વાઘોડિયા રોડ પર રોડ ક્રોસ કરતી બે બહેનોને રિક્ષા ચાલકે હવામાં ફંગોળી

વાઘોડિયા રોડ બાપોદ ચાર રસ્તા પાસે રોડ ક્રોસ કરતી બે મહિલાઓને રિક્ષા ચાલકે ટક્કર મારી હવામાં ફંગોળતા ઇજા થઇ હતી. જ્યારે નેહરૃ ભવન પાસે કાર ચાલકે બાઇક સવારને પાછળથી ટક્કર મારતા તેને ઇજા પહોંચી હતી. ડભોઇ રોડ દર્શનમ આગમનમાં રહેતા  હિનાબેન કમલેશભાઇ ગોહિલ તથા તેના બહેન  દિક્ષીતાબેન ગઇકાલે સાંજે પોણા સાત વાગ્યે બાપોદ ચાર રસ્તા પાસે રોડ ક્રોસ કરતા  હતા. તે સમયે એક રિક્ષા ચાલકે તેઓને ટક્કર મારતા તેઓને ઇજા થઇ હતી.  પોલીસે રિક્ષા ચાલક સામે ગુનો દાખલ કરી વધુ પાસ હાથ ધરી છે.નેહરૃ ભવનની  પાછળ મહાવીર કોલોનીમાં રહેતો શ્રમજીવી વિજયસિંહ જીતસિંહ રાજ ગઇકાલે બાઇક લઇને નવાપુરા  ભેંસાણા પોલીસ ચોકી પાસેથી જતો હતો. તે દરમિયાન એક કાર ચાલકે પાછળથી તેને ટક્કર મારતા તે રોડ પર ફંગોળાતા પગે ફ્રેક્ચર થયું હતું. નવાપુરા પોલીસે આ અંગે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.આણંદ જિલ્લાના સામરખા ગામે વૃંદાવન સોસાયટીમાં રહેતા કાલીદાસ જેઠાભાઇ રાઠોડ ઉમરેઠ તાલુકા પંચાયતમાંથી સર્કલ ઇન્સપેક્ટર તરીકે સાત વર્ષ અગાઉ નિવૃત્ત થયા છે. ગત તા. ૧૫ મી જૂને તેઓ પત્ની સાથે બાઇક પર દશહરા સ્નાન માટે ચાંણોદ જવા નીકળ્યા હતા. તે દરમિયાન વાઘોડિયા ચોકડીથી આગળ ગિરિરાજ હોટલથી થોડે દૂર એક કાર ચાલકે ટક્કર મારતા દંપતીને ઇજા થઇ હતી. બનાવ અંગે કપુરાઇ પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી  છે.

વાઘોડિયા રોડ પર  રોડ ક્રોસ કરતી બે બહેનોને  રિક્ષા ચાલકે હવામાં ફંગોળી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વાઘોડિયા રોડ બાપોદ ચાર રસ્તા પાસે રોડ ક્રોસ કરતી બે મહિલાઓને રિક્ષા ચાલકે ટક્કર મારી હવામાં ફંગોળતા ઇજા થઇ હતી. જ્યારે નેહરૃ ભવન પાસે કાર ચાલકે બાઇક સવારને પાછળથી ટક્કર મારતા તેને ઇજા પહોંચી હતી. 

ડભોઇ રોડ દર્શનમ આગમનમાં રહેતા  હિનાબેન કમલેશભાઇ ગોહિલ તથા તેના બહેન  દિક્ષીતાબેન ગઇકાલે સાંજે પોણા સાત વાગ્યે બાપોદ ચાર રસ્તા પાસે રોડ ક્રોસ કરતા  હતા. તે સમયે એક રિક્ષા ચાલકે તેઓને ટક્કર મારતા તેઓને ઇજા થઇ હતી.  પોલીસે રિક્ષા ચાલક સામે ગુનો દાખલ કરી વધુ પાસ હાથ ધરી છે.

નેહરૃ ભવનની  પાછળ મહાવીર કોલોનીમાં રહેતો શ્રમજીવી વિજયસિંહ જીતસિંહ રાજ ગઇકાલે બાઇક લઇને નવાપુરા  ભેંસાણા પોલીસ ચોકી પાસેથી જતો હતો. તે દરમિયાન એક કાર ચાલકે પાછળથી તેને ટક્કર મારતા તે રોડ પર ફંગોળાતા પગે ફ્રેક્ચર થયું હતું. નવાપુરા પોલીસે આ અંગે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

આણંદ જિલ્લાના સામરખા ગામે વૃંદાવન સોસાયટીમાં રહેતા કાલીદાસ જેઠાભાઇ રાઠોડ ઉમરેઠ તાલુકા પંચાયતમાંથી સર્કલ ઇન્સપેક્ટર તરીકે સાત વર્ષ અગાઉ નિવૃત્ત થયા છે. ગત તા. ૧૫ મી જૂને તેઓ પત્ની સાથે બાઇક પર દશહરા સ્નાન માટે ચાંણોદ જવા નીકળ્યા હતા. તે દરમિયાન વાઘોડિયા ચોકડીથી આગળ ગિરિરાજ હોટલથી થોડે દૂર એક કાર ચાલકે ટક્કર મારતા દંપતીને ઇજા થઇ હતી. બનાવ અંગે કપુરાઇ પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી  છે.