Bhavanagar News : ઇનાર્કો કંપનીમાંથી શંકાસ્પદ હાલતમાં કર્મચારીનો મળ્યો મૃતદેહ

નવા જોડાયેલા કર્મીનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યો મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડાયો સમગ્ર મામલે પોલીસે તપાસ હાથધરી ભાવનગરમાં રબ્બર ફેકટરી સર્કલ પાસે આવેલ ઇનાર્કો કંપનીમાંથી કર્મચારીનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો.કંપનીમાં આવેલા ઈન્સ્પેકશન વિભાગમાંથી આ મૃતદેહ મળી આવ્યો હતો.તો ઘોઘારોડ પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ હાથધરી હતી.યુવાનના મૃતદેહને પોલીસે પીએમ અર્થે ખસેડયો છે,અને વધુ તપાસ હાથધરી છે.પી.એમ રિપોર્ટ બાદ મોતનું ચોક્કસ કારણ જાણી શકાશે,હાલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે. અન્ય કર્મચારીઓની પૂછપરછ કરાઈ પોલીસે અન્ય કર્મચારીઓની પણ પૂછપરછ હાથધરી નિવેદન લેવાનું શરૂ કર્યુ છે,મૃતક કે જે આ કંપનીમાં ઈન્સ્પેકશન વિભાગમાં થોડાક જ સમય પહેલા ભરતી થયો હતો,કંપનીની અંદરના રહેલા સીસીટીવીના આધારે પણ પોલીસ તપાસ કરી રહી છે,યુવકની હત્યા થઈ છે કે,આપઘાત કર્યો છે,કે કુદરતી મોત છે તે તો પીએમ રીપોર્ટ બાદ જ સામે આવશે. 14 મે 2024ના રોજ પતિ-પત્નીના શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યા શહેરમાં દિવસે ને દિવસે ક્રાઇમની ઘટનામાં વધારો થયો છે. ગુનાખોરો અને ગુનાઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. સ્યુસાઈડ કે પછી કોઈ અગમ્ય કારણોસર લીધેલા અંતિમ પગલાં જેવી ઘટનાઓ સામાન્ય બની ગઈ છે. ત્યારે અમદાવાદના ગુજરાત યુનિવર્સિટીના વિસ્તારમાં આવી જ એક ઘટના સામે આવી હતી જેમાં અનુશ્રી ફ્લેટમાંથી દંપતિના મૃતદેહ મળી આવ્યા હતા. આ અંગે બનાવની જાણ થતા જ પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથધરી હતી. 6 એપ્રિલ 2024ના રોજ પોરબંદરમાંથી શંકાસ્પદ હાલતમાં યુવક-યુવતીનો મૃતદેહ મળી આવ્યો પોરબંદર શહેરમાં ચૌંકાવનારી ઘટના બની હતી. અહીં એક કારમાંથી શંકાસ્પદ હાલતમાં યુવક-યુવતીના મૃતદેહ મળી આવતા હડકંપ મચી ગયો હતો. પોરબંદર શહેરના વાડી પ્લોટ વિસ્તારમા સર્વિસ સ્ટેશનમા કારમા યુવક-યુવતીના શંકાસ્પદ મોત મામલે પોલીસે તપાસ શરુ કરી હતી.સર્વિસ સ્ટેશનમાં કાર રાખી કારમા યુવક-યુવતી હતા. સર્વિસ સ્ટેશનના ગેરેજ આસપાસના લોકોએ પોલીસને જાણ કરી હતી.પોલીસે કારમાંથી બંનેના મૃતદેહ બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. 

Bhavanagar News : ઇનાર્કો કંપનીમાંથી શંકાસ્પદ હાલતમાં કર્મચારીનો મળ્યો મૃતદેહ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • નવા જોડાયેલા કર્મીનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યો
  • મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડાયો
  • સમગ્ર મામલે પોલીસે તપાસ હાથધરી

ભાવનગરમાં રબ્બર ફેકટરી સર્કલ પાસે આવેલ ઇનાર્કો કંપનીમાંથી કર્મચારીનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો.કંપનીમાં આવેલા ઈન્સ્પેકશન વિભાગમાંથી આ મૃતદેહ મળી આવ્યો હતો.તો ઘોઘારોડ પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ હાથધરી હતી.યુવાનના મૃતદેહને પોલીસે પીએમ અર્થે ખસેડયો છે,અને વધુ તપાસ હાથધરી છે.પી.એમ રિપોર્ટ બાદ મોતનું ચોક્કસ કારણ જાણી શકાશે,હાલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે.

અન્ય કર્મચારીઓની પૂછપરછ કરાઈ

પોલીસે અન્ય કર્મચારીઓની પણ પૂછપરછ હાથધરી નિવેદન લેવાનું શરૂ કર્યુ છે,મૃતક કે જે આ કંપનીમાં ઈન્સ્પેકશન વિભાગમાં થોડાક જ સમય પહેલા ભરતી થયો હતો,કંપનીની અંદરના રહેલા સીસીટીવીના આધારે પણ પોલીસ તપાસ કરી રહી છે,યુવકની હત્યા થઈ છે કે,આપઘાત કર્યો છે,કે કુદરતી મોત છે તે તો પીએમ રીપોર્ટ બાદ જ સામે આવશે.


14 મે 2024ના રોજ પતિ-પત્નીના શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યા

શહેરમાં દિવસે ને દિવસે ક્રાઇમની ઘટનામાં વધારો થયો છે. ગુનાખોરો અને ગુનાઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. સ્યુસાઈડ કે પછી કોઈ અગમ્ય કારણોસર લીધેલા અંતિમ પગલાં જેવી ઘટનાઓ સામાન્ય બની ગઈ છે. ત્યારે અમદાવાદના ગુજરાત યુનિવર્સિટીના વિસ્તારમાં આવી જ એક ઘટના સામે આવી હતી જેમાં અનુશ્રી ફ્લેટમાંથી દંપતિના મૃતદેહ મળી આવ્યા હતા. આ અંગે બનાવની જાણ થતા જ પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથધરી હતી.


6 એપ્રિલ 2024ના રોજ પોરબંદરમાંથી શંકાસ્પદ હાલતમાં યુવક-યુવતીનો મૃતદેહ મળી આવ્યો 

પોરબંદર શહેરમાં ચૌંકાવનારી ઘટના બની હતી. અહીં એક કારમાંથી શંકાસ્પદ હાલતમાં યુવક-યુવતીના મૃતદેહ મળી આવતા હડકંપ મચી ગયો હતો. પોરબંદર શહેરના વાડી પ્લોટ વિસ્તારમા સર્વિસ સ્ટેશનમા કારમા યુવક-યુવતીના શંકાસ્પદ મોત મામલે પોલીસે તપાસ શરુ કરી હતી.સર્વિસ સ્ટેશનમાં કાર રાખી કારમા યુવક-યુવતી હતા. સર્વિસ સ્ટેશનના ગેરેજ આસપાસના લોકોએ પોલીસને જાણ કરી હતી.પોલીસે કારમાંથી બંનેના મૃતદેહ બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા.