Junagadhમાં ગિરનાર પર્વત વાદળથી છવાયો,ભારે પવન ફૂંકાતા રોપ-વે સેવા બંધ કરાઈ

ગિરનાર પર્વત ઉપર પવનની સ્પીડ વધતા લેવાયો નિર્ણય વાતાવરણ અનુકૂળ થતા રોપવે ફરીથી થશે કરાશે ગિરનાર પર્વત વાદળથી છવાયો ગિરનાર પર્વત ઉપર વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે.ગિરનાર પર્વત વાદળથી છવાયો છે,જેના કારણે રોપ-વે સેવા બંધ કરાઈ છે.વાતાવરણ ખરાબ હોવાથી રોપ-વે સેવા ચાલુ રાખવી હિતાવહ નથી.ગિરનાર પર્વત ઉપર પવન ફૂંકાઈ રહ્યો છે.જેના કારણે રોપ-વે ચલાવવું મુશ્કેલ છે.વાતાવરણ અનુકૂળ થતા ફરીથી રોપ-વે સેવા શરૂ કરાશે. જૂનાગઢમાં વાતાવરણમા પલટો જૂનાગઢમાં ઓચિંતા જ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને તે સાથે મેઘરાજા ધોધમાર તૂટી પડયા હતા. અને એક કલાકમાં શહેરમાં 23મીમી પાણી વરસ્યું હતું. આ પછી થોડો વિરામ લીધા બાદ ફરી મેઘ સવારી આવી પહોંચી હતી. અને એક કલાકમાં ફરીથી મેઘરાજાએ 2 ઇંચ પાણી વરસાવીને શહેરીજનોને બાનમાં લઈ લીધા હતા. છેલ્લા 24 કલાકમાં જૂનાગઢમાં નોંધાયેલ વરસાદ સવારે 6 થી રાત્રિના 8 દરમિયાન માણાવદરમાં 16 મીમી, વંથલી 20મીમી, જુનાગઢ 71 મીમી, ભેસાણ 2 મીમી, કેશોદ 19મીમી, માંગરોળ 28મીમી, માળીયાહાટીના તાલુકામાં 20મીમી વરસાદ નોંધાયો હતો. જ્યારે મેંદરડા તાલુકામાં 42 મીમી પાણી વરસતા મધુવંતી નદીમાં નવા નીરની આવક થઈ હતી. જેના પગલાં ખેડૂતોમાં ખુશી વ્યાપી ગઈ હતી. જૂનાગઢમાં 23 MM, માણાવદરમાં 13 MM, વંથલીમાં 6 MM, મેંદરડામાં દોઢ ઈંચ, કેશોદમાં 5 MM, માંગરોળમાં 1 ઇંચ, માળીયામાં 11 MM વરસાદ વરસ્યો છે. વંથલીમાં ધોધમાર વરસાદવંથલીમાં ધોધમાર વરસાદ વરસતા રસ્તા પર પાણી ફરી વળ્યા છે.સવારથી જ ધોધમાર વરસાદ વરસ્યો છે.લોકોને ગરમીમાંથી રાહત મળી છે.

Junagadhમાં ગિરનાર પર્વત વાદળથી છવાયો,ભારે પવન ફૂંકાતા રોપ-વે સેવા બંધ કરાઈ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ગિરનાર પર્વત ઉપર પવનની સ્પીડ વધતા લેવાયો નિર્ણય
  • વાતાવરણ અનુકૂળ થતા રોપવે ફરીથી થશે કરાશે
  • ગિરનાર પર્વત વાદળથી છવાયો

ગિરનાર પર્વત ઉપર વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે.ગિરનાર પર્વત વાદળથી છવાયો છે,જેના કારણે રોપ-વે સેવા બંધ કરાઈ છે.વાતાવરણ ખરાબ હોવાથી રોપ-વે સેવા ચાલુ રાખવી હિતાવહ નથી.ગિરનાર પર્વત ઉપર પવન ફૂંકાઈ રહ્યો છે.જેના કારણે રોપ-વે ચલાવવું મુશ્કેલ છે.વાતાવરણ અનુકૂળ થતા ફરીથી રોપ-વે સેવા શરૂ કરાશે.

જૂનાગઢમાં વાતાવરણમા પલટો

જૂનાગઢમાં ઓચિંતા જ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને તે સાથે મેઘરાજા ધોધમાર તૂટી પડયા હતા. અને એક કલાકમાં શહેરમાં 23મીમી પાણી વરસ્યું હતું. આ પછી થોડો વિરામ લીધા બાદ ફરી મેઘ સવારી આવી પહોંચી હતી. અને એક કલાકમાં ફરીથી મેઘરાજાએ 2 ઇંચ પાણી વરસાવીને શહેરીજનોને બાનમાં લઈ લીધા હતા.


છેલ્લા 24 કલાકમાં જૂનાગઢમાં નોંધાયેલ વરસાદ

સવારે 6 થી રાત્રિના 8 દરમિયાન માણાવદરમાં 16 મીમી, વંથલી 20મીમી, જુનાગઢ 71 મીમી, ભેસાણ 2 મીમી, કેશોદ 19મીમી, માંગરોળ 28મીમી, માળીયાહાટીના તાલુકામાં 20મીમી વરસાદ નોંધાયો હતો. જ્યારે મેંદરડા તાલુકામાં 42 મીમી પાણી વરસતા મધુવંતી નદીમાં નવા નીરની આવક થઈ હતી. જેના પગલાં ખેડૂતોમાં ખુશી વ્યાપી ગઈ હતી. જૂનાગઢમાં 23 MM, માણાવદરમાં 13 MM, વંથલીમાં 6 MM, મેંદરડામાં દોઢ ઈંચ, કેશોદમાં 5 MM, માંગરોળમાં 1 ઇંચ, માળીયામાં 11 MM વરસાદ વરસ્યો છે.

વંથલીમાં ધોધમાર વરસાદ

વંથલીમાં ધોધમાર વરસાદ વરસતા રસ્તા પર પાણી ફરી વળ્યા છે.સવારથી જ ધોધમાર વરસાદ વરસ્યો છે.લોકોને ગરમીમાંથી રાહત મળી છે.