો વડો જાહેર કરવામાં આવ્યો.

2019માં ચારેયને પ્રતિબંધિત જાહેર કરાયા હતા

ચારેય શખસોના મોબાઈલ ફોનમાંથી મળી આવેલા પુરાવા તથા હથિયારો બાબતે પૂછતાં તેઓએ જણાવ્યું હતું કે, તેઓ અગાઉ શ્રીલંકન રેડીકલ મિલિટન્ટ આઉટફીટ નેશનલ તૌહીથ જમાત (NTJ)ના સભ્યો હતા. જેને શ્રીલંકન સરકાર દ્વારા ઇસ્ટર બોમ્બિંગ બાદ એપ્રિલ, 2019માં પ્રતિબંધિત જાહેર કરવામાં આવ્યા છે.

હેન્ડલર અબુ પાકિસ્તાની છે

ટ્રાન્સલેટર મારફતે ચારેયની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, તેઓ પ્રતિબંધિત આતંકવાદી સંગઠન 'ઈસ્લામિક સ્ટેટ' (IS)ના સક્રિય સભ્યો છે અને અબુ બકર અલ બગદાદીના અનુયાયીઓ છે. તેમજ તેઓનો હેન્ડલર અબુ પાકિસ્તાની છે. ISના હેન્ડલર પાકિસ્તાની અબુએ તેઓને જણાવ્યું હતું કે, તે હથિયારોના ફોટા તથા તે હથિયારો જે જગ્યાએ છુપાવ્યા છે તે જગ્યાના ફોટા તથા તેનું લોકેશન પ્રોટોન ડ્રાઈવ તથા પ્રોટોન મેઈલ ઉપર શેર કરશે અને તે જગ્યાએ જઈ હથિયારો મેળવી લેવા અને ત્યાર બાદ આ હથિયારોનો ઉપયોગ કઈ જગ્યાએ અને કયા ટાર્ગેટ ઉપર કરવાનો છે તેની જાણ કરવામાં આવશે.