Ahmedabadમાં વેપારના નામે રૂ.5 કરોડ 75 લાખનું રોકાણ કરાવી કરી ઠગાઈ

અમદાવાદના NHL કોલેજના કર્મચારી સાથે ઠગાઈ કરી એમ્બ્યુલન્સ સર્વિસના નામે રોકાણની લાલચ આપી સુરતના ડોક્ટર હાર્દિક પટવા સહિત 3 સામે ફરિયાદ અમદાવાદમાં રોકાણના નામે કરોડોની ઠગાઈ કરવામાં આવી છે. જેમાં એમ્બ્યુલન્સ સર્વિસના નામે રોકાણની લાલચ આપી હતી. તેમાં ઊંચો નફો આપવાની લાલચ આપી ઠગાઈ આચરવામાં આવી છે. રૂપિયા 5 કરોડ 75 લાખનું રોકાણ કરાવી ઠગાઈ કરી છે. જેમાં સુરતના ડોક્ટર હાર્દિક પટવા સહિત 3 સામે ફરિયાદ કરવામાં આવી છે. તેમાં અમદાવાદના NHL કોલેજના કર્મચારી સાથે ઠગાઈ કરી છે. ત્યારે આર્થિક ગુના નિવારણ શાખાએ તપાસ હાથ ધરી છે. ડો.હાર્દિક રમેશ પટવા સાથે એમ્બ્યુલન્સમાં રોકાણ કરવાની વાત થઈ અગાઉ સુરતના સ્મીમેર હોસ્પિટલમાં બાયો કેમેસ્ટ્રી વિભાગમાં ફરજ બજાવતા ડોક્ટર સાથે તેના જ સાથી ડોક્ટર અને તેના બે ભાગીદારોએ ઠગાઈ કરી હતી. આરોપીઓએ એમ્બ્યુલન્સના ધંધામાં નફો આપવાની વાત કરીને ફરિયાદી અને તેના અન્ય 12 મિત્રો પાસેથી કુલ રૂ. 5.24 કરોડ જેટલી રકમ ઉઘરાવી બાદમાં ઠગાઈ કરી હતી. આ અંગેની ફરિયાદ ક્રાઈમ બ્રાન્ચમાં નોંધાઈ, તેની તપાસ સુરત ઇકો સેલને સોંપવામાં આવી છે. સુરત ઇકો સેલ પાસેથી મળતી વિગતો મુજબ ફરિયાદી કિપલકુમાર અરવિંદ શહાણે અલથાણ ભીમરાડ કેનાલ રોડ પર આવેલા આકાશ એપાર્ટમેન્ટમાં રહે છે. તથા સ્મીમેર હોસ્પિટલમાં બાયો કેમેસ્ટ્રી વિભાગમાં ટીચર તરીકે ફરજ બજાવે છે અને પોતે તબીબ છે. ઓગસ્ટ 2021 માં ફરિયાદીને સ્મીમેરમાં ટીચર તરીકે ફરજ બજાવતા ડો.હાર્દિક રમેશ પટવા સાથે એમ્બ્યુલન્સમાં રોકાણ કરવાની વાત થઈ હતી. પેશન્ટને ગુજરાતની બહાર લઈ જવાના હોય તો એક ટ્રીપના એક લાખ રૂપિયા મળતા હોવાની લાલચ આપી હાર્દિક પટવાએ ફરિયાદીને કહ્યું કે, હું મારા બે ભાગીદારો હેમંત ડાહ્યા પરમાર અને મયુર વાલ્મીકી ગોસ્વામી સાથે મળીને એમ્બુલન્સ ભાડેથી આપીને સારો નફો કમાઈ લઈએ છીએ. તમારે જો અમારી સાથે ધંધો કરવો હોય તો હું તમને 50 ટકા નફો આપીશ અને બાકીના 50 ટકા અમે રાખી લેશું. આરોપીએ સનસાઈ એમ્બ્યુલન્સ સર્વિસ અને યગ્સ એમ્બ્યુલન્સ સર્વિસના નામથી ધંધો કરતા હોવાનું કહ્યું હતું. સાથે જ એક જે.એસ.ડબ્લ્યુ સ્ટીલ કંપની લિમિટેડનો સર્વિસ ઓર્ડર પણ બતાવ્યો હતો, જેમાં 8 એમ્બ્યુલન્સ આપી હોવાનું કહ્યું હતું. અને જો પેશન્ટને ગુજરાતની બહાર લઈ જવાના હોય તો એક ટ્રીપના એક લાખ રૂપિયા મળતા હોવાની પણ લાલચ આપી હતી.  ભાગીદારોએ માત્ર 8 એમ્બ્યુલન્સમાં જ 3.46 કરોડનો નફો મળશે તેવી વાત કરી આ વાતચીત બાદ ડો. કપિલ શહાણેએ પોતાના બીજા તબીબ મિત્ર કેયુર પ્રજાપતિને એમ્બ્યુલન્સના ધંધા વિશે વાત કરી અને બીજા મિત્રોને પણ આ વાતથી માહિતગાર કર્યા હતા. હાર્દિક પટવા સાથે ડો.કપિલ શહાણે અને ડો.કેયુર પ્રજાપતિએ મીટીંગ કરી હતી. અહીં પણ હાર્દિક અને તેના ભાગીદારોએ માત્ર 8 એમ્બ્યુલન્સમાં જ 3.46 કરોડનો નફો મળશે તેવી વાત કરીને શીશામાં ઉતારી દીધા હતા. ડો.કપિલ અને ડો.કેયુર સહિત અન્ય 11 લોકોએ એમ્બ્યુલન્સના ધંધામાં રોકાણ કરવાની તૈયારી બતાવી હતી. ડૉ. હાર્દિક પટવા અને તેના બે ભાગીદારો હેમંત ડાહ્યાભાઈ પરમાર અને મયુર વાલ્મિકીએ ભેગા મળીને એમ્બ્યુલન્સ ખરીદવા અને તેને કોન્ટ્રાક્ટ પર અલગ અલગ જગ્યાએ મૂકવા માટેના કુલ રૂ. 5.24 કરોડ લઈ લીધા હતા. ત્યારબાદ ત્રણેય જણાએ હાથ ઊંચા કરી દીધા અને રૂપિયા એમ્બ્યુલન્સના ધંધામાં નહીં રોકીને તેનો અંગત ઉપયોગ કરીને ઠગાઈ કરી હતી. આ બાબતે ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ નોંધાઈ હતી, જેની તપાસ સુરત ઇકો સેલને સોંપવામાં આવી છે.

Ahmedabadમાં  વેપારના નામે રૂ.5 કરોડ 75 લાખનું રોકાણ કરાવી કરી ઠગાઈ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • અમદાવાદના NHL કોલેજના કર્મચારી સાથે ઠગાઈ કરી
  • એમ્બ્યુલન્સ સર્વિસના નામે રોકાણની લાલચ આપી
  • સુરતના ડોક્ટર હાર્દિક પટવા સહિત 3 સામે ફરિયાદ

અમદાવાદમાં રોકાણના નામે કરોડોની ઠગાઈ કરવામાં આવી છે. જેમાં એમ્બ્યુલન્સ સર્વિસના નામે રોકાણની લાલચ આપી હતી. તેમાં ઊંચો નફો આપવાની લાલચ આપી ઠગાઈ આચરવામાં આવી છે. રૂપિયા 5 કરોડ 75 લાખનું રોકાણ કરાવી ઠગાઈ કરી છે. જેમાં સુરતના ડોક્ટર હાર્દિક પટવા સહિત 3 સામે ફરિયાદ કરવામાં આવી છે. તેમાં અમદાવાદના NHL કોલેજના કર્મચારી સાથે ઠગાઈ કરી છે. ત્યારે આર્થિક ગુના નિવારણ શાખાએ તપાસ હાથ ધરી છે.

ડો.હાર્દિક રમેશ પટવા સાથે એમ્બ્યુલન્સમાં રોકાણ કરવાની વાત થઈ

અગાઉ સુરતના સ્મીમેર હોસ્પિટલમાં બાયો કેમેસ્ટ્રી વિભાગમાં ફરજ બજાવતા ડોક્ટર સાથે તેના જ સાથી ડોક્ટર અને તેના બે ભાગીદારોએ ઠગાઈ કરી હતી. આરોપીઓએ એમ્બ્યુલન્સના ધંધામાં નફો આપવાની વાત કરીને ફરિયાદી અને તેના અન્ય 12 મિત્રો પાસેથી કુલ રૂ. 5.24 કરોડ જેટલી રકમ ઉઘરાવી બાદમાં ઠગાઈ કરી હતી. આ અંગેની ફરિયાદ ક્રાઈમ બ્રાન્ચમાં નોંધાઈ, તેની તપાસ સુરત ઇકો સેલને સોંપવામાં આવી છે. સુરત ઇકો સેલ પાસેથી મળતી વિગતો મુજબ ફરિયાદી કિપલકુમાર અરવિંદ શહાણે અલથાણ ભીમરાડ કેનાલ રોડ પર આવેલા આકાશ એપાર્ટમેન્ટમાં રહે છે. તથા સ્મીમેર હોસ્પિટલમાં બાયો કેમેસ્ટ્રી વિભાગમાં ટીચર તરીકે ફરજ બજાવે છે અને પોતે તબીબ છે. ઓગસ્ટ 2021 માં ફરિયાદીને સ્મીમેરમાં ટીચર તરીકે ફરજ બજાવતા ડો.હાર્દિક રમેશ પટવા સાથે એમ્બ્યુલન્સમાં રોકાણ કરવાની વાત થઈ હતી.

પેશન્ટને ગુજરાતની બહાર લઈ જવાના હોય તો એક ટ્રીપના એક લાખ રૂપિયા મળતા હોવાની લાલચ આપી

હાર્દિક પટવાએ ફરિયાદીને કહ્યું કે, હું મારા બે ભાગીદારો હેમંત ડાહ્યા પરમાર અને મયુર વાલ્મીકી ગોસ્વામી સાથે મળીને એમ્બુલન્સ ભાડેથી આપીને સારો નફો કમાઈ લઈએ છીએ. તમારે જો અમારી સાથે ધંધો કરવો હોય તો હું તમને 50 ટકા નફો આપીશ અને બાકીના 50 ટકા અમે રાખી લેશું. આરોપીએ સનસાઈ એમ્બ્યુલન્સ સર્વિસ અને યગ્સ એમ્બ્યુલન્સ સર્વિસના નામથી ધંધો કરતા હોવાનું કહ્યું હતું. સાથે જ એક જે.એસ.ડબ્લ્યુ સ્ટીલ કંપની લિમિટેડનો સર્વિસ ઓર્ડર પણ બતાવ્યો હતો, જેમાં 8 એમ્બ્યુલન્સ આપી હોવાનું કહ્યું હતું. અને જો પેશન્ટને ગુજરાતની બહાર લઈ જવાના હોય તો એક ટ્રીપના એક લાખ રૂપિયા મળતા હોવાની પણ લાલચ આપી હતી.

 ભાગીદારોએ માત્ર 8 એમ્બ્યુલન્સમાં જ 3.46 કરોડનો નફો મળશે તેવી વાત કરી

આ વાતચીત બાદ ડો. કપિલ શહાણેએ પોતાના બીજા તબીબ મિત્ર કેયુર પ્રજાપતિને એમ્બ્યુલન્સના ધંધા વિશે વાત કરી અને બીજા મિત્રોને પણ આ વાતથી માહિતગાર કર્યા હતા. હાર્દિક પટવા સાથે ડો.કપિલ શહાણે અને ડો.કેયુર પ્રજાપતિએ મીટીંગ કરી હતી. અહીં પણ હાર્દિક અને તેના ભાગીદારોએ માત્ર 8 એમ્બ્યુલન્સમાં જ 3.46 કરોડનો નફો મળશે તેવી વાત કરીને શીશામાં ઉતારી દીધા હતા. ડો.કપિલ અને ડો.કેયુર સહિત અન્ય 11 લોકોએ એમ્બ્યુલન્સના ધંધામાં રોકાણ કરવાની તૈયારી બતાવી હતી. ડૉ. હાર્દિક પટવા અને તેના બે ભાગીદારો હેમંત ડાહ્યાભાઈ પરમાર અને મયુર વાલ્મિકીએ ભેગા મળીને એમ્બ્યુલન્સ ખરીદવા અને તેને કોન્ટ્રાક્ટ પર અલગ અલગ જગ્યાએ મૂકવા માટેના કુલ રૂ. 5.24 કરોડ લઈ લીધા હતા. ત્યારબાદ ત્રણેય જણાએ હાથ ઊંચા કરી દીધા અને રૂપિયા એમ્બ્યુલન્સના ધંધામાં નહીં રોકીને તેનો અંગત ઉપયોગ કરીને ઠગાઈ કરી હતી. આ બાબતે ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ નોંધાઈ હતી, જેની તપાસ સુરત ઇકો સેલને સોંપવામાં આવી છે.