Vadodara News: અમે હડતાળમાં જોડાયા નથી : સ્કૂલ વાન ચાલક મંડળ

અમે ફક્ત વર્દીથી વેગડા રહ્યા છીએ : મંડળ હડતાળમાં જોડાવું હોય તેને કોઈ દબાણ નથી: મંડળ બે દિવસમાં નિરાકરણ ન આવે તો હડતાળ કરાશે: મંડળ રાજ્યમાં સ્કૂલ વાન ચાલકો અને રીક્ષા ચાલકોની હડતાળ ચાલી રહી છે ત્યારે વડોદરામાં અલગ જ વાત જોવા મળી રહી છે. અહીં સ્કૂલ વાન ચાલકો હડતાળથી અળગા જોવા મળી રહ્યા છે. આ સાથે જ વડોદરા સ્કૂલ વાન ચાલક મંડળનું નિવેદન પણ સામે આવ્યું છે. તેઓનું કહેવું છે કે અમે હડતાળમાં જોડાયા નથી. અમે ફક્ત વર્ધીથી અલગ રહ્યા છીએ. હડતાળમાં જોડાવવું હોય તેને માટે કોઈ દબાણ નથી તેમ પણ કહેવામાં આવ્યું છે. 2 દિવસમાં નિરાકરણ ન આવે તો હડતાળ કરવામાં આવશે તેમ કહેવાયું છે. વડોદરામાં સ્કૂલ વાન ચાલકો હડતાળ પર નહીં સ્કૂલ વેન ચાલક મંડળનું નિવેદન સામે આવ્યું છે. તેમનું કહેવું છે કે અમે વિદ્યાર્થીના હિતમાં સાથે છીએ. નિયમોથી મુશ્કેલીઓ બધાને છે પણ સાથે બાળકોના હિતનું ધ્યાન રાખવું પણ જરૂરી છે. અમારું કહેવું એટલું છે કે આરટીઓ અમને હાઈકોર્ટના ચુકાદા મુજબ પરમીટ આપે. કોરોનામાં અમે 5-7 બાળકો બેસાડીને સરકારને સહકાર આપ્યો હતો. હવે એને કાયદો બનાવીને હેરાન કરાય છે. સ્કૂલ રીક્ષામાં 6 બાળકો અને વાનમાં 14 બાળકોની છૂટછાટ આપવામાં આવે તે જરૂરી છે. આ સાથે મંડળે એમ પણ કહ્યું છે કે 2 દિવસમાં નિરાકરણ નહીં આવે તો હડતાળ કરવામાં આવશે. જે લોકો વધારે બાળકો બેસાડે છે તેની સામે પોલીસ કાર્યવાહી કરે તે યોગ્ય છે. પણ અન્ય લોકોને મુશ્કેલી ન થાય તે પણ જોવું રહ્યું. સ્કૂલવર્ધીના નિયમોને લઇને વિવાદ વાહનવ્યવહાર વિભાગ 2019ના નિયમોની યાદીને વળગી રહી છે. તેમાં ફેરફાર કરવા કે નહીં ? તેને લઇને વિભાગના ઉચ્ચ અધિકારીઓ, આરટીઓ, એઆરટીઓ, પૂર્વ અધિકારીઓ કે નિષ્ણાતો સાથે ચર્ચા કરવાની વિભાગે તસદી જ લીધી જ નહીં. અંતે તમામ સ્કૂલવર્ધી એસોસિએશનને વિરોધ કરવાની શરૂઆત કરી હતી. આ પછી પણ કોઈ નિરાકરણ ન આવતા એસોસિએશને અંતે અચોક્કસ મુદતની હડતાળની જાહેરાત કરી છે. રાજકોટ, અમદાવાદ અને સુરતમાં વિવાદ વકરી રહ્યો છે અને સાથે જ અહીં સ્કૂલ અને વાન ચાલકો હડતાળ પર ઉતરી ચૂક્યા છે. કઈ બાબતો પર કરાશે કાર્યવાહી સ્કૂલવર્ધીના વાહનમાં વ્હાઇટ નંબર પ્લેટ (ખાનગી વાહન), ફિટનેસ, પરમીટ, થર્ડ પાર્ટી વીમો નહીં હોય તો RTO કાર્યવાહી કરવા મક્કમ છે. આરટીઓ અધિકારીઓ વિવિધ સ્કૂલો પર સરપ્રાઇઝ ચેકિંગ કરશે, જેમાં સ્કૂલ સંચાલકોની લાપરવાહી બહાર આવશે તો સંબંધિત સ્કૂલને પણ નોટિસ અપાશે. સ્કૂલ વર્ધી વાહનોમાં સેફ્ટીને લઈ RTOની તપાસ ઝુંબેશ આજથી શરૂ થશે. રાજ્યભરમાં RTO વિભાગ વાહનોમાં તપાસ કરાશે. ફિટનેસ સર્ટિફિકેટ અને સેફ્ટીને લઇને તપાસ કરાશે. ફિટનેસ અને સેફ્ટી વિનાના વાહનોને ડિટેઈન કરાશે. ઉલ્લેખનીય છે કે ઉપરોક્ત તમામ કામ માટે વાહનચાલકોને 17 જૂન સુધીની મુદત અપાઈ હતી.

Vadodara News: અમે હડતાળમાં જોડાયા નથી : સ્કૂલ વાન ચાલક મંડળ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • અમે ફક્ત વર્દીથી વેગડા રહ્યા છીએ : મંડળ
  • હડતાળમાં જોડાવું હોય તેને કોઈ દબાણ નથી: મંડળ
  • બે દિવસમાં નિરાકરણ ન આવે તો હડતાળ કરાશે: મંડળ

રાજ્યમાં સ્કૂલ વાન ચાલકો અને રીક્ષા ચાલકોની હડતાળ ચાલી રહી છે ત્યારે વડોદરામાં અલગ જ વાત જોવા મળી રહી છે. અહીં સ્કૂલ વાન ચાલકો હડતાળથી અળગા જોવા મળી રહ્યા છે. આ સાથે જ વડોદરા સ્કૂલ વાન ચાલક મંડળનું નિવેદન પણ સામે આવ્યું છે. તેઓનું કહેવું છે કે અમે હડતાળમાં જોડાયા નથી. અમે ફક્ત વર્ધીથી અલગ રહ્યા છીએ. હડતાળમાં જોડાવવું હોય તેને માટે કોઈ દબાણ નથી તેમ પણ કહેવામાં આવ્યું છે. 2 દિવસમાં નિરાકરણ ન આવે તો હડતાળ કરવામાં આવશે તેમ કહેવાયું છે.

વડોદરામાં સ્કૂલ વાન ચાલકો હડતાળ પર નહીં

સ્કૂલ વેન ચાલક મંડળનું નિવેદન સામે આવ્યું છે. તેમનું કહેવું છે કે અમે વિદ્યાર્થીના હિતમાં સાથે છીએ. નિયમોથી મુશ્કેલીઓ બધાને છે પણ સાથે બાળકોના હિતનું ધ્યાન રાખવું પણ જરૂરી છે. અમારું કહેવું એટલું છે કે આરટીઓ અમને હાઈકોર્ટના ચુકાદા મુજબ પરમીટ આપે. કોરોનામાં અમે 5-7 બાળકો બેસાડીને સરકારને સહકાર આપ્યો હતો. હવે એને કાયદો બનાવીને હેરાન કરાય છે. સ્કૂલ રીક્ષામાં 6 બાળકો અને વાનમાં 14 બાળકોની છૂટછાટ આપવામાં આવે તે જરૂરી છે. આ સાથે મંડળે એમ પણ કહ્યું છે કે 2 દિવસમાં નિરાકરણ નહીં આવે તો હડતાળ કરવામાં આવશે. જે લોકો વધારે બાળકો બેસાડે છે તેની સામે પોલીસ કાર્યવાહી કરે તે યોગ્ય છે. પણ અન્ય લોકોને મુશ્કેલી ન થાય તે પણ જોવું રહ્યું.

સ્કૂલવર્ધીના નિયમોને લઇને વિવાદ

વાહનવ્યવહાર વિભાગ 2019ના નિયમોની યાદીને વળગી રહી છે. તેમાં ફેરફાર કરવા કે નહીં ? તેને લઇને વિભાગના ઉચ્ચ અધિકારીઓ, આરટીઓ, એઆરટીઓ, પૂર્વ અધિકારીઓ કે નિષ્ણાતો સાથે ચર્ચા કરવાની વિભાગે તસદી જ લીધી જ નહીં. અંતે તમામ સ્કૂલવર્ધી એસોસિએશનને વિરોધ કરવાની શરૂઆત કરી હતી. આ પછી પણ કોઈ નિરાકરણ ન આવતા એસોસિએશને અંતે અચોક્કસ મુદતની હડતાળની જાહેરાત કરી છે. રાજકોટ, અમદાવાદ અને સુરતમાં વિવાદ વકરી રહ્યો છે અને સાથે જ અહીં સ્કૂલ અને વાન ચાલકો હડતાળ પર ઉતરી ચૂક્યા છે.

કઈ બાબતો પર કરાશે કાર્યવાહી

સ્કૂલવર્ધીના વાહનમાં વ્હાઇટ નંબર પ્લેટ (ખાનગી વાહન), ફિટનેસ, પરમીટ, થર્ડ પાર્ટી વીમો નહીં હોય તો RTO કાર્યવાહી કરવા મક્કમ છે. આરટીઓ અધિકારીઓ વિવિધ સ્કૂલો પર સરપ્રાઇઝ ચેકિંગ કરશે, જેમાં સ્કૂલ સંચાલકોની લાપરવાહી બહાર આવશે તો સંબંધિત સ્કૂલને પણ નોટિસ અપાશે. સ્કૂલ વર્ધી વાહનોમાં સેફ્ટીને લઈ RTOની તપાસ ઝુંબેશ આજથી શરૂ થશે. રાજ્યભરમાં RTO વિભાગ વાહનોમાં તપાસ કરાશે. ફિટનેસ સર્ટિફિકેટ અને સેફ્ટીને લઇને તપાસ કરાશે. ફિટનેસ અને સેફ્ટી વિનાના વાહનોને ડિટેઈન કરાશે. ઉલ્લેખનીય છે કે ઉપરોક્ત તમામ કામ માટે વાહનચાલકોને 17 જૂન સુધીની મુદત અપાઈ હતી.