Girsomnathમાં કેરીના ઓછા પાક વચ્ચે વિદેશમાં માગ વધતા વેપારીઓ ચિંતામાં મૂકાયા

500 ટનથી વધુ કેસર કેરી વિશ્વના અનેક દેશોમાં નિકાસ કરાય છે ઓછો પાક હોવા છતાં ઊંચા ભાવના કારણે સ્થાનિક મધ્યમ વર્ગ ભીમ અગિયારસના પર્વે કેરી ખરીદી નહી શકે તો વિશ્વના અનેક દેશોમાં ઊંચા ભાવ સાથે પણ કેસર કેરીની જબરી માંગ ઉઠી ગીર સોમનાથ અને તાલાળા ગીર અહીંના કેસરી સિંહ અને કેસર કેરીના કારણે વિશ્વ પ્રસિદ્ધ બન્યું છે.ત્યારે કેસર કેરી પર છેલ્લા પાંચેક વર્ષથી વિપરીત હવામાનનું ગ્રહણ લાગ્યું છે. જેથી સતત છેલ્લા પાંચ વર્ષથી કેસર કેરીનો પાક ઘટી રહ્યો છે. જેના કારણે ઓછી કેરી અને વધુ ભાવ વચ્ચે કેરીની સમય મર્યાદા ટૂંકી બનતા કેસર કેરીના રસિયાઓ માટે ભીમ અગિયારસ પર કેસર કેરી ખરીદવી કઠિન બનશે. આ વખતે કેસરની મિઠાસ ગઈ ગત સિઝનની વાત કરવામાં આવે તો ગત વર્ષે તાલાળા મેંગો યાર્ડ ખાતે બાર લાખ કેસર કેરીના બોક્સની આવક હતી. સાથે 300થી લઈ અને 500 રૂપિયા સરેરાશ 10 કિલોના બોક્સનો ભાવ રહ્યો હતો. પરંતુ આ વખતે વિપરીત હવામાનને કારણે કેરીના ફ્લાવરિંગ ખરી પડવાના કારણે માત્ર 40% કેરી જ બચી શકી હતી.ઓછી કેરી હોવાને કારણે આ વર્ષે આખી સિઝનમાં કેરીના ભાવ ભારે ઊંચા રહ્યા છે. હાલ કેસર કેરીનું છેલ્લું અઠવાડિયું ચાલી રહ્યું છે.ત્યારે પણ 10 કિલોના એક બોક્સના 800 થી લઈને 1300 રૂપિયા સુધીના ભાવ ચાલી રહ્યા છે. જેના કારણે સામાન્ય વર્ગ પરંપરા અનુસાર ભીમ અગિયારસ જેવા પર્વે પણ કેસર કેરી ખરીદી નહીં શકે. સાથે જો હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદ શરૂ થયો તો પણ કેરી નહીં ખાઈ શકાય. આમ કેસર કેરી ગ્રાહકો માટે આ વખતે ઉંચા ભાવને કારણે કડવી બની છે. 500થી વધુ ટન કેરી વિદેશમાં નિકાસ થઈ કેસર કેરી વિદેશોમાં 500 ટન થી વધુ નિકાસ થઈ ચૂકી છે. વિદેશમાં લંડન,યુકે,સ્વિઝરલેન્ડ, અખાતિ દેશો અને આફ્રિકા જેવા દેશોમાં ભારે નિકાસ થઈ છે. સાથે સાથે હજુ પણ ત્યાં કેરીની જબરી માંગ છે. જેથી જે ખેડૂતોના ખેતરમાં કેસર કેરી આ વખતે પાકી છે તેમને બહુ સારા રૂપિયા નિકાસના કારણે મળ્યા છે. તો સ્થાનિક લેવલે ભાવ ઊંચા રહેતા સ્થાનિકોએ કેસર કેરીનો સ્વાદ કડવો માણ્યો છે. ત્યારે હાલ કેસર કેરીનું ક્લોઝિંગ ચાલી રહ્યું છે. અને તેમાં પણ વરસાદ પડે એટલે કેસર કેરીમાંથી સ્વાદ જતો રહે છે. તેમાં જીવાતો પડી જાય છે. અને ચોમાસામાં કેસર કેરી સ્વાસ્થય માટે પણ આરોગ્ય પ્રદાથ નથી ગણાતી.. ત્યારે કેસર કેરીનું અંતિમ અઠવાડિયું હાલ ચાલી રહ્યું છે. કેરીના પાકને નુકસાન કચ્છમાં આ વર્ષે કેરીનો પાક સારા પ્રમાણમાં ઉતરે તેવી ખેડૂતોને આશા હતી. પરંતુ ગત વર્ષે આવેલા વાવાઝોડાના પગલે અનેક આંબાના ઝાડ ઉખડી ગયા હતા, જેથી ખેડૂતોને નુકસાન થયું હતું. તો ચાલુ વર્ષે પડેલા કમોસમી વરસાદ અને બરફના કરાથી કેરીના પાકને આંશિક નુકસાન પહોંચ્યું હતું. પાકવાની આરે આવેલા મોર ખરી પડ્યો હતો. જેથી હાલ બજારમાં કેસર કેરીનો માલ ઓછો જોવા મળી રહ્યો છે. કેરી રસિકોની આતુરતાનો અંત કેસર કેરીના વેપારી રમેશ દાવડાએ જણાવ્યું હતું કે, જૂન મહિનો આવતા જ કચ્છની કેસર કેરીની રાહ જોતા લોકોને હવે કેરીનો સ્વાદ માણવા મળશે. હાલમાં કચ્છની કેસર કેરીની ગુણવત્તા ખૂબ સારી આવી રહી છે. કમોસમી વરસાદના કારણે માલની આવક પર અસર થઈ છે. બજારમાં કેસર કેરીનો ઓછો માલ છે અને તેના હિસાબે જ આ વખતે ગુણવતા મુજબ 5 કિલોના બોક્સમાં ભાવ 300થી 500 જેટલા ભાવ છે. કચ્છની કેસર કેરીની માંગ તો દર વખત જેટલી જ છે અને ગુજરાતના અન્ય જિલ્લાઓ તેમજ મહારાષ્ટ્રમાં પણ મોકલવામાં આવી રહી છે.

Girsomnathમાં કેરીના ઓછા પાક વચ્ચે વિદેશમાં માગ વધતા વેપારીઓ ચિંતામાં મૂકાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • 500 ટનથી વધુ કેસર કેરી વિશ્વના અનેક દેશોમાં નિકાસ કરાય છે
  • ઓછો પાક હોવા છતાં ઊંચા ભાવના કારણે સ્થાનિક મધ્યમ વર્ગ ભીમ અગિયારસના પર્વે કેરી ખરીદી નહી શકે
  • તો વિશ્વના અનેક દેશોમાં ઊંચા ભાવ સાથે પણ કેસર કેરીની જબરી માંગ ઉઠી

ગીર સોમનાથ અને તાલાળા ગીર અહીંના કેસરી સિંહ અને કેસર કેરીના કારણે વિશ્વ પ્રસિદ્ધ બન્યું છે.ત્યારે કેસર કેરી પર છેલ્લા પાંચેક વર્ષથી વિપરીત હવામાનનું ગ્રહણ લાગ્યું છે. જેથી સતત છેલ્લા પાંચ વર્ષથી કેસર કેરીનો પાક ઘટી રહ્યો છે. જેના કારણે ઓછી કેરી અને વધુ ભાવ વચ્ચે કેરીની સમય મર્યાદા ટૂંકી બનતા કેસર કેરીના રસિયાઓ માટે ભીમ અગિયારસ પર કેસર કેરી ખરીદવી કઠિન બનશે.

આ વખતે કેસરની મિઠાસ ગઈ

ગત સિઝનની વાત કરવામાં આવે તો ગત વર્ષે તાલાળા મેંગો યાર્ડ ખાતે બાર લાખ કેસર કેરીના બોક્સની આવક હતી. સાથે 300થી લઈ અને 500 રૂપિયા સરેરાશ 10 કિલોના બોક્સનો ભાવ રહ્યો હતો. પરંતુ આ વખતે વિપરીત હવામાનને કારણે કેરીના ફ્લાવરિંગ ખરી પડવાના કારણે માત્ર 40% કેરી જ બચી શકી હતી.ઓછી કેરી હોવાને કારણે આ વર્ષે આખી સિઝનમાં કેરીના ભાવ ભારે ઊંચા રહ્યા છે. હાલ કેસર કેરીનું છેલ્લું અઠવાડિયું ચાલી રહ્યું છે.ત્યારે પણ 10 કિલોના એક બોક્સના 800 થી લઈને 1300 રૂપિયા સુધીના ભાવ ચાલી રહ્યા છે. જેના કારણે સામાન્ય વર્ગ પરંપરા અનુસાર ભીમ અગિયારસ જેવા પર્વે પણ કેસર કેરી ખરીદી નહીં શકે. સાથે જો હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદ શરૂ થયો તો પણ કેરી નહીં ખાઈ શકાય. આમ કેસર કેરી ગ્રાહકો માટે આ વખતે ઉંચા ભાવને કારણે કડવી બની છે.


500થી વધુ ટન કેરી વિદેશમાં નિકાસ થઈ

કેસર કેરી વિદેશોમાં 500 ટન થી વધુ નિકાસ થઈ ચૂકી છે. વિદેશમાં લંડન,યુકે,સ્વિઝરલેન્ડ, અખાતિ દેશો અને આફ્રિકા જેવા દેશોમાં ભારે નિકાસ થઈ છે. સાથે સાથે હજુ પણ ત્યાં કેરીની જબરી માંગ છે. જેથી જે ખેડૂતોના ખેતરમાં કેસર કેરી આ વખતે પાકી છે તેમને બહુ સારા રૂપિયા નિકાસના કારણે મળ્યા છે. તો સ્થાનિક લેવલે ભાવ ઊંચા રહેતા સ્થાનિકોએ કેસર કેરીનો સ્વાદ કડવો માણ્યો છે. ત્યારે હાલ કેસર કેરીનું ક્લોઝિંગ ચાલી રહ્યું છે. અને તેમાં પણ વરસાદ પડે એટલે કેસર કેરીમાંથી સ્વાદ જતો રહે છે. તેમાં જીવાતો પડી જાય છે. અને ચોમાસામાં કેસર કેરી સ્વાસ્થય માટે પણ આરોગ્ય પ્રદાથ નથી ગણાતી.. ત્યારે કેસર કેરીનું અંતિમ અઠવાડિયું હાલ ચાલી રહ્યું છે.


કેરીના પાકને નુકસાન

કચ્છમાં આ વર્ષે કેરીનો પાક સારા પ્રમાણમાં ઉતરે તેવી ખેડૂતોને આશા હતી. પરંતુ ગત વર્ષે આવેલા વાવાઝોડાના પગલે અનેક આંબાના ઝાડ ઉખડી ગયા હતા, જેથી ખેડૂતોને નુકસાન થયું હતું. તો ચાલુ વર્ષે પડેલા કમોસમી વરસાદ અને બરફના કરાથી કેરીના પાકને આંશિક નુકસાન પહોંચ્યું હતું. પાકવાની આરે આવેલા મોર ખરી પડ્યો હતો. જેથી હાલ બજારમાં કેસર કેરીનો માલ ઓછો જોવા મળી રહ્યો છે.

કેરી રસિકોની આતુરતાનો અંત

કેસર કેરીના વેપારી રમેશ દાવડાએ જણાવ્યું હતું કે, જૂન મહિનો આવતા જ કચ્છની કેસર કેરીની રાહ જોતા લોકોને હવે કેરીનો સ્વાદ માણવા મળશે. હાલમાં કચ્છની કેસર કેરીની ગુણવત્તા ખૂબ સારી આવી રહી છે. કમોસમી વરસાદના કારણે માલની આવક પર અસર થઈ છે. બજારમાં કેસર કેરીનો ઓછો માલ છે અને તેના હિસાબે જ આ વખતે ગુણવતા મુજબ 5 કિલોના બોક્સમાં ભાવ 300થી 500 જેટલા ભાવ છે. કચ્છની કેસર કેરીની માંગ તો દર વખત જેટલી જ છે અને ગુજરાતના અન્ય જિલ્લાઓ તેમજ મહારાષ્ટ્રમાં પણ મોકલવામાં આવી રહી છે.