હરિદ્વાર જતાં અમદાવાદીઓની કારને દૌસા નજીક નડ્યો ગંભીર અકસ્માત, 3નાં મોત, 5 લોકો ઘવાયા

Road Accident: દૌસાના બાંદીકુઈ નજીક દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે હાઈવે પર અમદાવાદથી હરિદ્વાર જતી કારને એક ટ્રકે અડફેટે લેતાં કચડી નાખી હતી. આ ગંભીર અકસ્માતમાં 3 લોકો ઘટનાસ્થળે જ મૃત્યુ પામી ગયા હતા જ્યારે 5 લોકો ઘવાયા હતા. કેવી રીતે અકસ્માત થયો? માહિતી અનુસાર અમદાવાદથી હરિદ્વાર જતા આ લોકોની કારની ટક્કર પહેલા એક રખડતાં ઢોર સાથે થઇ હતી. જેના બાદ આ લોકો હાઈવે પર ઊતર્યા હતા. તેઓ અમદાવાદથી અસ્થિ વિસર્જન માટે હરિદ્વાર જઇ રહ્યા હતા. તે સમયે જ એક ટ્રકની અડફેડે પરિવારના સભ્યો આવી ગયા હતા. મૃતકોમાં કોણ કોણ સામેલ? મૃતકોમાં હસમુખ કાંતીલાલ મકવાણા(32), સીમા હસમુખ અને તેમનો 5 વર્ષીય પુત્ર મોહન ઘટનાસ્થળે જ મૃત્યુ પામી ગયા હતા. હાલમાં તેમના શબને મડદાંઘરમાં રખાયા છે. દુર્ઘટનામાં કાંતિલાલની દીકરી નીલમ (27), ગીતા રાકેશ કુમાર પરમાર(35) , હસમુખનો 3 વર્ષનો પુત્ર, ગીતાની દીકરી કાવ્યા અને અમદાવાદના વતની જેઠાભાઈના પુત્ર વિરીતભાઈ (48) ગંભીર રીતે ઘવાયા હતા. હાલ તેમની સારવાર ચાલી રહી છે.

હરિદ્વાર જતાં અમદાવાદીઓની કારને દૌસા નજીક નડ્યો ગંભીર અકસ્માત, 3નાં મોત, 5 લોકો ઘવાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Road Accident: દૌસાના બાંદીકુઈ નજીક દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે હાઈવે પર અમદાવાદથી હરિદ્વાર જતી કારને એક ટ્રકે અડફેટે લેતાં કચડી નાખી હતી. આ ગંભીર અકસ્માતમાં 3 લોકો ઘટનાસ્થળે જ મૃત્યુ પામી ગયા હતા જ્યારે 5 લોકો ઘવાયા હતા. 

કેવી રીતે અકસ્માત થયો? 

માહિતી અનુસાર અમદાવાદથી હરિદ્વાર જતા આ લોકોની કારની ટક્કર પહેલા એક રખડતાં ઢોર સાથે થઇ હતી. જેના બાદ આ લોકો હાઈવે પર ઊતર્યા હતા. તેઓ અમદાવાદથી અસ્થિ વિસર્જન માટે હરિદ્વાર જઇ રહ્યા હતા. તે સમયે જ એક ટ્રકની અડફેડે પરિવારના સભ્યો આવી ગયા હતા. 

મૃતકોમાં કોણ કોણ સામેલ? 

મૃતકોમાં હસમુખ કાંતીલાલ મકવાણા(32), સીમા હસમુખ અને તેમનો 5 વર્ષીય પુત્ર મોહન ઘટનાસ્થળે જ મૃત્યુ પામી ગયા હતા. હાલમાં તેમના શબને મડદાંઘરમાં રખાયા છે. દુર્ઘટનામાં કાંતિલાલની દીકરી નીલમ (27), ગીતા રાકેશ કુમાર પરમાર(35) , હસમુખનો 3 વર્ષનો પુત્ર, ગીતાની દીકરી કાવ્યા અને અમદાવાદના વતની જેઠાભાઈના પુત્ર વિરીતભાઈ (48) ગંભીર રીતે ઘવાયા હતા. હાલ તેમની સારવાર ચાલી રહી છે.