હરિદ્વાર જતાં અમદાવાદીઓની કારને દૌસા નજીક નડ્યો ગંભીર અકસ્માત, 3નાં મોત, 5 લોકો ઘવાયા
Road Accident: દૌસાના બાંદીકુઈ નજીક દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે હાઈવે પર અમદાવાદથી હરિદ્વાર જતી કારને એક ટ્રકે અડફેટે લેતાં કચડી નાખી હતી. આ ગંભીર અકસ્માતમાં 3 લોકો ઘટનાસ્થળે જ મૃત્યુ પામી ગયા હતા જ્યારે 5 લોકો ઘવાયા હતા. કેવી રીતે અકસ્માત થયો? માહિતી અનુસાર અમદાવાદથી હરિદ્વાર જતા આ લોકોની કારની ટક્કર પહેલા એક રખડતાં ઢોર સાથે થઇ હતી. જેના બાદ આ લોકો હાઈવે પર ઊતર્યા હતા. તેઓ અમદાવાદથી અસ્થિ વિસર્જન માટે હરિદ્વાર જઇ રહ્યા હતા. તે સમયે જ એક ટ્રકની અડફેડે પરિવારના સભ્યો આવી ગયા હતા. મૃતકોમાં કોણ કોણ સામેલ? મૃતકોમાં હસમુખ કાંતીલાલ મકવાણા(32), સીમા હસમુખ અને તેમનો 5 વર્ષીય પુત્ર મોહન ઘટનાસ્થળે જ મૃત્યુ પામી ગયા હતા. હાલમાં તેમના શબને મડદાંઘરમાં રખાયા છે. દુર્ઘટનામાં કાંતિલાલની દીકરી નીલમ (27), ગીતા રાકેશ કુમાર પરમાર(35) , હસમુખનો 3 વર્ષનો પુત્ર, ગીતાની દીકરી કાવ્યા અને અમદાવાદના વતની જેઠાભાઈના પુત્ર વિરીતભાઈ (48) ગંભીર રીતે ઘવાયા હતા. હાલ તેમની સારવાર ચાલી રહી છે.
![હરિદ્વાર જતાં અમદાવાદીઓની કારને દૌસા નજીક નડ્યો ગંભીર અકસ્માત, 3નાં મોત, 5 લોકો ઘવાયા](http://static.gujaratsamachar.com/articles/articles_thumbs/photo_1715508186969.jpeg?#)
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Road Accident: દૌસાના બાંદીકુઈ નજીક દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે હાઈવે પર અમદાવાદથી હરિદ્વાર જતી કારને એક ટ્રકે અડફેટે લેતાં કચડી નાખી હતી. આ ગંભીર અકસ્માતમાં 3 લોકો ઘટનાસ્થળે જ મૃત્યુ પામી ગયા હતા જ્યારે 5 લોકો ઘવાયા હતા.
કેવી રીતે અકસ્માત થયો?
માહિતી અનુસાર અમદાવાદથી હરિદ્વાર જતા આ લોકોની કારની ટક્કર પહેલા એક રખડતાં ઢોર સાથે થઇ હતી. જેના બાદ આ લોકો હાઈવે પર ઊતર્યા હતા. તેઓ અમદાવાદથી અસ્થિ વિસર્જન માટે હરિદ્વાર જઇ રહ્યા હતા. તે સમયે જ એક ટ્રકની અડફેડે પરિવારના સભ્યો આવી ગયા હતા.
મૃતકોમાં કોણ કોણ સામેલ?
મૃતકોમાં હસમુખ કાંતીલાલ મકવાણા(32), સીમા હસમુખ અને તેમનો 5 વર્ષીય પુત્ર મોહન ઘટનાસ્થળે જ મૃત્યુ પામી ગયા હતા. હાલમાં તેમના શબને મડદાંઘરમાં રખાયા છે. દુર્ઘટનામાં કાંતિલાલની દીકરી નીલમ (27), ગીતા રાકેશ કુમાર પરમાર(35) , હસમુખનો 3 વર્ષનો પુત્ર, ગીતાની દીકરી કાવ્યા અને અમદાવાદના વતની જેઠાભાઈના પુત્ર વિરીતભાઈ (48) ગંભીર રીતે ઘવાયા હતા. હાલ તેમની સારવાર ચાલી રહી છે.