Godhra શહેરના મોટા ભાગના માર્ગો ઉપર ખાડારાજ થઈ જતાં શહેરીજનો ત્રાહિમામ

બસ સ્ટેન્ડ, શહેરા ભાગોળ, અંકલેશ્વર મહાદેવ રોડ, એસપીરોડ પર ખાડા પડયાપાલિકા દ્વારા સત્વરે ખાડા પુરવાની કામગીરી કરવામાં આવે એવી શહેરીજનોમાં માગ માર્ગો ઉપર ખાડા ના પડે એ માટે કાયમી ધોરણે કામગીરી કરવામાં આવે એવી માંગણી સાથે આક્રોશ જોવા મળી રહ્યો છે ગોધરા શહેરમાં માર્ગો ઉપર ચોમાસામાં પ્રારંભે જ મસમોટા ખાડા પડી ગયા છે. શહેરના એસપી રોડ,શહેરા ભાગોળ,બસ સ્ટેન્ડ પ્રવેશ દ્વાર અને અંકલેશ્વર મહાદેવ સહિતના માર્ગોની હાલત બદતર બની છે. ગોધરા શહેર ની હાલત ચોમાસાના પ્રથમ વરસાદેખાડા રાજ જેવી બની છે. ગોધરાના શહેરા ભાગોળ ,એસપી રોડ ,અંકલેશ્વર મહાદેવ રોડ સહિતના અનેક માર્ગો ઉપર હાલ મસમોટા ખાડારાજનું સામ્રાજ્ય છવાયેલું જોવા મળી રહ્યું છે.આ સાથે કેટલાક સ્થળે ભૂગર્ભ ગટર ઉભરાવાના કારણે દૂષિત પાણી પણ માર્ગો ઉપર અને ખાડામાં એકત્રિત થયેલું જોવા મળી રહ્યું છે .આ પરિસ્થિતિને લઈ અહીંથી પસાર થતાં રાહદારીઓને ચર્મ રોગ થવાની સંભાવનાઓ સતત સતાવી રહી છે.  બીજી તરફ્ ગોધરા શહેરમાંવરસી રહેલા ઝરમર વરસાદ દરમિયાન વરસાદી પાણી પણ માર્ગો અને ખાડામાં ભરાયેલું રહેવાથી વાહનચાલકો અને રાહદારીઓ પણ અંદર પટકાઈ ઇજાગ્રસ્ત થતા હોવાની ઘટનાઓ સતત બનતી જોવા મળી રહી છે. શહેરીજનોમાં નગરપાલિકા દ્વારા ચોમાસા પૂર્વે પ્રિ-મોન્સૂન કામગીરી દરમિયાન ખાડાનું યોગ્ય સમારકામ કરી માર્ગો ઉપર ખાડા ના પડે એ માટે કાયમી ધોરણે કામગીરી કરવામાં આવે એવી માંગણી સાથે આક્રોશ જોવા મળી રહ્યો છે. જોકે પાલિકા તંત્ર દ્વારા ખાડા પૂરવાની કામગીરી કર્યા પછી થોડા દિવસો બાદ સ્થિતિ યથાવત જોવા મળતી હોય છે જેથી શહેરીજનો ભારે આક્રોશ કરતા જોવા મળી રહ્યા છે. ખાડા પુરવાની સૂચના આપી છે : જયેશ ચૌહાણ ગોધરા નગર પાલિકા પ્રમુખ જયેશ ચૌહાણે જણાવ્યું હતું કે ચોમાસાના કારણે ખાડા પડી ગયા છે. જે બાબત ધ્યાને આવતાં જ અધિકારીઓને સૂચના આપી છે.આગામી બે દિવસમાં ખાડા પુરવા ની કામગીરી કરવામાં આવશે.

Godhra શહેરના મોટા ભાગના માર્ગો ઉપર ખાડારાજ થઈ જતાં શહેરીજનો ત્રાહિમામ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • બસ સ્ટેન્ડ, શહેરા ભાગોળ, અંકલેશ્વર મહાદેવ રોડ, એસપીરોડ પર ખાડા પડયા
  • પાલિકા દ્વારા સત્વરે ખાડા પુરવાની કામગીરી કરવામાં આવે એવી શહેરીજનોમાં માગ
  • માર્ગો ઉપર ખાડા ના પડે એ માટે કાયમી ધોરણે કામગીરી કરવામાં આવે એવી માંગણી સાથે આક્રોશ જોવા મળી રહ્યો છે

ગોધરા શહેરમાં માર્ગો ઉપર ચોમાસામાં પ્રારંભે જ મસમોટા ખાડા પડી ગયા છે. શહેરના એસપી રોડ,શહેરા ભાગોળ,બસ સ્ટેન્ડ પ્રવેશ દ્વાર અને અંકલેશ્વર મહાદેવ સહિતના માર્ગોની હાલત બદતર બની છે.

ગોધરા શહેર ની હાલત ચોમાસાના પ્રથમ વરસાદેખાડા રાજ જેવી બની છે. ગોધરાના શહેરા ભાગોળ ,એસપી રોડ ,અંકલેશ્વર મહાદેવ રોડ સહિતના અનેક માર્ગો ઉપર હાલ મસમોટા ખાડારાજનું સામ્રાજ્ય છવાયેલું જોવા મળી રહ્યું છે.આ સાથે કેટલાક સ્થળે ભૂગર્ભ ગટર ઉભરાવાના કારણે દૂષિત પાણી પણ માર્ગો ઉપર અને ખાડામાં એકત્રિત થયેલું જોવા મળી રહ્યું છે .આ પરિસ્થિતિને લઈ અહીંથી પસાર થતાં રાહદારીઓને ચર્મ રોગ થવાની સંભાવનાઓ સતત સતાવી રહી છે.

 બીજી તરફ્ ગોધરા શહેરમાંવરસી રહેલા ઝરમર વરસાદ દરમિયાન વરસાદી પાણી પણ માર્ગો અને ખાડામાં ભરાયેલું રહેવાથી વાહનચાલકો અને રાહદારીઓ પણ અંદર પટકાઈ ઇજાગ્રસ્ત થતા હોવાની ઘટનાઓ સતત બનતી જોવા મળી રહી છે. શહેરીજનોમાં નગરપાલિકા દ્વારા ચોમાસા પૂર્વે પ્રિ-મોન્સૂન કામગીરી દરમિયાન ખાડાનું યોગ્ય સમારકામ કરી માર્ગો ઉપર ખાડા ના પડે એ માટે કાયમી ધોરણે કામગીરી કરવામાં આવે એવી માંગણી સાથે આક્રોશ જોવા મળી રહ્યો છે. જોકે પાલિકા તંત્ર દ્વારા ખાડા પૂરવાની કામગીરી કર્યા પછી થોડા દિવસો બાદ સ્થિતિ યથાવત જોવા મળતી હોય છે જેથી શહેરીજનો ભારે આક્રોશ કરતા જોવા મળી રહ્યા છે.

ખાડા પુરવાની સૂચના આપી છે : જયેશ ચૌહાણ

ગોધરા નગર પાલિકા પ્રમુખ જયેશ ચૌહાણે જણાવ્યું હતું કે ચોમાસાના કારણે ખાડા પડી ગયા છે. જે બાબત ધ્યાને આવતાં જ અધિકારીઓને સૂચના આપી છે.આગામી બે દિવસમાં ખાડા પુરવા ની કામગીરી કરવામાં આવશે.