ભાડજ સર્કલ પાસે SP રિંગ રોડ પર કારચાલકની ટક્કરથી યુવકનું મોત
ગંભીર ઇજાઓ થતાં તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતુંએ ડિવિઝન ટ્રાફિક પોલીસે ફરાર કારચાલક સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરી કારચાલકે ટુ-વ્હીલર લઈને જતા યુવકને અડફેટે લેતા તે જમીન પર ઢસડાયો ઓગણજ સર્કલથી ભાડજ તરફ્ જતા એસપી રિંગ રોડ પર પુરઝડપે આવી રહેલા કારચાલકે ટુ-વ્હીલર લઈને જતા યુવકને અડફેટે લેતા તે જમીન પર ઢસડાયો હતો. જેના કારણે ગંભીર ઇજાઓ થતાં તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ કારચાલક ફ્રાર થઈ ગયો હતો. આ અંગે એ ડિવિઝન ટ્રાફિક પોલીસે ફરાર કારચાલક સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. મૂળ ગીર સોમનાથ 18 વર્ષીય કેયુર વાડદોરિયા છેલ્લા એક મહિનાથી બોપલમાં તેમના બનેવીના ત્યાં રહેતા હતા. ગત 2 એપ્રિલે રાત્રીના સમયે કેયુરભાઇ કામઅર્થે ટુ-વ્હીલર લઈને ઓગણજથી ભાડજ તરફ જતા હતા. સંપ ફાર્મહાઉસ પાસે પહોંચ્યા તે સમયે પુરઝડપે આવી રહેલા અજાણ્યા કારચાલકે કેયુરભાઇના ટુ-વ્હીલરને પાછળથી ટક્કર મારતા તેઓ જમીન પર ઢસડાયા હતા. ગંભીર ઇજાઓ થતા તેમનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. અકસ્માત બાદ લોકોનાં ટોળા એકઠા થતા કારચાલક ત્યાંથી નાસી ગયો હતો. આ અંગે એ ડિવિઝન ટ્રાફ્કિ પોલીસે ફરાર કારચાલક સામે ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજનાઆધારે તપાસ શરૂ કરી છે.
![ભાડજ સર્કલ પાસે SP રિંગ રોડ પર કારચાલકની ટક્કરથી યુવકનું મોત](https://epapercdn.sandesh.com/images/2024/04/03/N2KzdxnvtebgHNk6nw6q0LUUayuc21omgCys6FzA.jpg?#)
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- ગંભીર ઇજાઓ થતાં તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું
- એ ડિવિઝન ટ્રાફિક પોલીસે ફરાર કારચાલક સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરી
- કારચાલકે ટુ-વ્હીલર લઈને જતા યુવકને અડફેટે લેતા તે જમીન પર ઢસડાયો
ઓગણજ સર્કલથી ભાડજ તરફ્ જતા એસપી રિંગ રોડ પર પુરઝડપે આવી રહેલા કારચાલકે ટુ-વ્હીલર લઈને જતા યુવકને અડફેટે લેતા તે જમીન પર ઢસડાયો હતો. જેના કારણે ગંભીર ઇજાઓ થતાં તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ કારચાલક ફ્રાર થઈ ગયો હતો. આ અંગે એ ડિવિઝન ટ્રાફિક પોલીસે ફરાર કારચાલક સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.
મૂળ ગીર સોમનાથ 18 વર્ષીય કેયુર વાડદોરિયા છેલ્લા એક મહિનાથી બોપલમાં તેમના બનેવીના ત્યાં રહેતા હતા. ગત 2 એપ્રિલે રાત્રીના સમયે કેયુરભાઇ કામઅર્થે ટુ-વ્હીલર લઈને ઓગણજથી ભાડજ તરફ જતા હતા. સંપ ફાર્મહાઉસ પાસે પહોંચ્યા તે સમયે પુરઝડપે આવી રહેલા અજાણ્યા કારચાલકે કેયુરભાઇના ટુ-વ્હીલરને પાછળથી ટક્કર મારતા તેઓ જમીન પર ઢસડાયા હતા. ગંભીર ઇજાઓ થતા તેમનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. અકસ્માત બાદ લોકોનાં ટોળા એકઠા થતા કારચાલક ત્યાંથી નાસી ગયો હતો. આ અંગે એ ડિવિઝન ટ્રાફ્કિ પોલીસે ફરાર કારચાલક સામે ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજનાઆધારે તપાસ શરૂ કરી છે.